શ્રી ગણેશ આરતી

4

|| શ્રી ગણેશ આરતી ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |

મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |

લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |

કામના કો પૂરી કરો જગ બલિહારી ||

શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજી

3

|| શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજી ||

* પ્રાગટ્ય દિવસ : –
કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ ૧ મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ ૧૪, કોઈ કારતક સુદ ૧૫, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.

ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.

* શ્રી હનુમાનજીની બાલ્યાવસ્થા અને તેની કથાઓ : –

માતા શ્રી અંમાતા શ્રી અંજની અને કપિરાજ શ્રી કેસરી હનુમાનજીને અતિશય પ્રેમ કરતા. શ્રી હનુમાનજીને સુવડાવીને ફળ-ફૂલ લેવા ગયાં હતા. આ સમયે બાળ હનુમાનને ભૂખ લાગી અને માતાની અનુપસ્થિતિમાં ભૂખથી આક્રંદ કરવા લાગ્યા. આ દરમ્યાન અચાનક તેમની નજર ક્ષિતિજ પર પડી. સૂર્યોદય થઈ રહ્યો હતો. બાળ હનુમાનને થયું કે આ કોઈ લાલ ફળ છે. (તેજ અને પરાક્રમ માટે કોઈ અવસ્થા નથી. અહીં તો શ્રી હનુમાનજી રૂપમાં માતાશ્રી અંજનીના ગર્ભથી પ્રત્યક્ષ શિવશંકર અગીયારમાં રૂદ્ર લીલા કરી રહ્યા હતા અને શ્રી પવનદેવે પણ અગાઉથી જ તેમને ઉડવાની શક્તિ પ્રદાન કરી હતી.)
આ લાલ ફળને લેવા માટે હનુમાનજી વાયુવેગે આકાશમાં ઉડવા લાગ્યા. એમને જોઈ તમામ દેવો, દાનવો વિસમયતાપૂર્વક કહેવા લાગ્યા કે બાલ્યાવસ્થામાં આવું પરાક્રમ કરનાર યૌવનકાળમાં શું નહીં કરે?

4

શ્રી વાયુદેવે પોતાના પુત્રને સૂર્યની સામે જતા જોઈને ચિંતા થવા લાગી કે ક્યાંક મારા પુત્રને આ સૂર્યના કિરણો બાળી ન નાંખે, એ સળગી ન જાય. એના કારણે શ્રી પવનદેવ પોતે પણ બરફ જેવા શીતળ થઈ વહેવા લાગ્યા. જો કે ભગાવન શ્રી સૂર્યદેવને પણ અલૌકિક બાળક શ્રી હનુમાનને પોતાની તરફ આવતા જોઈ તેમને ઓળખતા વાર ના લાગી કે આ તો પવનપુત્ર છે, જે એમના પિતાના જેટલા જ વેગથી મારી તરફ આવી રહ્યા છે અને સાથે શ્રી પવનદેવ પણ એમના પુત્રની સાથે રક્ષા માટે ઉડી રહ્યા છે.

સૂર્યદેવને પોતાનું સૌભાગ્ય સમજાયું કે સ્વયં ભગવાન શિવશંકર, હનુમાનના રૂપમાં મને કૃતાર્થ કરવા આવી રહ્યા છે. તો શ્રી હનુમાનજીને સૂર્યદેવ તરફથી આવકાર મળ્યો ને બાળક હનુમાનજી સૂર્યદેવના રથ સાથે રમવા લાગ્યા. સંયોગ એવો હતો કે એ દિવસે અમાસ હતી અને સંહિક્ષનો પુત્ર રાહુ સૂર્યદેવને ગ્રસવા આવ્યો. રાહુએ જોયું કે શ્રી સૂર્યદેવના રથ પર કોઈ બાળક છે. તે છતાં રાહુ બાળકની ચિંતા ક્રયા વગર સૂર્યને ગ્રસવા આગળ વધ્યો જ હતો ત્યાં તો શ્રી હનુમાનજીએ રાહુને પકડ્યો, હનુમાનજીની મુઠ્ઠીમાં રાહુ તરફડવા લાગ્યો અને પ્રાણ બચાવી ભાગ્યો અને ઇન્દર્દેવ પાસે પહોંચ્યો અને તેમની ફરિયાદ કરી સૂર્ય મારો જે ગ્રાસ છે તેમને તમે બીજાને ગ્રસવાનો અધિકાર કેમ આપ્યો. એમ કહી રૂદન કરવા લાગ્યો. ઈન્દ્રદેવ ચિંતતીત થયા કે આ કોણ હશે કે જે રાહુ જેવા પરાક્રમીને પણ મહાત કરે.

શ્રી ઈનદ્રદેવ પોતે ઐરાવત હાથીને લઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યાં રાહુને જોઈ ફરીથી શ્રી હનુમાનજીએ તેને પકડ્યો. રાહુ ફરી તેમનાથી બચીને ભાગવા લાગ્યો અને ઈન્દ્રદેવ પાસે પહોંચ્યો. ત્યારે રાહુની પાછળ શ્રી હનુમાનજી પણ તેની પાછળ ભાગયા ત્યારે ત્યાં શ્રી હનુમાનજીએ ઈન્દ્રદેવનું વાહન ઐરાવતને જોઈ તેને કોઈ ખાદ્યપદાર્થ સમજી ઐરાવત પર તૂટી પડ્યા. ઈન્દ્રદેવ પણ બાળકની તાકાત જોઈને ડરવા લાગ્યા અને ત્યારે જ પોતાની રક્ષા માટે હનુમાનજી પર પોતાના હથિયાર વજ્રનો પ્રહાર કર્યો, જે હનુમનજીની દાઢી પર વાગ્યો, (જેને સંસ્કૃતમાં હનુ(દાઢીને) કહેવામાં આવે છે. અને તેથી જ હનુમાનજીનું નામ “હનુમાન’’ પડ્યું.) અને હનુમાનજી મૂર્છિત થયા. તો પોતાના પ્રાણપ્રિય પુત્રને વજ્રના આઘાતથી તરફડતા જોઈ વાયુદેવે પોતાનો વેગ રોકી લીધો, તેમને વાયુની ગતિ રોકી લીધી અને પોતાના પુત્રને ગુફામાં લઈ જતા રહ્યા.

આમ થતાની સાથે જ ત્રણે લોકમાં વાયુનો સંસાર બંધ થઈ ગયો. સમસ્ત પ્રાણીઓમાં શ્વાસ સંચાર બંધ થયો બધા જ કર્મ રોકાઈ ગયા, પ્રાણ સંકટમાં પડી ગયા. ઈન્દ્ર આદી દેવો, અસુરો, ગન્ધર્વ, નાગ આ બધા જીવનરક્ષા માટે બ્રહ્માજી પાસે દોડ્યા. બ્રહ્માજી બધાને સાથે લઈ ગિરીગુફામાં પહોંચ્યા અને ત્યાં જઈને બાળક હનુમાનને શ્રી પવનદેવના હાથમાંથી લઈ પોતાના ખોળામાં જ્યારે લીધા ત્યારે હનુમાનજીની મૂર્છા દૂર થઈ અને તે બેઠા થઈ ફરી રમવા લાગ્યા. પોતાના પુત્રને જીવંત જોઈ પ્રાણસ્વરૂપ શ્રી પવનદેવ પહેલાની જેમ સરળતાથી વહેવા લાગ્યા અને ત્રણેય લોક ફરી જીવંત થયા.

ત્યારે શ્રી બ્રહ્માજીએ શ્રી હનુમાનજીને વરદાન આપ્યું કે આ બાળકને બ્રહ્મશાપ નહિ લાગે, કયારેય એમનું એકેય અંગ પણ શસ્ત્રથી નહિ કપાય, બ્રહ્માજીએ અન્ય દેવતાઓને પણ કહ્યું કે આ બાળકને આપ પણ વરદાન આપો ત્યારે દેવરાજ ઈન્દ્રે હનુમાનજીના કંઠમાં કમળની માળા પહેરાવી કહ્યું કે મારા વજ્રના પ્રહારથી આ બાળકની હુ(દાઢી) તૂટી છે એટલે આ કપિશ્રેષ્ઠનું નામ આજથી હનુમાન રહેશે અને મારું વજ્ર પણ આ બાળકને નુકશાન પહોંચાડી શકેશે નહીં એટલું વજ્રથી પણ કઠોર આ બાળકપિ થશે. શ્રી સૂર્યદેવે પણ કહ્યું કે આ બાળકને હું મારું તેજ પ્રદાન કરું છુ અને હું આને શાસ્ત્ર-સમર્થ મર્મજ્ઞ બનાવુ છું. આ બાળક એક અદ્વિતિય વિદ્વાન અને સર્વશ્રેષ્ઠ વક્તા થશે. શ્રી વરુણદેવે કહ્યું કે આ બાળક જળથી સદા સુરક્ષિત રહેશે. શ્રી યમદેવે કહ્યું કે આ બાળક સદા નિરોગી અને મારા દંડથી મુક્ત રહેશે. શ્રી કુબેરે કહ્યું કે યુદ્ધમાં કદી વિષાદીત નહિ થાય અને રાક્ષસોથી પરાજીત પણ નહિ થાય. ખુદ ભોળાનાથ શિવશંકરે પણ અભય વરદાન પ્રદાન કર્યું. શ્રી વિશ્વકર્માએ પણ કહ્યું કે મારા દ્વાર નિર્મિત તમામ શસ્ત્ર અને વસ્તુઓથી પણ સુરક્ષિત રહેશે. શ્રી બ્રહ્માજીએ પુનઃ વરદાન આપ્યું કે પવનદેવ, આપનો આ પુત્ર શત્રુઓ માટે ભયંકર અને મિત્રો માટે અભયદાતા બની રહેશે અને ઈચ્છારૂપ ધારણ કરી શકશે. જ્યાં જવા ઈચ્છશે ત્યાં જઈ શકશે. એને કોઈ પરાજીત નહિ કરી શકે એવો અસિમ યશસ્વી થશે અને અદભુત કાર્યો કરશે.

5

આમ, બાળપણમાં શ્રી હનુમાનજી ચંચળ અને નટખટ સ્વભાવના હતા. હાથીની શક્તિ માપવા હાથીને પકડતા અને ઊંચકી એમની શક્તિનું પ્રદર્શન કરતા. મોટામોટા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખાડી ફેંકતા એવી અતુટ શક્તિ એમનામાં હતી. એવું કોઈ શિખર ન હતું કે જેના ઉપર શ્રી હનુમાનજીએ છલાંગ ન મારી હોય.

કોઈકવાર ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી જતા અને નાદાન અટકચાળા કરતા કે જેનાથી ઋષિમુનિઓની તપસ્યા અને વ્રતમાં ભંગ પડતો. ઋષિમુનિઓના કમંડળ, આસન વગેરે ઝાડ પર લટકાવી દેતા, આમ અનેક અડચણો ઉભી કરતા. આયુ વધતાની સાથે શ્રી હનુમાનજીની નટખટતા પણ વધતી ગઈ તેથી તેમના માતા-પિતા પણ ચિંતિત થયા. ત્યાર પછી તેઓ ઋષિ પાસે પહોંચ્યા અને ઋષિઓને હનુમાનજીની ગાથા તેઓને સંભળાવી, ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું કે અમને આ બાળક કઠોર તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છે. આપ એના પર અનુગ્રહ કરો એવી કૃપા કરો કે જેનાથી એમની આ નટખટતામાં પરિવર્તન થાય. ઋષિઓએ વિચાર્યું કે જો શ્રી હનુમાનજી એમનું બળ ભૂલી જાય તો આવા તોફાન નહીં કરે અને એમનું હિત પણ એમાં જ સમાયેલું છે. ઋષિઓ જાણતા હતા કે આ બાળક શ્રી રામના કાર્ય માટે જનમ્યો છે અને એમનું સંસ્કારી બળ વધુ કરવાની જરુર છે. આમ વિચારીને ભૃગુ અને અંગિરાના વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિમુનિઓએ શ્રી હનુમાનજીને શ્રાપ આપ્યો કે વાનરવીર તને તારા બળનું અને તેજનું ધ્યાન નહીં રહે અને જ્યારે કોઈ તારી કીર્તિ અને બળનું સ્મરણ કરાવશે ત્યારે તારું બળ વધશે. આવા શ્રાપથી શ્રી હનુમાનજીનું બળ અને તેજ ઓછું થઈ ગયું અને એ સૌમ્ય સ્વભાવના થઈ ગયા. આથી, ઋષિઓ પણ પ્રસન્ન થયા.

ત્યારબાદ શ્રી હનુમાનજીના ઉપનયન સંસ્કાર થયા. ભગવાનશ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદશાસ્ત્ર, ઉપશાસ્ત્ર સવિધિ શિક્ષાપ્રાપ્ત કરી અને શ્રી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતાં કરતાં શ્રી હનુમાનજીએ હર હંમેશ શ્રી રામનામ અને એમનું સ્મરણ કર્યે રાખ્યું. શ્રી રામના સ્મરણમાં જાણે શ્રી હનુમાનજી ભક્તિમય થઈ ગયા.

આમ, શ્રી હનુમાનજીનું બચપણ ખૂબ જ વિશિષ્ટ અને અદભૂત રહ્યું.

પૃથ્વીથી સૂર્યની દુરી અને હનુમાન ચાલીસા

2

|| પૃથ્વીથી સૂર્યની દુરી અને હનુમાન ચાલીસા ||

જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।

– સૂર્ય સુધીનું અંતર સૌ પ્રથમ હનુમાન ચાલીસામાં મળે છે
– ચાલીસા પ્રમાણે સૂર્ય સુધીનું અંતર ૧પ,૩૬,૦૦,૦૦૦ કિ.મી.

ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોમાં અનેક અવનવી માહિ‌તી સંશોધન કરીયે તો મળી આવે છે. ભાવનગરના ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઇ મહેતાએ શોધી જણાવ્યુ છે કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરને સૌ પ્રથમ આપણા હનુમાન ચાલીસામાં દર્શાવાયુ છે અને તે અંતર અને આજે નાસાએ જે અંતર વૈજ્ઞાનિક પ્રમાણમાપ સાથે આપ્યુ છે તેના વચ્ચે માત્ર નજીવો તફાવત છે.
હનુમાન ચાલીસા મુજબ આ અંતર ૧પ,૩૬,૦૦,૦૦૦ કિ.મી. થાય છે ત્યારે આજે ખગોળ વિજ્ઞાન અને નાસાએ આ અંતર ૧૪,૯૬,૦૦,૦૦૦ કિ.મી. કહેલુ છે.

ભારતીય સંસ્કૃતિનુ પ્રાચીન સાહિ‌ત્ય જેમાં વેદો, ઉપનિષદો, સંહિ‌તાઓ, મહાકાવ્યો ઇત્યાદિમાં આરોગ્ય, અધ્યાત્મ, યોગ અને ખગોળની વાતો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવી છે. માત્ર જરુર છે એ સાહિ‌ત્યને ઉકેલવાની અને મંત્રો, શ્લોકો કે સ્તુતિઓના ગૂઢ અર્થને સમજવાની.

ગોસ્વામી તુલસીદાસજીએ રામ ચરિત માનસ ૧૬મી સદીમાં રચ્યુ. ત્યાર બાદ શ્રી હનુમાનજી મહારાજની સ્તુતિ હનુમાન ચાલીસા લખાયા. જેની ૧૮મી ચોપાઇમાં જણાવાયુ છે કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફળ જાનુ . આમાં જુગ(યુગ) એ તે સમયનો એકમ છે પરંતુ તેનો માત્ર આંકડો ૧૨૦૦૦ લઇએ સહસ્ત્ર એટલે ૧૦૦૦ અને જોજન(યોજન) એટલે ૮ માઇલ થાય આ ત્રણનો ભેગો કરી ગુણાકાર કરો તો ૯,૬૦,૦૦,૦૦૦ માઇલ થાય. માઇલને કિલોમીટરમાં ફેરવવા માટે આ આંકને ૧.૬ વડે ગુણાકાર કરતા કુલ અંતર ૧પ,૩૬,૦૦,૦૦૦ કિ.મી. થાય છે.

આ અંતરે આવેલા સૂર્યને હનુમાનજીએ લાલા ફળ જાણી ગળી ગયા પૃથ્વી સૂર્યની પરવલય ગતિ કરે છે. આ જે આંકડો છે તેની નજીકનો જ આંક આજનું ખગોળ વિજ્ઞાન કહે છે. તેના મતાનુસાર અંતર ૧૪,૯૬,૦૦,૦૦૦ કિ.મી છે. આ બે અંતર વચ્ચે નજીવો તફાવત છે.

આથી કહી શકાય કે હનુમાન ચાલીસામાં પુથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને સૌ પ્રથમ કહેવામાં આવ્યુ.

શ્રી રામ અને રાવણ યુદ્ધ

8

|| શ્રી રામ અને રાવણ યુદ્ધ ||

વિભીષણે વારંવાર સમજાવ્યા છતાં પણ રાવણે સીતામાતાને મુક્ત ન કર્યા. પરિણામે રાવણ સાથેનું શ્રી રામનું યુદ્ધ નક્કી જ હતું. સુગ્રીવે પૂરી વાનરસેનાને શ્રી રામ-લક્ષ્મણને આ યુદ્ધમાં સહાય કરવાની સૂચના આપી. આમ પણ પૂરી વાનરસેના પ્રભુ શ્રી રામ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતી. રાવણ દ્વારા પોતાના અપમાન બદલ અને સીતામાતાને બંધનમાંથી મુક્ત ન કરવા બદલ વિભીષણ શ્રી રામની શરણે આવી ગયા. શ્રી રામે પણ તેમને આવકારીને વધાવી લીધા. વિભીષણ શ્રી રામના દર્શન પામી પોતાને ધન્ય સમજયાં.

સમસ્ત વાનરસેના, સુગ્રીવ, શ્રી હનુમાનજી અને શ્રી રામ-લક્ષ્મણ સમક્ષ લાંબો સમુદ્ર પાર કરી લંકા સુધી પહોંચવાનું વિઘ્ન હતું. શ્રી રામે જળદેવતા (સમુદ્ર)ને વિનંતી કરી અને સમગ્ર વાનરસેના સહિત તમામને રસ્તો આપવા વિનંતી કરી. પણ સમુદ્ર માટે એ અશક્ય હતું કેમ કે જો એ આમ કરે તો સમુદ્રની અંદર વસતા તમામ જીવો મૃત્યુ પામે. તેથી સમુદ્રદેવે શ્રી રામની માફી માંગી અને આજીજી કરી કે તેઓ સમુદ્ર પર પુલ બાંધી રસ્તો પાર કરે અને જણાવ્યું કે નલ અને નીલ વાનરને વરદાન હતું કે તેમના હાથથી જળમાં ફેંકાયેલી વસ્તુ ડૂબશે નહિ. બસ પછી તો શ્રી હનુમાનજીએ તથા તમામ વાનરસેનાએ મોટા મોટા પથ્થરો ઉપાડી શ્રી રામનામ પથ્થરો પર લખી નલ અને નીલને આપવા લાગ્યા અને પુલ બનતો ગયો અને તેઓ સૌ આગળ વધવા લાગ્યા. શ્રી રામનામ લેતા લેતા પુલ તૈયાર થઈ ગયો અને શ્રી રામ-લક્ષ્મણ, શ્રી હનુમાનજી, સુગ્રીવ સહિત વાનરસેના સમુદ્ર પાર કરી લંકા આવી પહોંચી.

લંકા આવ્યા બાદ લંકાને ઘેરી લીધા પછી શ્રી રામે ફરીથી શાંતિ સંદેશ પાઠવવા માટે સુગ્રીવ પુત્ર અંગદને રાવણ પાસે મોકલ્યો. અંગદના કહેવા પછી પણ રાવણ પોતાના અભિમાનમાંથી બહાર ન આવ્યો અને આથી શ્રી રામ અને રાવણની સેના વચ્ચે મહાયુદ્ધ થયું. શ્રી હનુમાનજી યુદ્ધમાં શ્રી રામ-લક્ષ્મણના ડગલે અને પગલે ઉભા રહ્યા અને અનેક દાનવોને માત કર્યાં. જ્યારે શ્રી રામ અને તેમની સેના રાવણ પર ભારે પડવા લાગી તો રાવણે પોતાના ભાઈ કુંભકર્ણનો સહારો લીધો. કુંભકર્ણ મહાકાય અને તાકાતવાળો હતો. તે પણ શ્રી રામનો ભક્ત હતો પણ પોતાના ભાઈ રાવણની આજ્ઞાનું પાલન ગણી તે યુદ્ધમાં ઉતર્યો. પણ શ્રી રામના બાણથી તેનો પણ વધ થયો.

9

પછી મેઘનાથ કે જે વરદાનોથી પ્રભાવિત અને નિપુણ હતો. તેની સાથેના યુદ્ધમાં લક્ષ્મણ તેના બાણોથી ઘવાયો. શ્રી રામ પોતાના વહાલસોયા ભાઈ લક્ષ્મણની આ હાલત જોઈ ચિંતામાં ડૂબી ગયા અને લક્ષ્મણ મૂર્છામાંથી પાછો ન ફરતા તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. ત્યારે વિભીષણે શ્રી હનુમાનજીને લંકામાંથી વૈદ્યરાજને બોલાવી લાવવા કહ્યું. વૈદ્યરાજે લક્ષ્મણને તપાસ્યા અને સંજીવની બુટી જ લક્ષ્મણને મૂર્છામાંથી પાછા લાવી શકે તેમ જણાવ્યું. સંજીવની બુટી ઉત્તરમાં હિમાલય પર્વત પર આવેલી હતી. આ કાર્ય શ્રી હનુમાનજી સિવાય અશક્ય હતું. પછી શ્રી હનુમાનજી, શ્રી રામના ચરણોને નમન કરી જય શ્રી રામના નારા સાથે સંજીવની બુટી લેવા ઉડયા. ત્યાં પહોંચ્યા પછી સંજીવની બુટીની ભાળ ન હોવાથી શ્રી હનુમાનજી આખો પર્વત જ હિમાલયથી ઉપાડીને ઘટનાસ્થળે લઈ આવ્યા અને આમ લક્ષ્મણના પ્રાણ બચી ગયા. ત્યારબાદ યુદ્ધમાં આગળ જતાં શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી પોતાના હાથ પર શ્રી લક્ષ્મણને બેસાડયા અને લક્ષ્મણે મેઘનાથનો વધ કર્યો.

લંકા દહન

1

|| લંકા દહન ||

જ્યારે રાવણ સીતામાતાને લંકામાં લઈ ગયો હતો તે દરમ્યાન સીતામાતા રાવણના રથ પર મદદ માટે બૂમો પાડતાં રહ્યાં. ત્યારે જટાયુ ગરુડે એમને રાવણ પાસેથી છોડાવવાની ઘણી કોશિશ કરી પણ જટાયુ સીતામાતાને રાવણ પાસેથી છોડાવી શકયા નહિ અને રાવણ સાથેની લડાઈમાં જટાયુની પાંખો પણ કપાઈ ગઈ. જ્યારે શ્રી રામ – લક્ષ્મણ, સુગ્રીવ અને શ્રી હનુમાનજી સીતામાતાની શોધમાં જંગલમાં ફરતા હતા ત્યારે તેઓએ જટાયુની પાંખો જોઈને ચિંતા વ્યક્ત કરી અને જટાયુએ તેઓને જણાવ્યું કે રાવણ સીતામાતાને લંકામાં લઈ ગયો છે.
શ્રીરામ અને સુગ્રીવે સીતામાતાને પોતાનો સંદેશો આપવા શ્રી હનુમાનજીને પસંદ કર્યા. શ્રી હનુમાનજીને પસંદ કરવાનો હેતુ અત્યંત વ્યાજબી હતો. શ્રી હનુમાનજી વ્યાકરણમાં એવા ચતુર અને નિષ્ણાત હતા કે રાવણને એ સીતામાતાને છોડવા માટે બખૂબી કહી શકતા હતા અને લંકા સુધીની કઠિન સફર લંકા તરફનો લાંબો સમુદ્ર ઓળંગવાની શક્તિ અને બીજી અનેક અનેરી તાકાતથી શ્રી હનુમાનજી સક્ષમ હતા. શ્રીરામ અને સુગ્રીવ તેમની આ ખૂબીઓ જાણતા હતા.

શ્રી હનુમાનજી માટે આ એક ખૂબ જ જવાબદારીપૂર્વકનું કાર્ય હતું અને પોતાના પ્રભુ શ્રીરામ માટે કઈ પણ કરી છૂટવાની તેમની તૈયારી હતી. એમને તો પ્રભુ શ્રીરામને પોતે સીતાજીને ત્યાંથી લઈ આવવાની વિનંતી કરી. પરંતુ પ્રભુ શ્રી રામ પણ આ સમગ્ર ઘટના માટે જ સર્જાયા થયા હતા અને શ્રી રામે શ્રી હનુમાનજીને લંકા સીતામાતાને સંદેશો પહોંચાડવા પોતાની ઓળખ સ્વરુપ વીંટી આપી મોકલ્યા.

2

શ્રી હનુમાનજીએ આ કાર્ય સ્વીકાર્યું તો ખરું પણ તે હજી પણ બાળપણમાં મળેલા ઋષિના શ્રાપમાંથી મુક્ત થયા ન હતા. તેથી તેમની શક્તિઓ સીમિત હતી. જ્યારે દરિયા કિનારે હનુમાનજી ચિંતિત અવસ્થામાં વિચારતા હતા કે આ કાર્ય હું કઈ રીતે પાર પાડીશ. ત્યારે વાનરસેનાના વિદ્વાન એવા શ્રી જાંબુવને શ્રી હનુમાનજીને એમની બધી શક્તિઓનું સ્મરણ કરાવ્યું અને શ્રાપના નિયમ મુજબ જો તેમને તેમની શક્તિઓનું કોઈક સ્મરણ કરાવે તો તેઓ તમામ શક્તિઓ પાછી મેળવી શકશે, તે મુજબ એમની બધી શક્તિઓ પાછી મળી. શક્તિ પાછી મેળવતા જ મહાવીર એવા શ્રી હનુમાનજીએ ભવ્ય વિરાટ સ્વરુપ ધારણ કર્યું. સમસ્ત વાનરસેના શ્રી હનુમાનજીનું આ સ્વરુપ જોઈને દંગ જ રહી ગઈ. વાનરસેનાએ શ્રી હનુમાનજીને નમન કર્યા અને “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજાવ્યુ.

વિશાળ ગર્જના કરીને પ્રભુ શ્રી રામનું નામ લઈ શ્રી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું. લંકા જવા તરફનો વિશાળ સમુદ્ર હતો અને સાથે સાથે શ્રી હનુમાનજીને ઘણી અડચણો પણ નડી. રાક્ષસો-રાક્ષસીઓ, દાનવો વગેરે શ્રી હનુમાનજીના કાર્યમાં વિઘ્નો નાખતા રહ્યા પણ મહાવીર શ્રી હનુમાનજી ચતુરતા અને શક્તિપૂર્વક તમામ વિઘ્નોને માત આપી આગળ વધતા જ રહ્યા અને આખરે શ્રી હનુમાનજી લંકા પાસે પહોંચી ગયા. સોનાની લંકાની ભવ્યતા જોઈ શ્રી હનુમાનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લંકામાં પ્રવેશવાનો પહેરો અત્યંત સખ્ત હતો. ઠેર ઠેર રાવણના દાનવોનો પહેરો હતો. છતાં શ્રી હનુમાનજીએ ચતુરાઈપૂર્વક સુક્ષ્મ (નાનું) સ્વરુપ ધારણ કરી લંકામાં પ્રવેશ કર્યો. સોનાની લંકા અતિ વિશાળ અને અટપટી હતી. શ્રી હનુમાનજીએ સીતામાતાની શોધ શરુ કરી. રાત્રીનો સમય હતો અને આ અટપટી લંકામાં સીતામાતાને રાવણે ક્યાં છુપાવ્યા હશે તે શોધવું કઠીન હતું. લંકાના એક એક શયનખંડમાં શોધખો કરતા શ્રી હનુમાનજી વિભીષણના શયનખંડ પાસે પહોંચ્યા. વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો અને શ્રી રામનો ભક્ત હતો.

3

વિભીષણ દ્વારા શ્રી રામનામ સાંભળીને શ્રી હનુમાનજીને ખૂબ જ કૂતુહલ થયું અને વિભીષણને યોગ્ય પાત્ર ગણીને તેમને સીતામાતાને રાવણે ક્યાં છુપાવી રાખ્યા છે તે પૂછવાનું વિચાર્યું. બ્રાહ્મણવેશ ધારણ કરીને તે વિભીષણને રુબરુ મળ્યા અને વિભીષણને સજ્જન તથા પોતાના પ્રભુ શ્રી રામના ભક્ત જાણ્યા ત્યારે શ્રી હનુમાનજીએ પોતાનું મૂળ સ્વરુપ ધારણ કરી વિભીષણને પોતાનો પરિચય આપી તેઓશ્રીનું લંકા આગમનનું પ્રયોજન જણાવ્યું. વિભીષણે તરત જ શ્રી હનુમાનજીને જાણી લીધા કે તે સ્વયં શિવશંકરના અંશ છે તથા તેમને પ્રમાણ કરી ત્યારબાદ પોતે તેમને મળીને ખૂબ જ ધન્ય થયા છે તેમ જણાવી, સીતામાતા અશોકવાટીકામાં છે તેમ જણાવ્યું. ત્યારબાદ શ્રી હનુમાનજી તરત જ અશોકવાટીકા તરફ પહોંચ્યા અને ત્યાં સીતામાતાને પ્રભુ શ્રી રામની ચિંતામાં મગ્ન બેઠેલાં જોયાં. રાક્ષસી સમક્ષ પોતાની કથા અને પોતે શ્રી રામ વગર કેટલા દુ:ખી છે તેની વાત સંભળાવતા સીતામાતાને જોઈ શ્રી હનુમાનજીની આંખોમાંથી પણ આંસુ આવી ગયા.

શ્રી હનુમાનજીએ જ્યારે તમામ રાક્ષસીઓ નિંદ્રાધીન થઈ ત્યારે શ્રી રામે આપેલી વીંટી એમની પાસે નાંખી. શ્રી રામની વીંટી જોઈ સીતામાતા આનંદિત થઈ ગયા અને આસપાસ જોવા લાગ્યા તથા આકુળ-વ્યાકુળ થઈ ગયા. ત્યારે શ્રી હનુમાનજી સીતામાતાની સમક્ષ સુક્ષ્મ (નાનું) સ્વરુપ ધારણ કરી ઉપસ્થિત થયા અને શ્રી હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો. પહેલા તો સીતામાતાને આ રાવણની કોઈ માયાવી ચાલ હશે તેમ લાગ્યું પણ પછી શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી તેઓ શ્રી રામભક્ત છે તથા શ્રી રામ તેમને શીઘ્ર છોડાવી જશે એવો વિશ્વાસ અપાવ્યો. ત્યારબાદ શ્રી હનુમાનજીએ ભૂખ લાગી છે એમ જણાવીને સીતામાતાને નમન કરી આગળ વધ્યા. સીતામાતાએ પણ શ્રી રામ પ્રત્યેની હનુમાનજીની અગાઢ ભક્તિ જોઈ તેમને અજર અમરનું વરદાન આપ્યું.

4

ત્યારબાદ શ્રી હનુમાનજી પોતાની ભૂખને સંતોષવા અશોકવાટીકામાં આવેલા વૃક્ષોમાંથી ફળ ખાવા લાગ્યા. શ્રી હનુમાનજી જોત જોતામાં તો તમામ વૃક્ષના ફળ આરોગી ગયા. છતાં પણ વિરાટ એવા શ્રી હનુમાનજીની ભૂખ સંતોષાઈ નહિ તેથી એક પછી એક દરેક વૃક્ષોના ફળ ખાઈ અને વૃક્ષોને ઉખાડીને ફેંકવા લાગ્યા. જોત જોતામાં અશોકવાટીકા છિન્નભિન્ન થઈ ગઈ. જે જોઈ રાવણના અશોકવાટીકામાં રહેલા પહેરેદારોએ શ્રી હનુમાનજીને રોકવા માટે તેમના પર પ્રહારો શરુ કર્યા. શ્રી હનુમાનજીએ દરેક દાનવો અને રાક્ષસોને ઉંચકીને પછાડયા. તેમની શક્તિ જોઈ કેટલાક રાક્ષસોએ રાવણને સંદેશો પહોંચાડયો કે કોઈ વાનર અશોકવાટીકા ખેદાન-મેદાન કરવા લાગ્યો છે અને અનેક રાક્ષસોને પણ મારી નાખ્યા છે. ત્યારે રાવણના પુત્ર અક્ષયકુમારે પોતાના પિતાની પરવાનગી લઈ ઘટનાસ્થળ પર પહોચ્યા. પણ શ્રી હનુમાનજીને પરાસ્ત કરી શકે એવો કોઈ દાનવ હતો જ નહિ. યુદ્ધમાં શ્રી હનુમાનજીએ અક્ષયકુમારનો સંહાર કર્યો.

5

આ સાંભળી રાવણ ખૂબ જ દુ:ખી અને સાથે સાથે અત્યંત ક્રોધિત પણ થયો. આ જોઈ ઈન્દ્રજીત ગુસ્સામાં શ્રી હનુમાનજી પાસે પહોંચ્યો. ઈન્દ્રજીત પણ ઘણો વીર હતો. તેનું શ્રી હનુમાનજી સાથેનું યુદ્ધ ખૂબ જ લાંબુ ચાલ્યું. છેવટે કોઈ અસ્ત્ર કે શસ્ત્ર શ્રી હનુમાનજીનો વાળ પણ વાંકો ન કરી શક્યા ત્યારે નાછૂટકે ઈન્દ્રજીતને બ્રહ્માસ્ત્રનો સહારો લેવો પડયો. શ્રી હનુમાનજી બ્રહ્માસ્ત્રને પોતાની સામે આવતું જોઈ તેનું અપમાન ન થાય તે માટે જાતે જ બંદી બની ગયા અને ત્યારબાદ તેમને રાવણના દરબારમાં હાજર કરવામાં આવ્યા.

શ્રી હનુમાનજીએ રાવણને વિનમ્રતાપૂર્વક શ્રી રામનો સંદેશો જણાવ્યો, “હું શ્રી રામદૂત હનુમાન છું અને અહીં તમને શાંતિ સંદેશ સાથે કહું છું કે માતા સીતાને તમે મુક્ત કરો.” રાવણ પર અભિમાન છવાયેલું હતું. તેણે પોતાના મૂર્ખ મંત્રીઓની સલાહ માનીને શ્રી હનુમાનજીની પૂંછડી સળગાવી, સમગ્ર લંકામાં ફેરવવા અને અપમાનિત કરવાની સૂચના આપી.

શ્રી હનુમાનજીએ પોતાની પૂંછડી એટલી લાંબી કરી દીધી કે લંકાના બધા જ કપડાં ઓછાં પડી ગયા અ દરેક દાનવો પૂંછડી બાંધતા બાંધતા થાકી ગયા. છેવટે શ્રી હનુમાનજીએ પોતાની પૂંછડી સળગાવવા દીધી. ત્યારપછી શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી તમામને દંગ કરી દીધા અને ત્યારબાદ લંકાના તમામ મહેલ, શયનખંડો અને દરેક વસ્તુઓ સળગાવી દીધી. શ્રી હનુમાનજીની પૂંછડી પર લગાવેલ આગથી અશોકવાટીકા અને વિભીષણના મહેલ સિવાય પૂરી લંકા ભડકે બળવા લાગી. ત્યારબાદ સમુદ્રમાં પૂંછડીની આગ બુઝાવી.

6

શ્રી હનુમાનજી સીતામાતાને વંદન કરી તેમની આજ્ઞા લઈ શ્રી રામ પાસે પરત આવવા રવાના થયા. માતા સીતાજીએ પણ પોતાના ચૂડામણી શ્રી હનુમાનજીને આપી પોતાની યાદ પ્રભુ શ્રીરામને પાઠવી.

શ્રી હનુમાનજીને પરત આવતા જોઈ શ્રી રામ – લક્ષ્મણ, સુગ્રીવ અને સમસ્ત વાનરસેનાના આનંદનો પાર ન રહ્યો અને જયશ્રી રામ અને જયશ્રી હનુમાનજીના નારા ગુંજવા લાગ્યા. શ્રી હનુમાનજીએ શ્રી રામને સંપૂર્ણ કથા સંભળાવી. સીતામાતાએ આપેલ ચૂડામણી આપ્યા. સીતામાતાનું દુ:ખ જોઈને સમસ્ત વાનરસેના અને શ્રી રામ-લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયા.

શ્રી રામે, શ્રી હનુમાનજીને આ કાર્ય સફળ રીતે પાર પાડવા બદલ અને તેમનો ઉપકાર હંમેશા શ્રી રામ પર રહેશે આમ કહી તેમને વધાવીને હૃદય મિલન કર્યું.

શ્રી હનુમાનજી ગદ્ ગદ્ થઈ ગયા અને ખૂબ જ પ્રસન્નતા અનુભવવા લાગ્યા.

શ્રી ગણેશ સંકટનાશન સ્તોત્ર

7

|| શ્રી ગણેશ સંકટનાશન સ્તોત્ર ||

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ

8

|| શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ ||

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

શ્રી ગણેશ ચાલીસા

10

|| શ્રી ગણેશ ચાલીસા ||

* દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ |

વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ||

*ચૌપાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ | મંગલ ભરણ કરણ શુભ કાજૂ ||૧

જય ગજબદન સદન સુખદાતા | વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ||૨

વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન | તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ||૩

રાજત મણિ મુક્તન ઉર માલા | સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ||૪

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં | મોદક ભોગ સુગન્ધિત ફૂલં ||૫

સુન્દર પીતામ્બર તન સાજિત | ચરણ પાદુકા મુનિ મન રાજિત ||૬

ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા | ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ||૭

ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે | મૂષક વાહન સોહત દ્ઘારે ||૮

કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી | અતિ શુચિ પાવન મંગલકારી ||૯

એક સમય ગિરિરાજ કુમારી | પુત્ર હેતુ તપ કીન્હો ભારી ||૧૦

ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા | તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ||૧૧

અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી | બહુવિધિ સેવા કરી તુમ્હારી ||૧૨

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા | માતુ પુત્ર હિત જો તપ કીન્હા ||૧૩

મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા | બિના ગર્ભ ધારણ, યહિ કાલા ||૧૪

ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના | પૂજિત પ્રથમ, રુપ ભગવાના ||૧૫

અસ કહિ અન્તર્ધાન રુપ હૈ | પલના પર બાલક સ્વરુપ હૈ ||૧૬

બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના | લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ||૧૭

સકલ મગન, સુખમંગલ ગાવહિં | નભ તે સુરન, સુમન વર્ષાવહિં ||૧૮

શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં | સુર મુનિજન, સુત દેખન આવહિં ||૧૯

લખિ અતિ આનન્દ મંગલ સાજા | દેખન ભી આયે શનિ રાજા ||૨૦

નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં | બાલક, દેખન ચાહત નાહીં ||૨૧

ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો | ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ||૨૨

કહન લગે શનિ, મન સકુચાઈ | કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ||૨૩

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ | શનિ સોં બાલક દેખન કહાઊ ||૨૪

પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા | બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ||૨૫

ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી | સો દુખ દશા ગયો નહીં વરણી ||૨૬

હાહાકાર મચ્યો કૈલાશા | શનિ કીન્હો લખિ સુત કો નાશા ||૨૭

તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો | કાટિ ચક્ર સો ગજ શિર લાયે ||૨૮

બાલક કે ધડ઼ ઊપર ધારયો | પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ||૨૯

નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે | પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ||૩૦

બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા | પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ||૩૧

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ | રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ||૩૨

ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે | નભ તે સુરન સુમન બહુ બરસે ||૩૩

ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં | તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ||૩૪

તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ | શેષ સહસમુખ સકે ન ગાઈ ||૩૫

મૈં મતિહીન મલીન દુખારી | કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ||૩૬

ભજત રામસુન્દર પ્રભુદાસા | જગ પ્રયાગ, કકરા, દર્વાસા ||૩૭

અબ પ્રભુ દયા દીન પર કીજૈ | અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ||૩૮

શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ||૩૯

નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ||૪૦

* દોહા

સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ |

પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ ||

શ્રી ગણેશજીના અગિયાર સ્વરૂપ

2

|| શ્રી ગણેશજીના અગિયાર સ્વરૂપ ||

(૧) બાલ ગણપતિ – જેમ બાલ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક અને મનમોહન છે તેમ બાલ ગણપતિનું સ્વરૂપ પણ અતિ મનમોહક છે. બાલ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હસ્તમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોનાં જણાવ્યાં મુજબ બાલ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

(૨) કિશોર ગણપતિ – કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભૂજા ધરાવે છે. તેમનાં અષ્ટ હસ્તોમાં અંકુશ, પાશ, જાંબુ ફળ, તૂટી ગયેલો હાથી દાંત, ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતાં નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે છે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

(૩) ઉર્ધ્વ ગણપતિ – શ્રી ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભૂજા યુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપનાં અષ્ટ હસ્તોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથી દાંત, ધનુષ્ય-બાણ, અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલા વસ્ત્રો ધારણ કરીને સિધ્ધી દેવી બેસેલી છે. જે પણ ભકતજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતા તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

(૪) ભક્ત ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હસ્તમાં શ્રી ફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટ ફળની પ્રાપ્તિની ઈચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેમની આરાધના સફળ બને છે.

(૫) વીર ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમાએ સોળ ભૂજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વનાં સંરક્ષકનાં ઉદેશ્યને માટે જો ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

(૬) શક્તિ ગણપતિ – ભગવાન ગણેશનાં આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમા સમાન છે. ભગવાન ગણપતિની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિત ઋષિ દેવી બિરાજમાન થયેલી છે. ભગવાન ગણેશનાં આ સ્વરૂપને બે ભુજાઓ છે. ગણપતિ બાપાનું આ સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે અતિ શુભ માનવામાં આવ્યું છે. આ બે હસ્તમાં એક હસ્ત આર્શિવાદ આપે છે છે અને બીજા હસ્તમાં નીલ કમલ છે.

(૭) હેરંબ વિઘનેશ્વર – આ સ્વરૂપ હેરંબ એટ્લે કે સિંહ પર સવાર થયેલું છે. બારભૂજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હસ્ત અભયમુદ્રામાં અને જમણો હસ્ત આર્શિવાદ આપે છે. બાકીનાં હસ્તમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂલ, લાલ કમલ, અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે. આ સ્વરૂપનો વર્ણ ઉજ્જવલ અને શુભ્ર છે. આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

(૮) લક્ષ્મી ગણપતિ – ગણપતિ બાપાની લક્ષ્મી એટ્લે કે રિધ્ધિ અને સિધ્ધી. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઑ રિધ્ધિ અને સિધ્ધી દેવી બિરાજમાન થયેલા છે. આ ગણપતિજી અષ્ટભૂજા યુક્ત છે. જેમના હસ્તમાં શુક, અનાર, મણિજડિત રત્ન કળશ, લાલ કમળ, કલ્પલત્તા વેલ, પાશ, અંકુશ, અને ખડ્ગ સોહે છે. રિધ્ધિ અને સિધ્ધી દેવીઓનાં બંને હસ્તમાં નીલ કમળ રહેલા છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃધ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી આ સ્વરૂપને ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

(૯) મહાગણપતિ – બારભુજાઓ યુક્ત આ મહાગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહાગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમનાં વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને આ સ્વરૂપના એક હસ્તમાં કમળ પુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ગોદમાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો વરદ વરદાન આપનારી મુદ્રામાં છે. આ સ્વરૂપનાં બાકીનાં હસ્તોમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડૂંડા, પુષ્પ અને લાડુ મોદક છે. મહાગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

(૧૦) વિજય ગણપતિ – સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભૂજાઓથી યુક્ત છે . ભગવાન ગણેશની આ ચાર ભૂજાઓમાં આમ્ર ફળ, ગજ દંત, પાશ અને અંકુશ સોહે છે. મૂષક પર આરુઢ થયેલ આ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોના મનની સર્વ મંગલ અભિલાષા પૂર્ણ કરે છે.

(૧૧) ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ – બાર ભૂજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. ભગવાન ગણેશની આ દ્વાદશ ભૂજાઑમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુલ્હાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ, અને પુષ્પમાળ રહેલી છે.

શ્રી રામકથા

5

|| શ્રી રામકથા ||

શ્રી રામ સત્‍ય છે. શ્રી સીતાજી ભક્તિ છે અને લક્ષ્‍મણ વૈરાગ્‍ય છે. માણસના જીવનમાં ત્‍યાગની ભાવના આવતાં તે ભક્તિ તરફ વળે છે. ત્‍યાગની ભાવના એ પણ એક પ્રકારની ભક્તિ છે. ત્‍યાગની ભાવના આવતાં માણસ સારા કાર્યો કરવા પ્રેરાય છે અને કરેલા સત્‍કર્મો પ્રભુ પ્રાપ્‍તિનું સાધન બને છે. માણસના જીવનમાં સત્‍યનું આગમન થાય એટલે કામાદિ દોષ નાશ પામે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્‍સર આદિ દુર્ગુણો એટલે કે આસુરી તત્‍વોનો નાશ થાય છે અને દુર્ગુણોનો નાશ થતાં સત્‍વગુણ પ્રધાન બને છે. સત્‍વગુણ પ્રધાન બનતાં પ્રભુનો સાક્ષાત્‍કાર થાય છે. એટલે એમ કહી શકાય કે રામાયણ એ નરમાંથી નારાયણ બનવાનો હાઇ-વે છે. રામાયણ માણસને જીવન જીવતાં શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે. આ જીવ ચોર્યાસી લક્ષ યોનીમાં ભમતો ભમતો મનુષ્‍ય જન્‍મ પામે છે. સત્‍કાર્યો તો મનુષ્‍ય જન્‍મમાં જ થઇ શકે છે. માટે જ તો ભગવાન શ્રી રામે માનવ દેહ ધારણ કરી પોતાના આચરણથી જીવન કેવી રીતે જીવાય તેનો રસ્‍તો બતાવ્‍યો છે.

આ એક કથા શ્રી શિવજી, શ્રી યાજ્ઞવલ્‍કયજી, શ્રી કાગભુસુંડીજી અને શ્રી તુલસીદાસજી એમ ચાર વક્તાઓ દ્વારા કહેવાય છે. શ્રી શિવજી મહારાજ જ્ઞાનના ઘાટ પરથી, શ્રી યાજ્ઞવલ્‍કયજી મહારાજ કર્મના ઘાટ પરથી, શ્રી કાગભુસુંડીજી ભક્તિના ઘાટ પરથી તથા શ્રી તુલસીદાસજી શરણાગતીના ઘાટ પરથી કથા કરે છે.

રામાયણ એક વિશાળ પટ પર ચાલતી એક ગૃહકથા છે. અત્‍યારે યંત્રયુગ ચાલે છે. માણસનું જીવન પણ યંત્રવત્ બની ગયું છે. આ યંત્રયુગમાં માણસ એકલતાનો અનુભવ કરે છે. આ યુગમાં માનવીય સંબંધોને પોષણ ઓછુ મળે છે. માણસ સ્‍વકેન્‍દ્રી બન્‍યો છે. એક દિલથી બીજા દિલનો મેળ ખાતો નથી. લોકોનું મનોસ્‍વાસ્‍થ્‍ય અને સમાજનું સ્‍વાસ્‍થ્‍ય બગડયું છે. આવી વિષમ પરિસ્‍થિતિમાં રામાયણ શાંતિ આપે છે અને માણસને માર્ગદર્શન પુરૂ પાડે છે.

સુદ્રઢ કુટુંબની વ્‍યાખ્‍યા રામાયણે આપી છે. આજે ઘર ઘર નહિં રહેતા લોજીંગ અને બોર્ડીંગમાં પરિવર્તિત થઇ ગયા છે. ત્‍યારે રામાયણ કુટુંબ ભાવનાને જાગૃત કરી માણસને જીવન જીવતાં શિખવે છે.

તુલસીદાસજી મુસ્‍લીમ યુગમાં થઇ ગયા. તે યુગમાં વિધર્મીઓ દ્વારા મૂર્તિઓના ટુકડા કરી તેના પગથીયા બનાવતા અથવા તોલમાપમાં તેનો ઉપયોગ કરતા. તેવી વિષમ પરિસ્‍થિતિમાં પણ રામાયણનું બહુમાન થયું છે. રામાયણ એ કોઇ એક દેશનો, કોઇ એક વર્ણનો ગ્રંથ નથી પરંતુ રામાયણ એ જીવ માત્રનો વૈશ્ચિક ગ્રંથ છે. જેનું ચિંતન જીવ માત્રનું કલ્‍યાણ કરે છે.