ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન

1-2   3

|| ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન||

“અંગુઠે અમૃત વસે લબ્ધી તણાં ભંડાર
ગુરુ ગૌતમ્ સ્મરિયે વાંચ્છિત ફલ દાતાર”

ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ નામે બ્રાહ્મણ પતિ-પત્ની રહેતા હતા. તેમને ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દિકરા હતા. ત્રણે દિકરા નાની ઉંમરમાં જ વેદમાં પારંગત હતા અને યજ્ઞયજ્ઞાદિ સારી રીતે કરાવતા. દરેકને ૫૦૦ અનુયાયીઓ હતા.

બાજુના અપાપા ગામમાં સોમીલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચારસો ચાર બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ તે અગિયારમાંનો એક તેજસ્વી તારલો હતો. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન તે કરતો હતો.

આખું નગર આ યજ્ઞમાં ઘેટાં બકરાં હોમવાના હોવાથી રોમાંચિત હતું. સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે યજ્ઞની આ પવિત્ર જગ્યાએ આવી રહ્યા હતા. ઇન્દ્રભૂતિ મનમાં હરખાતો હતો કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યા છે.” દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા.

બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી તત્ત્વો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતા મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીર સ્વામી સામાન્ય લોકોની જનભાષામાં અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં-વ્યાખ્યાન આપવાના છે.

આકાશી તત્ત્વોએ તેના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયો. તે ગુસ્સાથી વિચારવા લાગ્યો, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?” એણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે ૫૦૦ શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યો.

મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યો. ઘડીભર તો તે ઝંખવાણો પડી ગયો. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા.

મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?” તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયો. તે જાગ્રત થયો અને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતો હતો પણ તે અપૂર્ણ જ હતો ત્યાં ને ત્યાં જ તે મહાવીરનો પહેલો અને પટ્ટ શિષ્ય બની ગયો. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષનો હતો અને ગૌતમ વંશનો હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયો.

સોમીલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને પાછો જ આવશે. એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરનો શિષ્ય થઈ ગયો છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા. પાછળથી તેઓ અગિયાર ગણધર કહેવાયા.

|| આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન ||

ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે. જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય. તેથી તું ખોટું બોલ્યો તેનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગુંચવાડામાં પડી ગયો. પોતે જાણે છે કે પોતે સાચો જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે. અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમ સ્વામી પણ ગુંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગુંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા.

ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. મહાવીરે જણાવ્યું, “હે ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કો’કને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહીં. ગૌતમસ્વામી પોતાના આશ્રમમાં બેસી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા. અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી.

બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા ૨૪ તીર્થંકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તલેટીમાં ૧૫૦૦ વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી નહીં. ગૌતમ સ્વામી સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમ સ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો. અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. ૧૫૦૦ સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાંથી સહુને ભરપેટ ખીર ખવડાવી.

બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમ સ્વામીને અક્ષી મહાંસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતા સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી.

સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહીં મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા. તેઓ બધાંને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તો મને કેમ નહીં? ભગવાન મહાવીરે કહ્યું કે મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. કેવળજ્ઞાન મેળવવા માટે તારે તમામ પ્રકારની માયામાંથી મુક્ત થવું પડશે. તારા ગુરુની માયા પણ છોડવી પડશે.

એક દિવસ ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસ ભગવાન મહાવીરનો નિર્વાણનો દિવસ હતો. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મલ્યા. ગૌતમ સ્વામી આઘાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?” ગૌતમના આંસુ રોકાતા નથી તે વિચારે છે કે મહાવીર નથી એટલે હવે મને કેવળજ્ઞાન તો નહીં જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કોઈ અમર તો છે જ નહીં. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? હું પોતે ખોટો હતો. મહાવીર પ્રત્યેની તમામ માયા સાપની કાંચળીની જેમ ઉતારી દીધી. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કર્યો અને તુરત જ ૮૦ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.

હિંદુ પંચાંગ પ્રમાણે દિપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું.

શ્રી ગૌતમ સ્વામી

1

|| શ્રી ગૌતમ સ્વામી ||
જૈનમ જયતિ શાસનમ .

!!અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી!!

અંગુઠે અમૃત વસે, ………………… લબ્ધિતણાં ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સ્મરણીએ, મન વાંછિત ફળ દાતાર.

છંદ………….

શ્રી વીર જિનેશ્વર કેરો શિષ્ય,ગૌતમ નામ જપો નિશદિન;
જો કીજે ગૌતમ નું ધ્યાન તો ઘર વિલસે નવે નિધાન………. !!૧!!
ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે ;
ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ…………….. !!૨!!
જે વૈરી વીરૂઆ વંકડા તસ નામે નાવે ઢુંકડા;
ભૂત પ્રેત નવી મંડે પ્રાણ, તે ગૌતમ ના કરું વખાણ………….. !!3!!
ગૌતમ નામે નિર્મળ કાય ,ગૌતમ નામે વાધે આય;
ગૌતમ જિન શાશન શણગાર,ગૌતમ નામે જયજયકાર……….!!૪!!
શાળ દાળ સુરહા ઘૃત ગોલ,મનવાંછિત કાપડ તંબોલ;
ઘરસુઘરની નિર્મળ ચિત્ત ,ગૌતમ નામ પુત્ર વિનીત……………!!૫!!
ગૌતમ ઉદયો અવિચલ ભાણ,ગૌતમ નામ જપો જગ જાણ;
મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ…………… !!૬!!
ઘર મયગલ ઘોડા ની જોડ,વારૂં પહોચે વાંછિત કોડ;
મહીયલ મને મોટા રાય ,જો તુઠે ગૌતમ ના પાય……………….!!૭!!
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,ઉત્તમ નર ની સંગત મળે ;
ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,ગૌતમ નામે સફળ વાધે વાન………!!૮!!
પુણ્ય વંત અવધારો સહુ,ગુરૂ ગૌતમ ના ગુણ છે બહુ ,
કહે લાવણ્ય સમય કરજોડ,ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ….. ………….!!૯!!
========================================

3

|| શ્રી ગૌતમ સ્વામી ||
જૈનમ જયતિ શાસનમ

૧. પૂર્વ ભવે મરીચી ત્રિદંડીના કપિલ નામે શિષ્ય હતા.
૨ પૂર્વભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ ની સારથી તરીકે સેવા કરી.
૩. ગૌતમ સ્વામીના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને જન્મભૂમિ નામ ગોબરગામ,તેઓએ ૫૦ વર્ષે દિક્ષા લીધી,૮૦ માં વર્ષે કેવલજ્ઞાન પામ્યા, ને ૯૨ વર્ષે મોક્ષે ગયાં.
૪. ગૌતમ સ્વામીને અભિમાન ના બદલામાં સંયમ અને વિલાપ ના બદલામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
૫. મહાન પંડિત હોવા છતાં જીવ છે કે નહિ ? તેવી મનમાં શંકા હતી.
૬. દિક્ષા બાદ રોજ ગૌદુહાસને બેસતા હતા.
૭. ગૌતમસ્વામીના બીજા બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા.
૮. ઇન્દ્રભૂતિ પંડિત માંથી કારતક-વદ-૧૧ ના ગૌતમસ્વામી થયા.
૯. ત્રિપદી ધ્વારા ભ.ની કૃપાથી દ્વાદશાંગી ની રચના કરવા સમર્થ થયા.
૧૦. છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી હતા.
૧૧. ગૌતમસ્વામી ના અંગુઠે અમૃત હતું.
૧૨. વાણીજ્ય ગ્રામે આનંદશ્રાવક ને મિચ્છામી દુક્કડમ કરવા તેમના ઘરે ગયાં.
૧૩. મૃગાગામ માં મૃગાવતી રાણીને ત્યાં મૃગા લોઢીયાને જોવા માટે ગયાં.
૧૪. અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિ વડે યાત્રા કરી,જગચિંતામણી સૂત્ર રચ્યું.
૧૫. ૩૬ હજાર પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછ્યા જે ભગવતી સૂત્રમાં છે.
૧૬. ગૌતમ સ્વામીને ભગવાન વીરે વારંવાર સમયં મા ગોયમ ! મા પમાએ કહેતા હતા.
૧૭. હાલિક (ખેડૂતને) પ્રતિ બોધવા પ્રભુ વીરે ગૌતમને મોકલ્યા હતા.
૧૮. કેશી ગણધર સાથે ગૌતમ સ્વામીનું તિંદુક ગામમાં મિલન થયું હતું.
૧૯. પોલાસપુરમાં અઈમુત્તા ની વિનંતીથી તેના ઘરે ગોચરી ગયાં.
૨૦. એક દિવસ ઋષભદત્તા બ્રાહ્મણીનો માતા તરીકેનો પરિચય પ્રભુવીરે બ્રાહ્મણકુંડ ગામમાં કરાવ્યો હતો.
૨૧. અક્ષિણ મહાનસ લબ્ધિથી ૧૫૦૦ તાપસોને ખીરથી પારણા કરાવ્યા હતા.
૨૨. પોતાનો ૫૦૦૦૦ હજાર શિષ્યનો પરિવાર હતો.
૨૩. ગૌતમ સ્વામીએ જેટલાને દિક્ષા આપી તે બધા કેવલજ્ઞાની થયા.
૨૪. દેવશર્માને પ્રતિ બોધવા પ્રભુવીરની આજ્ઞાથી ગયાં.
૨૫. વિલાપ કરતાં કરતાં કારતક-સુદ-૧ ના અપાપાપૂરી નગરીમાં કેવળજ્ઞાન થયું.
૨૬. તેમની કાયા સાત હાથની-દેહ સુવર્ણ અને નિર્વાણ રાજગૃહીમાં થયું.

ગણધર

34

|| ગણધર ||

જૈનત્વમાં ગણધર એ તીર્થંકરોના પ્રાથમિક કક્ષાના શિષ્યો હોય છે. ૨૪માંના દરેક તીર્થંકરને તેમના ગણધરો હોય છે પણ તેમની સંખ્યા ઓછી વધતી હોય છે.’સાધુ પદ’માં ગણધરનેએ પદવી સૌથી સન્માનનીય માનવામાં આવે છે. તેઓ ‘તીર્થંકર’ બાદ બીજ વ્યક્તિ હોય છે જે દિવ્યવાણી પીરસે છે. મહાવીરના સૌથી પ્રમુખ ગણધર હતાં “ગૌતમ સ્વામી”કોઈ પણ તીર્થંકરનો શ્રમણ (સાધુ) સંઘ વિવિધ ગણોમાં વિભાજીત થયેલ હોય છે, દરેક ગણના મુખીને ગણધર કહે છે.
જૈન મંગળા ચરણના સંદર્ભમાં પણ ગણધરને મહત્વનું સ્થાન અપાયું છે

“મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી.
મંગલમ કિંકિડર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ”

ભગવાન મહાવીરના ગણધરો…..
ભગવાન મહાવીરના કાળમામ્ આજના બિહારના પાવાપુરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ સોમિલ હતું. એક વખત તેણે એક મહા બલિ ચડાવવાનું આયોજન કર્યું. સર્વ વિદ્યમાન વિદ્વાનો તેમાં જોડાય એવી તેની ઈચ્છા હતી. ઈંદ્રભૂતિ ગૌતમ કે જે તે સમયના સૌથી વિદ્વાન બ્રાહ્મણ ગનાતા હતાં તેઓ આ આયોજના પ્રમુખ સાધુ હતાં. તેના જેટલા જ વિદ્વાન એવા તેમના ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેમની બાજુએ બેસવાના હતાં. વ્ય્ક્તા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના હતાં. સોમિલએ સુધર્માનુમ્ નામ એક વિદ્વાન તરીકે સાંભળ્યુમ્ હતુમ્ આથે તેણે તેમને પણ આમંત્રણ મોકલ્યું હતું. સુધર્માને આ મહા બલિદાનનો ભાગ બનવાની તક જતી કરવી ન હતી, ખાસ કરીને તેને ગૌતમ ભાઈઓને જોવાની તીવ્ર ઈચ્છા હતી. આથે તેમણે સહર્ષ સોમિલનું અમંત્રણ સ્વીકાર્યું. નક્કી કરેલા સમયે બલિની વિધી શરુ થઈ. યથાયોગ્ય મંત્રોચ્ચાર અને સૂત્રો સાથે આહુતિની શરુઆત થઈ. જેમજેમ યજ્ઞનો ધુમડો ઉપર ચડ્યો ત્યારે તેમણે જોયું કે દેવોના વિમાનો નીચે ઉતરી રહ્યાં હતાં. ઈંદ્રભૂતિ અને અન્ય સાધુઓને સંતોષ થયો કે આહુતિ સ્વીકારવા તેઓ દેવોને બોલાવી શક્યાં. પણ તેમની નવાઈ વચ્ચે એ દેવ વિમાનો તેમની તરફ ન આવતા, દિશા બદલીને શહેરના બીજે છેડે ઉતરવા માંડ્યાં. તેઓ આમ થવાનું કારણ સમજી ન શકયાં. તેમની બલિ વિધીની નિપુણતાને આધારેતો દેવ વિમાન તેમને ત્યાંજ ઉતરવા જોઈતા હતાં.

બન્યું એવું હતું કે તેજ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી ભગવાન મહાવીર પાવાપુરીમાં પધાર્યાં હતાં. સ્વર્ગમાંથી ઉતરતાં દેવો તેમને વંદન કરવા અને તેમની વાની સાંભળવા પૃથ્વી પર આવ્યામ્ હતાં. આ સાંભળી ઈંદ્રભૂતિ ને નવાઈ લાગી. તેણે પોતાના કરતાં વધુ વિદ્વાન કોઈ પણ વ્યક્તિ જોઈ ન હતી. તેમને લાગ્યું કે મહાવીર એ કોઈ બહુરુપિયો હશે જેણે કોઈક રીતે દેવોને પ્રસન્ન કરી લીધાં હશે. માટે તેને ખુલ્લો પાડી તેને ડામી દેવો જરુરી હતો.

એવા વિચારે ઈંદ્રભૂતિ ભગવાન મહાવીરની દેશના સ્થળે જવા રવાના થયાં. જ્યારે તે મહાવીરની નજીક ગયાં ત્યારે ભગવાને ઈંદ્રભૂતિને તેનું નામ લઈને બોલાવ્યો. એક ધુતારો પોતાનું નામ જાણે છે તે જાણી ઈંદ્રભુતિ ને અત્યંત નવાઈ લાગી. પણ જેવું તેમણે ભગવાન સામે જોયું ત્યારે તેમના વ્યક્તિત્વથે ઈંદ્રભૂતિ ખૂબ પ્રભાવિત થયાં. તેમનો ગર્વ ઓગળવા લાગ્યું.

ભગવાન મહાવીરે તરત જ એમને પૂછ્યું, ‘ગૌતમ, આત્માના સ્વતંતર અસ્તિત્વ વિષેની શંકા હજી પણ તારા મસ્તિષ્કને હેરાન કરે છે કેમ?’ આ શબ્દો સાંભળી ઈંદ્રભૂતિ તો એકદમ આશ્ચર્ય માં ડૂબી ગયાં , કેમકે તેમના મનમાં તે વિષે શંકા હતી.ત્યાર બાદ ભગવાને સ્વયં વેદોના લાગતા સૂત્રનું ઉચ્ચારણ કરીને તેમને સમજાવ્યું કે તેમણે શંકા કે તેમણે શંકા કરવાનું કોઈ કારણ નથી. આ ચોખવટ સાંભળી ઈંદ્રભૂતિના મનની શંકાનું સમાધાન થયું. ત્યાર બાદ તેમણે ભગવાન મહાવીરને ગુરુ તરીકે સ્વીકાર્યાં. તેઓ ભગવાન મહાવીરના ચરણે પડી તેમને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતિ કરી. ભગવન મહાવીરે તેમની વિનંતી નો સ્વીકાર કર્યો અને આમ ઈંદ્રભૂતિ તેમના પ્રથમ શિષ્ય બન્યાં.

ઈઁદ્રભૂતિ પાછા ન આવતાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ વાયુભૂતિ અને વ્યક્તજી જેવા અન્ય પઁડિતો મહાવીર સ્વામી બિરાજમાન હતાં તે જગ્યાએ ગયાં. ભગવાન મહાવીરે તે સૌના મનમાં ચાલતા આત્મા વિષયક શંકાનું સમાધાન કર્યું. પરિણામે તે સૌ પણ પોતાના અનુયાયીઓ સહીત ભગવાન મહાવીરના શિષ્ય બન્યાં.

હવે સુધર્માજી નો વારો હતો. તેમની વિચાર ધારા એવી હતી દરેકે જીવ પોતાની યોનિમાં જ પુન જન્મ લે છે. અન્ય શબ્દોમાં માણસો બીજા જન્મમાં માણસ બને છે. તેમની આ ધારણા વનસ્પતિના જીવન ક્રમ પર આધારિત હતી. કોઈ એક સફરજનનુઁ વૃક્ષ સફરજનના વૃક્ષના બીજ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીરે તેમને આવકાર્યાં અને જેમ સંકરણ કરી વિવિધ જાતની વનસ્પતિ પેદા કરી શકાય છે તેજ રીતે માનવ પોતાના કર્મ અનુસાર દેવ યોનિ કે પ્રાણી યોનિમાં ઉત્પન્ન થઈ શકે છે. સુધર્માજીને મહાવીર સ્વામીની વાત ગળે ઉતરી ગઈ તેઓ પોતાના ૫૦૦ અનુયાયીઓ સહિત મહાવીરના શોષ્ય બની ગયાં. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. આ ઘટના સમયે મહાવીરેઅ સ્વામી ૪૨ વર્ષના હતાં

સોમિલના બલિ સમારઁભમાઁ આવેલ અગિયાર પંડિતો ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય બન્યાં અને તેઓ ગણધર બન્યાં.

ત્યાર બાદ ભગવાન મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન ભગવાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.

આ રીતે તેમણે ભગવાન મહાવીરની વાણીને આગમ સ્વરૂપે ગૂંથી. મહાવીર સ્વામીના નિર્માણ સમય સુધી અગિયારમાંના નવ ગણધર મૃત્યુ પામ્યાં હતાં. માત્ર બે ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જ હયાત હતાં. ભગવાન મહાવીરના નિર્વાણની રાત્રેજ ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી સંઘના વ્યવસ્થાપનની બધી જવાબદારી સુધર્મા સ્વામી પર આવી હતી.

આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને ભગવાન મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાલન કર્યું અને ભગવાન મહાવીરનો સંદેશ ફેલાવ્યો.