શ્રાવણ માસમાં ''શ્રવણધર્મ”

6

|| શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ||

જેમણે તમારા હાથ પકડી ચાલતાં શિખવાડયું હતું ? લથડીને પડી જતાં હતા ત્યારે તમને જેમણે આંગડી પકડીને બચાવ્યા હતા ? તે માતા- પિતા આજે અશક્તિને કારણે લથડતા હોય અને તમો તેમનાથી દૂર તો નથી ભાગતાં ફરાતાં ને ?

”શ્રવણધર્મ” એટલે શ્રવણે જે ધર્મ બજાવ્યો હતો તેનો વિચાર આપણે કરવાનો છે. શ્રવણે જે રીતે માતા- પિતાની સેવા કરી હતી તેવે રીતે દરેક સંતાને માતાપિતાની સેવા કરવી જોઇએ. આજે શ્રવણ જેવા સંતાનોની ભારે અછત છે. અરે ! એમ જ કહો ને કે દુષ્કાળ પડયો છે.

પિતાજીની ઇચ્છા પરિપૂર્ણ કરવા પોતાનું જીવન બદલી દેનારા ભીષ્મ, રાજ્ય ગાદીનો ત્યાગ કરીને વનમાં જનારા રામ, કે કાવડ લઇને ફરનાર શ્રવણ… આદી પુત્રોથી આપણી સંસ્કૃતિ ઉજળી છે…

આજ કે ઇન્સાન કો ક્યાં હો ગયા ?
બરસો પુરાના પ્યાર કહાં પર ખો ગયા ?

જે વડીલોએ પોતાના સંતાનો માટે પોતાનું સ્વાસ્થ્ય પણ નીચોવી નાંખ્યું છે અને જે હવે લાચારી અને લથડતી તબિયતને કારણે પુત્રો પર નિર્ભર છે ત્યારે હવે પુત્રો માતા- પિતાને વચનો દ્વારા માથામાં એવા હથોડાનાં ઘણ ઝીંકે છે કે, તેમની આશા અને અરમાનોના ટુકડે ટુકડા થઇ જાય છે.

આજના વડીલોના ઉપકારોમાંથી છટકવા માટે કેટલા ટન આત્મવંચના જોઇએ ? એ વૃધ્ધ માતા- પિતાના નિસાસોને સહન કરવા કયા પર્વતની ચટ્ટાન જેવું દિલ જોઇએ ? સંગા મા- બાપ કે દાદા- દાદીને કોઇ અમીરોના દયાદાન પર ચાલતા વૃધ્ધાશ્રમોમાં નાખી આવવા માટે કેટલું જડ અને લાગણી વિનાનું હર્દય જોઇએ ? જેટલું જોઇએ એટલું પણ પણ તે સર્વે આજના યુવાનો પાસે છે અમે નક્કી લાગે છે.
આજે જીવનસંધ્યા, નિવાસ, તપોવન, રમાધામ, શાંતિસદન, દીકરાનું ઘર… આ કોઇ બંગલાના નામોની યાદી નથી. આ એ વૃધ્ધાશ્રમોનાં નામો છે જ્યાં આપણી કુટુંબ પરંપરાની કલંકિત દાસ્તાનો એક એક વૃદ્ધના હાયકારામાં સંઘરાઇ છે.

આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનાર મા- બાપની આવી દુર્દશા અને ધર્માદા ઉપર ચાલતા વૃધ્ધાશ્રમો એ શું ભારતની શાન છે ?
હા, અમુક મા- બાપના સ્વભાવો ઘણીવાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે માની શકાય છે, પણ એ બોજ બનીને કુટુંબનોભાર બની જાય છે, એ હરગીજ માની શકાય તેમ નથી, નથી ને નથી જ.
જે માતા- પિતાઓ શરીર અને મનથી થાકી ગયા છે, એમને ભૂખ, લાચારી અને એકલવાયાપણામાં વૃધ્ધાશ્રમોમાં મરવા માટે છોડી દેવાય ત્યારે કસાઇખાને જતી ગભરુ ગાયની આંખો આપણી આંખો સામે તરવરી ઉઠે છે.

માતા-પિતા વૃધ્ધ થાય, એમના માટે ચાલવાનું અઘરું બને, એમનાં આંખે- દાંત સાથ ન આપતાં હોય, શરીર ક્ષીણ થયું હોય ને એવે સમયે પુત્રી કે પુત્ર જો માતા-પિતા ને ભૂલે તો ? જે દીકરીને વહાલનો સાગર લેખી હોય, જે દીકરાને પ્રેમનું આકાશ લેખ્યો હોય એ જ જો પોતાના માતા-પિતા તરફથી મોં ફેરવી લેતો ? જે શેર માટી માટે માતા- પિતા એ પથ્થર એટલા દેવ કર્યા હોય, કડક માનતાઓ રાખી હોય અને સંતાનપ્રાપ્તિ થતાં ઇશ્વરને લાખ લાખ પ્રણામ કર્યા હોય- એ માતા-પિતાની પછી કેવી મનઃસ્થિતિ થાય ? એવા પુત્ર-પુત્રીની પણ જ્યારે તે કોઇના માતા-પિતા થશે ત્યારે એમનાં સંતાનો તેમની પણ એવી જ અવમાનના કરવાનાં ને ? આખી ગૃહવ્યવસ્થા જ ઉલટી થઇ ને ? આજના ઘરડાંઘર, વૃદ્ધાશ્રમો, વૃદ્ધોની આત્મહત્યાઓ એ અવ્યવસ્થા ભણી ધકેલાઇ રહેલા સમાજને જ સંકેત કરી રહ્યાં છે. માતા-પિતાને ન ભૂલવા એ કંઇ કોઇ પરંપરાથી મળેલું ગુલામીખત નથી. બલ્કે આદર્શ સમાજવ્યવસ્થા છે.

એક દીકરી ઘર છોડે ત્યારે…. અને બીજું દીકરા તરછોડે ત્યારે પણ માએ તો જિંદગી ભર રડવાનું જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહી એટલે મા રડે અને એ છોકરા મોટા થઇને જમાડે નહી ત્યારે મા રડે છે ! સંજોગો ની એ વિચિત્ર વિડંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઇને માને ચૂપ રહેવાનું કહે છે. હે ! સંતાનો થોડું વિચારો… કાંઇક બ્રેક મારો. માતા- પિતાની આંતરડી કાંઇક ઠરે એવું વર્તન કરો.

કોઇપણ માતા-પિતા પોતાના સંતાનો પાસેથી પાછલી વયે શું ઝંખતાં હોય છે ? બંગલા- ગાડી, નોકર- ચાકર સાહ્યબી ? ના. ના.. ઘરડાં મા-બાપની જરૃરીયાતો માત્રને માત્ર ભૌતિક નથી હોતી. હવે તો ભૂખ પણ માંડ એકાદ રોટલીનો કે એકાદ પ્યાલા દૂધ ના જેટલી જ લાગે છે. બે કોળીયા ખીચડી ના આહારથી જ એમને ઓડકાર આવી જતો હોય છે. પાછલી વયે તેમને તેમના પુત્રો- પુત્ર વધુઓ- તેમનાં સંતાનો તેમની સાથે શાંતિથી બેસે. બે વાત સાંભળે. અમારા અસ્તિત્વની એ ઉપેક્ષા ન કરે. અમારી સાથે સરળ અને નિખાલસ રહીને, અમારી વાત સાંભળે એ જ એમની અંતિમ ઇચ્છા- મનોરથ હોય છે. તેથી જ ેકવિએ માતા- પિતાની ઇચ્છાને આ રીતે શબ્દોમાં ગોઠવી છે કે,

હું વધુ કશું નથી માગતો તમારી પાસે,
માગું છું માત્ર એટલું જ-
થોડીક વાતો કરી મારી સાથે,
થોડો સમય આપો મને,
મારી પાસે બેસશો ?

ખરેખર, યુવાન મિત્રો જે ઘરડાં હોય ને એને જ ખબર પડે છે કે, ઘડપણએ કેવી અવસ્થા છે અને…
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે, બુઢ્ઢા થવું શું ચીજ છે ?
આ વાત આપણને જવાનીના તોરમાં સમજાતી નથી. અને જ્યારે તમારી અવસ્થા થશે ત્યારે તમને એ વાત સમજાશે ? પણ પછી શું ? હાથમાંથી બાજી સરી ગયા પછી શું ? માટે સુજ્ઞા, વ્યક્તિ એને જ કહેવાય છે કે, સમયસર વાતને સમજી લે.

તમો જ્યારે નાના હતા ને ત્યારે તમને કોઇ તકલીફ ના પડે ને એટલે તમારા આ માતા- પિતાએ કેવી કેવી રીતે તમારી કાળજી લીધી છે એની તમને ખબર ?
રાતભર બાપે દબાવી ખાંસીને,
એ જ ચિંતા, છોકરાં જાગી જશે.

હે, સંતાનો થોડો વિચાર કરો ? જે માતા- પિતાએ કેટ કેટલી તમારી કાળજી લીધી છે તેનો વિચાર કરો અને તમોને જે તેમના પ્રત્યે એલર્જી થઇ ગઇ છે તેને ટાળી નાંખો અને આ પવિત્ર શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ને અપનાવો.

એક કવિએ કહ્યું છે કે,
ભૂલો ભલે બીજું બધું,
માબાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના,
એહ વિસરશો નહિ

પરંતુ આજના સંતાનોને આ વાત સમજાય છે ક્યાં ? જેમ અત્યારે ઘણા વૃધ્ધ માતા- પિતાની આંખમાના આસું જોવાની યુવાનો પાસે નજર નથી.
એક કવિએ કહ્યું છે કે,

છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે,
ઓટ આવી કે તરત આઘા કિનારા થઇ ગયા.

મહાભારતના યુધિષ્ઠિર જેવા જ સમર્થ મહાનાયક પિતામહ ભીષ્મ પિતા માટે થઇને રાજ્યનોને સંસાર સુખનો ત્યાગ કરીને દેવવ્રતમાંથી ભીષ્મ બની ગયા છે. તો ઘટોત્કચ પિતા ભીમ માટે જ જીવ્યો છે અને મૃત્યુ પામ્યો છે.

કૃષ્ણ હોય, રામ હોય, ભીષ્મ કે યુધિષ્ઠિર હોય, કે સહજાનંદ સ્વામી… એ સૌ કોઇએ ભારતીય પરંપરાની આજ સુધીની પેઢી માટે જે અમૂલ્ય સંપત્તિ પ્રદાન કરી છે તે માતા- પિતાના પ્રેમને સમજવાની, તેમને આરાધવાની છે.

ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના માતા- પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની કેટલી સેવા કરી છે ? તેઓ બંને જ્યારે બિમાર હતા ત્યારે તેમની પાસે બેસીને પોતે સ્વયં ધર્મગ્રંથોની પારાયણ કરી છે. માતા- પિતાને દિલાસો આપ્યો છે અને દિલથી સેવા કરી છે. તેમના જીવનમાંથી કાંઇક આપણે શીખવાનું છે અને સમજવાનું અને જીવનમાં ઉતારવાનું છે.
ભારતની ભૂમિ એટલી તો સમૃદ્ધ છે કે અહી ધરતીની સોડમ આપતું લોકસાહિત્ય પણ પાંગર્યું છે. આપણા એક લોકગીતમાં કહેવાયું છે.

મોટું તીરથ માવતરનું, ઇ જે જનમના ઝાડ,
ગુણ ભૂલ મા તું ગાંડિયા, જેણે નવ માસ ઉપાડયો ભાર. નવ માસ ઉપાડયો તે ભાર કઇ,
ચરણ ધોઇ જેના ચરણામૃત લઇએ.

આ ભારતની ભૂમિ ઉપર કેટ કેટલો મહિમા માતા- પિતાનો ગવાયો છે. એ ભૂમિના ઉપર આપણો જન્મ થયો છે. કાંઇક તેના સંસ્કારો તો આપણામાં આવવા જોઇએ ને ? આ પવિત્ર શ્રાવણમાસમાં ”શ્રવણધર્મ”ના પંથે પગલું તો ભરવું જ રહ્યું ને ?

શ્રાવણનો મહિમા અને મહત્વ

7

|| શ્રાવણનો મહિમા અને મહત્વ ||

ઉપનિષદમાં કથા છે કે એક દિવસ સનતકુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયાં અને પૂછવા લાગ્યાં કે પ્રભુ આમ તો બારે મહિનાનું કોઈ ને કોઈ મૂલ્ય છે પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ ક્યો છે? આ સાંભળી ભગવાન શિવ કહે હે સનત કુમાર બધાં જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે. ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યાં કે પ્રભુ આપને આ શ્રાવણ માસ પ્રિય શા માટે છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિધ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો, ત્યારે ભગવાન શિવ કહે કે હે સનત કુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણા બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસમાંનો આ એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે.

બીજું કારણ એ છે કે બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે.

ચોથું કારણ એ પણ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતા અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે.

શિવપુરાણમાં કહે છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો આથી આ તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું જેથી ભગવાન શિવને શીતળતાની પ્રાપ્તિ થાય.

ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસ એ ભગવાન કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે અર્થાત આ માસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી નારદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃષ્ણએ પ્રગટ થવા માટે આ માસ પસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે. પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે બાલકૃષ્ણ પણ પ્રગટ થયાં છે. પ્રભુના પ્રાગટ્યનો આ રસ ભક્તજનોને ભક્તિ રસમાં ડૂબવા માટે રસદાયક બનાવે છે કારણ કે ભક્તિ અને રસ બંને પ્રેમ તત્વ પર નિર્ભર રહેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે પણ પ્રેમના પર્યાય રૂપ છે. આથી જ સંતો કહે છે કે આ માસ દાન આપવા માટે અતિ પવિત્ર છે કારણ કે આ માસમાં જલ તત્વ રૂપે ફક્ત પ્રકૃતિ નથી વરસતી બલ્કે પ્રભુ કૃપા પણ વરસે છે જેના દ્વારા મનુષ્યોને સત્કર્મો સંચિત કરવાનો સમય પણ મળે છે.

શ્રાવણ માસમાં ગૌરી પૂજન, હરિયાળી એકાદશી, ગોપાષ્ટમી, નાગ પંચમી , શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોપનવમી અર્થાત નંદોત્સવ વગેરે જેવા અનેક શુભ દિવસો અને શુભ ઘડીઓ આવે છે. આ તમામ શુભ દિવસોમાં આવતી વિભિન્ન તિથિઑ, અને આ તિથિઓથી આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય

1r

|| ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય ||

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવીરીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે? આ ત્રણ દેવ મુખ્ય છે જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનં રટણ કરવું પડે છે. તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પુજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે.

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.

બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.

|| સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિજ્ઞાન ||

વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભિ એટલે બ્લેકહોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ, રૂદ્ર એટલે વિનાશના કારક એવું હાઈડ્રોજન તત્વ જે હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશનો કારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એ આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિ કોણથી ઉર્જા કહી શકીએ છીએ, જે સ્ટિફન હોકિંગ્સના મતે અને દેવિભાગવતના મતે ‘સ્પેશ’માં રહેલ છે. તમને પ્રશ્ન થશે કે તો પછી, શિવતત્વનો આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સુક્ષ્મતમ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવતત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્વ અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્રસૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષીએ તે તત્વોના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી.

યજ્ઞનું મહત્વ

2     1jpg

|| હિંદુ ધર્મમાં યજ્ઞનું મહત્વ ||

આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. યજ્ઞની પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. ધાર્મિક ગ્રંથો વાંચવા પર ખ્યાલ આવે છે કે યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે. વૈદિક યુગમાં જ્યારે પણ કોઈ મુસીબતના સમાચાર મળે એટલે ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા જેથી આવનાર આપત્તિ ટળી જતી.

લોકો આજે ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા, પ્રજનનક્રિયા, મૂત્રક્રિયા, હાડકાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે.

યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છ્વાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે. આમ, યજ્ઞ ખાલી ધાર્મિક દૃષ્ટિએ જ કરાય છે એવું નથી, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ વિશેષ છે. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમાં મનુષ્ય માનસિક રીતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વળી, પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ જણાવાયું છે. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો આપણો ઇતિહાસ યજ્ઞના અનેક ચમત્કારોથી ભરેલો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેણ છે અને વૈજ્ઞાનિકો પણ એ વાત માનવા માંડયા છે કે યજ્ઞના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધતા અને હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા, દાનવોનો પ્રકોપ દૂર કરવા યજ્ઞો કરતા હતા.

યજુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે, ‘જે યજ્ઞનો ત્યાગ કરે છે, ઈશ્વર એનો પણ ત્યાગ કરે છે.’ યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે. વળી, યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ગાયત્રીને માતા જ્યારે યજ્ઞને પિતા ગણવામાં આવ્યાં છે. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.

મનુષ્યનો જન્મ તેનાં માતા-પિતા દ્વારા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે ખરા અર્થમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મનુષ્યનો જન્મ યજ્ઞકાર્ય કરવાથી થાય છે. સંસારમાં શારીરિક દૃષ્ટિએ જન્મ લેવો એ તો ધરતી ઉપર આવવાનો એક રસ્તો છે. ખરા અર્થમાં મનુષ્ય અંતર અને મનથી શુદ્ધ હોય ત્યારે એનું જીવન સાર્થક બને છે તથા આનું એક માધ્યમ યજ્ઞ જ છે. અગ્નિ એ યજ્ઞનું એક અભિન્ન અંગ છે અને અગ્નિ શક્તિ, ઊર્જા અને હંમેશાં આગળ વધવાનું પ્રતીક છે. અગ્નિ ઈશ્વર સમાન છે માટે યજ્ઞકાર્યમાં અગ્નિ પૂજનીય છે.

યજ્ઞના મુખ્ય પાંચ પ્રકાર છે. લોક, ક્રિયા, સ્નાતન ગૃહ, પંચભૂત અને મનુષ્ય. જ્યારે યજ્ઞનાં અંગોમાં સ્નાન, દાન, હોમ, જાપ એમ ચાર છે. વળી, અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ એ પૃથ્વી પરના બે મોટા યજ્ઞો માનવામાં આવે છે. જ્યારે ગૃહસ્થ ધર્મનાં યજ્ઞોમાં પાંચ યજ્ઞો આવેલા છે, જેમ કે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આમ, પાંચ યજ્ઞો હિન્દુ ધર્મ અનુસાર ગૃહસ્થ જીવનને અનુસરતાં અનુસરતાં દરેક લોકોએ કરવા જોઈએ.

|| યજ્ઞનો ઉદ્દેશ્ય ||

યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.

|| યજ્ઞનું તાત્પર્ય ||

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસાર ના કલ્યાણ ના માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક સાઁસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણ માં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. આ પ્રકાર થોડા જ ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞકર્તાઓ દ્વારા સંસારની મોટી સેવા શક્ય બને છે.

વૈયક્તિક ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. જો માતા પોતાના રક્ત-માંસમાંથી એક ભાગ નવા શિશુના નિર્માણ કરવા માટે ન ત્યાગે, પ્રસવની વેદના ન સહે, અપના શરીર નિચોવી તેને દૂધ ન પીવડાવે, પાલન-પોષણમાં કષ્ટ ન ઊપાડે અને આ બધું નિતાન્ત નિઃસ્વાર્થ ભાવથી ન કરે, તો પછી મનુષ્યનું જીવન-ધારણ કરી શકવું પણ સંભવ ન થાત. આમાટે કહેવામાં આવે છે કે મનુષ્ય નો જન્મ યજ્ઞ ભાવના દ્વારા અથવા તેને કારણે જ સંભવ થાય છે. ગીતાકારે આ જ તથ્યને આ પ્રકારે કહ્યો છે કે પ્રજાપતિએ યજ્ઞને મનુષ્ય સાથે જોડીયા ભાઈની જેમ પૈદા કરવામાં અને આ વ્યવસ્થા ની, એક બીજાંનું અભિવર્ધન કરતા બનેં ફૂલેં-ફળે.

જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્યને પોતાને કો જોડ્યો ન હોત, તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે અન્ય પશુઓની પ્રતિયોગિતામાં તે ક્યારનોય પોતનું અસ્તિત્વ ખોઇ બેઠો હોત. તે અત્યાર સુધી જેટલો પણ આગળ વધ્યો છે, તેમાં તેની યજ્ઞ ભાવના જ એક માત્ર માધ્યમ છે. આગળ પણ જો પ્રગતિ કરવી હોય, તો તેનો આધાર આજ ભાવના હશે. પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે. સમુદ્ર વાદળોને ઉદારતાપૂર્વક જળ આપે છે, વાદળ એક સ્થાનથી બીજા સ્થાન સુધી તેને ઢસડીને લઈ જાઈને વરસાવવાનો શ્રમ વહન કરે છે. નદી, નાળા પ્રવાહિત થઈ ભૂમિને સીંચે અને પ્રાણિઓની તરસ બુઝાવે છે. વૃક્ષ અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ અન્યોને જ દે છે. પુષ્પ અને ફળ અન્યને માટે જ જીવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, વાયુ આદિની ક્રિયાશીલતા તેમના પોતાના લાભ માટે નહીં, પણ બીજાના માટે જ છે. શરીરના પ્રત્યેક અવયવ પોતાના નિજના માટે નહીં, પણ સમસ્ત શરીર ના લાભ માટે જ અનવરત ગતિથી કાર્યરત રહે છે. આ પ્રકારે જ્યાં પણ દૃષ્ટિપાત કરવામાં આવે આવે, આ જ પ્રકટ થાય છે કે આ સંસારમાં જો કાંઈ સ્થિર વ્યવસ્થા છે, તે યજ્ઞ વૃત્તિ પર જ અવલમ્બિત છે. જો આને હટાવી દેવામાં આવે , તો આખી સુન્દરતા, કુરૂપતામાં અને આખી પ્રગતિ, વિનાશમાં પરિણિત થઈ જશે. ઋષિઓએ કહ્યું છે- યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટી જવાથી પર ગાડ઼ીનું આગળ વધી શકવું કઠિન છે.

|| યજ્ઞીય વિજ્ઞાન ||

મન્ત્રોમાં અનેક શક્તિ ના સ્રોત દબાયેલ છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગનિઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારની ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાલી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે, તેનાથી હવામાં ઘૂમતા અસંખ્ય રોગ કીટાણુ સહજ જ નષ્ટ થાય છે. ડી.ડી.ટી., ફિનાઈલ આદિ છાંટીને, બીમારિઓથી બચાવ કરવાવાળી દવાઓ અથવા સોય(ઈંજેક્શન) લેવાથી પણ કઈંક અધિક કારગર ઉપાય યજ્ઞ કરવાનો છે. સાધારણ રોગો અને મહામારિઓથી બચવાનો યજ્ઞ એક સામૂહિક ઉપાય છે. દવાઓમાં સીમિત સ્થાન અને સીમિત વ્યક્તિઓ ને જ બીમારિઓથી બચાવવાની શક્તિ છે; પણ યજ્ઞનો વાયુ તો સર્વત્ર જ પહોંચે છે અને પ્રયત્નન ન કરવાવાળા પ્રાણીઓની પણ સુરક્ષા કરાય છે. મનુષ્યની જ નહીં, પશુ-પક્ષીઓ, કીટાણુઓ અને વૃક્ષ-વનસ્પતિઓ ના આરોગ્યની પણ યજ્ઞથી રક્ષા થાય છે.

યજ્ઞની ઊષ્મા મનુષ્યના અંતઃકરણ પર દેવત્વની છાપ પાડતી છે. જ્યાં યજ્ઞ થાય છે, તે ભૂમિ અને પ્રદેશ સુસંસ્કારોની છાપ પોતાની અન્દર ધારણ કરી લે છે અને ત્યાં જવાવાળા પર દીર્ઘકાળ સુધી પ્રભાવ પાડતી રહે છે. પ્રાચીનકાળમાં તીર્થ ત્યાંજ બન્યા છે, જ્યાં મોટા-મોટા યજ્ઞ થયા હતાં. જે ઘરોંમાં, જે સ્થાનોંમાં યજ્ઞ થાય છે, તે પણ એક પ્રકારે તીર્થ બની જાય છે અને ત્યાં જેમનું આગમન રહે છે, તેમની મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત અને સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક અને ગર્ભસ્થ બાળક વિશેષ રૂપથી યજ્ઞ શક્તિથી અનુપ્રાણિત થાય છે. તેમને સુસંસ્કારી બનાવવા માટે યજ્ઞીય વાતાવરણની સમીપતા ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે.

કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે. યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ-વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ-દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેમ લોખંડના તૂટેલા ટુકડાને રેણ (વેલ્ડીંગ)ની અગ્નિ જોડી દે છે. બ્રાહ્મણત્વ યજ્ઞના દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે એક તૃતિયાંશ જીવન યજ્ઞ કર્મ માટે અર્પિત કરવું પડે છે. લોકોના અંતઃકરણમાં અન્ત્યજ વૃત્તિ ઘટે-બ્રાહ્મણ વૃત્તિ વધે, આને માટે વાતાવરણમાં યજ્ઞીય પ્રભાવની શક્તિ ભરવી આવશ્યક છે.

વિધિવત કરેલા યજ્ઞ એટલાં પ્રભાવશાળી હતાં, જેના દ્વારા માનસિક દોષોં-ર્દુગુણોનું નિષ્કાસન અને સદ્દ્ગુણોનું અભિવર્ધન નિતાન્ત સંભવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક વિશ્વસ્ત પદ્ધતિ છે. શરીરના અસાધ્ય રોગો સુધ્ધાંનું નિવારણ તેનાથી થઈ શકે છે. અગ્નિહોત્રના ભૌતિક લાભપણ છે. વાયુને આપણે મળ, મૂત્ર, શ્વાસ તથા મિલ-કારખાના ધુમાડા આદિથી ગન્દા કરીએ છીએ. ગંદા વાયુ રોગોનું કારણ બને છે. વાયુને જેટલો ગંદો કરીએ, તેટલો જ તેને શુદ્ધપણ કરવો જોઈએ. યજ્ઞોંથી વાયુ શુદ્ધ થાય છે. આ પ્રકારે સાર્વજનિક સ્વાસ્થ્યની સુરક્ષાનું એક મોટું પ્રયોજન સિદ્ધ થાય છે.

યજ્ઞનો ધૂમ્ર આકાશમાં-બાદલોળોમાં જઈ ખાદ બની મળી જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. યજ્ઞાગ્નિ ના માધ્યમથી શક્તિશાલી બનેલો મન્ત્રોચ્ચાર ધ્વનિના કમ્પન, સુદૂર ક્ષેત્રમાં વિખરાઈ લોકોનો માનસિક પરિષ્કાર કરે છે, ફળસ્વરૂપ શરીરની જેમ માનસિક સ્વાસ્થ્યપણ વધે છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સન્તાન પ્રાપ્ત કરી હતી, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું . લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવોથી એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો. આ પાછલા બે વિશ્વયુદ્ધો ના કારણે જનસાધારણમાં સ્વાર્થપરતાની માત્રા અધિક વધી જવાથી વાતાવરણમાં એવો જ વિક્ષોભ ફરી ઉત્પન્ન થઈ ગયો છે. તેના સમાધાન માટે યજ્ઞીય પ્રક્રિયાને પુનર્જીવિત કરવી આજની સ્થિતિમાં હજી પણ અધિક આવશ્યક થઈ ગઈ છે.

|| યજ્ઞીય પ્રેરણાઓ ||

યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની વિજ્ઞાન સમ્મત પરંપરા સન્નિહિત છે-જ્યાં દેવ શક્તિઓના આવાહન-પૂજનનો મંગલમય સમાવેશ છે, ત્યાં લોકશિક્ષણની પણ પ્રચુર સામગ્રી ભરી પડ઼ી છે. જે પ્રકારે ‘મણકા ઘોડી'(અબૅકસ)માં લાગેલી રંગીન લકડાના ગોળીઓ બતાવી નાના વિદ્યાર્થિઓને ગણતરી શીખવાડવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞનું દૃશ્ય દેખાડી લોકોને એ પણ સમઝાઈ જાય છે કે અમારા જીવનની પ્રધાન નીતિ ‘યજ્ઞ’ ભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ. આપણે યજ્ઞ આયોજનોમાં લાગીએ-પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞ પરંપરામાં ઢાળીએ. અમારું જીવન યજ્ઞના સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશવાન થાય. ગંગા સ્નાનથી જે પ્રકારે પવિત્રતા, શાન્તિ, શીતલતા, આદરતાને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે. યજ્ઞની પ્રક્રિયાને જીવન યજ્ઞનો એક રિહર્સલ કહી શકાય છે. પોતાના ઘી, સાકર, મેવા, ઔષધિઓ આદિ બહુમૂલ્ય વસ્તુઓ જે પ્રકારે આપણે પરમાર્થ પ્રયોજનો હોમ કરીએ છીએ, તેની જેમ જ પોતાની પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ, સાર્મથ્ય આદિ ને પણ વિશ્વ માનવના ચરણોંમાં સમર્પિત કરવી જોઈએ. આ નીતિને અપનાવવાળી વ્યક્તિ ન કેવળ સમાજનું, બલ્કિ પોતનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે, તે દરેકે આ જ નીતિનું પાલન કર્યું છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી વધારી શકતો, તેને જીવનની સાર્થકતાનો શ્રેય અને આનંદપણ નથી મળી શકતો. યજ્ઞીય પ્રેરણાઓનું મહત્ત્વ સમજાવતા ઋગ્વેદમાં યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવ્યો છે. તેની સીખ પર ચાલી લોક-પરલોક બનેં સુધારી શકાય છે. તે વે શિક્ષાઓ આ પ્રકારે છે-

૧- જો કાંઈ આપણે બહુમૂલ્ય પદાર્થ અગ્નિ માં હવન કરીએ છીએ, તેને તે પોતાની પાસે સંગ્રહ કરી નથી રાખતો, પણ તેને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. ઈશ્વર પ્રદત્ત(અર્પિત) વિભૂતિઓનો પ્રયોગ આપણે પણ એવો જ કરવો, જેવો આપણા યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા શીખવાડે છે. આપણી શિક્ષા, સમૃદ્ધિ, પ્રતિભા આદિ વિભૂતિઓનો ન્યૂનતમ ઉપયોગ આપણા માટે અને અધિકાધિક ઉપયોગ જન-કલ્યાણ માટે હોવો જોઈએ.

૨- જે વસ્તુ અગ્નિના સમ્પર્કમાં આવે છે, તેનો તે તિરસ્કાર નહીં, પણ પોતાનામાં આત્મસાત કરી પોતાનો સમાન જ બનાવી લે છે. જો પછાત અથવા નાના અથવા ખોવાયેલ વ્યક્તિના સમ્પર્કમાં આવીએ, તો તેમને આપણે આત્મસાત કરીને અને સમાન બનાવવાનો આદર્શ પૂરો કરીએ.

૩- અગ્નિની જ્વાળા કે તેનો જ દબાવ પડવાથી પણ નીચેની તરફ નહિ જાય, પણ ઊપર જ રહે છે. પ્રલોભન, ભય કે આપણી સામે કેમ ન હોય, આપણે પોતાના વિચારો અને કાર્યોંની અધોગતિ ન થવા દઈએ. વિષમ સ્થિતિઓમાં પોતાના સંકલ્પ અને મનોબળ અગ્નિ શિખાની જેમ ઊચા જ રાખીએ.

૪- અગ્નિ જ્યાર સુધી જીવિત છે, ઉષ્ણતા અને પ્રકાશની પોતાની વિશેષતાઓ નથી છોડતી. તેજ પ્રકારે આપણે પણ પોતાની ગતિશીલતાની ગર્મી અને ધર્મ-પરાયણતાની રોશની ઘટવા ન દેવી જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્ત્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.

૫- યજ્ઞાગ્નિની અવશેષ ભસ્મ મસ્તક પર લગાડતા આપણને એ શીખવે છે કે માનવ જીવનનો અન્ત મુટ્ઠીભર ભસ્મના રૂપમાં શેષ રહી જાય છે. આ માટે પોતાના અંતને ધ્યાનમાં રાખી જીવનના સદુપયોગના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાની થોડીક વસ્તુને વાયુરૂપ બનાવી તેમને સમસ્ત જડ઼-ચેતન પ્રાણિઓને વગર કોઈ પોતાના-પારકા, મિત્ર-શત્રુના ભેદ કરી શ્વાસ દ્વારા આ પ્રકારે ગુપ્તદાનના રૂપમાં ખીલવી દેવું કે તેમને ખબર પણ ન પડે કે કોઈ દાનીએ અમારામાં આટલા પૌષ્ટિક તત્ત્વ ખીલવી દીધાં, ખરેખર એક શ્રેષ્ઠ બ્રહ્મભોજનું પુણ્ય પ્રાપ્ત કરવુ છે અને ઓછા ખર્ચમાં ખૂબ અધિક પુણ્ય પ્રાપ્ત કરવાનો યજ્ઞ એક સર્વોત્તમ ઉપાય છે.

યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસનાઓ અથવા ધર્મ-પ્રક્રિયાઓ એવી છે, જેને કોઈ એકલો કરી કે કરાવી શકે છે; પણ યજ્ઞ અવું કાર્ય છે જેમાં અધિક લોકોના સહયોગની આવશ્યકતા છે. હોળી આદિ મોટા યજ્ઞ તો સદા સામૂહિક જ થાય છે. યજ્ઞ આયોજનોંથી સામૂહિકતા, સહકારિતા અને એકતાની ભાવનાઓ વિકસિત થાય છે.

પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-ત્યહવાર, સંસ્કાર યજ્ઞ સાથે સમ્પન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક એકતા અને ભાવનાત્મક એકતાને લાવવા માટે આવા આયોજનોની સર્વમાન્ય સાધનાનો આશ્રય લેવો એ સૌ પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે.

પોતાના બધાં કર્મકાંડો, ધર્માનુષ્ઠાનો, સંસ્કારો, પર્વોમાં યજ્ઞ આયોજન મુખ્ય છે. તેનો વિધિ-વિધાન જાણી લેવા અને તેમનો પ્રયોજન સમજી લેવાથી તે બધાં ધર્મ આયોજનોની અધિકાંશ આવશ્યકતા પૂરી થઈ જાય છે. લોકમંગલ માટે, જન-જાગરણ માટે, વાતાવરણના પરિશોધન માટે સ્વતંત્ર રૂપે પણ યજ્ઞ આયોજન સમ્પન્ન કરી શકાય છે. સંસ્કારોં અને પર્વ-આયોજનોમાં પણ તેની જ પ્રધાનતા છે.

અઢાર પુરાણ

1

2

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.

પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.

પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.

પુરાણ અઢાર શા માટે? : સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.

મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.

વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.

* અઢાર પુરાણ કયા છે ?

અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.

૧. વિષ્ણુ પુરાણ

અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

૨. શ્રીમદ્ ભાગવત પુરાણ

શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.

૩. નારદ પુરાણ

નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.

૪. ગરુડ પુરાણ

ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.

૫. પદ્મ પુરાણ

પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.

૬. વરાહ પુરાણ

વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

૭. બ્રહ્મ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૮. બ્રહ્માંડ પુરાણ

સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.

૯. બ્રહ્મ વૈવર્ત પુરાણ

આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.

૧૦. માર્કંડેય પુરાણ

માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.

૧૧. ભવિષ્ય પુરાણ

ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે – બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.

૧૨. વામન પુરાણ

વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.

૧૩. શિવ પુરાણ

આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.

૧૪. લિંગ પુરાણ

લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.

૧૫. સ્કંદ પુરાણ

અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન, સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા, ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.

૧૬. અગ્નિ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૧૭. મત્સ્ય પુરાણ

મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.

૧૮. કૂર્મ પુરાણ

કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.

|| પુરાણોના નામ અને શ્ર્લોકસંખ્યા ||

(૧) બ્રહ્મ પુરાણ     –    ૧૦૦૦

(૨) પદ્મ પુરાણ     –    ૫૫૦૦૦

(૩) વિષ્ણુ પુરાણ   –    ૨૫૦૦૦

(૪) શિવ પુરાણ    –    ૨૪૦૦૦

(૫) લિંગ પુરાણ    –    ૧૧૦૦૦

(૬) ગરુડ પુરાણ    –    ૧૯૦૦૦

(૭) નારદ પુરાણ   –    ૨૫૦૦૦

(૮) ભાગવત પુરાણ-    ૧૮૦૦૦

(૧૦) અગ્નિ પુરાણ –    ૧૫૦૦૦

(૧૧) ભવિષ્ય પુરાણ –   ૮૧૧૦૦

(૧૨) બ્રહ્મ વૈવર્ત પુરાણ- ૧૪૫૦૦

(૧૩) માર્કડેય પુરાણ     – ૧૮૦૦૦

(૧૪) વામન પુરાણ      – ૧૦૦૦૦

(૧૫) વરાહ પુરાણ       – ૨૪૦૦૦

(૧૬) મત્સ્ય પુરાણ       – ૧૪૦૦૦

(૧૭) કૂર્મ પુરાણ         –૧૭૦૦૦

(૧૮) બ્રહ્માંડ પુરાણ      –૧૨૦૦૦

 

ગણેશજીનું કપાયેલું અસલી માથું, ક્યાં રાખવામાં આવ્યું છે

1

|| ગણેશજીનું કપાયેલું અસલી માથું, ક્યાં રાખવામાં આવ્યું છે ||

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીની સ્થાપના અચૂક કરવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે ભગવાન ગણેશને ન ઓળખતી હોય. ગણેશજીનું મનમોહક બાળ સ્વરૂપ કે માતા-પિતાને સમર્પિત યુવા સ્વરૂપ કે જ્ઞાનના ભંડાર સમું તેમનું ઔલોકિક રૂપ હિંદુ ધર્મીઓના હૃદયે વસેલું જોવા મળે છે.

હિંદુ  માન્યતાઓ અનુસાર ગણેશ એટલે કે ગણ +ઈશ એટલે કે જે ગણોના ભગવાન છે તે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્રને સુગંધિત દ્રવ્યો સાથે નિર્મિત કરવામાં આવ્યો હતો. આપણે બધાંજ એ જાણીએ છીએ કે ગણેશજીનુ મસ્તક તેમના પિતા શિવ દ્વારા જ કાપી નાંખવામાં આવ્યું હતું પછી તેના સ્થાને હાથીનું મસ્તક સ્થાપિત કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં ગણેશજીનો જન્મ અને સ્વરૂપ માનવ જાતિને પ્રતીકાત્મક રૂપથી જ્ઞાન આપવા માટે બનાવવામાં આવ્યો છે. જેવી રીતે તેમનું માથું કપાવું અહંકાર અને અહમના નાશનું પ્રતીક છે. તથા હાથીનું માથું વિચારોની હકારાત્મકતા અને પ્રૌઢતા તેમજ સહનશીલતા અને સંવેદનશીલતાના ભાવો પ્રગટ કરે છે.

ગણેશજીનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ જુઓ તો તેમાં ગણેશજીના માથે હાથીનું માથું જ જોવા મળે છે. ગણેશજીના કપાયેલા માથાનું શું થયું તે વિશે ભાગ્યે જ કોઈને ખબર છે.  ગણેશજીનું અસલી માથું શિવજીના અસલી ઘરમાં કે જ્યાં તે પાર્વતીજી સાથે રહેતા હતા તે પાતાલ ભુવનેશ્વર ગુફામાં છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં જે રીતે ગણેશજીના માથાનું વર્ણન છે હુબહુ તેને મળતું આવતું  માથું જ આ ગુફા છે. આ ગુફા ઉત્તરાખંડમાં આવેલું છે. અહિંથી પ્રાકૃતિક રૂપે કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના દર્શન પણ કરી શકાય છે. આ ગુફાના દર્શન તીર્થ સમાન હોય છે.

દેવાધિદેવ મહાદેવનાં મંગલ સ્વરૂપ

1

|| દેવાધિદેવ મહાદેવનાં મંગલ સ્વરૂપ ||

સૃષ્ટિની રચનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ભૂમિકા શક્તિ તત્ત્વ સાથે સંકળાયેલી છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ પોષણ અને મહેશની સંહારાત્મક ભૂમિકા હોવાને કારણે દેવાધિદેવ મહાદેવનું સ્થાન વિશિષ્ટ છે, જેથી દેવતાઓના તમામ અવતારોએ મહાદેવની પૂજા કરી ભોળા શંભુને રીઝવ્યા છે. ઋષિ મુનિઓએ પણ મહાદેવને રીઝવી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત કરેલ છે. જળના એક લોટાથી રિઝનાર ભોળા શંભુનો સૌથી વધુ લાભ રાક્ષસોએ ઉઠાવ્યો છે. ભક્તોને શીઘ્ર પ્રસન્ન થનાર ભોળાનાથનું એક નામ આશુતોષ છે. આશુતોષ એટલે જલદી પ્રસન્ન થનાર. ભવાની શંકરની કૃપા વિના અનુગ્રહ થતો નથી. સંસારના ગુરુ શંકર સર્વદા કલ્યાણ કરવાવાળા છે. તેમનું સ્વરૂપ અને મહિમા ભક્તજનોએ સમજવા જેવો છે.

(૧) ત્રિનેત્રઃ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્રણ નેત્ર છે. અગ્નિની વ્યાપ્તિ સૂર્ય મંડળમાં છે, જે તેમનું મસ્તક છે.
(૨) સોમ, ચંદ્રઃ સોમની ત્રણ અવસ્થા છે. સોમ અપ વાયુ છે. મસ્તક ઉપર ચંદ્રની કમળમાં જટા અને ગંગાજી છે. શિવજીનું નામ વ્યોમકેશ છે. આકાશ વાયુ રૂપથી વ્યાપ્ત હોઇ અાકાશ જટા છે.
(૩) ત્રિશૂળઃ દુષ્ટોનું દમન કરી આદ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય તાપોનું નાશ કરનારું ત્રિશૂળ શિવ શક્તિનું અમોઘ શસ્ત્ર છે.
(૪) ડમરુંઃ નાદ બ્રહ્મનું પ્રતીક અને શિવ તાંડવનું વાદ્ય છે.
(૫) મૃગચર્મઃ કૃષ્ણ મૃગ યક્ષનું સ્વરૂપ છે. ચંચલતા નષ્ટ કરી કાર્યસિદ્ધિ આપનારું છે. જેથી શિવે આસનરૂપે ધારણ કરેલ છે.
(૬) વ્યાઘાંબરઃ નૃસિંહ અવતારની યાદમાં ભગવાનના દેહની ખાલ ધારણ કરી છે.
(૭) સર્પ ધારણઃ શિવજીના મંગળ તેમજ અમંગળ બંને સ્વરૂપ છે. શિવજી સંહારકર્તા હોવાથી સંહારની સામગ્રીરૂપે સર્પ ધારણ કરેલ છે. સર્પ કુંડલિનીના આકારરૂપે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. વેદોમાં તેને નાગ સર્પના વ્યવહાર તરીકે વર્ણવેલ છે, જેથી શિવજીએ કુંડલીની જ્ઞાનના પ્રતીકરૂપે, તમોગુણ અને દુર્ગુણોના સંહારાર્થે સર્પ ધારણ કરે છે.
(૮) મુંડમાલાઃ જગદંબાના આર્વિભૂત ૧૦૮ અવતારોના મસ્તકની ખોપરીમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. વળી તે દ્વારા મૃત્યુનું પળેપળ સ્મરણ થાય છે. સૃષ્ટિના અંતે શિવજી જ રહે છે, જેથી તેમણે મુંડમાલા સહિત સ્મશાનવાસ જ પસંદ કરેલ છે.
(૯) શ્વેતવર્ણઃ જ્ઞાનસ્વરૂપ છે. કૃત્રિમ નથી. નિર્લેપતાની નિશાની છે. તેના પર ગમે તેવો રંગ ચઢી શકે છે એટલે શિવજીએ હિમાચ્છાદિત પ્રદેશ સહિત નિત્ય નિર્મળ શુભ્ર સ્વચ્છ શ્વેતવર્ણ ધારણ કરેલ છે.
(૧૦) ભસ્મઃ સૃષ્ટિના પ્રલયકાળે સર્વનાશ થઇ કેવળ શ્વેત ભસ્મ જ રહેવાની જે પ્રલયની સ્મૃતિરૂપ વિશ્વબોધ માટે શિવજી હંમેશાં ધારણ કરે છે.
(૧૧) વિષ પાનઃ શરીર બ્રહ્માંડમાં વિષ અને અમૃત બંનેને ગુપ્ત રાખે છે. ચંદ્રમા અમૃતરૂપ છે. સૃષ્ટિના કલ્યાણ માટે શિવે તેને મસ્તક ઉપર ધારણ કરેલ છે, જ્યારે વિષના અંદર કે બહારના કાળથી જગતને બચાવવા શિવે કંઠ મધ્યે ધારણ કરી શિવજી નીલકંઠ કહેવાયા.
(૧૨) વૃષભ વાહનઃ વૃષભને શાસ્ત્રોમાં ધર્મ તરીકે વર્ણવ્યો છે. તેમાં સત્ત્વગુણ પ્રધાનતા હોઇ શિવજીએ વાહન તરીકે પસંદ કરેલ છે.
(૧૩) લિંગ પૂજાઃ લિંગ નિરાકાર છે, જળાધારી માયા પ્રકૃતિ સ્વરૂપ છે. વાસ્તવમાં પ્રકૃતિ અને પુરુષની પૂજા તે જ લિંગ પૂજા છે.

શિવ કલ્યાણકારી

2

———-શિવનું કલ્યાણકારી સ્વરૂપ————-

|| શિવ કલ્યાણકારી ||

શ્રાવણ મહિનો શિવજીની આરાધના કરવાનો મહિનો કહેવાય છે. દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના પ્રભુએ શિવજીને બ્રહ્માંડના ભરણ પોષણની જવાબદારી સોંપી હતી.

ભગવાન શિવ પરમ કલ્યાણકારી છે.. શિવ શબ્દમાં જ કલ્યાણ અર્થ સમાયેલો છે. આપણા શસ્ત્રોમાં કહેલું છે કે શુદ્ધ મન અને શ્રદ્ધાથી ભક્તિ – ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. ઈચ્છિત ફળ આપે છે. તેઓએ ના ફક્ત માનવ પર પ્રસન્ન થઈ વરદાન આપ્યા છે પરંતુ દેવ, દાનવો પર પણ પ્રસન્ન થઈ વરદાન આપ્યાના અનેક દાખલાઓ છે.

સમુદ્ર મંથન વખતે નીકળેલા વિષપાન કરી દેવ, દાનવોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો અને નિલકંઠ કહેવાયા.

સગર રાજાના સત્તર હજાર પુત્રોના મોક્ષાર્થે રાજા ભગીરથે ઉગ્ર તપ કરીને સ્વર્ગથી ધરતી લાવવા રાજી તો કર્યા પણ તેમનો પ્રચંડ વેગને ઝીલવા પૃથ્વી સક્ષમ ન હોવાથી શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલી ગંગાધર કહેવાયા. તેમના થકી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું અને સગર પુત્રોનો મોક્ષ થયો.

ચંદ્ર જ્યારે શાપથી પીડા ભોગવતો હતો ત્યારે શિવજીએ ચન્દ્રને શરણ આપી તેને નવજીવન આપી અમરત્વ આપ્યું. આથી શિવજી શશીધર ચન્દ્રશેખર કહેવાયા.

શરણે આવેલાને તેઓ કદી નિરાશ નથી કરતા પછી દેવ હોય કે દાનવ કે મનુષ્ય હોય. સર્વ પર સરખા રીઝનારા આશુતોષ શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. એટલે જ કલ્યાણકારી છે.

શિવ ચિન્હોનું તાત્પર્ય

1

|| શિવ ચિન્હોનું તાત્પર્ય ||

* ત્રિશૂળ :-

શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

* ડમરું:-

શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

* શિખર:

તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.

આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

* નંદી:

આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

* કાચબો [કચ્છપ] :-

નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દરેક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

અષ્ટાપદ – કૈલાસ યાત્રા – માનસરોવર

આ૧

|| અષ્ટાપદ ||

જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટાપદ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે

‘અષ્ટપદ’ એટલે આઠ પગલાં. જૈનધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવે અહીં તપ કરીને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને અહીં નિર્વાણ પામ્યા હતા. તેથી એ સ્થળ અષ્ટપદ તરીકે ઓળખાય છે. જોકે જૈન ધર્મના દરેક તીર્થંકર અહીં જ નિર્વાણ પામ્યા હતા. અહીં અનેક ગુફાઓ છે જ્યાં હજી પણ લામાઓ [બૌદ્ધ સાધુ] તપ સાધના કરે છે. આ સ્થળે પહોંચતા જ અહીંના પવિત્ર સ્પંદનોની અનુભૂતિ થાય છે જેનાંથી મન હળવું બની જાય છે. અહીંથી કૈલાસનાં ખૂબ નજદીકથી દર્શન થાય છે. કૈલાસ દક્ષિણ ભાગનાં દર્શન તો અલૌકિક છે. પ્રભુ અશુતોષનાં ત્રિનેત્રિય દર્શન થાય છે . કોઈકવાર નંદીના પણ દર્શન થાય છે. કહેવાય છે કે સોમવતી અમાસને દિવસે કૈલાસ પર શિવપરિવાર ભેગો થાય છે. અહીંથી નંદી પર્વતનાં પણ સુંદર દર્શન થાય છે. આ દેવભૂમિનાં થોડાંક પણ ‘ઈશ્વરીય સ્પંદન’ જો આપણે પામીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

1

|| કૈલાસ યાત્રા — જીવની ઉર્ધ્વગામી યાત્રા ||

કૈલાસ યાત્રા એટલે જીવને શિવ ભણી લઈ જતી ઉર્ધ્વગામી યાત્રા. કૈલાસનું નામ આવતાં જ શિવજીનું સમાધિગ્રસ્તસ્વરૂપ નજર સમક્ષ તરી આવે છે અને મનોમન વંદન થઈ જાય છે. કૈલાસ એટલે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીનું નિવાસ સ્થાન. કૈલાસ શબ્દનો અર્થ કિલ + અસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ. ઓસ એટલે સત્તા હોવી. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાનો કાળ એટલે પ્રલયકાળ. અને આ પ્રલયકાળ દરમિયાન જેની અતિપ્રસિદ્ધ સત્તા રહેલી તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેમનું રહેઠાણ એટલે કૈલાસ અને પ્રલયકાળ ઐકાંતિક સ્થાન એ કૈલાસ, જે શિવસમાધિનું સ્થાન સૂચવે છે. તિબેટમાં આવેલી હિમાલયની હારમાળાને પૂર્વ છેડે આવેલા આ કૈલાસને તિબેટીયનો ‘કંગ-રીપોંચ’ કહે છે. ‘કંગ-રીપોંચ’ અર્થાત ‘Precious Jewel of Snow’. 23,000 ફૂટની ઊંચાઈ ધરાવતા આ કૈલાસને તિબેટીયનો અવનીનો સ્તંભ માને છે. તેનું મૂળ પાતાળનાં અંતિમ છેડામાં છે અને તેનો ઊપરીય છેડો સ્વર્ગનાં ઉપરનાં છેડાને અડકે છે. દંડીસ્વામી શ્રીમદ દત્તયોગેશ્વરદેવ તીર્થ મહારાજના કહેવા મુજબ આ દૃશ્યમાન કૈલાસની ઉપર અદૃશ્ય બીજો કૈલાસ છે. અને જો કૈલાસને જરાપણ આંચ આવશે તો સમજવું કે પ્રલયકાળ પાછો આવશે અને પૃથ્વીનો અંત થશે. કૈલાસ ચતુર્મુખી છે. કૈલાસનો ઉત્તરીય ભાગ ‘સુવર્ણ’, પૂર્વીય ભાગ ‘પારદર્શીય ખનિજ’, દક્ષિણ ભાગ ‘નીલમણી’ અને પશ્ચિમ ભાગ ‘માણેક’ તરીકે ઓળખાય છે. આમ કૈલાસ કુબેરનો ભંડાર ગણાય છે. કૈલાસના નૈસર્ગિક સ્વરૂપને જોઈયે તો કૈલાસ ઉત્તર દિશાથી વિશાળ શિવલિંગ સ્વરૂપે દેખાય છે. પૂર્વ દિશાથી અર્ધનારી સ્વરૂપે દેખાય છે. દક્ષિણ દિશાથી સ્વસ્તિક સ્વરૂપે દેખાય છે અને પશ્ચિમ દિશાથી વિરાટ સિંહાસન સ્વરૂપે દેખાય છે. કૈલાસના ચાર મુખ છે. ઉત્તરીય મુખ મયુરનું કહેવાય છે. પૂર્વીય મુખ હાથીનું કહેવાય છે. દક્ષિણ મુખ વરાહનું કહેવાય છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુના અંગુઠામાંથી પ્રગટ ગંગાના ભયાનક સ્વરૂપને નાથવા મહાદેવે ગંગાને પોતાની જટામાં સમાવી દીધી તેથી તેઓ ‘ગંગાધર’ કહેવાયા. ગંગાએ પૃથ્વી પર અવતરણ કરતાં પહેલા તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓના સ્વરૂપમાં વહેંચી દીધી. આ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા [લોહિતા], ઈન્દુસ [સિન્ધુ], સતલજ [શતાયુ] અને કરનાલી નદી. ગુજરાતના શિરોમણી કવિશ્રી નરસિંહ મહેતાએ કાવ્યમાં કહ્યુ છે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ જેની પ્રતીતિ આ દેવભૂમિમાં થાય છે. આ અદભૂત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે અહીં નથી કોઈ પુજારી છે તો ફક્ત દિશારૂપી દિવાલો અને ગગનરૂપી ઘુમ્મટ. અહીં પવનના સુસવાટા સમ ઘંટારવ થાય છે. જેની અનુભૂતિ ‘ૐ નમઃ શિવાય’ના પંચાક્ષરના નાદના ગુંજારવ રૂપે થાય છે. પળે પળે બદલાતા આ અદભૂત કૈલાસ પરોઢે અગિપૂંજ સ્વરૂપે દેખાય છે. તો સમીસાંજે કાળમીંઠ સ્વરૂપે દેખાય છે. ક્યારેક સુવર્ણમય દેખાય છે તો ક્યારેક શ્વેત શાંત મુદ્રિત સમાધિ ગ્રસ્ત જણાય છે તો ક્યારેક મેધધનુષી દેખાય છે. આવા અદભૂત કૈલાસને કોઈપણ ઉપમા આપવી એ ‘કૈલાસ’ને વામણો દેખાડવા સમ છે. પ્રથમ કૈલાસ દર્શન ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’થી ‘નંદી’ સ્વરૂપે થાય છે. પૌરાણિક કથાઓ મુજબ રાવણે આશુતોષ પ્રભુને પ્રસન્ન કરવા આ તળાવમાં ઊભા રહીને તપ કર્યું હતું. અહીંના જળનું આચમન નથી કરવામાં આવતું. એનું બીજું એ કારણ પણ હોઈ શકે કે માનસરોવર સિવાય અહીંનાં દરેક જળાશયનું પાણી ખારું છે.

2png

|| માનસરોવર એટલે મનઃ સરોવર ||

માનસરોવર બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયુ હતુ. લોકવાયકા મુજબ કહેવાય છે કે દેવોએ સહુ મળી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ સ્વર્ગ સમી પૃથ્વી પર એમને માટે સ્નાનકુંડ બનાવી આપે. ત્યારે બ્રહ્માજીએ પોતાની મનોશક્તિ દ્વારા આ સરોવરનું નિર્માણ કર્યું. સંસ્કૃત ભાષાનાં પ્રાચીન કવિઓ માટે માનસરોવર પ્રેરણાદાયક છે તેના દૃષ્ટાંત રૂપે મહાકવિ કાલિદાસનાં કાવ્યોમાં માનસરોવરનો ઉલ્લેખ છે. સમુદ્રની સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ એકમાત્ર સરોવર છે કે જેનું પાણી મીઠું છે. કહેવાય છે કે એના જળનુ એક ટીપું આપણા પાછલાં સાત જન્મો તારે છે. અને એમાં સ્નાન કરવું એની તો અનુભૂતિ કરી શકાય વર્ણવી શકાય નહીં. માનસરોવર એ ચારે વેદોનો સાર છે. અહીં ધાર્મિક વિધીપૂર્વક હવન તેમજ પિતૃતર્પણ કરવામાં આવે છે. માનસરોવરનું અનોખું સૌંદર્ય ખરેખર મ્હાલવા જેવું છે. મધ્યરાત્રિની શીત ,શાંત, સૌમ્ય ચાંદનીનાં કિરણો ઝીલ્યાં બાદ પરોઢમાં ધીમી ધીમી ફૂટતી આહલાદક પળો મ્હાલવી એ તો જીંદગીભરનું સંસ્મરણ થઈને રહે છે. રાત્રીનાં ટમટમતાં તારલાં એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડમાં ઊતરતા હોય તેવું ભાસે છે. જાણે કરોડો દેવી દેવતા નીલરંગી ગગનમાંથી ઊતરી આવતા ના હોય ! એમાં પણ જ્યારે વરસાદી વાતાવરણમાં મેઘધનુષ નીલાઆકાશમાં પોતાની પણછ ખેંચતું હોય અને એ દૃશ્ય નીલરંગી માનસરોવરમાં દૃશ્યમાન થાય તો એ દૃશ્ય તો આપણી નજરની ચરમસીમા જ ગણાય ! અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય તેમ માનસનાં જળમાં દૃશ્યમાન થાય છે. આ પથ્થરો ‘શિવલિંગ’ની જેમ પૂજાય છે.