|| માંસાહાર ||
* માંસાહાર કરનારાઓ ચેતે !
* માંસાહાર અને મચ્છી આહારથી થતા નુકસાનોને જાણો !
* માંસ ખાવાથી ક્ષય, કેન્સર, રક્તપિત્ત, ગંડમાલ, વાતપિત્ત, સંધિવા, પથરી વગેરે રોગો થાય છે.
* દરિયામાં ૧૦૦ કરોડ રતલ ડીડીટી અને અણુબોમ્બનો કચરો પડે છે એમાં રહેતી માછલીઓ ખાવાથી શું થાય એ વિચારી જૂઓ !
* માંસ ખાવાથી તાકાત વધતી નથી * ઘોડા, હાથી, હરણ વગેરે પ્રાણીઓ માંસ ખાતા નથી
માંસના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે :-
૧. જલચરનું માંસ : જલચર એટલે માછલાં, દેડકાં, કાચબા વગેરે જળમાં રહેનારા પ્રાણીઓ.
૨. સ્થલચરનું માંસ : સ્થલચર એટલે હરણ, ઘેટાં, બકરાં, ગાય, બળદ, પાડા, ભૂંડ, સસલાં, વગેરે ભૂમિ પર ફરનારાં પ્રાણીઓ.
૩. ખેચરનું માંસ. : ખેચર એટલે કૂકડા, કબૂતર, તેતર, ચકલાં વગેરે આકાશમાં ઉડનારાં પક્ષીઓ.
આ ત્રણે પ્રકારનાં પ્રાણીઓનાં માંસ-ભક્ષણમાં જીવની હત્યારૃપ મહાપાપ છે.
પ્રાણીઓનો વધ કર્યા સિવાય માંસ તૈયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક મસૂર્મ્છિમ જીવો, અનંત (નિગોદના) એકેન્દ્રિય જીવો, સૂક્ષ્મ ત્રસ કીડાઓ ઉત્પન્ન થાય છે. એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે.
મનુષ્યે માંસાહાર છોડીને માત્ર વનસ્પતિનો આહાર શા માટે કરવો? તે અંગે મનનીય મુદ્દાઓ ઃ
૧. અન્ન, શાક, ફળ-ફૂલ રૃપ વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી ખોરાક મળી શકે છે, તેથી મહાહિંસા દ્વારા જીવનને ભ્રષ્ટ કરનાર માંસનો ઉપયોગ કરવાની જરાપણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે તેથી માંસાહાર કરવો જોઈએ એ દલીલ વાહિયાત છે. જે શક્તિઓને પ્રાણીઓના શિકાર કરવામાં કે માછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે તેનાથી અનેક રોગો થાય છે. તેના પ્રતિકારની દવાઓ, દવાખાનાંઓ ઊભાં કરવાં પડે છે. માટે માનવને નિરોગી અને સુખી રાખે તે માટે તે શક્તિ માંસ-મચ્છી પાછળ ન ખરચતાં અન્નની પાછળ ખરચાય તો સર્વેને ભરપૂર અન્ન મળી શકે. પ્રજા સુખી અને નિરોગી રહે.
૨. મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને યોગ્ય નથી. માંસ સહેલાઈથી પચાવી શકાતું નથી. ઉલ્ટું લાખો લોકો કેન્સરના તથા બીજા અનેક ભયંકર રોગોના શિકાર બની ગયા.
૩. માંસએ શરીરનો મરેલ ભાગ છે. એટલે શરીરમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે. અને તરત જ તેમાં તેના રંગના બારીક જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. તેમજ અનંત નિગોદના જીવો ઉત્પન્ન થાય છે.
કૃત્રિમ બનતી ચીજોથી સાવધાન બનો :-
* કેટલાક દગાખોર લોકો ઘીમાં ચરબીનો ભેગ કરે છે. વિલાયતી બિસ્કૂટ-ચોકલેટ-ચીંગમ વગેરેમાં માંસ-મચ્છી, ઇંડાનું મિશ્રણ થાય છે. આજે ઇંડાના રસવાળી, ગાય-બળદના માંસની પણ ચોકલેટ આવે છે. આપણે પતાસાં વગેરેને બદલે પ્રાણીના સિંહ-ઘોડો-હાથી-માછલી વિગેરેના આકારની પીપરમેંટની ગોળીઓ છોકરાંઓને વહેંચીએ છીએ. તે મોટામાં મોટી ભૂલ થાય છે, તેનાથી હિંસક સંસ્કાર પડે છે. નવી પેઢીનાં સંતાનોને માંસાહારી બનાવવાની તરકીબ છે. મેં વાઘ ખાધો, માછલી ખાધી વિગેરે બાળકો બોલે છે. માછલાં વગેરેના આકારની પીપરમેંટની ગોળીઓ, નાની ચોકલેટો, વિ. હાડકાના પાવડરમાંથી માંસ-ચરબીમાંથી પણ બનાવેલી હોય છે. માટે આ કાળે ખૂબજ સાવધાન રહેવાની જરૃર છે. નિશાળમાં અપાતા અભક્ષ્ય નાસ્તાથી બાળકોએ ચેતવા જેવું છે.
* મનુષ્યના લોહીના એક હજાર ભાગમાં ફાઈબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિનો ખોરાક લેવાથી આ ફાઈબ્રીનનું તત્ત્વ પ્રમાણસર જળવાઈ રહી છે, જ્યારે માંસાહારનો ખોરાક લેવાથી ફાઈબ્રીનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે અને તેથી ઘણા રોગો ઉત્પન્ન થાય છે.
* ડૉક્ટર પાર્ક ઃ પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય આહારનાં વિષયમાં સૂચિત કરે છે કે માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પન્ન કરનારું તત્ત્વ ૬ ટકા છે. જ્યારે ઘઉં, ચોખા અને શીંગોમાં થતા અનાજમાં ૪૫ થી ૮૦ ટકા છે.
માંસાહારથી થતાં નુકસાનો :-
(૧) માંસ દેખાવમાં અસ્વચ્છ, કમકમી ઉપજે એવું અને બદબોવાળું છે.
(૨) તે ઝાઝી મુદત રહી શકતું નથી, સડી જાય છે.
(૩) તે ખાવાથી નીતિમાં બગાડ થાય છે.
(૪) માણસ જે વનસ્પતિ ખોરાક ઉપર જીવનભર આરોગ્યવાળી સ્થિતિમાં જીવી શકે છે તેમ એકલા માંસના ખોરાક ઉપર કોઈ લાંબી મુદત સુધી જીવી શકતો નથી.
(૫) તે ખાવાથી કેન્સર, ક્ષય, ગંડમાલ, રક્તપિત્ત, વાતપિત્ત, સંધિવા અને પથરીનો રોગ થાય છે, એ આજના ડૉક્ટરો કહે છે. આથી પરદેશમાં ઘણો વર્ગ શાકાહાર તરફ વળતો જાય છે.
(૬) માંસમાં નાઈટ્રોજન જોઈએ તે કરતાં વધારે હોવાથી માણસ ફૂલી જાય છે. શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થતાં ક્રોધી-કામી-તામસી બને છે. જેથી નજીવી વાતમાં ખૂન સુધી પહોંચી જાય છે અને નાની બાળાઓ પર બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે.
(૭) માછલીનું માંસ ખાનારામાં એક જાતના પહોળા માથાવાળા પાટી કીરમ જોવામાં આવે છે. યુરોપના ઉત્તર રશિયા, નોર્વે, સ્વીડન અને આયર્લેન્ડમાં આ ટેપવોર્મ કીરમથી થતી વ્યાધિ જીવલેણ જોવામાં આવે છે.
જીવલેણ બનતો મત્સ્યાહાર :-
અબજો રતલ ડી.ડી.ટી. દરિયામાં ઠલવાયેલું છે અને દર વરસે તેમાં ૧૦ કરોડ રતલનો વધારો થતો રહ્યો છે.
આણવિક કચરા (ન્યુક્લીઅર વેસ્ટ) કરતાં પણ આ રાસાયણિક કચરો એટલો ખતરનાક છે કે એક ગ્રામનો દસ લાખમો ભાગ પણ માણસના પ્રાણ હરી લેવા પૂરતો છે.
કલકત્તાની હુગલી નદીમાં રોજ ૬ કરોડ ગેલન માનવ વસ્તીનો કચરો અને ૯ કરોડ ૭૦ લાખ ગેલન ઉદ્યોગોનો પ્રવાહી કચરો બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. એથીય વધુ મુંબઈની શિવ અને વસઈની ખાડીઓનું પ્રદુષણ પ્રવૃત્તિ એટલી હદે આગળ વધી છે કે ઉત્તર અને દક્ષિણ ધુ્રવના વિસ્તારને બાદ કરતાં દરિયા, નદી કે સરોવરનો કોઈ સ્ત્રોત એવો નથી કે જે પ્રદુષણથી મુક્ત હોય, દુષક દ્રવ્યોનું પ્રમાણ વધવા સાથે તેની વિષમયતા પણ વધતી જાય છે. જે જીવસૃષ્ટિ માટે ખતરારૃપ છે. દરિયામાંથી પકડાતી માછલીનો આહાર મનુષ્યને માટે શાપરૃપ છે એમ સંશોધનકારો કહે છે.
(૮) ડુક્કર કે ભુંડનું માંસ ખાવાથી વાંકડીઆ કીરમ શરીરમાં ઉત્પન્ન થતાં માણસનું મરણ નીપજે છે.
(૯) ગાય-બેલના કલેજા તથા આંતરડા ઉપર જે સફેદ દાણા દેખાય છે તે એક પ્રકારના કીડા છે. તેવું માંસ શરીરમાં જઈને અનેક જંતુઓ ઉત્પન્ન કરી રોગિષ્ઠ બનાવે છે.
માંસથી થતાં ગેરફાયદાઓ :-
૧. માંસ માટે જીવોને મારવાની સલાહ આપનારા
** . કાપનારા.
**. મારનાર.
**. લેનાર.
**. દેનાર
**. રાંધનાર
**. પીરસનાર
**. ખાનાર, એ સર્વેને જીવના પ્રાણી-વધનું મહાપાપ લાગે છે, ને દુર્ગતિમાં નરકે જાય છે.
૨. શુક્ર અને લોહીથી ઉત્પન્ન થયેલા, વિષ્ટાના રસથી વધેલા એવા લોહી વડે ઠરી ગયેલા મળરૃપ માંસને કોણ બુદ્ધિમાન ભક્ષણ કરે ?
3. જેઓ માંસનું ભોજન કરે છે તેઓ અમૃતરસ છોડીને હલાહલ વિષ ખાય છે.
૪. જે માણસ પોતાના શરીરે એક ડાભનું તણખલું વાગવાથી પણ દુભાય છે, તે નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ હથિયારો વડે મારતાં કેમ કાંપતો નથી?
૫. નિર્દય માણસમાં ધર્મ હોય નહિ તેમ માંસ ભક્ષણ કરનારમાં દયા ક્યાંથી હોય?
૬. પાપના ભય વિના માનવભવ સુધી ઊંચે આવવું દુષ્કર છે. જ્યારે માંસ અધઃપતન કરી નીચે દુર્ગતિમાં લઈ જાય છે. પછી ત્યાંથી મનુષ્યભવ મેળવતાં કાળના કાળ નીકળી જાય છે.
૭. પરલોકના નરક-નિગોદના અનંત દુઃખને માટે બનનારી માંસ-ભોજનની પ્રવૃત્તિ કયો વિવેકી કરે?
૮. પ્રાણીવધનો ત્યાગી દયાધર્મનું આચરણ કરનાર જીવ ભવોભવ સુખી થાય છે. જ્યારે માંસાહારી અનેક જન્મો સુધી રીબાઈને દુઃખી બને છે.
૯. માંસ ભક્ષણના ત્યાગ વિના ઈંન્દ્રિયોનું દમન-દાનાદિ ધર્મ-તપાદિ સર્વ નિષ્ફળ છે.
૧૦. માંસાહારના મહાપાપથી નિરાધાર સ્થિતિ, ઈષ્ટનો વિયોગ, દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્ય વગેરે અનેક દુઃખો પરાધીનપણે વેઠવાં પડે છે.
માંસનો ઉપયોગ શા માટે નહિ ?
(૧) માંસ મનુષ્યનો વાસ્તવિક ખોરાક નથી, સૃષ્ટિ વિરૃદ્ધ છે.
(૨) આરોગ્યને બાધક, અયોગ્ય, અપથ્યકર, અહિતકર અને આયુષ્યને બાધક છે.
(૩) માંસનું રૃપ આંખને પણ ગમે તેવું નથી.
(૪) દુર્ગંધ મારતું હોય છે.
(૫) અપવિત્ર ગણાય છે.
(૬) નિર્દયી કૃત્ય છે.
(૭) પ્રાણીને મારતી વખતે તેનું લોહી ઉકળી ઊઠે છે. તે ઝેર રૃપ બને છે. તેની ઉગ્ર અસર ખાનારને થાય છે.
(૮) માંસ ખાવું એ ધર્મ નહિ અધર્મ છે.
(૯) મનુષ્યનો આધાર વીર્યશક્તિ ઉપર રહેલો છે, માંસ ઉપર નહિ.
(૧૦) માંસ ખાવાથી તાકાત વધતી નથી. માંસ નહિ ખાનાર, હાથી, ઊંટ, જિરાફ, હરણ, ઘોડો, વાંદરું મુખ્ય સ્થાને છે.
(૧૧) અન્નફળ, દૂધ આદિ પદાર્થોથી શારીરિક તંદુરસ્તી ઘણી ઉત્તમ રહે છે, જ્યારે માંસથી તંદુરરસ્તીનો નાશ થાય છે.
(૧૨) જ્યોર્જ બર્નાર્ડ શોએ પાર્ટીમાં અભિપ્રાય કહ્યો કે ‘મારું પેટ કબ્રસ્તાન નથી’
(૧૩) કુદરતનો નિયમ છે કે મોટા નાનાનું (મનુષ્યો પશુ-પંખીઓનું) રક્ષણ કરે.
(૧૪) આ-લોકમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અને પરલોકમાં ભયંકર નરકની ભેટ આપે છે.
માંસાહાર અંગે ડોક્ટરનો અભિપ્રાય :-
(૧) ડો. રોબર્ટ બેલ : સ્.ઘ. ‘કેન્સર સ્કર્જ એન્ડ હાઉ ટુ ડિસ્ટ્રોય ઈટ’ પુસ્તકમાં લખે છે કે બે કરોડ અને પચીસ લાખ માનવી અને એકલા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ હજાર માનવી કેન્સરથી મર્યા તેનું મુખ્ય કારણ માંસનું ભોજન છે. માટે માંસનો હું નિષેધ કરું છું.
(૨) ડૉ. બેઝ ચીનમાં મુસાફરી કરવા ગયા તે વખતે અનાજ ખાનાર ૪ મજૂરો પોતાને ઉપાડવા માટે રાખ્યા. વારાફરતી બે બે જણ ઉપાડતા હતા. ત્રણ દિવસ પછી માંસનો ખોરાક આપ્યો તો તે મજૂરો થાકી જતા જણાયા. કાર્યક્ષમ શક્તિ ઘટી ગઈ. તે પ્રત્યક્ષ થયું.
(૩) સર વોલ્ટર સ્કોટ ફરગ્યુસને લખ્યું છે કે ૬૫ વર્ષની ઉંમરે તેના વર્ગમાં ભાષણ આપતાં લકવો થઈ ગયો. તેમની સારવાર માટે તેમના મિત્ર રસાયણશાસ્ત્રી ડૉ. બ્લેકને બોલાવ્યા, તેમણે શાકાહારી થવાની ભલામણ કરી. તે શાકાહારી થયા તેથી તેમના અવયવો સારા થઈ ગયા. ૩૦ વર્ષ વધારે જીવન જીવ્યા. માંસાહાર શ્રાપરૃપ છે. જ્યારે શાકાહાર આશીર્વાદ રૃપ છે.
(4) ડૉ. હેગ કહે છે કે ખરેખર પાચનશક્તિના, કલેજાના અને પિત્ત વધવા તથા માથું દુઃખવાની સાથે બીજા દરદો લોહીમાં માંસાહારથી વૃદ્ધિ પામેલું યુરિક એસિડના કારણે છે.
(5) અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉ. એ. વાચમૈન અને ડૉ. ડી.એસ. બર્નસ્ટીન લેન્સેંટ ૧૬૬૮, ભાગ ૧ તથા ૬૫૮ પૃષ્ઠ પર તેની પોતાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાાનિક શોધના પરિણામ વિશે લખે છે ઃ માંસભક્ષણથી હાડકાં કમજોર બને છે.
(6) માંસાહારી લોકોનો પેશાબ તેજાબ જેવો હોય છે. તેથી લોહી અને તેજાબના ક્ષારનું પ્રમાણ જાળવી રાખવા માટે હાડકામાંથી ક્ષાર અને તેજાબિક મીઠુ લોહીમાં ભળે છે અને ઊલટું શાકાહારી લોકોના પેશાબ ક્ષારવાળા હોય છે. એટલે તેના હાડકાનાં ક્ષાર લોહીમાં ન જતાં હાડકામાં જ રહી જાય છે. તેથી તે મજબૂત રહે છે. માણસનાં હાડકાંને કમજોર કરનાર માંસ છે.
(૭) રસાયણશાસ્ત્રી ડૉ. વિસંગાલ્ટ પોતાના ગ્રંથમાં લખે છે કે માંસમાં દર સો ભાગે ૩૬ ભાગ પૌષ્ટિક અંશ અને ૬૪ ભાગ પાણી હોય છે. જ્યારે અન્નમાં ૮૦ ટકાથી ૯૦ ટકા પૌષ્ટિક તત્ત્વ, તદુપરાંત વિદ્યુતઅગ્નિનું તત્ત્વ હોય છે. તે તત્ત્વ માણસના જીવન માટે અતિ અગત્યનું હોય છે. તેની હાડમાં વૃદ્ધિ અને પ્રબળતા થાય છે. આ તત્ત્વ વનસ્પતિમાં જેટલે અંશે છે તેટલે અંશે માંસમાં નથી.
|| માંસાહાર – શ્રી કબીર વચનામૃત માંથી ||
मांस मांस सब एक है, मुरगी हिरनी गाय ।
आंख देखि नर खात है, ते नर नरक हि जाय ॥
[ભાવાર્થ] – બધાં માંસ એકસરખાં છે. મરઘી, હરણી કે ગાય – બધાંનાં માંસ સરખાં છે એવું આંખોથી જોઇને પણ જે માણસ માંસ ખાય છે તે માણસ અવશ્ય નરક જાય છે.
[વક્તવ્ય] – બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ જ્યારે માંસ ખાય છે, ત્યારે “જીવહિંસા” નું અઘોર પાપ કરે છે. ભલેને પછી તે મરઘી, હરણ, ગાય કે બીજાં કોઇ પ્રાણીનું માંસ ખાતો હોય, તે જીવહિંસાના પાપમાંથી મુક્ત નથી થતો અને નરકનો અધિકારી બને છે. કબીરજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે, માંસાહાર ગમે તે પ્રકારનો હોય પણ તે કરવો યોગ્ય નથી, કારણ કે માંસાહાર માણસને “નરક-ગમન” કરાવે છે.
तिल भर मछली खायके, कोटि गउ के दान ।
कासी करवट ले मरै, तो भी नरक निदान ॥
[ભાવાર્થ] – ‘તલભર’ પણ માછલી ખાય અને પછી કરોડો ગાયનું દાન આપે તથા કાશીમાં કરવત લઇને પણ મરે છતાં તેને માટે નરક નિશ્ચિત છે.
[વક્તવ્ય] – માંસાહારનું પાપ કેવું ભયંકર છે તે અહીં કબીરજી તેની વિશિષ્ટ શૈલીમાં જણાવે છે કે, માત્ર તલ જેટલી માછલી (અર્થાત્ માંસાહાર) ખાય તો તે વ્યક્તિ પછી જો તેના તે પાપના પ્રાયશ્ચિતરૂપે કરોડ ગાયનું દાન કરે તો પણ તે નકામું જાય છે. તે જ રીતે એવું મનાય છે કે, કાશીમાં મરણ થવાથી માણસને મોક્ષ મળે છે; પણ આવી પાપી વ્યક્તિ તો કાશીમાં કરવત મૂકાવીને મૃત્યુ પામે તો પણ તેને આ ઉપાય પાપમાંથી બચાવી શક્તો નથી. અર્થાત્ માણસ ગમે તેટલા પ્રયત્ન કરે તેને માટે આ પાપમાંથી છૂટવા માટે કોઇ પ્રાયશ્ચિત નથી! અને આવી વ્યક્તિ માટે નરક એ નિશ્ચિત નિદાનરૂપ છે. આમ માત્ર તલ જેટલો અત્યલ્પ માંસાહાર પણ માણસને નરકમાં મોકલવા સક્ષમ છે. તો પછી આવા ખરાબ માંસાહારથી આપણે શા માટે નહિ બચીએ!!
बकरी पाती खात है, ताको काढी खाल,
जो बकरीको खात है, तिनका कौन हवाल ॥
[ભાવાર્થ] – હે નરજીવ! જે બકરી ‘પત્તી’ ખાય છે, તેની તે ‘ખાલ’ કાઢી નાંખી! અને જે ‘ખાસ’ બકરીને જ ખાય છે તેની દશા શું થશે!!
[વક્તવ્ય] – બકરી જેવું નિરુપદ્રવી પ્રાણી જે પાંદડાં વગેરે ખાઇને જ રહે છે, તેની માનવ તે ‘ખાલ’ ખેંચી કાઢી! અર્થાત્ તેના ગોસનો તે આહારમાં ઉપયોગ કર્યો તે કેટલું જધન્ય કૃત્ય કર્યું કહેવાશે! મૂંગાં પ્રાણીઓની બે-રહેમ કતલ કરે, તેનો અંજામ કેવો ભયંકર આવી શકે તેનો હે માનવ! તને જરા ખયાલ છે? બકરી જેવી જે માત્ર પાંદડાં ખાય છે તેની ‘ખાલ’ ઉખડી જાય છે તો પછી જે પ્રાણીને મારીને માંસ ખાય છે તેની સજા કુદરતના ન્યાયમાં કેટલી ભયાવહ હશે તેની કદી તેં કલ્પના કરી છે ખરી?
कहता हूं कहि जात हूं, कहा जु मान हमार ।
जाका गला तुम काटिहो, सो फिर काटि तुम्हार ॥
[ભાવાર્થ] – હે માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તું અમારું કહ્યું માન! જેનું ગળું તું કાપે છે, તે પછીથી તારું ગળું કાપશે!!
[વક્તવ્ય] – કર્મનો સિદ્ધાંત અટલ છે. “જેવી જેની કરણી, તેવી પાર ઉતરણી” સારાં કર્મોનું ફળ સારું મળશે, ખરબ કર્મોનું ખરાબ. આથી તું જ્યારે તારા નિજી સ્વાર્થ માટે પારકાનું ગળું કાપે છે, ત્યારે તે કુકર્મોનું ઋણ તારે બીજે જન્મે પણ ચૂકવવું પડે છે, અર્થાત્ આ જન્મમાં તેં જેનું ગળું કાપ્યું તે આવતા જન્મમાં તારું ગળું કાપશે. કર્મના ફંદામાંથી કોઇ બચી શક્યું નથી. આથી તો કબીરજી આવા ‘કસાઇઓ’ જેવા ક્રૂર માનવીઓને ઉદ્દેશીને જાણે આ સાખીમાં કહે છે કે, “હે ક્રૂર માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તે અમારું કહ્યું માન… અને નિર્દોષ પ્રાણીઓનાં ગળાં કાપવાનું બંધ કર!!”
खुश खानी है खीचडी, मांही पड्या टुक लौन ।
मांस पराया खायके, गला कटावै कोन ?
[ભાવાર્થ] – ખાવા માટે ખીચડી હોય અને તેમાં જરા નમક (મીઠું) નાંખ્યું હોય એવી સાદી ખીચડી ખાવામાં જ ઘણી મજા છે! પારકાનું માંસ ખાઇને ગળું કોણ કપાવે?
[વક્તવ્ય] – નિર્દોષ પ્રાણીની હત્યાથી પ્રાપ્ત થતું મસાદેદાર માંસ ખાવા કરતાં ‘મીઠા (નમક)’ નાંખેલી ખીચડી ખાવી સારી! કોઇની હત્યા કરીને ખાધેલું માંસ આપણને ભાવે જ કેવી રીતે? વળી જેની હત્યા કરી હોય તે કર્મના સિદ્ધાંત મુજબ આવતે જન્મે તારી હત્યા કરશે, ગળું કાપશે. તો શા માટે માંસ ખાઇને તું તારું જ ગળું કપાવનાની અત્યારથી તજવીજ કરે છે? અર્થાત્ કોઇને પણ જરાપણ કષ્ટ આપ્યા વિના પ્રાપ્ત ભોજન જ આપણને ખરી મજા આપી શકે છે. આમ પ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું અને કોઇને પણ કષ્ટ આપીને નહિ મેળવેલું અન્ન જ આપણે સારી રીતે “જીવન” માં પચાવી શકીએ છીએ!!!