About our site.

1

– – – – – – – – –  -કનક તુરખીયા- – – – – – – – – –

“બધા વગર ચાલશે પણ ધર્મ વગર નહિ ચાલે”

આદરણીય ધર્મપ્રેમી વડીલો અને સ્નેહી મિત્રો,

“જૈન ક્રાંતિ” એટલે એક જ વિષય જે અલગ અલગ આગમોમાં હોય તેને એક જ જગ્યાએ સંગ્રહિત કરીને આપની સમક્ષ પ્રદર્શિત કરવું.

“જૈન ક્રાંતિ” માં જૈનદર્શનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે વ્યવસ્થા કરેલ છે.

વર્તમાન સમયમાં જૈન સમાજમાં પ્રભુ મહાવીરનું શાસન છે.

પ્રભુ મહાવીરની અંતિમ દેશના “આગમ શાસ્ત્ર” રૂપે આપણને મળેલ છે.

“આગમ” એટલે અરિહંત પરમાત્માનું હ્રદય અને અનુભવ અમૃત.

“આગમ” એટલે જિ ન વાણી.

જૈનદર્શનના અનેક વિષયોને સ્પર્શતા “આગમ ગ્રંથોનું” સર્જન થયું જે આપણો સૌનો સાચો વારસો અને વૈભવ છે. કોઈ વિષય, ક્ષેત્ર એવાં નહીં હોય કે જેના પર જૈન શ્રમણ સંઘ કે ગૃહસ્થોએ વિચારણા, સર્જન નહીં કર્યાં હોય. આ અનુષ્ઠાનનું એકમાત્ર લક્ષ્ય-ધ્યેય એ જ હતું કે ભવ્ય વિરાસત-વૈભવને આંચ નહીં આવે અને તેના વાંચન, મનન તથા અનુકરણ દ્વારા આત્માની પરમ પદ પ્રત્યેની યાત્રા પૂર્ણવિરામને પામે.

“કરુણા સિંધુ વીર પ્રભુએ જે ત્રીપદીને ભાખી
ગણધર ભગવંતોએ જેને નિજ હૈયામાં રાખી
એ ત્રિપદીનો લઇ સહારો પ્ રગટાવી દીપમાલા
યુગ યુગ સુધી ઝળહળતાં રહેશે આગમના અજવાળા”

“જેમ વૃક્ષોના જીવનમાંથી પાણી બાદ થાય તો વૃક્ષ સુકાય
રસોઈમાંથી નમક બાદ થાય તો સ્વાદ ન અનુભવાય
ગાડીમાંથી પેટ્રોલ બાદ થાય તો તેની ગતિ રોકાય
જીવનમાંથી આગમ બાદ થાય તો ઘોર અંધકાર છવાય”

આજના કોમ્પ્યુટર, નેટ, વોટ્સએપના જમાનામાં બધું સુવીધાજનક છે. તન શાંત બને પણ મન અશાંત રહે, તેને માટે એક જ ઉપાય તે છે જિનવાણીનું વાંચન…………

કોઈ પણ આર્ટીકલમાં ખુબ જ ઉપયોગ રાખવા છતાં ભૂલ થઇ જવી સંભવ છે. આપને અભ્યાસમાં વાંચન કરતાં જો કોઈ ભૂલો ધ્યાનમાં આવે તુરત અમોને જણાવવા વિનંતી છે જેથી તુરત સુધારો કરવામાં આવશે.

જ્ઞાન તથા જ્ઞાનીની કોઈ પ્રકારે અશાતના થઇ હોય તો અંત:કરણપૂર્વક ક્ષમાયાચના…મિચ્છામી દુક્કડં…!

ઈંટરનેટમાંથી બધું ભેગું કરી આપણાં ફેઇસબુક મિત્ર ગ્રુપમાં રજુ કરું છું, “આમા મારૂં કાંઈ નથી.”

બહારમાંથી ભેગું કરવું તે માહિતી છે અને અંદર થી પ્રગટ કરવું તે જ્ઞાન છે.

નોંધ :

વાચક મિત્રો અહી જે આર્ટીકલ પોસ્ટ કરવામાં આવે છે તે ઘણી બધી વેબ સાઇટ પરથી અને જૈન સાહિત્યના પુસ્તકોમાથી લેવામાં આવે છે. આ બાબત કોઈ પણ સમસ્યા આવે તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમારો હેતુ ધર્મપ્રેમી મિત્રો અને જૈન શ્રાવક – શ્રાવિકાઓના લાભાર્થે અહીં તહીંથી સંકલન કરીને એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.

આ બ્લોગ પર જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.

અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

મારા બ્લોગની લિંક

શ્રી ભગવાન ગણપતી

AA

|| શ્રી ભગવાન ગણેશ ||

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા‘ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાંપાર્વતી‘ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

ઝીણી આંખો : ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાક : મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાન : મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

બે દાંત : ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

ચાર હાથ :    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

મોદક : જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

વિશાળ પેટ : બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

૫ગ : તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

વાહનઃ ઉંદર : તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

 

 

સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય – સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ

3

|| પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય ||

પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદ થી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાર્થો છે.

પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.

એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

આત્માની નજીક જઇ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટે નો છે. પરંતુ કષાપ, સમતા અને આતમારમણતા . આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે. પણ અહીં શબ્દોનાં બાહ્યઅર્થને જાણવાને બદલે , એની પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્ય વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.

પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૃપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.

લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.

આવા પાનવકારી પર્વાધિરાજનાં દિવસમાં આરાધના સાધના ઉપાસના અને પરસ્પર માનવ બંધુમાં મૈત્રીભાવ કેળવવા…

|| સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ ||

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય.

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ  અને ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે.

ક્ષમાપના સંવત્સરી નો પ્રાણ છે. અને પર્યુષણ મહાપર્વનટ્વું સારભૂત તથ્પ છે. પર્યુષણ કે બીજા કોઈ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવી સરળ છે. પણ ક્ષમાનાં પરિપ્રેક્ષ્યમાં સંવત્સરીની સાધના ખરેખર મુશ્કેલ છે. ‘ કલ્પસૂત્ર’ માં ભગવાન મહાવીર સ્વામી ક્ષમાની મહત્તાનો વર્ણવતા કહે છે કે પોતાની થઈ ગયેલી ભૂલો માટે સાચા હૃદયથી ક્ષમા માગવી જોઈએ અને બીજાની ભૂલો થઈ હોય તો તેમને ઉદાર હૃદયથી ક્ષમા આપવી જોઈએ. આજ અર્થમાં ક્ષમા એ વીર પુરૃષોનું આભૂષણ છે. કાયર મનુષ્ય ક્યારેય કોઈને ક્ષમા કરી શકતો નથી.

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય. ક્ષમાપના વગરની ધર્મ-આરાધના વ્યર્થ જતી હોય છે. ક્રોધ અગ્નિ જવાળા છે. એ પોતાને તો દઝાડે છે. પણ એ સાથે બીજાને પણ દઝાડતી હોય છે. સંસારમાં થતા મોટા ભાગનાં અપરાધો ક્રોધાવસ્થામાં થાય છે. શાંત અને પવિત્ર મન ક્યારેય અપરાધ કરવાનો વિચાર કરતું નથી. મનમાં વારંવાર આવતો ક્રોધ, વેરમાં પરિણમે છે. સંતો એ વેરવૃતિને ભયંકર ગણાવી છે. એનાં ગંભીર પરિણામો માત્ર આજ જન્મ જ નહીં, જન્મોજન્મ ભોગવવા પડી શકે છે. રોષ, ઘૃણા, તિરસ્કાર-ઇર્ષ્યા-નિંદા વગેરે દુઃગણો ક્રોધનાં પરિવારજનો છે, આ બધા અવગુણો કુટુમ્બની શાંતિ છીનવી લે છે, કલેષ ઉત્પન કરે છે. સૌની પ્રગ્તિ થવા દેતા નથી. ક્ષમા અને સંતોષ ની ભાવનાથી જ આ દુઃગુણો દૂર થતા હોય છે.

ક્ષમાની ભાવનામાં ખળખળ મૈત્રીનું ઝરણું વહે છે. એમાંજ ડૂબકી લગાવવાથી જ સંસારમાં સુખની લાગણી અનુભવી શકય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન અશક્ય છે. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્તિથિ જુદી જ બની જાય છે. હંમેશાં ભયમાં જીવતા મનુષ્ય ક્ષમારનાથી નિરાંત  અનુભવે છે. શત્રુતામાં કાયમ ડરનો વાસ રહે છે. વેરભાવના ક્યારેય કોઈને શાંતિથી જીવવા દેતી નથી. લડાઈ-ઝગડા દંડા-ફસાદ માં જો ક્ષમાનો માર્ગ પસંદ કરવામાં આવે તો તેનું કંઈક અદ્ભૂત જોવા મળે છે. બે પક્ષો દુશ્મન મટીને મિત્રો બની જાય છે.

સંસારમાં ક્ષમાપનાની ભાવના શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા, વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની પુરવાર થાય છે.

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ – કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

2

|| ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ ||

|| કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત રહેતા હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ ફરી જાગી ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.

વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.

વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?

એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.

ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.

કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે ? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે? ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન થશે નહીં.

પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.

પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.

ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.

ગોચરી

સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

|| જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી  ||

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ

જૈન ધર્મ :-

*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-‘ રાગ દ્વેષથી પર ‘ અથવા ‘ ત્યાગી ‘ એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘ જિન ‘ કહેવામાં આવતાં.
*. જિન એટલે ‘ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ‘.
*. જિનના અનુયાયીઓને ‘ જૈન ‘ કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’ તીર્થકંર ‘ કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે, કેમકે આજનું જૈન શાસન તેમની પરંપરા અનુસાર ચાલે છે.

મહાવીર સ્વામી :-

*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘ યશોદા ‘ નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ’ પ્રિયદર્શના ‘
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘ જિન ‘ કે ‘ મહાવીર ‘ કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.

જૈન સિધ્ધાંતો :-

(1) પાંચ મહાવ્રત :-

*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.

(2) ત્રિરત્ન સિધ્ધંત :-

*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘ રત્નત્રયી ‘ નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય

(3) ત્રણ ગુણવ્રતો :-

*. દિગ્વ્રત, ઉપભોગવ્રત અને અનર્થદંડ

ધર્મ પરિષદો :-

*. પ્રથમ પરિષદ:

*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.

*. બીજી પરિષદ :-

*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા – શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા – વિશ્વપંથી અને તેરાપંથી

જૈન સાહિત્ય :-

*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને’ આગમ ‘ કહેવામાં આવે છે.અથવા ‘ ગણપિટક ‘ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ‘ પ્રાકૃત ‘ (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ‘ સિધ્ધહેમશબ્દાનુશાસન ‘ ગ્રંથ મહત્વનો છે.

કલ્પસૂત્ર

4  3

|| કલ્પસૂત્ર ||

કલ્પસુત્ર એટલે શું ?

કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.

કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.

પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.

|| કલ્પસૂત્ર ||

જૈનોનું મહાપર્વ પર્યુષણ કે જે તપ અને વ્રત પછી પ્રભુ મહાવીરના જન્મ બાદ સર્વત્ર આનંદ અને આનંદ લ્હેરાય છે. પર્યુષણના દિવસો દરમિયાન આવતો શુભ દિવસ ‘મહાવીર જન્મ’ આવતી કાલથી છેક સોમવાર, એમ પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે. આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે. પ્રાચીન કાલમાં આ સૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રે સાઘુપર્ષદામાં સર્વ સાઘુઓ કાયોત્સર્ગમાં રહીને શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે આનંદપુરનો (વડનગર) રાજા ઘુ્રવસેનના પુત્રનો શોક દૂર કરવાના હેતુથી આ ‘કલ્પસૂત્ર’ જાહેરમાં વંચાયું. તે દિવસથી આજદિન સુધી કલ્પસૂત્ર દહેરાસરોના મુખ્ય હોલમાં જાહેર સભામાં વંચાય છે. જૈન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ‘કલ્પસૂત્ર’નું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માત્ર રાત્રે જ શ્રવણ-વાંચન થતું હતું. નિશીથ ચૂર્ણી આદિમાં કહેલી વાત-‘વિધિપૂર્વક સાઘ્વીજી દિવસે શ્રવણના અધિકારી છે, પણ વાંચનનો અધિકાર તેમને નથી.’ પરંતુ વડનગરમાં જાહેર વાંચનથી આમ જનતાને તેનો લાભ લેવાનો મોકો મળ્યો. ‘કલ્પ’ શબ્દની વ્યાખ્યા આપતા ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે, ‘દાન, શીલ અને તપશ્ચર્યાની વૃદ્ધિ કરીને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ’ દશાશ્રુતસ્કંધનું આ ૮મુ અઘ્યયન છે. જેનો અર્થ છે પઠન-પાઠનથી અંતરમાં ઉતારવું તે વાંચન, દોહન અને ચિંતન. એટલે જ કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’નું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને આચરણ કરે એ ભવસાગર તરી જાય છે. અત્રે છબીમાં દર્શાવવામાં આવેલું કલ્પસૂત્ર વિક્રમ સં. ૧૫૨૫ આસો સુદ ૧૦ના રોજ સુવર્ણ અને ચાંદીના પ્રવાહીથી પ્રાકૃત ભાષામાં જૈન દેવનાગરીમાં લખવામાં આવ્યું હતું.

|| શોકમાંથી સમાધિ સર્જે તે કલ્પસૂત્ર ||

શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું કથન છે.

એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.

શ્રીકલ્પસૂત્ર આ રીતે ખુદ મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગ્રથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક મહર્ષિઓએ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.

પર્યુષણા મહાપર્વના દિવસોમાં ભાદરવા સુદ ચોથનો દિવસ સૌથી મુખ્ય ગણાય છે. એ દિવસ પાંચમો દિવસ આવે એ રીતે એની પૂર્વના પાંચમા દિવસથી એટલે જ પર્યુષણા મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રો બતાવેલી છે.

શ્રી કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપ તીથઁકરો, ગણધરો, સ્થવિર મહર્ષિઓના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનાર સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે.

આજના દિવસે, પૂર્વ રાત્રિએ વિવિધ પ્રકારની ભક્તિ અને રાત્રિ-જાગરણ દ્વારા જગવવામાં આવેલ શ્રી કલ્પસૂત્રની પવિત્ર પોથીને હાથીની અંબાડી વગેરે સુયોગ્ય સાધનને પધરાવીને વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાય છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન થાય છે.

સેના-રૂપાનાં પુષ્પો તેમજ સાચા રત્નો ચડાવાય છે. ગ્રંથવાચનાર ગુરુ ભગવંતોનું શાસ્ત્રવિધિથી પૂજન કરાય છે અને ઉલ્લાસભેર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાય છે. ત્યારબાદ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરાય છે.

આજના પ્રવચનમાં જૈન સાધુ-સાધ્વીએ પાળવાના ૧૦ વિશિષ્ટ આચારોનું વર્ણન કર્યા બાદ શ્રી કલ્પસૂત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. ત્યારબાદ શ્રી કલ્પસૂત્રના વાચનના અધિકારી યોગવહન કરેલા અને ગુવૉજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો છે. સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માત્ર શ્રવણના અધિકારી છે એવી એની વાચન-શ્રવણ મર્યાદા અંગેની શાસ્ત્રાજ્ઞા સમજાવાય છે.

ત્યારબાદ નાગકેતુની ઓમ તપના પ્રભાવને વર્ણવતી કથા કહી પરમાત્મા શ્રી મહાવીરદેવના ચ્યવન કલ્યાણકની વિગતો કહેવાય છે. એમાં ઇન્દ્રે કરેલી સ્તવના, મેઘકુમાર મુનિના પૂર્વભવ અને સાધુતામાં સ્થિરતાની વાતો રજુ થાય છે. બપોરના વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીના સમ્યકત્વ પ્રાપ્તિ બાદના ૨૭ જન્મોની વાતો બાદ અંતિમ જન્મમાં એમની માતાને આવેલા ૧૪ સ્વપ્ન પૈકી ચાર સ્વપ્નાઓનું વર્ણન કરવામાં આવે છે.

સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક

2

|| સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક ||

શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતા. એક દિવસ તેઓ બંને શ્રી વીરભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે શંખે પુખિલને કહ્યું `તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઇશું.’

શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું, પણ ઘેર પહોંચતાં તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.

શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી શરીર-સત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઇ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.

આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું ભોજન તૈયાર થઇ ગયા બાદ તે શંખને તેના ઘરે જમવા માટે તેડવા આવ્યો. પુખલિને આવતો જોઇ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઇ અને સત્કારથી તેને ઘરમાં લઇ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઇર્યાયપથિકી પડિIમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.

શંખે કહ્યું, `મારે એ ભોજનમાંથી કંઇ પણ કલ્પે નહિ તમારી ઇચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઇ પણ વાનગી બનાવવાની નથી. શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતા વિચાર્યું કે `સવારમાં શ્રી પ્રભુને વંદના કરી હું પૌષધ પારીશ.’ સવાર પડતાં શંખ શ્રી વીર પ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઇ તેણે ઠપકો આપ્યો કે, `ગઇકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું’ ભગવાને આ સાંભળી કહ્યું, પુખલિ! `તમે શંખની નિંદા ન કરો. ગઇકાલે રાત્રે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.’ ત્યારે શ્રી ગૌતમસ્વામીએ પ્રüા કર્યો, `ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?’ ભગવંતે કહ્યું જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા તે કેવળી ભગવંતોને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદમસ્થ અણગારી (મુનિ)ને હોય છે. ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે. આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું, `ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.’ આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર લાખ પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. પાંચમાં અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણ્યું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.

"પૌષધ" પર્યુષણાનું પરમ કર્તવ્ય

|| “પૌષધ” પર્યુષણાનું પરમ કર્તવ્ય ||

“પુણ્યનું કરે પોષણ ને પાપનું કરે શોષણ“

પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક – તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે

પર્વાધિરાજ પર્યુષણાનો માહોલ જૈનશાસનમાં અત્ર-તત્ર-સર્વત્ર છવાઈ ચૂક્યો છે. જિનાલયો પૂજન-દર્શન કરનાર ભાવિકોથી છલકાઈ રહ્યા છે, તો ઉપાશ્રયો ચિક્કાર ઉપસ્થિત શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. શું તપત્યાગ કે શું દયાદાન, શું સદ્‌ગુરુસેવા કે શું સાધર્મિકભક્તિઃ ધર્મના હર પ્રકારો આ પર્વમાં પૂરબહારમાં ખીલે છે. પર્યુષણાના પ્રારંભિક પ્રવચનગ્રન્થ ‘અષ્ટાહિ્‌નકા’ શાસ્ત્રગ્રન્થની ભાષામાં કહીએ તો, પૂજા-પચ્ચક્‌ખાણ-પ્રતિક્રમણ-પૌષધ અને પરોપકાર ઃ આ પાંચ ‘૫’અક્ષરથી શરૂ થતાં ધર્મની જાણે મોસમ જામી છે.

શાસ્ત્રો દર્શાવેલ આ પાંચ પૈકીના કોઈપણ એક ‘૫’ને, પર્યુષણાપર્વના દિવસોમાં આ ‘અમતૃતની અંજલિ’માં વર્ણવવાનો ઉપક્રમ છેલ્લા બે વર્ષથી આપણે અપનાવ્યો છે. એ જ શૃંખલામાં આજે ત્રીજી કડી ઊમેરીને આપણે ‘પૌષધ’ નામે મહત્વની ધર્મકરણી આસપાસ વિચારવિહાર કરીશું.
જૈનધર્મનો શુદ્ધ પારિભાષિક શબ્દ ગણાતાં આ ‘પૌષધ’ની સૌથી વઘુ બોલબાલા પર્યુષણાપર્વમાં નિહાળવા મળે છે. વર્ષમાં એક પણ પૌષધ ન કરનારાઓ આ પર્યુષણાપર્વમાં અનુકૂળતા મુજબ, એક-બે-ત્રણ યાવત્‌ આઠ આઠ રાત-દિવસના પૌષધ પણ કરતાં હોય છે. આ દિવસોમાં ‘પૌષધ’નું મહત્વ કેટલું છે ? એ જાણવા એક જ ઉદાહરણ પર્યાપ્ત રહેશે. ઈ.સ. ૨૦૦૭માં અમે મુંબઈના વસઈ જૈન સંઘમાં ચાતુર્માસ હતા. જ્યાં અન્ય તિથિએ એક પણ પૌષધ ન થતો તેવા એ સંઘમાં પર્યુષણામાં એવો માહોલ જામ્યો કે સંવત્સરીમહાપર્વદિને ૧૩૫ વ્યક્તિઓએ પૌષધ કર્યો અને તેમાં બહેનો કરતાં ભાઈઓ વઘુ સંખ્યામાં હતા. અરે ! સંઘના જે ટ્રસ્ટીઓએ જીવનમાં કદી ‘સામાયિક’ન હતું કર્યું એમણે પણ ત્યારે પૌષધ કર્યો.

શું છે આ પૌષધ ? જરા સમજીએ એનું સ્વરૂપ. ‘પૌષધ’ની સામાન્ય વ્યાખ્યાએ છે કે જેમાં સંસારી વ્યક્તિ સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન સ્વીકારીને બાર કલાક યા ચોવીશ કલાક તેનું પરિપૂર્ણ પાલન કરે તેને કહેવાય પૌષધ. જૈન ગૃહસ્થનાં જીવનનું આ સર્વોચ્ચ કક્ષાનું વ્રત ગણાય છે. વ્યક્તિએ પૌષધ દરમ્યાન અગ્નિ-સચિત જલ-વનસ્પતિ-વિજાતીય વ્યક્તિનો સ્પર્શ સુદ્ધાં ત્યજવાનો હોય છે, તો પંખો-એ.સી.-ફોન-ગાડી વગેરે તમામ સુવિધા ત્યાગવાની હોય છે. અરે ! એ સમય દરમ્યાન ઘર-બારનો પણ ત્યાગ કરવાનો હોય છે. આવો પૌષધ ઓછામાં ઓછો બાર કલાકનો અને વધીને ચોવીશ કલાકનો હયો છે. સાતત્ય જાળવીને ઉપરાઉપરી અનેક પૌષધ પણ કરાય છે. જેમ કે પર્યુષણાપર્વમાં ચોસઠ પ્રહરના અર્થાત્‌ સળંગ આઠ દિવસ-રાતના પૌષધનો મહિમા હોય છે, તો ઉપધાનપત નામે આરાધનામાં ત્રણ તબક્કામાં અખંડ સુડતાળીશ રાત-દિવસ, પાંત્રીશ રાત-દિવસ અને અટ્‌ઠાવીશ રાત-દિવસના પૌષધ કરવાનો શાસ્ત્રીય નિયમ હોય છે. જેને આ કાળમાં પણ હજારો જેને ભાઈ-બહેનો શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક અપનાવે છે.

શાસ્ત્રદ્રષ્ટિએ વિચારીએ તો પૌષધ ચાર પ્રકારનો છે. પહેલો છે આહાર પૌષધ. પૌષધ દરમ્યાન અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરવો કે અચિત (ઉકાળેલ) પાણીની અમૂક નિશ્ચિત સમયની છૂટ રાખીને અન્નનો સંપૂર્ણ કરવો અર્થાત્‌ ઉપવાસ કરવો તેને સર્વથી આહાર પૌષધ કહેવાય છે. અને પૌષધમાં આયંબિલ કે એકાસણાનું તપ કરવું તેને દેશથી આહાર પૌષધ કહેવાય છે. પૌષધમાં ઓછામાં ઓછું એકાસણાનું (માત્ર એક જ વારના ભોજનનું) તપ તો જોઈએ જ. એથી નીચેનું તપ ત્યાં ચાલે નહિ.. બીજે છે શરીર સત્કાર પૌષધ. પૌષધ દરમ્યાન શરીરની શોભા-વિભૂષા અને સ્નાનાદિનો સંપૂર્ણ ત્યાગ કરવો તેને કહેવાય છે શરીર સત્કાર પૌષધ. અરે ! પાવડર-મેકઅપ તો દૂર રહ્યા, આમાં તો હાથ-પગ-મુખ પણ પાણીથી સ્વચ્છ કરવાની મનાઈ છે.

જે કાળમાં વ્યક્તિઓ એક વાર નહિ, દિવસમાં બબ્બે ત્રણ ત્રણ વાર સ્નાન કરીને પાણીનો બગાડ કરે છે તે કાળમાં આવા નિયમો મજબૂત મનોબલ અને ત્યાગ-વૈરાગ્યની ભાવના સિવાય શક્ય નથી. ઉપરોક્ત બન્ને પ્રકારના પૌષધનો મુખ્ય હેતુ શરીરની આસક્તિ તૂટે અને વિરાધનાનો પરિહાર થાય તે છે.
ત્રીજો છે બ્રહ્મચર્ય પૌષધ. પૌષધ દરમ્યાન દરેક સ્ત્રી-પુરુણે મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પૂર્વે જણાવ્યું તેમ આ નિયમ એટલો કડક હોય છે કે તેમાં વિજાતીય વ્યક્તિનો અજાણતાં ય સ્પર્શ ન થવો જોઈએઃ પછી ભલેને એ વિજાતીય વ્યક્તિ પોતાનું જ સંતાન હોય !! ભૂલમાં એનો સ્પર્શ થઈ જાય તો ય એનું પ્રાયશ્ચિત (પનીશમેન્ટ) લેવાનું આવે… ચોથો છે અવ્યાપાર પૌષધ. વ્યાપાર એટલે પ્રવૃત્તિ. પૌષધ દરમ્યાન કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ કરાય નહિ. અરે ! ઘરની-બજારની વાતો પણ કરા નહિ. માત્ર સ્વાઘ્યાય-જાપ-કાયોત્સર્ગ જેવી ધાર્મિક પ્રવૃત્તિ જ કરાય. આ ચારેય પ્રકારના પૌષધનું સંયુક્ત પાલન દિવસના બાર કલાક કરવું તે દિવસ પૌષધ કહેવાય, રાત્રે કરવું તે રાત્રિપૌષધ કહેવાય અને રાત-દિવસ કરવું તે અહોરાત્ર પૌષધ કહેવાય. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં ઈ.સ. ૨૦૦૫માં જૈનોના સર્વોચ્ય તીર્થ પાલિતાણામાં ભવ્ય સામૂહિક ચાતુર્માસ થયું હતું ત્યારે, એક ભાગ્યવાન ભાઈએ એક પણ દિવસનું અંતર પાડ્યા વિના સળંગ એકસોવીશ અહોરાત્ર પૌષધ કર્યા હતા !!

પૌષધ શા માટે કરવો જોઈએ ? એનું એકદમ સરલ કારણ પૂજ્ય આત્મારામજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં કરેલ રસપ્રદ પ્રરૂપણામાંથી મળી રહે છે, એમણે ત્યાં ચાર શ્રેષ્ઠ બાબતો દર્શાવીને કહ્યું હતું કે પ્રત્યેક જૈન ભાઈ-બહેને જીવનમાં ઓછામાં ઓછી એકવાર તો તે આત્મસાત્‌ કરવી જ જોઈએ. એમાંની એક વાત હતી ચોસઠ પ્રહરી પૌષધ. તેની ઉપયોગિતા દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે તેનાથી વ્યક્તિમાં વિરતિધર્મના સંસ્કારો પાંગરે અને ભાવિમાં ચારિત્રધર્મપાપ્તિની શક્યતા રહે. પૌષધનાં કારણે અનેક છે, કંિતુ તેમાં આ એક અતિ અગત્યનું કારણ છે. એટલે જ તો જૈન શ્રાવક-શ્રાવિકાનાં બાર વ્રતોમાં આ પૌષધવ્રતને સ્થાન આપવામાં આવ્યું છે.

દરેક વ્યાવહારિક કે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં, ‘તેનું પરિણામ શું ? ફળ શું ?’ આ જાણવાની ઇચ્છા હર કોઇ વ્યક્તિને હોય છે. ખરું કહીએ તો આ જિજ્ઞાસા જ પ્રવૃત્તિનું પ્રેરક પરિબળ બની રહે છે. એટલે પ્રસ્તુતમાં, પૌષધનું ફળ શું ? તે પણ જાણવું જોઇએ. આ માટે જૈન શાસ્ત્રોમાં એક પ્રાચીન ગાથા આમ મળી રહે છે.
કહે છે…..

” પોસેઈ સહુભાવે, અસુહાણં ખવેઈ નત્થિ સંદેહો ત
છંદિઈ નરયતિરિગઈ, પોસહવિધિ અપ્પમત્તો અ.’’

મતલબ કે અપ્રમત્તભાવે પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક-તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે. ગાથામાં દર્શાવેલ આ પરિણામો ઉપરાંત, જો તે આરાધક અત્યંત શુભ ભાવોમાં અરૂઢ થાય તો સર્વકર્મક્ષય પણ કરી શકે છે. આવાં ઉત્તમ ફળો – ઉત્તમ પરિણામો પૌષધવ્રતનાં છે.

ઉત્તમ પરિણામદાયક આ મહાન પૌષધવ્રતને આરાધક પુણ્યાત્મા કઈ હદના ઉત્તમ ભાવોથી આરાધે તે જાણવું છે ? તો વાંચો જૈન ઈતિહાસના તેજસ્વી તારલા મહાન રાજા ચન્દ્રાવતંસકની આ હૃદયસ્પર્શી કથાઃ

પરમ ધાર્મિક રાજા ચન્દ્રાવતંસકને પર્વતિથિએ પૌષધવ્રતનો નિયમ હતો. આ માટે તેમણે રાજમહેલના જ એક અલાયદા વિભાગમાં પૌષધશાળા રચાવી હતી. એક પર્વતિથિની વાત. પૌષધવ્રત સ્વીકારીને રાજા ત્યાં ધર્મસાધના કરતા હતા. તમામ આવશ્યક ધર્મક્રિયા પૂર્ણ થયા બાદ રાત્રિસમયે રાજાએ એક અભિગ્ર = ધારણાનિયમ આદરવાનું વિચાર્યું. રાત્રિ છવાઈ ચૂકી હતી. એથી બહારના ભાગે દાસીએ સૌમ્ય દીપજ્યોતિ પ્રગટાવી હતી.

રાજાએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી આ દીપજ્યોતિ ઝળહળતી રહે ત્યાં સુધી મારે અખડપણે કાયોત્સર્ગ ઘ્યાનમાં લીન રહેવું.’ એમનાં મનમાં અંદાજ એ હતો કે નાનકડી આ દીપજ્યોતિ વઘુમાં વઘુ એક-દોઢ કલાક પ્રકાશિત રહેશે. પછી ઘી ખૂટતાં એ આપોઆપ બઝાઈ જશે.
પરંતુ ભવિતવ્યતાના યોગે બન્યું વિપરીત. પૌષધશાળામાં અંધારપટ ન છવાય અને સાધનાલીન રાજાને સહાયક થવાય આવી ભલી બુદ્ધિથી પેલી દાસી જાગતી રહી અને કલાકે કલાકે પેલી દીપશિખામાં ઘી પૂરતી રહી !! ઉત્તમ આરાધક રાજાએ દાસીને ઘી પૂરતી અટકાવવાનો એક ઈશારોમાત્ર ન કર્યો અને સ્વીકારેલ અભિગ્રહ મુજબ અખંડપણે એક જ સ્થાને ઊભા ઊભા કાયોત્સર્ગઘ્યાન જારી રાખ્યું. સંપૂર્ણ રાત્રિપર્યંત પેલી દાસીએ દીવડો પ્રજ્વલિત રાખ્યો, તો સંપૂર્ણ રાત્રિપર્યંત રાજવીએ કાયોત્સર્ગ ઘ્યાનનો દીવડો પ્રજ્વલિત રાખ્યો. ન કોઈ ખેદ-સંતાપ કે ન કોઈ નિયમમાં બાંધ-છોડ !!

આખરે પ્રભાત થયું. હવે દીવડાની આવશ્યકતા ન જાણતાં દાસીએ ઘી ન પૂર્યું. દીવડો સ્વયં બુઝાયો અને ત્યારે પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી રાજાએ ઘ્યાન પૂર્ણ કર્યું. રાજા બેસવા ગયા. કંિતુ સમગ્ર રાત્રિ એક જ અવસ્થામાં રહેવાનું કષ્ટ શરીર સહી ન શક્યું. રાજા ત્યાં જ પ્રાણમુક્ત થઈને સદ્‌ગતિએ સંચર્યા !! રાજા ભલે વિદાય થયા. પરંતુ એમની આ વિરલ આરાધનાકથા – યશોગાથા આજે પણ પૌષધ પારવાનાં સૂત્રમાં અમર છે. એ સૂત્રમાં ચન્દ્રાવતંસકરાજાનો ઉલ્લેખ કરીને લખાયું છે કે ઃ- ‘‘જેસિ પોસહપડિમા, અખંડિઆ જીવિઅંતે વિ.’’ મતલબ કે ચન્દ્રાવતંસક વગેરે તે પુણ્યાત્માઓને ધન્ય છે કે જેમણે પ્રાણાંતે પણ પૌષધ નિયમ અખંડ જાળવ્યો છે…

અંતે, એક ગુજરાતી કડી ટાંકીને પૌષધમહિમાના આ લેખનું આપણે સમાપન કરીશું કે ઃ-

‘‘આઠ પ્રહરનો પૌષધ લઈને, ઘ્યાન પ્રભુનું ધરીએત
મન-વચન-કાયા જો વશ કરીએ, તો શિવમંદિર લહીએ…’’

સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક

5   6

|| સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક ||

સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્ય઼ું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.

પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારૂં ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !

આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.”

પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.”

પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.

એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાન પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નગરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.

પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. ઘણા મેરૂ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્ત્તાનું મહિમાગાન કરે છે.

આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભાવે તવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.