ભક્તામર સ્તોત્ર ભાવાર્થ સાથે (ગાથા – 01 TO 48)

    2

|| ભક્તામર સ્તોત્ર ||

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ………

ભક્તામર સ્ત્રોતના રચયિતા માનતુંગાચાર્ય :-

જૈન પરંપરામાં અતિ વિશ્રુત . તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં. ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રીમાનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ કડી/તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ ગાથા/શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ એક એક કરીને તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. ભક્તને અમર બનાવનારું આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનું ખુબ જ શ્રદ્ધાયુક્ત તેનું પઠન કરવામાં આવે છે.

જૈન પરંપરાના અત્યંત પ્રભાવી નવ સ્મરણોની સૂચિમાં આ સ્તોત્ર સાતમું આવે છે. શ્વેતામ્બર જૈન સંપ્રદાયની માન્યતા મુજબ આ મહાચમત્કારી સ્તોત્રની અતિચમત્કારિક ચાર ગાથાઓ અજ્ઞાતપણે કારણવશ લુપ્ત થતાં હાલમાં આ સ્તોત્રની ૪૪ ગાથાઓ વિદ્યમાન છે. સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સામાન્ય રીતે સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ. તે દિવસે કોઈ ઉપવાસ યા વ્રત થાય તો ઉત્તમ ગણાય. આ સ્ત્રોત ખુબ જ પ્રભાવશાળી અને અપુર્વ આત્મ-પ્રસન્નતા આપનાર છે. આ સ્ત્રોતની ગાથાઓમાં ગુંફિત શબ્દોનું સંયોજન એટલું બધુ અદભુત છે કે તેના શબ્દોચ્ચાર વડે પ્રગટ થનાર ધ્વનિના પરમાણું વાતાવરણને આંદોલિત કરતાં ચારે તરફ ફેલાઈ જાય છે. અને અનેરી ઊર્જાઓને ઉત્પન્ન કરે છે. જો કે કેટલાયે ચમત્કારોથી ભરપુર હકીકતોની વાર્તાઓ આ સ્ત્રોતની આસપાસ રહેલ છે.

એક વાત તો નક્કી છે કે આ સ્ત્રોતમાં ભક્તામારની ગાથાઓમાં કંઈક એવું અનોખુ તત્વ અને રહસ્ય સંતાયેલ છે કે વર્ષો પસાર થવા છતાં પણ તેનો પ્રભાવ અવિચલ છે, જે સનાતન સત્ય છે. સંપુર્ણ આસ્થા, નિષ્ઠા અને સમર્પણના ભાવલોકમાં આ સ્ત્રોતનું ગાન જ્યારે કરવામાં આવે છે, ત્યારે અસીમ આનંદની અનુભુતિમાં અસ્તિત્વ ઝુમી ઉઠે છે અને નાચી ઉઠે છે.

આપ આ પણ જાણો ………..

* દરેક ગાથાની સાથે આવેલ ઋદ્ધિ-મંત્ર પ્રાચીન હસ્તપ્રત આધારિત છે. તેની સત્યતા વિશે જાણ હોવા છતાં પણ આનો પ્રયોગ મંત્રસિદ્ધ ગુરૂવર્યના આમાન્યાપુર્વક થાય તે ખુબ જ જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતના પાઠ માટે શરીરની શુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થાનશુદ્ધિ અને ચૈતસિક સ્વસ્થતા સામાન્ય રીતે અપેક્ષિત છે.
* મહિલાઓએ આ સ્ત્રોત વાંચતી વખતે શુધ્ધતા અને અન્ય વિશેષ સાવધાની રાખવી જોઈએ.
* ઉપાસનાનો ઉત્સાહ પણ વિધિ-નિષેધોથી નિયંત્રિત રહે. ઉપાસના અશાતના સુધી ન જઈ પહોચે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતનો પાઠ લયબદ્ધ-મધુર-મંજુલ તેમજ સમુહ સ્વરમાં સવારના સમયે જો કરવામાં આવે તો વધારે લાભદાયી રહે છે.

ભક્તામર સ્તોત્રનું નિત્ય આરાધન કરવાથી………..

* સર્વ પ્રકારના વિધ્નો દૂર થાય છે
* સૌભાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
* ચોર-ડાકુ લુટારાઓનો ભય દૂર થાય છે.
* ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય અને સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
* માન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
* મનોરથોની સિધ્ધિ થાય છે.
* મોક્ષની પ્રાપ્તિ થાય છે.

2

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ રચીત

|| ભક્તામર સ્તોત્ર || ભાવાર્થ સાથે (ગાથા – 01 TO 48)

1234jpg56789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748

 

શ્રી રત્નાકર આચાર્યનું જીવન ચરિત્ર અને રત્નાકર પચ્ચીસી

|| શ્રી રત્નાકર આચાર્યનું જીવન ચરિત્ર અને રત્નાકર પચ્ચીસી ||

“રતનનું કરતા જતન, થયું સંયમી ભાવોથી પતન
મળ્યા સુધન શ્રાવક રતન, પસ્તાવાથી કર્યું કર્મ કર્તન”

શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા. એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં. એમની વાણીમાં ઓજસ્ હતું.પ્રવચન આપતા ત્યારે એમની જીભપર જાણે સરસ્વતી બિરાજમાન હોય તેવો જનસમુદાય પર પ્રભાવ પડતો. એમની વાણીમાં એવી તાકાત હતી કે પથ્થર પણ પીગળીને પાણીપાણી થઈ જતા. એકદા વિચરણ કરતાં કરતાં તેઓ બહોળા શિષ્યપરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા. એમની જોશીલીવાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો. કેટલાક વૈરાગ્ય પામી સંત બન્યા તો કેટલાક વ્રતધારી શ્રાવકો બન્યા. આ રીતે તેઓ સ્વ-પર કલ્યાણ કરી રહ્યા હતા.

**સુધન શ્રાવક ને સંતનું મિલન

ધંધુકાનો રહીશ, રૂનો મોટો વેપારી સુધન સી]નમાં રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરતો. એના હ્રદયમાં માવિત્રો તરફથી મળેલા ધર્મના સંસ્કારોને કારણે ધર્મભાવના તો હતી જ. તેમણે તપાસ કરી કે કોઈ સંતસતીજી અહીં બિરાજે છે? – તો ખબર પડી કે રત્નાકર સૂરિ પરિવાર સહિત બિરાજે છે. સુધન પ્રવચન સાંભળવા આવ્યો. સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરકિત જાગી. ખારા સંસારસાગર તરફ વહેતા જીવનપ્રવાહને પલટાવી દીધો. રાતદિવસ બજારમાં રખડનારો સુધન હવે કલાક બેકલાક પણ બજારમાં જતો ન હતો. દુન્યવી વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયો હતો, હવે એને ધર્મનો વ્યવહાર વહાલો લાગ્યો હતો. સુધનના હૈયાની સિતાર ઉપર ધર્મનું સૂરીલું સંગીત વહેતું મૂકનાર બીજું કોઈ નહીં પણ એ તરુણયોગી, અધ્યાત્મયોગીરાજ શ્રીરત્નાકરસૂરિ જ હતા. એમની વાણીએ સુધન પર ગજબનું કામણ કર્યું. સુધનના જીવનનું આમૂલપરિવર્તન થઈ ગયું. સુધનને મન રત્નાકરસૂરિ માત્ર ગુરુદેવ નહિં, ભગવાન સમાન હતા. આચાર્યને મન સુધન ભક્ત કે શિષ્ય સમાન હતો. પરસ્પર બન્ને ધર્મસંબંધથી જોડાયેલા હતા, સુધન સતત ઉપાશ્રયમાં રહી ગુરુ પાસેથી જ્ઞાનધ્યાનનો લાભ મેળવતો અને ધર્મકરણીમાં સમય વિતાવતો.

**શ્રદ્ધાવંત શ્રાવકને આશ્ચર્ય

રત્નાકર સૂરિ પૂર્વજીવનમાં અબજોપતિ શ્રીમંતના પુત્ર હતા. તેઓ એક સોનાની વીંટી પહેરતા. તેમાં કેટલાંય સાચા રત્નો જડેલાં હતાં. સંસાર ત્યાગી સંયમી બનતી વખતે એ રત્નો પ્રત્યેની આસક્તિથી વીંટીમાંથી એ રત્નો કઢાવી, પોતાની સાથે એક સફેદ કપડાની પોટલી બનાવી, તેમાં રત્નો બાંધી દીધા. રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખી લીધી. રજોહરણનું પડિલેહણ સ્વયં કરી લેતા. ધીમેધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી. અનેક યુવાનો એમના શિષ્ય થયા. શિષ્યોને પણ ક્યારેય રજોહરણનું પડિલેહણ કરવા ન દ્યે. શિષ્યો જ્યારે અન્ય ક્રિયાઓમાં વ્યસ્ત હોય, ત્યારે રત્નાકરસૂરિ પોટલી ખોલીને રત્નોને જોઈ લેતાં, આનંદ પામતા. આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ, સુધનની આંખો મીંચાઈ ગઈ. તેનાં મન તર્ક વિતર્કમાં ચડયું. મારા આવા બહુશ્રુત ગુરુદેવ જરૂર જાણતાં હોય કે, “પરિગ્રહ પાપનું મૂળ છે” હજારો શ્રોતાજનોને “પરિગ્રહ પરિમાણ વ્રત” આપનારા ગુરુદેવ રત્નોને પરિગ્રહ જાણ્યા છતાં કેમ પોતાની પાસે રાખતા હશે? અહો! આખો સંસાર છૂટયો અને આ રત્નો ન છૂટયા? સુધન આવા વિચારોમાં લીન હતો ત્યાં તો સૂરિજીએ પોટલી બાંધી રજોહરણમાં મૂકી દીધી. ગુરુદેવ પ્રત્યે અસીમ ભક્તિ, અખૂટ શ્રદ્ધાઃ બીજા કોઈ એમના વિષે બોલે તો પણ મૂંગો કરી દે. અતૂટ વિશ્વાસ, અચલ શ્રદ્ધાથી આચાર્યના ચરણોમાં જીવન સમર્પ્યું હતું. અન્ય કોઈએ કહ્યું હોય કે આચાર્યશ્રી રત્નો રાખે છે તો સુધન એ વાત ધરાર ન માનત. કદાચ સુધન એને મારવા પણ દોડત. પણ આ તો પોતે પ્રત્યક્ષ જોયું છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો પહાડ આજે તૂટી રહ્યો છે. સુધન સામાયિક કરવા બેઠો, પણ એ જ વિચારો સતત મનમાં ઘૂમરાયા કરે છે. મારા અનંત ઉપકારી, મહાન ઉપકારી ગુરુદેવને મારે શું કહેવું? એ ન મળ્યા હોત તો મારો ઉદ્ધાર કેમ થાત? ધર્મના અમૂલ્ય તત્વઓ કોણ સમજાવત? મારાથી ગુરુદેવને કાંઈ કહેવાય નહિ. અવર્ણવાદ બોલાય નહીં. એમની ક્ષતિ બતાવવા માટે હું બહુ ટૂંકો પડું છતાં આવા જ્ઞાની ગુરુવર્યના સંયમરત્ન પર પરિગ્રહની મમતાનો પડદો પડયો છે તેને કોઈપણ ઉપાયે દૂર તો કરવો જ પડશે. એથી હું તેમના ઉપકારનો બદલો વાળી શકીશ. પણ આચાર્યશ્રીને કહેવાય કેમ? અન્યસંતોને કહેવાથી તો શિષ્યોની ગુરુભક્તિમાં ખામી આવવાની સંભાવના છે. સમર્થ ગુરુને સન્માર્ગે લાવવા ઉપાય પણ સમર્થ જોઈએ. જેવો તેવો ઉપાય હોય તો અર્થનો અનર્થ થઈ જાય. ગુરુની ખામી જોવા છતાં ગુરુ પ્રત્યેના બહુમાનભાવમાં અંશમાત્ર ખામી ન આવવા દીધી. એના સ્થાને હું કે તમે હોઈએ તો? રોજના નિયમાનુસાર સુધન આવે, વંદન કરે, સુખશાતાની પૃચ્છા કરે, સામાયિક કરે. એને શ્રદ્ધા છે કે પ્રેમથી કાર્ય થશે,દ્વેષ કે તિરસ્કારથી નહિ. પ્રેમ પ્રેમને પ્રગટાવશે. રત્નાકરસૂરિને એવું જાણવા પણ ન દીધું કે સુધન મારા સંયમ પ્રત્યે કે સાધુતા પ્રત્યે શંકાશીલ છે. દિવસો પર દિવસો પસાર થતા જાય છે, સુધનને ઉપાય જડતો નથી. સીધેસીધું એમ કેમ કહેવાય કે આપ સાધુ થઇને રત્નો કેમ રાખો છો? શિષ્યોના ગુરુ પ્રત્યેના બહુમાનમાં ફરક પણ ન પડે અને મારા ગુરુ રત્નોનો મોહ છોડી દે એવો કંઇક ઉપાય શોધી કાઢું. સુધન વિચારે છે કે શાસ્ત્રની એવી કોઇ ગાથા મળી જાય, ગ્રન્થોમાંથી કોઇ એવો શ્લોક મળી જાય જેનો અર્થ કરાવવા ગુરુ પાસે જાઉં, એનો અર્થ કરાવતાં એ શબ્દો એમના હૃદયને સ્પર્શી જાય, પરિગ્રહ પ્રત્યે ધૃણા જન્મે અને પરિગ્રહને ફગાવી દે તો કામ થઇ જાય. (આવા શ્રાવક સાધુસાધ્વીના અમ્માપિયા કહેવાય.) એવો શ્લોક ક્યાંથી મળે? હજારો શ્લોક કંઠસ્થ કરનાર લોકોને એમના અર્થ ભાવાર્થ સમજાવનાર આચાર્યને એક શ્લોકમાં સમજાવવા એ સહેલ નથી, છતાં સુધનને શ્રદ્ધા છે કે જરૂર મને આ કાર્યમાં સફળતા મળશે.

**શાસ્ત્ર મહાસાગરમાંથી શ્લોકરત્ન સાંપડયું

સુધન હૈયાની હામથી, અંતરની ધગશથી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી શાસ્ત્રાે ઉથલાવી રહ્યો છે. કેટલા પુસ્તકો! કેટલાં ગ્રન્થોને જોયા, વાંચ્યા, ઘણા દિવસોની મથામણના અંતે શાસ્ત્રાેના મહાસાગરમાંથી ચાર ચરણવાળો શ્લોક જડયો. જેમાં ચારહજાર લીંટીના ભાવો ભર્યા હતા. “ઉપદેશમાળા” નામક ગ્રન્થનો એ શ્લોક લઈ સુધન ઉપાશ્રયે આવ્યો.ગુરુદેવને એ શ્લોક બતાવી તેનો અર્થ પૂછયો. સુધન આ શ્લોક લઈને આવ્યો ત્યારે પણ ગુરુદેવના અન્ય સર્વ શિષ્યો ત્યાં હાજર ન હતા. ગુરુદેવ રજોહરણનું પડિલેહણ કરતા હતા અને પોટલી ખોલીને રત્નો જોતા હતા. સુધનને જોઈ જરા ખચકાયા, `કેમ અત્યારે ? આ ગ્રન્થ શાનો છે ?’ ગુરુદેવ! આ “ઉપદેશમાળા” ગ્રન્થ છે. એમાંથી એક શ્લોકનો અર્થ બરાબર બેસતો નથી. આપને શાતા હોય તો મને એનો અર્થ સમજાવો!’

મોહનો નશો ઉતરનાર ગારુડીમંત્ર સમો શ્લોક

ઉપરોક્ત શ્લોક આચાર્યના હાથમાં આવતાં જ તેઓ કહે – `સાવ સહેલો શ્લોક છે, સુધન! તારા જેવા શ્રુતપ્રેમી શ્રાવકને આવા સરળ શ્લોકનો અર્થ ન બેઠો એ તો આýાર્ય ાળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’

કહેવાય! પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે. એનો અર્થ આ પ્રમાણે છે. સાંભળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’

‘સુધન! આવો સીધો સાદો અર્થ આ શ્લોકનો છે – સમજાયો અર્થ?’ `ગુરુદેવ! આપે તો બરાબર જ અર્થ કર્યો, પરંતુ મને હજુ એ સમજાતો નથી.’ આચાર્ય કહે છે, `કાલે તને વધુ સારી રીતે સમજાવીશ’ હજારો ભક્તોના જટિલ પ્રüાાેનું સેકંડમાં સમાધાન કરનાર ગુરુ પોતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તો થઇ રહ્યુંને? રોજ અર્થ સમજાવે, સુધન રોજ કહે `હજી અર્થ નથી સમજાતો.’ છ માસ વીત્યા, પણ ન સમજાયો. સમતામૂર્તિ ગુરુમહારાજને લેશમાત્ર ક્રોધ નથી આવતો કે કેટલીવાર એના એ શ્લોકનો અર્થ સમજાવું? ધન્ય ગુરુદેવ ! ધન્ય એમનો અનન્યભક્ત!

છેવટે ગુરુદેવની ઊંઘ હરામ થઇ! ભુખ ભાગી ગઇ! રાત્રે ઊંઘમાંથી ]બકીને જાગી જતા. છ છ મહિનાથી સુધનને એક સામાન્ય શ્લોકનો અર્થ મગજમાં બેસાડી શકાતો નથી એનો અમને ભારે ખેદ થાય છે. એમને પોતાની વિદ્વતા પર તરસ્કરા છૂટ્યો `િધIાર છે મારી વિદ્વતાને! હજારો લાખો લોકો મારી વિદ્વત્તાને વખાણે અને હું એક સામાન્ય શ્લોકનો અર્થ મારા અનન્ય ભક્તજનને ગળે ન ઉતારી શકું? આવી વિદ્વતા શું કામની?’

**જગત ઊંઘતું હતું-સૂરિજી જાગી ગયા

આખું નગર નિદ્રાધીન બન્યું છે, શિષ્યો પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા છે. રાયખંડવડલીના એ ધર્મસ્થાનકમાં એક માત્ર આચાર્ય જાગે છે, નિદ્રાદેવી રૂઠ્યા છે, ઘણી રાતો એ શ્લોકના અર્થના ચિંતનમાં વિતાવી છે. છ મહિના પૂર્ણ થયા. આજે સાતમા માસની પ્રથમ મધરાત! આંખમાં આંસુ આવી ગયા! હું કેમ સમજાવી શકતો નથી? પેલી રત્નોની પોટલી યાદ આવી. `અહો! હું શું કરી રહ્યો છું? ન જોઇએ એ બહુમૂલા રત્નો?’ પ્રાતઃકાળે સુધન આવ્યો ત્યારે એ પોટલી ખોલી, રત્નો બહાર કાઢી પથ્થર વડે ચૂરો કરવા લાગ્યા, ફેંકવા લાગ્યા. સુધનની ભાવના ફળી, મહેનત કામયાબ નીવડી. શ્લોકના અર્થના બહાને ધારેલ કાર્ય પૂર્ણ થયું. સુધન શ્રાવક કહે, `ગુરુદેવ ! આ શું કરો છો? આવા કિંમતી રત્નોને ભાંગીને આમ ધૂળ ભેગાં કરાય?’ `સુધન! તારા શ્લોકનો અર્થ આજસુધી બેસાડી ન શક્યો તેનું કારણ આ રત્નો જ હતા. લાવ તારો શ્લોક!’ એ જ અર્થ ફરીવાર કર્યો. સુધન કહે હવે બરાબર અર્થ સમજાઇ ગયો. ધન સેંકડો અનર્થોનું મૂળ છે – ગુરુદેવ કૃતાર્થભાવે કહે છે `સુધન! તું મારો શિષ્ય નહિ, પણ મારી શિથિલતાને દૂર કરી સન્માર્ગે લાવનારો મારો સાચો ગુરુ છો!’

એ દિવસથી આચાર્ય જીવનની તમામ શિથિલતાઓને દૂર કરી,  પશ્ચયાતાપ કરવા લાગ્યા. `અહો! આજ સુધી હું સાધુ ન હતો, માત્ર બાહ્ય દેખાવ જ હતો. મારું શું થશે? `ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા!” બહારથી સાધુવેષ! અંદરમાં દંભ! અરે ! મેં લોકોને ઠગ્યા! અજ્ઞાનવશ મેં સમ્યજ્ઞાનદર્શનચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડામાં મમત્વ રાખ્યું.’ રત્નાકરસૂરિએ પોતાના હૈયાની આ વેદના સ્તુતિરૂપે ઠાલવી. પચ્ચીશ શ્લોકો દ્વારા એમણે પાપનો પસ્તાવો કર્યો અને જગતને `રત્નાકર પચ્ચીશી’ ની ભેટ મળી ! આ મહાપુરુષની આંતરવેદના જગતને આશીર્વાદરૂપ બની! ઇતિહાસ કહે છે વિ.સં. 1384માં રત્નાકરસૂરિ કાળધર્મ પામ્યા, પણ એમની અમરકૃતિ આજે જૈનોના મોઢે ગવાઇ રહી છે. જેના દ્વારા અનેક લોકો પશ્ચાત્તાપની પાવનગંગામાં પાપ મેલને ધોઇને શુદ્ધ-વિશુદ્ધ બને છે!

|| રત્નાકર પચ્ચીસી ||

મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ!
ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના,
ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા.(1)

ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા,
વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુખો તણા.
વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું;
જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરું.(2)

શું બાળકો મા બાપ પાસે બાળક્રીડા નવ કરે?
ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.(3)

મેં દાન તો દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ,
તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ.
એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યુ,
મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું.(4)

હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને.
ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયા જાળમાં મોહન! મહા મુંઝાય છે;
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.(5)

મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યુ નહિ,
તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ.
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કવાને થયા;
આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.(6)

અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ,
ભીંજાય નહિ મુજ મન અરે રે! શું કરૂં હું તો વિભુ.
પથ્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે કયાંથી દ્રવે ?
મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે(7)

ભમતાં મહા ભવ સાગરે, પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન-દર્શન ચરણ રૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં.
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં
કોની કને કીરતાર આ, પોકાર હું જઈને કરૂં ? (8)

ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા.
વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું;
સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું…(9)

મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને,
ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને;
વળી ચિત્તને દોષિત કર્યુ, ચિંતી નઠારું પરતણું,
હે નાથ! મારૂં શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું…(10)

કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી,
એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને,
જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંક ને…(11)

નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને;
કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યા,
મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા…(12)

આવેલ દૃષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને,
મે મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને,
નેત્ર બાણો ને બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ,
શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ.. (13)

મૃગ નયની સમ નારી તણા, મુખ ચંદ્ર નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ;
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.. (14)

સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી,
ઉત્તમ વિલાસ કળા તણી, દેદિપ્યમાન પ્રભા નથી;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું,
ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું . (15)

આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે,
આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે.
ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું;
બની મોહમાં મસ્તાન હું, પાયાવિનાના ઘર ચણું … (16)

આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદ થી.
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દિવો લઈ કૂવે પડ્યો, ધિકકાર છે મુજને ખરે… (17)

મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ,
પામ્યો પ્રભુ નર ભવ છતાં, રણમાં રળ્યા જે વું થયું,
ધોબી તણા કુત્તા સમું, આ જીવન સહુ એળે ગયું. (18)

હું કામધેનું ક્લપતરું ચિંતામણીના પ્યાર માં,
ખોટા છતાં ઝંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં.
જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ તે સેવ્યો નહિ,
મુજ મૂર્ખ ભાવોને નહાળી, નાથ ! કર કરૂણા કંઈ … (19)

મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ,
આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછયું નહિ;
નહિ ચિંતવ્યું મેં નર્કકારાગૃહ સમી છે નારીઓ,
મધુ બિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો . (20)

હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો,
કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો;
વળી તીર્થના ઉધ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા,
ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા . (21)

ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને,
દુર્જન તણા વાક્યો મહિ, શાંતિ મળે ક્યાંથી મને ?
તરૂ કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી,
તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી? (22)

મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી
તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ?
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ, નાથ ! હું હારી ગયો,
સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો … (23)

અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું?
હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું;
જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં?.(24)

ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ !
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી..(25)

 

અરિહંત વંદનાવલી

|| અરિહંત વંદનાવલી ||

જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા,
વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા;
ને જન્મતા પહેલા જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા,
ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પરકાશતા;
જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સુખ અર્પતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

છપ્પન દિગ્ કુમરી તણી, સેવા સુભાવે પામતા,
દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા;
મેરુશિખર સિંહાસને જે નાથ જગના શોભતા;
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા,
ક્ષીરોદધિના ન્હવણ જલથી, દેવ જેને સિંચતા;
વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મધમધ થતાં ગોશીર્ષ ચંદનથી વિલેપન પામતા,
દેવેન્દ્ર દૈવી પુષ્પની, માળા ગળે આરોપતા;
કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટે શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને શ્રેષ્ટ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ,
વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની;
હર્ષ ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં,
પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાં;
જે ઇન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી,
પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ;
સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છવાસમાં,
ને છત્ર ચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં;
પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી,
પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી;
વળી બાળક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે બાલ્ય વયમાં પ્રૌઢ- જ્ઞાને, મુગ્ધ કરતા લોકને,
સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને;
ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણ રૂપ યૌવન યુક્ત જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મૈથુન-પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં,
જે ભોગકર્મ નિવારવા, વિવાહ-કંકણ ધારતા;
ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં,
ઉત્કૃષ્ટ જેની રાજ્ય-નીતિથી, પ્રજા સુખચેનમાં;
વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત,
ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન;
જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આવો પધારો ઇષ્ટ વસ્તુ, પામવા નર-નારીઓ,
એ ધોષણાથી અપેતા, સાંવત્સરિક મહાદાનને;
ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી,
શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી;
અશોક પુન્નગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

શ્રી વજ્રધર ઇન્દ્રે રચેલા, ભવ્ય આસન ઊપરે,
બેસી અલંકારો, ત્યજે, દીક્ષા સમય ભગવંત જે;
જે પંચમુષ્ટિલોચ કરતા, કેશ વિભુ નિજકર વડે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

લોકગ્રગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે,
સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને;
જે જ્ઞાન-દર્શન ને મહા-ચરિત્ર રત્નત્રયી ગ્રહે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

નિર્મળ વિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા,
વળી પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા;
દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય જે,
ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે;
આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને અસ્ખલિત વાયુ સમુહની, જેમ જે નિર્બંધ છે,
સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે;
નિસ્સંગતા ય વિહંગ શી, જેના અમુલખ ગુણ છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ખડ્ગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે,
ભારંડપંખી સારીખા, ગુણવાન અપ્રમત્ત છે;
વ્રતભાર વહેવા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

કુંજરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી,
ગંભીરતા સાગર સમી, જેના હ્રદયને છે વરી;
જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી,
વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી;
હરખાવતા જ વિશ્વને, મુદિતાતણા સંદેશથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે શરદઋતુના જલ સમા, નિર્મળ મનોભાવો વડે,
ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે;
જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

બહુ પુણ્યનો જ્યાં ઉદય છે, એવા ભવિકના દ્વારને,
પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે;
સ્વીકારતા આહાર બેંતાલીસ, દોષ વિહીન જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ઉપવાસ માસખમણ સમા, તપ આકરાં તપતા વિભુ,
વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ;
બાવીશ પરિષહને સહંતા, ખૂબ જે અદભુત વિભુ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને બાહ્ય અભ્યંતર બધા, પરિગ્રહ થકી જે મુક્ત છે,
પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે;
જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું,
જેના મહાસામર્થ્ય કેરો, પાર કો’ નવ પામતું;
એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં,
સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સથાપના કરી;
ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા, શોભી રહ્યા શિર ઉપરે,
ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય વડે;
દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ; અશોકથી ય પૂજાય છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં,
ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં;
ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં,
ત્રિભુવન તણા સ્વામીતણી, સૌએ સુણો શુભદેશના;
પ્રતિબોધ કરતા દેવ-માનવ ને વળી તિર્યંચને,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ,
ભગવંતવાણી દિવ્યસ્પર્શે, દૂર થતાં મિથ્યા વમળ;
ને દેવ -દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના,
ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના;
એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગતનાથ જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે,
તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે;
ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંધ સંસ્થાપન કરે,
મહાતીર્થ સમ એ સંધને, સુર અસુર સહુ વંદન કરે;
ને સર્વજીવો-ભૂત-પ્રાણી સત્વશું કરુણા ધરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જેને નમે છે ઇન્દ્ર-વાસુદેવ ને બલભદ્ર સહુ,
જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ;
જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યતા,
વર શુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા;
જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને,
ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે;
જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

હર્ષ ભરેલા દેવનિર્મિત , અંતિમે સમવસરણે,
જે શોભતા અરિહંત, પરમાત્મા જગતઘર આંગણે;
જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખના,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિ કાળથી,
તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદભાવથી;
રમમાણં જે નિજરૂપમાં, ને સર્વજગતું હિત કરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નાથ ઐદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ,
એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું;
જે રાગદ્વેષ-જળે ભર્યા, સંસાર સાગરને તર્યા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી,
પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન-પ્રયોગથી;
ધનુષ્યથી છુટેલ બાણ તણી, પરે શિવગતિ લહી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

નિર્વિધ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધગતિ એ નામનું,
છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુન:ફરવાપણું;
એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે,
અજ્ઞાત ને પ્રાચીન મહામના કો’ મુનીશ્વર બહુશ્રુતે;
પદ-પદ મહીં જેના મહા-સામર્થ્યનો મહિના મળે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નમસ્કાર-સ્વાધ્યાયમાં, પ્રેક્ષી ર્હદય ગદગદ બન્યું,
“શ્રી ચંદ્ર” નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મલ્યું;
કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહિ,
પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમકો’ છે નહિ;
જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજનિશ્ચય સહિ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે,
જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે;
આપે વચન “શ્રી ચંદ્ર” જગને, એજ નિશ્વય તારશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ભક્તામર સ્તોત્ર

3

|| ભક્તામર સ્તોત્ર ||

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ………

ભક્તામર સ્ત્રોતના રચયિતા માનતુંગાચાર્ય :-

જૈન પરંપરામાં અતિ વિશ્રુત . તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં. ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રીમાનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ કડી/તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ ગાથા/શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ એક એક કરીને તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. ભક્તને અમર બનાવનારું આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનું ખુબ જ શ્રદ્ધાયુક્ત તેનું પઠન કરવામાં આવે છે.

જૈન પરંપરાના અત્યંત પ્રભાવી નવ સ્મરણોની સૂચિમાં આ સ્તોત્ર સાતમું આવે છે. શ્વેતામ્બર જૈન સંપ્રદાયની માન્યતા મુજબ આ મહાચમત્કારી સ્તોત્રની અતિચમત્કારિક ચાર ગાથાઓ અજ્ઞાતપણે કારણવશ લુપ્ત થતાં હાલમાં આ સ્તોત્રની ૪૪ ગાથાઓ વિદ્યમાન છે. સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સામાન્ય રીતે સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ. તે દિવસે કોઈ ઉપવાસ યા વ્રત થાય તો ઉત્તમ ગણાય. આ સ્ત્રોત ખુબ જ પ્રભાવશાળી અને અપુર્વ આત્મ-પ્રસન્નતા આપનાર છે. આ સ્ત્રોતની ગાથાઓમાં ગુંફિત શબ્દોનું સંયોજન એટલું બધુ અદભુત છે કે તેના શબ્દોચ્ચાર વડે પ્રગટ થનાર ધ્વનિના પરમાણું વાતાવરણને આંદોલિત કરતાં ચારે તરફ ફેલાઈ જાય છે. અને અનેરી ઊર્જાઓને ઉત્પન્ન કરે છે. જો કે કેટલાયે ચમત્કારોથી ભરપુર હકીકતોની વાર્તાઓ આ સ્ત્રોતની આસપાસ રહેલ છે.

એક વાત તો નક્કી છે કે આ સ્ત્રોતમાં ભક્તામારની ગાથાઓમાં કંઈક એવું અનોખુ તત્વ અને રહસ્ય સંતાયેલ છે કે વર્ષો પસાર થવા છતાં પણ તેનો પ્રભાવ અવિચલ છે, જે સનાતન સત્ય છે. સંપુર્ણ આસ્થા, નિષ્ઠા અને સમર્પણના ભાવલોકમાં આ સ્ત્રોતનું ગાન જ્યારે કરવામાં આવે છે, ત્યારે અસીમ આનંદની અનુભુતિમાં અસ્તિત્વ ઝુમી ઉઠે છે અને નાચી ઉઠે છે.

આપ આ પણ જાણો ………..

* દરેક ગાથાની સાથે આવેલ ઋદ્ધિ-મંત્ર પ્રાચીન હસ્તપ્રત આધારિત છે. તેની સત્યતા વિશે જાણ હોવા છતાં પણ આનો પ્રયોગ મંત્રસિદ્ધ ગુરૂવર્યના આમાન્યાપુર્વક થાય તે ખુબ જ જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતના પાઠ માટે શરીરની શુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થાનશુદ્ધિ અને ચૈતસિક સ્વસ્થતા સામાન્ય રીતે અપેક્ષિત છે.
* મહિલાઓએ આ સ્ત્રોત વાંચતી વખતે શુધ્ધતા અને અન્ય વિશેષ સાવધાની રાખવી જોઈએ.
* ઉપાસનાનો ઉત્સાહ પણ વિધિ-નિષેધોથી નિયંત્રિત રહે. ઉપાસના અશાતના સુધી ન જઈ પહોચે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતનો પાઠ લયબદ્ધ-મધુર-મંજુલ તેમજ સમુહ સ્વરમાં સવારના સમયે જો કરવામાં આવે તો વધારે લાભદાયી રહે છે.

ભક્તામર સ્તોત્રનું નિત્ય આરાધન કરવાથી………..

* સર્વ પ્રકારના વિધ્નો દૂર થાય છે
* સૌભાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
* ચોર-ડાકુ લુટારાઓનો ભય દૂર થાય છે.
* ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય અને સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
* માન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
* મનોરથોની સિધ્ધિ થાય છે.
* મોક્ષની પ્રાપ્તિ થાય છે.

1

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ રચીત
શ્રી ભક્તામર સ્તોત્ર :- (ગાથા- 1 TO 44)

|| ભક્તામર સ્તોત્ર ||

ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણા-
મુદ્યોતકં દલિત પાપ તમો વિતાનમ્ ;
સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં-યુગાદા-
વાલમ્બનં ભવ જલે પતતાં જનાનામ્. ।। 1 ।।

યઃ સંસ્તુતઃ સકલ વાડ્મય તત્વ બોધા-
દુદભૂત બુદ્ધિ પટુભિઃ સુરલોક નાથૈઃ;
સ્તોત્રૈ ર્જગત્ત્રિતય ચિત્ત હરૈ રુદારૈઃ-
સ્તોષ્યે કિલાહ મપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. ।। 2 ।।

બુદ્ધયા વિનાપિ વિબુધા ર્ચિત પાદ પીઠ !
સ્તોતું સમુદ્યત મતિ ર્વિગત ત્રપોડહમ્;
બાલં વિહાય જલ સંસ્થિત મિન્દુ બિમ્બ-
મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્. ।। 3 ।।

વકતું ગુણાન્ ગુણ સમુદ્ર ! શશાંક-કાન્તાન્;
કસ્તે ક્ષમઃ સુર ગુરુ પ્રતિમોડપિ બુદ્ધયા ?;
કલ્પાન્ત કાલ પવનોદ્ધત નક્ર ચક્રં-
કો વા તરીતુ મલ મમ્બુ નિધિં ભુજાભ્યામ્ ? ।। 4 ।।

સોડહં તથાપિ તવ ભક્તિ વશાન્મુનીશ,
કર્તું સ્તવં વિગત શક્તિ રપિ પ્રવૃત્તઃ;
પ્રીત્યાત્મ વીર્ય મવિચાર્ય મૃગો મૃગેન્દ્રં-
નાભ્યેતિ કિં નિજ શિશોઃ પરિ પાલનાર્થમ્ ? ।। 5 ।।

અલ્પ- શ્રુતં શ્રુત-વતાં પરિહાસ-ધામ,
ત્વદ્ ભક્તિ-રેવ મુખરી-કુરુતે બલાન્મામ્ ;
યત્કોકિલ: કિલ મધૌ મધુરં વિરૌતિ-
તચ્ચારુ-ચૂત-કલિકા-નિકરૈક-હેતુ: ।। 6 ।।

ત્વતસંસ્તવેન ભવ સન્તતિ સન્નિબદ્ધં,
પાપં ક્ષણાત્ક્ષય મુપૈતિ શરીર ભાજામ્;
આક્રાન્તલોક મલિ નીલ મશેષ માશુ,
સૂર્યાંશુ ભિન્ન મિવ શાર્વર મન્ધકારમ્ ।। 7 ।।

મત્વેતિ નાથ ! તવ સંસ્તવનં મયેદ-
મારભ્યતે તનુ ધિયાપિ તવ પ્રભાવાત્ ;
ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ,
મુક્તાફલ દ્યુતિ મુપૈતિ નનૂદ બિંદુઃ ।। 8 ।।

આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્તદોષં,
ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ;
દૂરે સહસ્ર કિરણઃ કુરુતે પ્રભૈવ,
પદ્માકરેષુ જલ જાનિ વિકાસ ભાંજિ ।। 9 ।।

નાત્યદભુતં ભુવન ભૂષણ ભૂતનાથ !,
ભૂતૈ ર્ગુણૈ ર્ભુવિ ભવન્ત મભિષ્ટુવન્તઃ ;
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા,
ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મ સમં કરોતિ. ।। 10 ।।

દષ્ટ્વા ભવન્ત મનિમેષ વિલોકનીયં,
નાન્યત્ર તોષ – મુપયાતિ જનસ્ય ચક્ષુઃ;
પીત્વા પયઃ શશિકર દ્યુતિ દુગ્ધ સિન્ધોઃ,
ક્ષારં જલં જલનિધેરશિતું ક ઈચ્છેત્ ?. ।। 11 ।।

યૈઃ શાન્ત રાગ રુચિભિઃ પરમાણુભિ સ્ત્વં,
નિર્માપિત સ્ત્રિભુવનૈક લલામ ભૂત !;
તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં,
યત્તે સમાન મપરં નહિ રૂપ મસ્તિ. ।। 12 ।।

વકત્રં કવ તે સૂર નરોરગ નેત્ર હારિ ?,
નિઃશેષ નિર્જિત જગત્ત્રિ તયોપમાનમ્;
બિંબં કલંક મલિનં કવ નિશાકરસ્ય ?,
યદ્રાસરે ભવતિ પાંડુ પલાશ કલ્પમ્. ।। 13 ।।

સમ્પૂર્ણ મંડલ શશાંક કલા કલાપ,
શુભ્રા ગુણા સ્ત્રિભુવનં તવ લંધયન્તિ ;
યે સંશ્રિતા સ્ત્રિજગદીશ્વર ! નાથ મેકં,
કસ્તાનિનવારયતિ સંચરતો યથેષ્ટમ્ ?. ।। 14 ।।

ચિત્રં કિમત્ર ! યદિ તે ત્રિદશાંગનાભિ-
નીતં મનાગપિ મનો ન વિકાર માર્ગમ્;
કલ્પાન્તકાલ મરુતા ચલિતા ચલેન,
કિં મંદરાદ્રિ શિખરં ચલિતં કદાચિત્. ।। 15 ।।

નિર્ધૂમવર્તિ રપ વજ્જિત તૈલ પુરઃ,
કૃત્સ્નં જગત્ત્રય મિંદ પ્રકટી કરોષિ;
ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા ચલાનાં,
દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ.।। 16 ।।

નાસ્તં કદાચિ દુપયાસિ ન રાહુ ગમ્ય:,
સ્પષ્ટી કરોષિ સહસા યુગપજ્ જગન્તિ;
નામ્ભો ધરો દર નિરુદ્ધ મહાપ્રભાવઃ,
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લોકે.।। 17 ।।

નિત્યોદયં દલિત મોહ મહાન્ધકારં,
ગમ્યં ન રાહુ વદનસ્ય ન વારિદાનામ્;
વિભ્રાજતે તવ મુખાબ્જ મનલ્પકાન્તિ,
વિદ્યોતયજ જ્જગદ પૂર્વ શશાંક બિમ્બમ્. ।। 18 ।।

કિં શર્વરીષુ શશિનાડન્હિ વિવસ્વતા વા ?
યુષ્મન્મુખેન્દુ દલિતેષુ તમસ્સુ નાથ !;
નિષપન્ન શાલિ વન શાલિનિ જીવ લોકે,
કાર્યં કિયજ્જલ ધરૈ ર્જલ ભાર નમ્રૈઃ ?. ।। 19 ।।

જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશં,
નૈવં તથા હરિ હરાદિષુ નાયકેષુ;
તેજઃ સ્ફૂરન્મણિષુ યાતિ યથા મહત્વં,
નૈવં તુ કાચ શકલે કિરણા-કુલેડપિ. ।। 20 ।।

મન્યે વરં હરિ હરાદય એવ ર્દષ્ટા,
ર્દષ્ટેષુ યેષુ હૃદયં ત્વયિ તોષ મેતિ;
કિં વીક્ષિતેન ભવતા ? ભુવિ યેન નાડન્યઃ,
કશ્વિન્મનો હરતિ નાથ ! ભવાન્તરેડપિ. ।। 21 ।।

સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્,
નાન્યા સુતં ત્વદુપમં જનની પ્રસૂતા;
સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ર રશ્મિં,
પ્રાચ્યેવ દિગ્જનયતિ સ્ફુરદંશુ જાલમ્. ।। 22 ।।

ત્વામા મનન્તિ મુનયઃ પરમં પુમાંસ-
માદિત્ય વર્ણ મમલં તમસઃ પરસ્તાત્;
ત્વામેવ સમ્ય ગુપલભ્ય જયન્તિ મૃત્યું,
નાન્યઃ શિવઃ શિવ પદસ્ય મુનીન્દ્ર ! પન્થા: ।। 23 ।।

ત્વામવ્યયં વિભુમચિન્તયમ સંખ્ય માદ્યં,
બ્રહ્માણ મીશ્વર મનન્ત મનંગ કેતુમ્;
યોગીશ્વરં વિદિત યોગ મનેક મેકં,
જ્ઞાન સ્વરૂપ મમલં પ્રવદન્તિ સન્ત:. ।। 24 ।।

બુદ્ધસ્ત્વમેવ વિબુધા ર્ચિત બુદ્ધિ બોધાત્,
ત્વં શંકરોડસિ ભુવન ત્રય શંકરત્વાત્;
ધાતાડસિ ધીર ! શિવ માર્ગ વિધે ર્વિધાનાત્,
વ્યકતં ત્વમેવ ભગવન્ પુરુષોત્તમોડસિ. ।। 25 ।।

તુભ્યં નમ સ્ત્રિભુવનાર્તિ હરાય નાથ !,
તુભ્યં નમઃ ક્ષિતિ તલા મલ ભૂષણાય;
તુભ્યં નમ સ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુભ્યં નમો જિન ! ભવોદધિ શોષણાય. ।। 26 ।।

કો વિસ્મયોડત્ર ! યદિ નામગુણૈ રશેષૈ-
સ્ત્વં સંશ્રિતો નિરવકાશ તયા મુનીશ !;
દોષૈ રુપાત્ વિવિધા શ્રય જાત ગર્વૈઃ,
સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદ પીક્ષિતોડસિ. ।। 27 ।।

ઉચ્ચૈ રશોક તરુ સંશ્રિત મુન્મયૂખ-
માભાતિરૂપ મમલં ભવતો નિતાન્તમ્;
સ્પષ્ટોલ્લસત્કિરણ મસ્ત તમો વિતાનં,
બિમ્બં રવે રિવ પયોધર પાર્શ્વ વર્તિ. ।। 28 ।।

સિંહાસને મણિ મયૂખ શિખા વિચિત્રે,
વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્;
બિમ્બં વિયદ્રિલસદંશુ લતા વિતાનં,
તુંગોદયાદ્રિ શિરસીવ સહસ્ર રશ્મેઃ. ।। 29 ।।

કુન્દાવદાત ચલ ચામર ચારુ શોભં,
વિભ્રાજતે તવ વપુઃ કલધૌત કાન્તમ્;
ઉદ્યચ્છશાંક શુચિ નિર્ઝર વારિ ધાર –
મુચ્ચૈસ્તટં સુર ગિરે રિવ શાતN કૌમ્ભમ્. ।। 30 ।।

છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાન્ત –
મુચ્ચૈઃ સ્થિતં સ્થગિત ભાનુ કર પ્રતાપમ્;
મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભં,
પ્રખ્યાપયત્ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્. ।। 31 ।।

ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ,
પર્યુલ્લસન્નખ મયૂખ શિખા ભિરામૌ;
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ. ।। 32 ।।

ઈત્થં યથા તવ વિભૂતિ રભૂજ્જિનેન્દ્ર !
ધર્મો પદેશન વિધૌ ન તથા પરસ્ય:;
યાર્દક્ પ્રભા દિન કૃતઃપ્રહતાન્ધકારા,
તાર્દક્ કુતો ગ્રહ ગણસ્ય વિકાશિનોડપિ ?. ।। 33 ।।

શ્ર્વ્યોતન્મદાવિલ વિલોક કપોલ મૂલ,
મત્ત ભ્રમદ્ ભ્રમર નાદ વિવૃદ્ધ કોપમ;
ઐરાવતાભ મિભ મુદ્ધત માપતન્તં,
દૃષ્ટ્વા ભયં ભવતિ નો ભવદા શ્રિતાનામ્. ।। 34 ।।

ભિન્નેભ કુંમ્ભ ગલદુજ્જવલ શોણિતાક્ત,
મુક્તાફલ પ્રકર ભૂષિત ભુમિભાગઃ;
બદ્ધ ક્રમઃ ક્રમ ગતં હરિણા ધિપોડપિ,
નાક્રામતિ ક્રમયુગા ચલ સંશ્રિતં તે. ।। 35 ।।

કલ્પાન્ત કાલ પવનોદ્ધત વહિ્ન કલ્પં,
દાવાનલં જ્વલિત મુજ્જવલમુત્સ્ફુલિંગમ્;
વિશ્વં જિઘત્સુ મિવ સંમુખ માપતન્તં,
ત્વનામ કીર્તન જલં શમયત્ય શેષમ્. ।। 36 ।।

રક્તેક્ષણં સમદ કોકિલ કંઠ નીલં,
ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપતન્તમ્;
આક્રામતિ ક્રમ યુગેન નિરસ્ત શંક,
સ્ત્વન્નામ નાગ દમની હૃદિ યસ્ય પુંસઃ. ।। 37 ।।

વલ્ગત્તુરંગ ગજ ગર્જિત ભીમ નાદ-
માજૌ બલં બલવતા મપિ ભૂપતીનામ્;
ઉદ્યદિવાકર મયૂખ શિખા પવિદ્ધં,
ત્વત્કીર્તનાત્તમ ઈવાશુ ભિદા મુપૈતિ. ।। 38 ।।

કુન્તાગ્ર ભિન્ન ગજ શોણિત વારિ વાહ,
વેગાવતાર તરણાતુર યોધ ભીમે;
યુદ્ધે જયં વિજિત દુર્જય જેય પક્ષા-
સ્ત્વત્પાદ પંકજ વના શ્રયિણો લભન્તે. ।। 39 ।।

અમ્ભોનિધૌ ક્ષુભિતભીષણ નક્ર ચક્ર,
પાઠીન પીઠ ભયદોલ્બણ વાડવાગ્નૌ:;
રંગત્તરંગ શિખર સ્થિત યાન પાત્રા,
સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજંન્તિ. ।। 40 ।।

ઉદભૂત ભીષણ જલોદર ભાર ભુગ્નાઃ,
શોચ્યાં દશામુપગતાશ્ર્વયુત-જીવિતાશાઃ;
ત્વત્પાદ પંકજ રજોડમૃત દિગ્ધ દેહા,
મર્ત્યા ભવન્તિ મકર ધ્વજ તુલ્ય રૂપાઃ. ।। 41 ।।

આપાદ કંઠમુરુ શૃંખલ વેષ્ટિતાંગા,
ગાંઢં બૃહન્નિગડ કોટિ નિઘૃષ્ટ જંઘાઃ;
ત્વન્નામ મન્ત્ર મનિશં મનુજાઃ સ્મરન્તઃ
સદ્યઃ સ્વયં વિગત બન્ધ ભયા ભવન્તિ. ।। 42 ।।

મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાનલાહિ-,
સંગ્રામ વારિધિ મહોદર બન્ધનોત્થમ્;
તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિયેવ,
યસ્તાવકં સ્તવ મિમં મતિમાન ધીતે. ।। 43 ।।

સ્તોત્ર સ્રજં તવ જિનેન્દ્ર ! ગુણૈ ર્નિબદ્ધાં,
ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ્;
ધત્તે જનો ય ઈહ કંઠ ગતા મજસ્રં,
તં માનતુંગ મવશા સમુપૈતિ લક્ષ્મીઃ. ।। 44 ।।

જૈન માંગલિક અને શ્રી ઉવસગ્ગહરં સૂત્ર

|| જૈન માંગલિક ||

પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે દવાખાનામાં પગલા કરેલ અને માંગલિક ફરમાવેલ…..

અતિ પ્રભાવશાળી મંત્રગર્ભિત શાતાકારી આધી,વ્યાધી અને ઉપાધી નિવારક કર્મવિદારક ચમત્કારિક અતિવિશિષ્ટ પ્રાચીન જૈન માંગલિક સ્તોત્ર સ્મરણ – મંત્રોનું પઠન-પાઠન અને શ્રવણ કરવાથી શારીરિક – માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને વ્યાપારિક લાભો થતા હોય છે.

ચત્તારિ મંગલં – ચાર પ્રકારના માંગલિક આ પ્રમાણે છે
અરિહંતા મંગલં – અરિહંત દેવો માંગલિક છે
સિધ્ધા મંગલં – સિધ્ધ ભગવાનો માંગલિક છે
સાહૂ મંગલં – સાધુ સાધ્વી માંગલિક છે
કેવલિ પન્નતો ધમ્મો મંગલં – કેવળીનો પ્રરૂપેલો ધર્મ માંગલિક છે
ચત્તારી લોગુત્તમા – લોકમાં ચાર ઉત્તમ છે
અરિહંતા લોગુત્તમા – અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે
સિધ્ધા લોગુત્તમા – સિધ્ધ ભગવાન લોકમાં ઉત્તમ છે
સાહૂ લોગુત્તમા – સાધુ સાધ્વીઓ લોકમાં ઉત્તમ છે
કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા – કેવળીનો પ્રરૂપેલો ધર્મ લોકમાં ઉત્તમ છે
ચત્તારી શરણં પવજ્જામિ – આ ચાર શરણને અંગીકાર કરું છું
અરિહંતે શરણં પવજ્જામિ – અરિહંતનું શરણ અંગીકાર કરું છું
સિધ્ધે શરણં પવજ્જામિ – સિધ્ધ ભગવંતોને શરણ અંગીકાર કરું છું
સાહૂ શરણં પવજ્જામિ – સાધુ સાધવીહજીઓનું શરણ અંગીકાર કરું છું
કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ – કેવળીનો પ્રરૂપેલ ધર્મ શરણ અંગીકાર કરું છું

એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા, કરે જેહ,
ભવ સાગરમાં તરશે તેહ, સકળ કર્મનો આણે અંત, મોક્ષ
તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે
જીવ તરીને મોક્ષે જાય, સંસાર માંહી શરણાં ચાર,
અવર ન શરણું કોઈ જે નરનારી આદરે, તેને અક્ષય
અવિચળ પદ હોય, અંગુઠે અમ્રુત વસે, લબ્ધ તણા ભંડાર,
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન
ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન

============================

1

   શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર
||  શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર નો જન્મ કેવી રીતે થયો ? ||
ઉવાસગ્ગરાહમ સ્તોત્ર ૨,૧૦૦ વર્ષ પહેલાં શ્રી ભદ્રાબાહુ સ્વામી દ્વારા સર્જન થયુ હતુ.  શ્રી ભદ્રાબાહુ સ્વામી ઍક શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા વારાહમિહિર, શ્રી ભદ્રાબાહુ સ્વામી ના ભાઈ હતા અને ઍ પણ ઍક  શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા. શ્રી ભદ્રાબાહુ સ્વામી આચાર્ય પદ મળે અને વધુ આદર મળે તે વારાહમિહિર સહન કરી સક્તા નહતા. આથી વારાહમિહિર જૈનો અને સમગ્ર  જૈન ધર્મ સાથે ગુસ્સે થઈ ગયા હતા.
વારાહમિહિર  માટે આવુ માનવમા આવે છે ક મૃત્યુ પછી “વ્યંતર દેવ” બની ગયા અને પૃથ્વીને પર જૈનો ઉપર પીડા આપવાનુ શરૂ કરી દીધુ. તેમના ભાઈ શ્રી ભદ્રાબાહુ સ્વામી તરફ તેમની ઈર્ષ્યા અને ક્રોધ, ઘણા જૈનો ને વિનાશ તરફ ધકેલી દીધા હતા.
આવા મુશ્કેલ સમયે લોકોને મદદ માટે શ્રી ભદ્રાબાહુ સ્વામી સંપર્ક કર્યો.  શ્રી ભદ્રાબાહુ સ્વામી ઍ ૨૩ મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ ને આદર આપવા અને ઉપ્સર્ગ્સ બનાવવા તેના મદદ લીધી અને ઉવાસાગરહમ સ્તોત્ર ની રચના કરી.  “ઉવાસાગરહમ” નો અર્થ અપસુવર્જ્સ નાશ કરનાર થાય છે.
જ્યારે પણ આ સ્તોત્ર સંપૂર્ણ એકાગ્રતા સાથે વચવા મા આવે છે ત્યારે અર્ધ દેવતાઓ ને પૃથ્વી પર આવુ પડે છે.  આ સ્તોત્ર તેના મૂળ સ્વરૂપમાં તે ખૂબ જ શક્તિશાળી હતો . ટૂંક સમયમાં લોકો આ સ્તોત્ર નો નાની વસ્તુઓ અને નાનો સામગ્રી ઈચ્છા માટે વધુ પડતો ઉપયોગ શરૂ કરી દીધો હતો.  એ દુરૂપયોગ  ના ડરથી સ્તોત્ર એક ગાથા નાબૂદ કરવામાં આવી હતી. આજે, ઍ સ્તોર્ત્ર ની એક કડી ઓછી છે, તેમ છતાં તે હજુ પણ ગૌરવ નુ સ્થળ ધરાવે છે અને બીજી કોઇ પણ પ્રાર્થના કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
ઉવાસગ્ગહરામ સ્તોત્ર, સંપૂર્ણ વિશ્વાસ સાથે પાઠ કરવા મા આવે તો અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરે છે.   આ સ્તોત્ર ૨૩ મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ માટે પ્રાર્થના છે. ઉવાસગ્ગહરામ સ્તોત્ર જાપ માટે પૂર્વ કે ઉત્તર દિશામા સામે બેસી અને પદ્માઆસન બેઠક દરમિયાન આ સ્તોત્ર પાઠ કરવા જોઇએ.
|| શ્રી ઉવસગ્ગહરં સૂત્ર ||

ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ, કમ્મધણ મુક્કં;
વિસહર વિસ નિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં.
વિસહરફુલિંગ મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ રોગ મારી, દુઠ્ઠ જરા જંતિ ઉવસામં.

ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ઝ પણામોવિ બહુફલો હોઈ;
નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ દોહગ્ગં.
તુહ સમ્મ્તે લદ્ધે, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં.
ઇઅ સંથુઓ મહાયસ! ભત્તિભર નિબ્ભરેણ હિયએણ;
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ- જિણચંદ.

ગાથાર્થ:

ઉપસર્ગો(વિઘ્નો) ને નિવારનારા, પાર્શ્વયક્ષ જેમની નિકટ છે એવા અથવા ભક્તોની સમિપ રહેનાર(ઘાતિ) કર્મના સમુદાયથી મુક્ત, સર્પવિષનાશક, મંગળ અને કલ્યાણના ધામરૂપ એવા શ્રી પાર્શ્વપ્રભુને હું વંદન કરું છું. વિસહર સ્ફુલિંગ નામના મંત્રને જે મનુષ્ય સદા કંઠે ધારણ કરે(નિરંતર જાપ કરે) તેનાં વિપરિત ગ્રહો, રોગો, મરકી, ભયંકર તાવ આદિ શાંત થઈ જાય છે. એ મંત્ર તો દુર રહો, પણ અમને કરવામાં આવેલ પ્રણામ પણ ધણા ફળને આપનારો છે. જેથી મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો પણ દુ:ખ અને દુર્દશા નથી પામતા.

ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ આધિક આપનું સમ્યક્ત્વ પ્રાપ્તથયે છતે જીવો સહેલાઇથી મોક્ષને પામે છે. એ રીતે હે મહાયશસ્વી! પાર્શ્વ જિનચંદ્ર! મેં તમારી સ્તુતિ ભક્તિ પૂર્ણ હ્રદયથી કરી, તો હે દેવ! મને ભવોભવ આપનું સમ્યક્ત્વ આપો.

ભાવાર્થ:

આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તથા પાર્શ્વપ્રભુના નામયુક્ત ‘વિસહર ફુલિંગ’ મંત્રનું અને તેમને કરાયેલા પ્રણામનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમજ સમ્યક્ત્વ માંગવામાં આવ્યું છે. શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામિએ પોતાના ભાઈ વરાહમિહિરે કરેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા આ સ્તોત્રની રચના કરી છે.

નવકાર છત્રીસી

A

|| નવકાર છત્રીસી ||

જૈન ધર્મનો શાશ્વત અને મહાન મંત્ર નવકાર મંત્ર..

અંતર તારને રણઝણાવી નાખનાર
આ નવકાર છત્રીસીનાં નિયમીત ધ્યાન ધરવાથી
મન ને અજબ શાંતી મળે છે
તેવા ગુરુવર્યોના આશિર્વાદ છે.
રચનાકાર – પૂ મુનિ શ્રી વિરાગ સાગરજી.

જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના,
ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના
જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧||

જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે
સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે
સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૨||

આદિ નહિ આ મંત્રની,ભૂત ભાવિમાં છે શાશ્વતો
સુખ શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો
ચૌદ રાજના ત્રણ ભુવનનાં સહુ જિવને હરખાવતો
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૩||

તીર્થો મહીં શેત્રુંજયો તીર્થાધીરાજ કહેવાય છે
પર્વો મહીં પર્યુષણા પર્વાધી રાજ મનાય છે
તિમ મંત્રોમાં નમસ્કાર જે, મંત્રાધીરાજ ગણાય છે
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૪||

જે તરણ તારણ સુગતિકારક્ દુઃખ નિવારક મંત્ર છે
સંસાર સાગરે ડુબતી નૈયા-સુકાની મંત્ર છે
દુઃખો તણા દાવાનલે જલ સિંચનારો મંત્ર જે
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૫||

મુજ હ્રદયનાં ધબકારમાં, રટણા કરુ હું જેહની
પ્રતિ શ્વાસને ઉચ્છશ્વાસમાં, સ્મરણાં કરુ હું જેહની
મન-વચન કાયાથકી, કરું અર્ચના હું જેહની
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૬||

જે સૃષ્ટિનો શણગાર છે,ને પૃથ્વીનો આધાર છે
આનંદનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે
વળી,સકલ આગમ શાસ્ત્રમાં,મહિમા અનંત અપાર છે
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૭||

જે કામધેનુ કલ્પતરુ ચિંતામણીથી અધીક છે
જેના શરણમાં આવેલો મુગતી થકી નજદીક છે
વળી, શક્તિ એવી જેહમાં, બંધન હરે સંસારના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૮||

બે ભેદ છે જે મંત્રના, અડસઠ અક્ષર માં સહી
ગુરુ-સાત અક્ષર સ્મરણ કરતા, સાત-નરક પામે નહિ
દર્શન થતાં લઘુ ઇગ્સઠ્ઠી, અક્ષરે મહાશક્તિના,
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૯||

અરિહંત-સિધ્ધ-આચાર્ય-પાઠક્,શોભતા સાધુ વળી,
દર્શન્-જ્ઞાન-ચારિત્ર-તમને, વંદના કરુ લળી-લળી
જે મંત્રને પામી અમારા, દ્વાર ખુલ્યા ભાગ્યનાં
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૦||

અંતર રિપુને હન્ત કરતા,એવા શ્રી અરિહંત છે
શિવ સુંદરીને ભોગતા એવા પ્રભુજી સિધ્ધ છે
સુવિશુધ્ધ એવા દેવ તત્વની જેહમાં છે વર્ણના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૧||

આચાર્ય -ઉપાધ્યાય્-સાધુ, શોભતાં ગુરુ તત્વમાં
સુદેવ -ગુરુને નમન કરતાં પાપ નાશે પલકમાં
સવિ મંગલોમાં શ્રેષ્ઠતમ છે,સ્થાન જેનું આદ્યમાં
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૨||

અરિહંતનાં ગુણ બાર છે ને સિધ્ધના ગુણ આઠ છે
આચાર્યના છત્રીશને પાઠકના પચ્ચ વીશ છે
વળી સપ્તવીશ સાધુ તણા, ઇમ કુલ એકસો આઠ છે
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૩||

નવ પદ છે રળીયામણા, જે અર્પતા નવ-નિધિને
અને સંપદા છે આઠ જેની અર્પતી બહુ રિધ્ધિને
વળી પંચ છે પરમેષ્ઠિ જેમાં, આપતા બહુ સિધ્ધિને
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૪||

અષ્ટા પદ- સિધ્ધાચલ વળી તીર્થ આબુ શોભતું
ઉજ્જિંતશૈલ તીર્થને સમ્મેત શીખર છે ગાજતું
આ પાંચે મુખ્ય તીર્થને, જે મંત્રમાં ખુદને શમાવતુ
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૫||

જે દિનથી નવકાર મારા હોઠને હૈયે ચઢ્યો
તે દિનથી મુજ કરમહિ, ચિંતામણી આવી વસ્યો
જેના મિલનનાં સ્પંદને,મુજ આતમા પાવન થયો
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૬||

જાણી જગતની રીત જુઠી,પ્રીત કરી મે જેહની
છોડી જગતનીવાતડી મે ઝંખના કરી સ્નેહની
વળી રોગ-શોકને ભય મહિ હું અર્ચના કરું જેહની
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૭||

નવકાર જેના હ્રદયમાં, સંસાર તેને શું કરે?
રક્ષક બની સંસારમાં, દુર્ધ્યાન ને દુર્ગુણ કરે
આરાધના જેની કરી શિવસુંદરી સહસા વરે
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૮||

અંધારુ ભાળુ ચોતરફ ત્યારે શરણ ગ્રહું જેહનું,
દુ:ખો તથ સંકટ મહિ પણ સ્મરણ કરતો તેહનું
વાત્સલ્યતા મામતાભર્યો. જેને બિરુદ જગ-માતનુ
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||19||

ગુણ ગાવુ છું એ મંત્રના,જે પાપ હરતો જીવનના,
વળી.નમન એને લળી-લળી,જે તાપ હરતો શરીરના
ભાવે ભજું એને સદા, સંતાપ હરતો હ્રદયના
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||20||

જે ધ્યેય છે, જે શ્રેય છે, શ્રધ્ધેય ને વળી ગેય છે
શિરતાજ છે જે ત્રણ લોકનો,ગુણ જેહના અમેય છે
વળી હેય એવા ભવ-વને,જે મંત્ર સાચો ગ્નેય છે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||21||

ગત જન્મ ના પુણ્યોદયે, જે મંત્ર મુજ આવી મળ્યો
દિલની ધરા સુકી છતા, આમંત્ર કલ્પતરુ ફળ્યો
ત્રણ કાળમાં, સહુ મંત્રમાં, શિરોમણી જેને કહ્યો
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||22||

સ્વારથ ભરેલી આ જિંદગીનો, કેવો દુર વ્યવહાર છે
વૈભવ અને સુખ ચેન માં પણ, દુ:ખ પારાવાર છે
સાચો સહારો જીવનનો, બસ એક નવકાર છે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||23||

વ્હાલેશ્વરો વિશ્વેશ્વરો, પ્રાણેશ્વરો નવકાર છે
જ્વનેશ્વરો સર્વેશ્વરો, દીનેશ્વરો નવકાર છે
મંત્રેશ્વરો સિધ્ધેશ્વરો, ગુણ જેહ ના અપાર છે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||24||

ને જે જન્મ મૃત્યુને ટાળતોને, રોગ-શોકને નિવારતો
વળી વિષયના વિષપાસને, પળવારમાં જે કાપતો
ને જીવનમાં મનભાવતાં સુખ સંપદા ને આપતો
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||25||

જે રંકને રાજા બનાવતો, રોગીને નિરોગી કરે જે
રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી જે,
પાપીને પાવન જે કરે, આપત્તિને સંપત્તિ કરે જે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||26||

જે મંત્રનાં ગુણ વર્ણવા, મા શારદા પાછા પડે
જે મંત્રની શક્તિ થકી, પરમંત્ર સહુ ઝાંખા પડે
આપે વચન જે મંત્ર સહુને, દુર્ગતિ કદિ થાય ના
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||27||

વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ હ્રદયને
ઉપાધિના તોફાન માં ખોઇ રહ્યો મુજ જીવનને
વ્યાધિ ત્રયીનાં ત્રાસમાં,જે રક્ષતો સહુ જીવને
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||28||

અગ્ની તણી જ્વાલા થકી, જેણે બચાવ્યો અમરને,
ધરણેન્દ્રનું પદ અર્પીને, સુઉધ્ધાર્યો ફણિધરને
વળી જેહનાં પ્રભાવથી, સમડી બની સુદર્શના
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||29||

વનરાજનો, ગજરાજનો, ભોરિંગનો, મહામારીનો
તસ્કરતણો, શત્રુ તણો રાજાતણો, બિમારીનો
એકેય ભય શાને સતાવે? છે પ્રભાવ જે મંત્રનો
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||30||

ભૂત-પ્રેત ને પિશાચ કેરા, ભય બધા દુરે ટળે
કોઢાદિ વ્યાધિ વિનાશ પામે, સુખ સહુ આવી મળે
જે મંત્રનાં સ્મરણ થી, ભક્તો તણા વાંછિત ફળે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||31||
એક લાખ મંત્રનાં જાપથી, અરિહંતની પદવી મળે,

નવ લાખ મંત્રના જાપથી, નરકો તણા દુ:ખો ગળે
નવ ક્રોડના વળી જાપથી ત્રીજે ભવે મુક્તિ મળે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||32||

ઇહલોકન – પરલોકના જે પૂર્ણ કરતો આશને
જીવી રહ્યોછુ ભવ-વને રાખી ઘણા વિશ્વાસને
જેનુ સ્મરણ કરતા થકાં, છોડીશ હું મુજ શ્વાસને
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||33||

જન્મો જનમના સાથ ને સંગાથ જેનો હું ચહું
મુક્તિ મળે ના જ્યાં લગી, જેનું સ્મરણ પ્રેમે ગ્રહું
પામી સદા સાનિધ્ય જેનું, મન હવે મુંઝાય ના
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||34||

ભક્તિ સ્વરુપી પ્રાર્થના આ, કવચ સમ રક્ષા કરે
ને ભાવથી આરાધતા, ભવો ભવ તણા પાપ હરે
વળી ધ્યાન ધરતા જેહનું, ભવિ જીવના આતમ હરે
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||35||

મહામંત્ર તુજને શું કહું? ફરિયાદ મુજ સ્વિકાર‘તો
વિનવી રહ્યો છું તુજને વિતરાગ મુજને બનાવ‘તો
જીવો અનંતા ઉધ્ધર્યા,મુજ આત્મા ઉધ્ધાર‘તો
એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||36||