|| અહિંસા પરમો ધર્મ ||
અહિંસા’ શબ્દનો સામાન્ય અર્થ છે “ હિંસા ન કરવી “એનો વ્યાપક અર્થ છે – કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. જૈન ધર્મમાં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: અહિંસા પરમ (સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે.
શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહંિસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્ એવો સંદેશો આપ્યો.
જૈન-ધર્મ-સનાતન ધર્મ છે. શ્રી મહાવીર સ્વામીની વિચારધારા. આજે પણ એટલી જ તાજી અને વૈજ્ઞાનિક છે.
જૈન-સાઘુઓએ કેવળ આત્માની વાત નથી કરી. પણ સમસ્ત માનવ સમાજ માટે પ્રકૃતિનાં ગુઢ રહસ્યોનું ચિંતન કરી જગત સમક્ષ રજુ કર્યું છે. ખગોળવિજ્ઞાન, જ્યોતિષ-આરોગ્ય વિગેરે સદીઓ પહેલાં જગતને આપ્યાં છે. આજનું આઘુનિક વિજ્ઞાન હજુ તે કક્ષાએ પહોંચી શક્યું નથી.
શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહિંસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્ એવો સંદેશો આપ્યો.
સનાતન ધર્મમાં કેટલેક સ્થળે પશુબલિનો પ્રયોગ થાય છે. છતાં જૈનધર્મના પ્રભાવ હેઠળ એમાં પણ ઘટાડો થયો છે.
જૈન ધર્મમાં દાનનું મહત્ત્વ છે અને આ અહિંસાનાં સંદર્ભમાં આઘુનિક હોસ્પિટલો તેમજ પાંજરાપોળનું નિર્માણ થયું છે. હિંદુઓ કરતાં જૈન-ધર્મમાં ગૌ-શાળાનું વઘુ પ્રાધાન્ય અપાયેલ છે.
આજે અહિંસાનો વ્યાપક-અર્થમાં પ્રચાર થવો જરૂરી છે. આપણાં મનમાં ઉદ્ભવતા દુષ્ટ મનોભાવો. એ તરંગ બને છે. તે પણ એક હિંસા છે.
હાલનાં ભોગવાદી સમયમાં વ્યક્તિ લક્ષ્મી પાછળ ગાંડો થયો છે અને આ ગાંડપણમાં અનેક વ્યક્તિઓની જાણે-અજાણે હિંસા થતી હોય છે.
આવાં મુખ્ય ઘટક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર. નાના-મોટા વેપારીઓ, આરોગ્યની સાથે ખિલાવર કરનાર ઉત્પાદકો, ખાદ્ય-સામગ્રીમાં ભેળસેળ કરનારાં વેપારીઓ એક જાતની માનવ-હત્યા કરતાં હોય છે. હંિસાને વ્યાપક-અર્થમાં લેવામાં આવે તો તે વ્યાપ ખૂબ વધી જાય છે.
ખોટી રીતે જમીનો પડાવી લેવી, ઓછું ભાડુ મકાન માલિકોને આપી અઢળક સંપત્તિ મેળવવી. જેઓનાં સહકારથી અઢળક સંપત્તિ મળતી હોય તેણે યોગ્ય વળતર ન આપવું તબીબી સેવામાં સામાન્ય જનતાની લાચારીમાં હજારો રૂપિયા ભેગાં કરવાં. આ બઘુ બુદ્ધિથી થતી હિંસા છે. હિંસાનો મોટો હિસ્સો ભ્રષ્ટાચારને પણ ઘણી શકાય.
અહિંસાનો વ્યાપક અર્થમાં મહાવીર સ્વામીની મૂળભૂત ભાવનાને નવાં દ્રષ્ટિકોણથી પ્રજા સમક્ષ મૂકી નવી ચેતનાનું નિર્માણ કરવાનું કાર્ય જૈનધર્મનાં સાઘુ-સમાજે તથા અન્ય ધર્મના સાઘુ-સંતોનાં સહકારથી આ દિશામાં અહિંસક, આંદોલન શરૂ કરવું જરૂરી છે.
ભ્રષ્ટાચાર, મોંઘવારી-માંથી ત્રાહિત પ્રજાને મુક્તિ મળશે. સમાજમાંથી અનિષ્ટ તત્ત્વો ખોટાં કામો નહી કરે – શ્રી મહાવીર સ્વામીની પુજાનું એક મહત્ત્વ લક્ષણ બની રહેશે.
આજે અનેક જૈન-આચાર્યો વર્તમાન સમયને સમજીને આ દિશામાં અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. લગ્નનો વૈભવ કે રાત્રિ-ભોજન પણ બંધ કરાવ્યાં છે.
ગરીબ પ્રજા માટે આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઊભી કરી છે. આની જવાબદારી કેવળ જૈન-મુનિઓની નથી પણ સમસ્ત જૈન-બુદ્ધ-હિંદુ ધર્મનાં બધાં સાઘુ-સંતોની છે.
જૈન-સમાજ આ દિશામાં સક્રિય થશે તો સમસ્ત માનવ-સમાજનું કલ્યાણ અને સુખાકારી મળશે. અને ભગવાન મહાવીર સ્વામીની કૃપા અને શક્તિ મળશે. ત્યારે અહિંસા પરમો ધર્મમાં સમસ્ત આત્માનો સાક્ષાત્કાર થશે.
બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે. આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.
જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં, જેનો સમય સંભવત: ત્રીજી ચોથી શતાબ્દી ઈ. પૂ. છે, અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપ્યો છે : ભૂત, ભાવી અને વર્તમાનના અર્હત આ જ કહે છે- કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે એને ના મારો, ના અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ આપો અને ના હેરાન કરો.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે. પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.
બધા જીવવા માંગે છે, મારવા કોઇ નથી માંગતું. તેથી જ નિર્ગ્રંથ પ્રાણિવધ ની મનાઈ કરે છે. બધા પ્રાણીઓ ને પોતાની આયુ પ્રિય છે, સુખ અનુકુળ છે, દુખ પ્રતિકુળ છે. જે વ્યક્તિ લીલી વનસ્પતિ નું છેદન કરે છે તે પોતાના આત્મા ને દંડ દેવાવાળો છે. તે બીજા પ્રાણીઓ ની હત્યા કરીને પોતાના આત્માની જ હત્યા કરે છે.
આત્મા ની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબત નું સમર્થન કરતા આચાર્ય અમૃત્ચંદ્ર એ લખ્યું છે: અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિ ને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ “શિષ્યાબોધાય” છે. સંક્ષેપ માં રાગદ્વેષનો અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. રાગદ્વેષરહિત પ્રવૃત્તિ થી અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પોતાના આત્માનો જ ઘાત કરે છે, પછી તે બીજા જીવો નો ઘાત કરે કે ના કરે. હિંસાનો વિરોધ ના કરવો તે પણ હિંસા છે અને હિંસા માં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે.