જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮

2

|| જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮ ||

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.

એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.

ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!

શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.

સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.

શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.

વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.

નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.

દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.

ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.

કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.

પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે.

જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!”

ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.

જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.

એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.

રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.

ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.

વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.

જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.

જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…

કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.

વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.

ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.

વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.

ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.

‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.

શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.

આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.

પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

રક્ષા બંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા – આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન

3

|| રક્ષા બંધન ||
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે ?
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને

4  5  6

7

|| રક્ષાબંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા ||

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલો છે.

ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.

નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥

જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.

8

|| આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ||

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ?

દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે.

આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

6

|| ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ ||

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.
– આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.
– માર્ક ટ્વેન

જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે
– ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ

૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.
– હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)

** નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. ‘નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ ‘નેવિગેશન’ પોતે પણ સંસ્કૃત શબ્દ ‘નવગતિ’ પરથી બનાવવામાં આવ્યો છે.

ભારતનો રાષ્ટ્રધ્વજ

2  3

|| ભારતનો રાષ્ટ્રધ્વજ ||

૧. (કલકત્તા)કોલકાટા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાટામાં લહેરાવેલ.
૨. ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ. (વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)
૩. હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭.
૪.૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ. (વચ્ચે ચરખો)
૫. ૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.
** ૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.
૬. ભારતની આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં લહેરાવેલ.
૧. ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita’s Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ (“বন্দে মাতরম”)લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
૨. પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાટા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
૩. ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
૪. બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુ નિયન જેક”(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
૫.૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
૬.મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
૭. ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
૮. આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
૯. છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
૧૦. આજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો.જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો.આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણીપુર માં ફરકાવાયેલ.

|| ઉત્પાદન પ્રક્રિયા ||

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

|| રાષ્ટ્રધ્વજ આચારસંહિતા ||

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

|| રાષ્ટ્રધ્વજનું સન્માન ||

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

|| રાષ્ટ્રધ્વજની જાળવણી ||

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે.

|| અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

|| રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે ||

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો,જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોયતો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

|| આંતરીક પ્રદર્શન માટે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે, તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથી જ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે, વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો, કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

4

|| શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ||

પ્રિય દેશવાસીઓ,

ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ.

આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ.

વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે?

આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર વિશ્વમાં કદરૂપા અને નીચા દેખાડી શકે છે. અને આપણી સ્વતંત્રતાના કારણને હાની પહોંચાડી શકે છે. આ બધી તકલીફો મોટી નાણાંકીય તકલીફો અને એ લોકોના રૂપે આપણી તરફ આવે ચે જે તાત્કાલીક આપણું ધ્યાન માંગે છે.

આપણું વિશ્વયુધ્ધમાં હોવું અને તે પછીનાં અનેક પ્રસંગોએ આપણને અનેક તકલીફોનો સમૂહ ભેટમાં આપ્યો છે. અને આજે આપણા લોકો ખોરાકના અને કપડાંના અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુ ના અભાવે જીવે છે અને આપણે મોંઘવારી અને વધતા જતાં ભાવના વિષચક્રમાં ફસાતા જઈએ છીએ. આપણે આ બધી તકલીફો તરતજ ઉકેલી શકવાનાં નથી. પણ આપણે તેમના ઉકેલમાં મોડું પણ કરી શકીએ એમ નથી. તેથી આપણે ચતુરાઈપૂર્વક આયોજન કરવું પડશે કે જેથી લોકો પર તેનો બોજો ઓછો પડે અને તેમનુ જીવનધોરણ ઉંચુ આવે. આપણે કોઈનું ખરાબ ઈચ્છતાં નથી પણ એ બધાંયને એકદમ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ કે આપણા લાંબા સમયથી તકલીફમાં જીવતા લોકોની તકલીફો પહેલા આવે છે, અને તેમની તકલીફોનું સમાધાન થવું જ જોઈએ. આપણે જૂની જમીન પધ્ધતિઓ બદલવી પડશે, અને આપણે ઔદ્યોગિકરણ મોટા પરંતુ સંતુલિત ધોરણે શરૂ કરવું પડશે, જેથી દેશની સંપત્તિમાં વધારો થાય અને આ રીતે આપણી રાષ્ટ્રીય સંપત્તિ સમાન ધોરણે વહેંચી શકાય.

ઉત્પાદન આજે આપણી સૌથી વધુ અગ્ર જરૂરત છે, અને દરેક કાર્ય જે તેને અટકાવવા કે ઓછું કરવા થશે તે દેશ વિરુધ્ધનું કાર્ય હશે, અને ખાસ કરીને મજૂરી કરતા આપણા લોકોના માટે તે ખૂબ નુકસાનકારક હશે. પણ ઉત્પાદન એકલું પૂરતું નથી, કારણકે એનાથી સંપત્તિનું કેન્દ્રિકરણ ફક્ત થોડાક હાથોમાં જ થશે, જે પ્રગતિના રસ્તે અવરોધ રૂપે આવશે અને દેશમાં અસમાનતા, અસંતુલિતતા અને ઝઘડા લાવશે. તેથી સમાન અને પૂરતું વિકેન્દ્રિકરણ દરેક તકલીફના ઉકેલ માટે જરૂરી છે.

ભારત સરકાર અત્યારે નદીઓના આસપાસના ફળદ્રુપ પ્રદેશોના વિકાસ માટે નદીઓના પ્રવાહને કાબૂમાં કરીને અનેક યોજનાઓ હાથ ધરશે, બંધો બનાવવા, તળાવો બનાવવા અને પાણી પૂરવઠા વડે તથા જળ વિદ્યુત યોજનાઓ વડે લોકવિકાસના કાર્યો થશે. આ સાર્વત્રિક વિકાસ હશે. આ યોજનાઓ બધાંય આયોજનનાં મૂળમાં છે અને અમે તેને બને તેટલી ઝડપથી પૂરી કરવા પ્રયત્ન કરીશું જેથી લોકસમૂહો તેનો ફાયદો મેળવી શકે.

આ બધું માંગે છે શાંતિપૂર્વકના સંજોગો અને લાગતા વળગતાં બધાંયનો સાથ અને સહકાર, અને સખત અને સતત મહેનત. ચાલો આપણે આપણી જાતને આ મહાન અને ફાયદાકારક કાર્યમાં જોડીએ અને આપણા આંતરિક ભેદભાવો અને ઝઘડા ભૂલી જઈએ. દરેક વસ્તુ માટે સમય હોય છે, સમય હોય છે ઝઘડવાનો, સમય હોય છે હાથમાં હાથ મેળવી કામ કરવાનો, સમય હોય છે કામ કરવાનો અને સમય હોય છે આનંદ કરવાનો. આજે લડવાનો સમય નથી કે મોજમજાનો સમય નથી. જ્યાં સુધી આપણે સફળ ન થઈ જઈએ. આજે, આપણે એક બીજા સાથે સહયોગ કરવો રહ્યો અને સાથે કાર્ય કરવું રહ્યું, અને સાચી ભાવનાથી કામ કરવું પડશે.

હું આપણી સેનાને પણ આજે થોડાક શબ્દો કહેવા માંગું છું, સિવિલ અને મિલિટ્રી, જૂના ભેદભાવો અને વાડાઓ જતા રહ્યા છે, અને આજે આપણે સ્વતંત્ર છીએ અને ભારતના સંતાનો છીએ, આપણા દેશની સ્વતંત્રતા માટે ગર્વ અનુભવીએ છીએ અને તેની સેવા માટે સાથે હાથ મેળવવા જઈ રહ્યા છીએ. આપણું બધાનું સામાન્ય પરીબળ છે “ભારત” આગળ આવનારા મુશ્કેલ દિવસોમાં, આપણી સેના અને આપણા વિશેષજ્ઞોએ મહત્વની ભૂમીકા ભજવવાની છે, અને આપણે તેમને ભારતની સેવાના સિપાહીઓ તરીકે આવકારીએ છીએ.

જવાહરલાલ નહેરૂ

ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ

5

|| ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ ||

“દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વકીલ એમ. કે. ગાંધીની પ્રતિમા”

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો વિષય છે જેના વિશે અભ્યાસનો અંત નથી. ૧૯૪૮માં અવસાન પામેલા ગાંધીને ર૦૦૪માં હજી આપણે છોડી શકતા નથી. એક પણ એવો દિવસ જતો નથી કે દેશનાં પ્રમુખ સમાચારપત્રોમાં ગાંધીજીનું નામ ન હોય! ગાંધીજીએ સ્વયં એક વાર સૂચક રીતે કહ્યું હતું કે મૃત્યુ પછી પણ ભારતવર્ષ સાથેનો મારો સંબંધ નહીં છૂટે. ગાંધી શબ્દ હિન્દુસ્તાન માટે એક બેરોમીટર છે, એલ્ટોમીટર છે, પ્રગતિનાં બધાં જ પરિમાણો માપવાનું પ્રેરણામીટર છે અને ગાંધીજીના સોલ સેલિંગ એજન્ટ્સ જેવા ગાંધીવાદીઓ પણ છે, ખાસ કરીને ગુજરાતમાં, જેમની બંડીમાં ધબ્બો મારો તો હજી ૧૯૩૮ની ધૂળ ઊડે છે. નિરક્ષર, અલ્પાક્ષર, અર્ધશિક્ષિત, એકેન્દ્રીય, બંધદિમાગી, સડિયલ કથિત અનુયાયીઓ હજી છે અને વિકાસમાર્ગમાં સ્પીડબ્રેકર કે ગતિરોધની જેમ પડ્યા રહ્યા છે. ઉમાશંકર જોષી કહેતા હતા: ગાંધીજી ગાંધીવાદી ન હતા…!

અને ગાંધીજી વિશે વિશ્ર્વભરમાંથી સમાચારો આવતા રહે છે અને આપણા ગુજરાતી પત્રો અને પ્રસાર-માધ્યમો એ વિશે માત્ર બેખબર નહીં, પણ પૂર્ણ બેહોશીની સુખદ અવસ્થામાં છે. આ આપણી ટ્રેજેડી છે કે કોમેડી છે એ સમજાતું નથી, પણ અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે જે આ સ્થિતિ માટે ઉપયુક્ત છે: ટ્રેજીકોમેડી! એટલે કે કરુણ-રમૂજી! ગાંધીજીના વિચારો એ યુગમાં પણ આધુનિક હતા, અને હું ચોક્કસ માનું છું કે ર૦૦૪માં જો ગાંધીજી જીવિત હોત તો આજની યુવાપેઢીનો આદર્શ રોલ-મોડલ હોત! ગાંધીજીમાં એ મૌલિકતા હતી. ગુજરાતના કેટલાક વર્ગોમાં ગાંધીજીને સતત ગાળો બોલતા રહેવાનો વાઈરસ ફેલાયો છે. પોતાનો આત્મવિશ્ર્વાસ વધતો હોય તો એમને માટે આ ‘થેરપી’ પણ ખોટી નથી. ગાળો બોલનારની ભીરુતા પર વીરત્વનું આ પ્રકારનુંં વાર્નિશ ચડાવવું ઘણીવાર જરૂરી પણ હોય છે. પણ આવી નકારાત્મક ઉપદ્રવી પ્રવૃત્તિ હિમાલયને કાંકરીઓ મારવાથી વિશેષ નથી. વીસમી સદીના ભારતવર્ષના ઈતિહાસના સર્વોચ્ચ ઈતિહાસપુરુષ તરીકે સમગ્ર વિશ્ર્વે એક જ વ્યક્તિને સ્વીકાર્યા છે: મહાત્મા ગાંધી!

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગના ગાંધી સ્કેવરમાં ગાંધીજીની અઢી મીટર એટલે કે લગભગ ૮ ફિટ ઊંચી પ્રતિમા મુકાઈ છે જેમાં જવાન વકીલ એમ.કે. ગાંધી છે, હાથમાં કાનૂનની કિતાબ, સૂટ અને વકીલનો ગાઉન છે! ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા આવેલા બેરિસ્ટર ગાંધીએ ર૧ વર્ષ સુધી જુલ્મી કાનૂનો સામે લડત આપી હતી. સાયપ્રસના નીકોસીઆમાં ગાંધીજીની પ્રતિમાને ગાંધીજયંતી સમયે પ્રધાનમંત્રી વાજપેયીએ પુષ્પાંજલિ આપી હતી. સાનફ્રાન્સિકોના પાયર ૩૮ વિસ્તારમાં, જે પર્યટકોની પ્રિય જગ્યા છે, ગાંધીજીની પ્રતિમા છે. બર્લિનની પૂર્વ દીવાલના ચેકપોઈન્ટ-ચાર્લીના મ્યુઝિયમના દ્વાર પર દાંત વગરનું શાંતિપૂર્ણ સ્મિત ગાંધીજી આપી રહ્યા છે. અમેરિકાના ડેનવર સિટી પાર્કના પ્લાઝામાં માર્ટિન લ્યુથર કિંગની પ્રતિમાની બાજુમાં ગાંધીજીની પ્રતીમા છે.

લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિશ્ર્વભરમાંથી અંજલિઓ આવી, પણ શ્રેષ્ઠ કવિતાલીટી બ્રાઝિલની એક પોર્ટુગીઝભાષી કવયિત્રીની હતી: બૂઢા ઈશ્ર્વરે ચશ્માં ઉતાર્યાં, અને એક આંખમાંથી એક આંસું ખરી પડ્યું! જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે. ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની અંદર જે વાક્યો લખેલાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. ઈઝરાયલના રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવના રેગિસ્તાનના કિબુત્ઝમાં આજે પણ એમ જ રાખ્યું છે અને એમાં ગાંધીજીનો લટકાવેલો ફોટો એમ જ છે. હવાઈના વાઈકીકી બીચ પર પ્રશાંત મહાસાગર તરફ જોઈ રહેલી ગાંધીજીની પ્રતિમા ઊભી છે. યુરોપના દેશ લક્ષમબર્ગમાં ગાંધીજીની અર્ધપ્રતિમા (બસ્ટ) પર શીતમાનમાં હિમ વરસતું રહે છે. જર્મનીના બર્લિનની એક સ્કૂલને મહાત્મા ગાંધી ઓબ્સર સ્કૂલ નામ અપાયું છે. ગાંધીજી કોણ હતા? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી લંડન ગયા ત્યારે નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ મળવા આવ્યા હતા. બીજા એક મુલાકાતી હતા: અભિનેતા ચાર્લી ચેપ્લિન. દક્ષિણ આફ્રિકાના વિશ્ર્વનેતા જાન ક્રિસ્ટીઅન સ્મટ્સ માટે ગાંધીજીએ ત્યાંની જેલમાં સ્વહસ્તે બનાવેલાં ચપ્પલ મોકલ્યાં હતાં, જે આજે પણ સાચવી રખાયાં છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથનાં લગ્ન સમયે ગાંંધીજીએ એક મહિના સુધી હાથે કાંતેલી ખાદીનું ટેબલકવર મોકલ્યું હતું, જે સમ્રાજ્ઞીને મળેલી અબજો પાઉન્ડની ભેટ-સોગાદોમાં સૌથી સસ્તી ભેટ હતી, અને સૌથી મહામૂલ્યવાન ભેટ હતી અને આજે પણ એ ભેટ સાદર સાચવવામાં આવી છે. અમેરિકાના મીશીગનના ડિયરબોર્નમાં ફોર્ડ મોટર કંપનીના મુખ્યાલયમાં ગાંધીજીએ મોટરકારોના જન્મદાતા હેનરી ફોર્ડને મોકલેલો એક રેંટિયો રાખવામાં આવ્યો છે. વીસમી સદીના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિવસે કહ્યું હતું એ વાક્ય આજે વિશ્ર્વપ્રસિદ્ધ થઈ ગયું છે: આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે! દુનિયાભરના ડઝનો દેશોએ ગાંધીજીની ટિકિટો બહાર પાડી છે. હોંગકોંગના ‘એશિયા-વીક’ સાપ્તાહિકે તંત્રીલેખમાં લખ્યું હતું કે પ૦ વર્ષ પછી મહાત્મા ગાંધીને મરણોપરાંત શાંતિ માટે નૉબેલ પુરસ્કાર આપીને નૉબેલ કમિટીએ પોતાની વિરાટ ભૂલનો પશ્ર્ચાત્તાપ કરી લેવો જોઈએ. ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેઝના મતાનુસાર વિશ્ર્વે છેલ્લી બે સદીઓમાં બે મહાન પુરુષો જોયાં છે: એક નેપોલિયન અને બીજા ગાંધી. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીમાં એ પ્રાચીનતા દેખાઈ હતી, જે બુદ્ધના સમયમાં હતી, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. ૧૯૮૧ના મારા પાકિસ્તાન પ્રવાસ સમયે પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનની વિધવા રાના લિયાકત અલીએ મને ગાંધીજી વિશે વાત કરતાં અંતિમ વાક્ય કહ્યું હતું: હિંદુસ્તાનમાં ઈતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!…

લૅટિન અમેરિકામાં દંતકથા બની ગયેલા વિપ્લાવક અર્નેસ્ટો ‘ચે’ ગુવેરાની પુત્રી એલેઈડા ન્યૂ દિલ્હી આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારા પિતા ‘ચે’ પર ગાંધીજીની જબરજસ્ત અસર હતી. દક્ષિણ અમેરિકામાં આંદોલનમાં શહીદ થઈ ગયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચીકો મેન્ડેઝ પર ગાંધીવાદી અસર હતી. આરબ કુર્દ નેતા જમાલ ગુમ્બલેટે ગાંધીજીની પ્રેરણાનો સ્વીકાર કર્યો છે. મેક્સિકોના ખેતમજૂર નેતા સિઝારેએ ગાંધીપ્રેરણાથી ખેતઆંદોલન ચલાવ્યું હતું.

પોલંડના ગોદીકામદારોના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી લેચ વાલેચાએ કમ્યુનિસ્ટ તુમારશાહી સામે ગાંધીમાર્ગથી સંઘર્ષ કર્યો હતો. ફિલિપિન્સના વિરોધનેતા નીનોય એકવીનો ‘ગાંધી’ ફિલ્મ જોઈને વતન પાછા ફરવાનો નિર્ણય કરે છે, ઍરપોર્ટ પર તાનાશાહ માર્કોસ ખૂન કરાવે છે, ફિલિપિન્સમાં ક્રાંતિ થાય છે, અને એક્વીનોની વિધવા કોરેઝોન એક્વીનો રાષ્ટ્રપતિ બને છે. એક પૂરા દેશનો ઈતિહાસ ગાંધી શબ્દથી કરવટ બદલી નાંખે છે.

નેલ્સન મંડેલાએ એમની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’માં ગાંધીજી વિશે વારંવાર આદરપૂર્ણ ઉલ્લેખ કર્યો છે. ગાંધી મંડેલા માટે પ્રેરણામૂર્તિ હતા. એમના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. આ પુસ્તકની સમીક્ષા કરતાં કેનેડાના મોન્ટ્રિઓલ ગેઝેટે લખ્યું હતું કે આ માણસ એના દેશનો લિંકન, વૉશિંગ્ટન અને ગાંધી છે. માર્ટિન લ્યુથર કિંગનું પૂરું આંદોલન ગાંધીવિચારધારા પર આધારિત હતું. સ્વિટ્ઝરલેન્ડમાં ગાંધીજી મહાન લેખક રોમાં રોલાંને મળ્યા હતા જેમણે એમનું જીવનચરિત્ર લખ્યું હતું અને આલ્બર્ટ શ્વાઈટ્ઝરથી મધર ટેરેસા સુધી કેટલાય શાંતિદૂતોને માટે ગાંધી આદર્શ હતા!

ગાંધીજી પાસે જબરજસ્ત રમૂજવૃત્તિ હતી. એમણે પોતાના ચહેરાને આકર્ષક બનાવવા ક્યારેય પ્રયાસ કર્યો ન હતો. એમણે એક કલાકારને એક વાર નિર્દોષ રમૂજભાવે પૂછ્યું હતું: હું ખૂબસૂરત નથી? સરોજિની નાયડુનું કહેવું હતું કે ગાંધીજીમાં સમ્રાટ અને મીકીમાઉસ બંનેનું મિશ્રણ હતું! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમના સચિવ શારદા પ્રસાદને પૂછ્યું હતું: તમે ગાંધીજીની આંખોમાં ક્યારેય જોયું છે?… સંતોને શાંત આંખો હોય છે એવું કહેવાય છે પણ આ બિલકુલ સાચું નથી: ગાંધીજીની આંખોમાં અગ્નિ હતો. તમે આખી દુનિયાનું દર્દ એ આંખોમાં જોઈ શકો છો અને ક્રોધ પણ જોઈ શકો છો, પણ સંપૂર્ણ અંકુશ, સંપૂર્ણ અનુકંપા. બસ, એ જ એમનામાં અદ્વિતીય, અપ્રતિમ હતું…

ક્લોઝ અપ

તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા અને અમે એમને મહાત્મા બનાવીને તમને પાછા મોકલ્યા. -નેલ્સન મંડેલા

૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ

1i

|| ૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ ||

આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.

અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી  આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.

અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ?  ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કીમત હોતી નથી.

અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો  તો તેનું મહત્વ સમજી શકાય …!!   આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .

મને કહેતા દુઃખ થાય છે કે આજના સમયમાં માયકાંગલા જેવા મુઠ્ઠીભર નેતાઓએ ગંદા રાજકારણથી આપની આઝાદીના સાચા અર્થને અને સાચા ગૌરવને સાવ ભુલાવી દીધા છે અને અંગત સ્વાર્થ ખાતર અંદરોઅંદર ઝગડતાં કરી મુક્યા છે .

દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ ચીન આપણા દેશનો મોટાભાગનો વિસ્તાર પડાવી લીધો છે અને હમણાં એક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાને આપણા ૫ સૈનિકોને મારી નાખ્યા છે …તો હવે આપણે જ સમજવાની જરૂર છે કે જો આવી રીતે જ રાજકારણ રમાશે તો વહેલા મોડા આપણે સૌ ફરીથી ગુલામ બની જવાના છીએ. માટે જાગો !!! અને દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.

|| ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસમાં તફાવત ||

૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને અંગ્રેજોથી આઝાદી મળી હતી અને ભારત દેશનું નિર્માણ થયું હતું તેથી તે દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણો દેશ ખરા અર્થમાં ગણતંત્ર દેશ બન્યો હતો એટલે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૈંૈં

ભારત માતાકી જય,  ….વન્દે માતરમ 

હોળી – એકસૂત્રમાં બાંધતું ૫ર્વ, ધર્મ, આરોગ્ય, મનોરંજન અને સામાજીક વહેવારોનો તહેવાર

|| હોળી – એકસૂત્રમાં બાંધતું ૫ર્વ  ||

પ્રત્યેક દેશના પોતાના સામાજીક..ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ.. એકતા.. ભાઇચારો.. ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે. સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે. આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટો કરે છે.. સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ.. એકતા.. વગેરે સ્થાપિત કરે છે.

પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે. આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ.. ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે.

હોળીએ યૌવન.. મસ્તી.. ઉમંગ અને અંદરોઅંદરના ભેદભાવ(દુશ્મની) ભુલીને એકસૂત્રમાં બાંધવાનું ૫ર્વ છે. પ્રાચીનકાળથી હોળીને એક લોક૫ર્વના રૂ૫માં મનાવવામાં આવે છે. હોળીનું ૫ર્વ ભારતીથ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંન્ને સાથે જોડાયેલું છે.

હોળીના ૫ર્વ સબંધિત પૌરાણિક કથા ૫ણ ખુબ જ પ્રસિદ્ધ છે. રાજા હિરણ્યકશ્યપ અને તેમની ૫ત્ની કયાધૂથી ભગવદ રત્ન પ્રહલાદનો જન્મ થયો હતો. હિરણ્યકશ્ય૫ને ચાર પૂત્ર હતા તેમાં પ્રહ્લાદ સૌથી નાના હતા એટલે તેમના પ્રત્યે પિતાને વિશેષ સ્નેહ હતો. પિતા કટ્ટર નાસ્તિક તો પૂત્ર પ્રહલાદ કટ્ટર આસ્તિક અને ઇશ્વર ભક્ત હતા. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તેને તમામ જગ્યાએ હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું. તેને ત્રણ જ વસ્તુ દેખાતી હતીઃ પૈસો. સ્ત્રી અને દારુ. તે જીવનમાં ભોગને જ સર્વસ્વ સમજતો હતો. તેનામાં ખાવો.. પીવો અને મોજ કરો એવી મનોવૃત્તિ હતી. તે પોતાને જ ઈશ્વર સમજતો હતો અને પોતાના રાજ્યમાં તમામ લોકો તેની જ ઈશ્વર સમજીને પૂજા કરે તેવો તેનો આદેશ હતો. કાદવમાં કમળ ખીલે તેમ આ રાક્ષસને ત્યાં રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરે તેવો પૂત્ર જન્મ્યો હતો. વિચારોમાં જમીન આસમાનના ફરકના કારણે પિતા પૂત્ર વચ્ચે એકતા સ્થાપિત થઇ શકી નહીં.

હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘેર પ્રહલાદ જેવા ૫રમ ભક્તનો જન્મ કેમ થયો ?

એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા. તેઓ ભગવાન વિષ્ણું પાસે જવા ઇચ્છતા હતા, પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ, તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય. ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો્ કેઃ તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો. દ્રારપાળો દુઃખી થઇ ગયા. ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા. મહાત્માઓને સમજાવ્યું કેઃ દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્યોય એ બરાબર નથી કર્યું કેમ કે તેઓ તેમની ફરજ બજાવતા હતા ! ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે, કંઇક ફેરફાર કરો.

સંતોએ કહ્યું કેઃ તેમને અસુર તો થવું જ ૫ડશે, પરંતુ અમે એક ફેરફાર કરીએ છીએ કે તે અસુર બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્થામનની પ્રાપ્તિે થશે. આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા. આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે, તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.

ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્‍૫ન્નર થયા. હિરણાક્ષને ભગવાન વિષ્ણુણએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો. ભાઇના વધથી સંતપ્ત્ હિરણ્યકશ્યપુએ દૈત્યો્ અને દાનવોને દેવો ઉ૫ર અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર તપ કરવા માટે ચાલ્યો ગયો. તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુર સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્યા માં જોડાઇ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્યાામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી. દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા. ઇન્દ્રીએ રાજમહેલમાં પ્રવેશ કરીને રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં. ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. નારદજીએ ઇન્દ્રને કહ્યું કેઃ ઇન્દ્ર ! આ કયાધૂને ક્યાં લઇ જાય છે ? ઇન્દ્રએ કહ્યું કેઃ દેવર્ષિ ! તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ. આ સાંભળીને નારદજીએ કહ્યું કેઃ દેવરાજ ! કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે, એટલે તૂં તેમને છોડી દે. નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા. નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કેઃ બેટી ! જ્યાંસુધી તમારા પતિ ત૫સ્યાજ કરીને ૫રત ના આવે ત્યાંયસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો. અવારનવાર નારદજી ગર્ભસ્થક બાળકને લક્ષ્ય્ બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા. આ જ બાળક જન્મ બાદ પરમ ભાગવત્ પ્રહલાદ થયા. ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉ૫ર પડી હતી. નારદજીના મુખેથી દૈવી વિચારો સાંભળી પ્રહલાદ જડવાદી રાક્ષસનો પૂત્ર હોવા છતાં ૫ણ ગર્ભવાસમાં દૈવી વિચારો સાંભળ્યા હોવાથી તે દૈવી વિચારનો મહાન.. તેજસ્વી પ્રભુ ભક્ત થયો.

હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર ષણુ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા. પ્રહલાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા. કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા. સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી. પ્રહલાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા. આ બધી વાતોની જાણ જ્યારે હિરણ્યકશ્યપને થઇ તો એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કેઃ બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.

હિરણ્યકશ્ય૫એ પ્રહલાદને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પ્રભુનામમાં મસ્ત પ્રહ્લાદના વિચારો બદલવામાં તે નિષ્ફીળ રહ્યા. ત્યાયરબાદ તેણે પ્રહલાદને મારી નાખવા આજ્ઞા આપી. અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે વિભિન્ન અસ્ત્રો નો પ્રયોગ કર્યો, પરંતુ તે તમામ નિષ્ફ ળ ગયા, ત્યારરબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પઓન્નચ કરાવડાવી ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફિલી જગ્યાએ, દહકતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા, પરંતુ તમામ ઉપાયો કરવા છતાંપ્રહલાદનો વાળ વાંકો ના થયો. પ્રત્યેક વખતે તે બચી ગયા, ત્યારે હિરણ્યકશ્યપેપ્રહલાદને અગ્નિમાં જીવતો બાળી મુકવાની નવી યોજના બનાવી.

હિરણ્યકશ્ય૫ની હોલીકા નામની એક બહેન હતી. હોલીકાને અગ્નિદેવનું વરદાન હતું કેઃ જો તે સદવૃત્તિના મનુષ્યોોને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. આ માટે અગ્નિદેવે વરદાનના રૂ૫માં દિવ્ય ચુંદડી આપી હતી કે જે ઓઢવાથી અગ્નિથી રક્ષણ થાય.

હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી મારી નાખવા લાકડાનો ઢગલો કરી તેમાં હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાનો આદેશ કર્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ૫વનદેવની કૃપાથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ. ઇશ્વરની લીલાથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદનો વાળ ૫ણ વાંકો ના થયો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

કોઇને જન્મ આપી કોઇ વ્યક્તિને મોટો કરવાની હિંમત મા-બા૫માં હોતી નથી. પ્રભુની શક્તિ વિના કોઇનામાં જન્મ આપવાની શક્તિ હોતી નથી અને જન્મેલાને બચાવવાની શક્તિ ૫ણ હોતી નથી. પ્રભુ શક્તિ જ આપત્તિમાંથી બચાવે છે.

આ કથા અનુસાર આજે ૫ણ હોલિકાદહન મનાવવામાં આવે છે. હવે આ૫ણને શંકા થાય કેઃ જે હોલિકાએ પ્રહલાદ જેવા હરિભક્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો.. તે હોલિકાનું હજારો વર્ષોથી લોકો પૂજન શા માટે કરે છે ? હોલિકાપૂજનની પાછળનું કારણ જુદું છે. જે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા જ લોકોએ ઘેર ઘેર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. અગ્નિદેવે લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ બચી ગયો. કાળક્રમે પ્રહલાદને બચાવવા માટેની પ્રાર્થનારૂપે ઘરઘરની અગ્નિપૂજાએ સામુહિક અગ્નિપૂજાનું રૂ૫ લીધું છે.

આમ…હોળીની પૂજા એટલે અગ્નિદેવનું પૂજન.. ખરાબ વૃત્તિના નાશ માટે તથા સારી વૃત્તિના રક્ષણ માટે લોકોના હ્રદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતિક છે. પ્રહલાદના અગ્નિમાંથી બચી જવાથી તથા કપટી હોલિકા બળી જવાથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.. એકબીજા ઉ૫ર રંગ અને ગુલાલ ઉડાડ્યો. આ જોઇ બીજા દિવસે આસુરીવૃત્તિના લોકોએ ધૂળ.. કાદવ.. ઉડાડ્યો તેથી હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાઇ.હોળીમાં ફક્ત કચરો કે કામ વિનાની ચીજોનો જ હોમ નથી કરવાનો પરંતુ આ૫ણા જીવનમાં આ૫ણને હેરાન કરતા ખરાબ વિચારો.. મનના મેલનું ૫ણ હવન કરવાનું છે.

આ જ દિવસે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જીએ પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો હતો.. ખેડૂતો આ ૫ર્વને ખેતી સાથે જોડે છે. હોળીનો અર્થ છેઃ હોલા (હોરા) એટલે કેઃ કાચું અનાજ. પ્રાચીનકાળમાં એક સામુહીક યજ્ઞ કરવામાં આવતો. આ યજ્ઞમાં પ્રસાદના રૂ૫માં હોલે (કાચું અનાજ) વહેંચવામાં આવતું નથી. આ યજ્ઞનું આધુનિકરૂ૫ હોળી ૫ર્વ મનાવવામાં આવે છે. વિદેશોમાં ૫ણ હોળીનું ૫ર્વ ઉજવવામાં આવે છે. બર્મામાં હોળીના પર્વને ટિગુલા નામથી મનાવવામાં આવે છે. થાઇલેન્ડ આ પર્વ ર્સાગ્કાના કહેવામાં આવે છે. આ ૫ર્વે સુગંધિત જળનો ઉ૫યોગ કરવામાં આવે છે તથા એકબીજા ઉ૫ર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે. ચીનમાં આ ૫ર્વને રવેગે નામથી ઉજવાય છે. તિબેટમાં આ ૫ર્વના દિવસે અગ્નિ પ્રગટાવીને તેની ૫રીક્રમા કરવામાં આવે છે. ફ્રાન્સમાં આ તહેવારને ડિંબો-ડિંબો નામથી ઉજવવામાં આવે છે. પ્રાચિન યૂનાનમાં હોળીના ૫ર્વને મળતો મેયો નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ૫ર્વના દિવસે ડાયનાસિંયલ નામના દેવતાની પૂજા થાય છે તથા અગ્નિ પ્રગટાવી તેની આસપાસ નાચે છે.

હોળીના દિવસે ઘેર ઘેર ફરી લાકડાં ભેગાં કરી અગ્નિ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ઢોલ.. નગારા તથા નાચ ગાન કરવામાં આવે છે. હોળીના બીજા દિવસને ધૂળેટીના નામથી ઉજવવામાં આવે છે. સવારથી જ બાળકો.. યુવાનો.. વૃદ્ધો.. યુવક.. યુવતીઓ ટોળકીઓ બનાવી એકબીજાના ઘેર જઇ અબિલ-ગુલાલ.. રંગ રંગીન પાણીથી રંગે છે.

હોળીના ૫ર્વમાં ઉંમર.. અમીરી.. ગરીબીને કોઇ સ્થાન નથી. તમામ વર્ગોના તથા તમામ ઉંમરના નર-નારી એકબીજા ઉ૫ર રંગ છાંટે છે અને ભેદભાવ મિટાવવાનો સંકલ્પ કરે છે. ગામડાઓમાં પુરૂષો મહીલાઓ ઉ૫ર રંગ છાંટે છે ત્યારે મહિલાઓ હાથમાં લાકડી લઇ પુરૂષોની પિટાઇ કરે છે. કેટલાક લોકો આ પાવન અને મસ્તીભર્યા તહેવારના દિવસે શરાબ પીવે છે તથા જબરજસ્તીથી એકબીજાને રંગવાનો પ્રયાસ કરે છે તથા કાદવ ઉછાળે છે અને આમ અશ્લીલતા કે અમાનવીય વ્યવહારનું પ્રદર્શન કરવું જોઇએ નહીં પરંતુ હળીમળીને આ પર્વને પર્વની ભાવનાથી મનાવવું જોઇએ.

વાસ્તવમાં હોળી મસ્તી.. ઉમંગ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટવાનો પાવન તહેવાર છે. અલગ અલગ વિચારો.. ઘૃણા.. શત્રુતા અને આપસમાંનો ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ ત્યારે જ હોળી એકસૂત્ર બાંધવાનું ૫ર્વ કહેવાશે….!!

|| હોળી – ધર્મ, આરોગ્ય, મનોરંજન અને સામાજીક વહેવારોનો તહેવાર ||

આપણા પૂર્વજો અને ધર્માચાર્યોએ વિવિધતાભર્યા ધાર્મિક તહેવારો આપી આપણા જીવનને અનેક ઉપાધીઓ વચ્ચે હરિયાળુ બનાવ્યું છે અને જુઓ તો ખરા કે દરેક તહેવારની ઉજવણીમાં વિવિધતા છે દિવાળી દીપક અને રંગોળીનો તહેવાર છે તો મકરસંક્રાતિ દાન પૂન્ય અને પતંગોનો તહેવાર છે. તો જન્માષ્ટમી મટકી ફોડવાનો (ગોવિન્દા) તહેવાર છે તે પ્રમાણે હોળી પણ ધર્મ સાથે મનોરંજન આપી જીવનને આનંદ આપે છે.

* ધાર્માક હોળી

ભક્ત પ્રહલાદના અત્યાચારી બાપ હીરણાકંસને મારવા ભગવાને અવતાર લેવા પડયો. ”નવ અવતાર”માં અવતાર છ જુઓ. મત્સ્ય, કશ્યપ, વરાહ, વામન, પરશુ ”નૃસિંહ” રામ, કૃષ્ણ, બુધ્ધ ધાર્મિક પરંપરા મુજબ પ્રહલાદને મારવા હોલીકાનો ઉપયોગ થયો હોલીકા બળી ગઇ ભક્ત પ્રહલાદ બચી ગયો કથા જાણીતી પ્રચલીત છે. તેનો ઉત્સવ હોળી… પણ દરેક ધાર્મિક કથા પાછળ એ સારાંશ, ઉપદેશ રહેલા છે. તેમ હોળી એટલે આસુરી તત્વો ઉપર દૈવી તત્વોનો વિજય.

ભગવાન શ્રી કૃષ્ણે પણ હોળીનો તહેવાર ઉજવ્યો હતો અને વ્રજમાં હોળી રમ્યા હતા અને રંગોની છોળો ઉડાડી હતી તેથી હોળીનો મહિમા વધ્યો.

* હોળી મનોરંજન
ધર્મ સાથે આ તહેવાર ખૂબ જ રંગીન અને મનોરંજન આપે છે એક બીજા ઉપર રંગ છાંટવાનો અને ઢોલ નગારા વગાડી નાચ ગાન પણ થાય છે. એટલે હોળી રંગોનો તહેવાર મનાય છે.

* આરોગ્યપ્રદ હોળી

ધાણી, ચણા, ખજૂર જેવા પદાર્થો ખાવા પાછળ શિયાળામાં ઠંડા પવનોથી થયેલું શારીરિક દર્દ પણ ઉપરોક્ત પદાર્થો ખાવાથી આરોગ્ય જળવાય છે.

સામાજીક રીવાજોમાં હોળી ઃ-
હોળી પ્રગટે ત્યારે નવવધુ દંપતિ હોળીની આસપાસ પ્રદક્ષિણા કરી ધાર્મિક આશીર્વાદ મેળવે છે. એક વર્ષની નીચે જન્મેલા નાના બાળકોને પણ હોળીની પ્રદક્ષિણા કરાવાય છે. નવા લગ્ન કે બાળક જન્મ્યુ હોય તેવા ઘરોમાં અમલ કસુંબા કરી મનોરંજન થાય છે. નવી વહુ વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છે. ક્યાંક ઘેરમેળાઓ ભરાય છે અને હોળીના ઘેરૈયા ”ગોઠ” માગી ઢોલ નગારા વગાડી આનંદ આપી બક્ષિસ મેળવે છે.

* ફિલ્મોમાં હોળી ગીતો

હિન્દુધર્મના તહેવારો એટલા બધા મનોરંજક છે કે તેનો ઉપયોગ ફિલ્મોમાં પણ થાય છે તેમાં પણ હોળી ઉત્સવ તો ખાસ ઘણી ફિલ્મોમાં થાય છે. નવરંગ, મધર ઇન્ડિયા, કટીપતંગ અને શોલે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં હોળી ગીતો આવરી લઇ ફિલ્મને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

* પર્યાવરણ

વૈજ્ઞાનિકો કહે છે હોળીની જ્વાળાઓ પ્રદૂષીત હવાને નિર્મળ કરે છે. ઝેરી જંતુઓનો નાશ કરે છે. ગામડે ગામડે શહેર શહેરે સર્વત્ર ઉજવાતી હોળીની જ્વાળાઓથી હવા શુધ્ધ થાય તેવું બની શકે છે આવો આપણે પણ હિન્દુ ધર્મના બે મોટા તહેવારો હોળી અને દિવાળી પૈકી વર્તમાન હોળીના તહેવારને ધર્મ, આસ્થા મનોરંજનથી ભરી દઇ જેને માટે ભગવાનને નૃસિંહરૃપે અવતરવું પડયું તેવા ભક્ત પ્રહલાદને યાદ કરી ધન્ય બનીએ.

* હોળીની વિધિ

આ તહેવારમાં મુખ્ય ભાર હોલિકા દહન અથવા હોળીને પ્રગટાવવા પર મુકવામાં આવે છે. હોળી પ્રગટાવવાની પરંપરાને માટે કેટલાકો નાના બાળકોની સતામણી કરતી રાક્ષસીઓ હોલિકા અને પૂતનાના દહનની સાથે જોડે છે.

* આરોગ્યનું જોખમ

પહેલા તો હોળીની ઉજવણીમાં ઉપયોગમાં લેવાતા રંગો વસંતમાં ખીલતાં કેસૂડો અને પારિજાત કે પલાશ જેવા ફૂલોના વૃક્ષોમાંથી બનાવવામાં આવતા. આ ફૂલો ભડક લાલ રંગના હોય છે. આ અને આવા અન્ય ફૂલોમાંથી હોળી માટેના તેજસ્વી રંગો બનાવવાની કાચી સામગ્રી મળી રહે છે. આમાંના મોટાભાગના વૃક્ષો તબીબી તત્ત્વો હોવાની લાક્ષણિકતા ધરાવે છે તેથી તેના રંગ ત્વચા માટે પણ લાભકારી બને છે. વર્ષો વીતવાની સાથે શહેરી વિસ્તારોમાંથી વૃક્ષો નાશ પામતા ગયા તેમ કુદરતી રંગોનું સ્થાન રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ડાઈમાંથી ઉત્પાદિત કરાતા રંગોએ લીધું છે. આ રંગો ઝેરી રસાયણ ધરાવતા હોઈ તેની આરોગ્ય પર ગંભીર અસર પડે છે, જે નીચે મુજબ છે:

કાળા રંગમાં સીસાનો ઑક્સાઈડ (લીડ ઑક્સાઈડ) ધરાવે છે, જે કારણે મૂત્રપિંડની નિષ્ફળતાનું કારણ બને છે.

લીલા રંગમાં મોરથૂથું રહેલું હોય છે, જેને કારણે આંખની એલર્જી, સોજો આવવો અને હંગામી અંધાપો આવવો વગેરે થઈ શકે.

સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડ રહેલું હોઈ તેમાં કૅન્સર થવાની સંભાવના ઊભી થઈ શકે.

ભૂરાં રંગમાં રહેલા પર્સિયન બ્લ્યુને કારણે ત્વચાનો સોજો આવવો કે બળતરા થવાનો રોગ થાય છે.

લાલ રંગમાં પારાનો ક્ષાર, મર્ક્યુરી સલ્ફેટ (ગંધક) હોય છે જે અતિશય ઝેરી હોય છે અને તેનાથી ચામડીનું કૅન્સર થવાની સંભાવના છે.

સૂકા રંગ સામાન્યપણે ગુલાલ તરીકે જાણીતા છે, જેમાં બે ઘટક હોય છે. તેમાં રંગદ્રવ્ય ઝેરી હોય છે અને મિશ્રણના મુખ્ય દ્રવ્યમાં એસ્બેસ્ટોસ અથવા રેતી જેવું દ્રવ્ય હોય છે. બેઉ દ્રવ્યો આરોગ્યની સમસ્યા ઊભી કરી શકે છે. રંગદ્રવ્યોમાં ભારે પ્રમાણમાં ધાતુ વડે અસ્થમા (દમ), ત્વચાના રોગો અને હંગામી અંધાપો લાવી શકે છે.

ભીનાં કે પ્રવાહી પ્રકારના રંગમાં મોટાભાગે જેન્શન વાયોલેટ નામનું જંતુનાશક દ્રવ્ય હોય છે જેનાથી ચામડીનો મૂળ રંગ નાશ પામે છે અને ચામડીના રોગો થાય છે.

હવે રસ્તા પર ફેરિયાઓ છૂટા રંગ વેચે છે જે ક્યાંથી આવે છે તેની વેચનારને ખબર હોતી નથી. ક્યારેક રંગના ખોખા પર ‘માત્ર ઔદ્યોગિક વપરાશ માટે’ એવું લખેલું હોય છે.

* હોળીનું પ્રગટાવવું

હોલિકા દહન માટે પ્રગટાવાતી હોળીમાં વપરાતા લાકડાં વળી બીજી પર્યાવરણીય સમસ્યા ઊભી કરે છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કરાયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ હોળી દીઠ ૧૦૦ કિલોગ્રામ લાકડું વપરાય છે અને ગુજરાતમાં લગભગ ૩૦,૦૦૦ હોળી પ્રગટાવવામાં આવે છે. આને પગલે મૂંઝવણ ઊભી કરે એટલા પ્રમાણમાં લાકડું વપરાય છે.

આથી અનેક સામાજિક જૂથો લાકડાનો વપરાશ અંકુશમાં રાખવાના આશયથી જુદી જુદી હોળી પ્રગટાવવાને બદલે પ્રતીકાત્મક સમાજ-હોળીની હિમાયત કરે છે. અન્ય કેટલાક જૂથો લાકડાને બદલે વેસ્ટમાંથી-કચરામાંથી હોળીને પ્રગટાવવાનું સૂચન કરે છે.

 

રાષ્ટ્રગીત – "જન ગણ મન" ૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

1  4

|| રાષ્ટ્રગીત – “જન ગણ મન”||

૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

26 જાન્યુઆરી, 1950 ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તે આજે 66 મો ગણતંત્ર દિવસ છે. આ 66 વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” ને 100 વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતુ.

આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, 1911મા ભારત આવ્યા હતા ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતુ અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
100 વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની બીજી એકવાત પણ જાણવા જેવી છે. –બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એકમાત્ર એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી

આપણને દેશવાસીઓને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ.
– જય હિન્દ – જય ભારત…

આપણા ઉત્સવો અને તહેવારો

2

|| આપણા ઉત્સવો અને તહેવારો ||

उत्सवप्रियः जनाः । લોકો ઉત્સવપ્રિય હોય છે. “ જીવતા ઉત્સવો અને જીવતા તહેવારો”- કાકાસાહેબ કાલેલકર.આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઇને કોઇ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકિય માહાત્માં જોડાયેલા છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ,નિજીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવાયોગ્ય એક અમૃત તત્ત્વ અને સંજીવની છે.

આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. (૧) ધાર્મિક તહેવારો (૨) સામાજિક તહેવારો (૩) રાષ્ટ્રીય તહેવારો

ધાર્મિક તહેવારો માં દીપોત્સવ(દિવાળી),નવરાત્રી,શિવરાત્રી, હોળી,રામનવમી, જન્માષ્ટમી,ગણેશચતુર્થી,નાતાલ,બકરીઈદ,રમજાનઈદ,મહોરમ,પતેતી, નાનક જ્યંતી,બૌદ્ધ જયંતી,પર્યુષણપર્વ.

દિવાળા એટલે આશા.ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ.

નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા,શક્તિસ્વરૂપા અંબા-બહુચર-મહાકલી.

આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ.

હોળી- તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ.અનિષ્ટોનો નાશ અને ભકતપ્રહલાદની યાદ.

રમજાનઈદ,મહોરમ પવિત્રતાનું પર્વ.

સામાજિક તહેવારો મકરસંક્રાંતિ,રક્ષાબંધન,ધૂળેટી,શરદોત્સવ અને આનંદમેળાઓ આ બધા ઋતુવિષયક તહેવારો છે.

મકરસક્રાંતિ એટલે દિવસનો રાત્રીપર વિજ્ય અને દાનપુણ્યનું પર્વ.

રક્ષાબંધન ભાઇ બહેનનો અનન્ય અને અમર પ્રેમનો તહેવાર.

રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર્ય દિન, પ્રજાસ્તાક દિન, શહિદદિન, ગાંધી જયંતી વગેરે.

૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીયભવનાનું પર્વ.

ભારતના તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક ર્દષ્ટીબિંદુ સાથે ઋતુવિષયક, એનું ચોક્કસ આયોજન,કોઇને કોઇ વાર્તા કે ઈતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાના, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ,સ્નેહ,સામાજિકસેવાઓના માર્ગે દોરવાના,રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાવામાં મહત્વનો ભાગ ભજવે છે.કાકાસાહેબના શબ્દોમાં કહીએ તો “તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીયે છીએ,વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ,ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ.તહેવારો આપણા ભેરું છે.”
તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે.સાથે સાથે એનું પોત પણ જળવાઈ રહે તે પણ અગત્યનું છે. શૈક્ષણિકસંસ્થાઓ, સામાજિકસંસ્થાઓ,સંગઠનો ની આ એક વિશિષ્ટ જવાબદારી પોતાને શિરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખીને તહેવારો ની ઉજવની કરે તે જરૂરી છે.

ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને પવિત્રતા જળવી રાખી છે. તહેવારો પાછળનો મૂળ આશય,હેતુ કે કારણ વિસરાઈ ન જાય,પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે. વૃદ્ધો,બીમાર,વિદ્યાર્થીઓ,પ્રજાને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી. ખોટા દંભો,દેખા-દેખી,ભભકો અને આડંબર પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.

|| હિંદુ ધર્મના ઉત્સવો ||

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
ને ભાઇબીજની સંગે ઉજવાય છે દેવદીવાળી
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારનેપકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ
દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.