|| નવકાર મંત્રનો પરિચય ||
નવકાર મંત્ર મહામંત્ર અને શાશ્વતો મંત્ર છે.
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચનમુક્કારો
સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં.
નમો અરિહંતાણં – અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો સિદ્ધાણં – સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો આયરિયાણં – આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો ઉવજ્ઝાયાણં – ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો લોએ સવ્વસાહૂણં- લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.
એસો પંચનમુક્કારો – આ પાંચને કરેલો નમસ્કાર.
સવ્વપાવપ્પણાસણો – સર્વ પાપોનો નાશક છે.
મંગલાણંચ સવ્વેસિં – અને સર્વ મંગલોમાં
પઢમં હવઈ મંગલં – પ્રથમ મંગલ છે.
નવકાર મંત્રની રચના
નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે.
કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે.
જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન.
નવકારનો પ્રકાશ નવકાર મહિમાનો નહિ પાર
હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માલા (અપરનામ પુષ્પમાલા) માં કહ્યું છે.
નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘલા સુખોનું મૂલ નવકાર છે.
શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે.
આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી. યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે,
પરંતુ તે નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.
નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે.
નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે.
સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે.
પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે.
દરિદ્રતાના કંદને ઉખેડી નાખવા માટેવરાહની દાઢા છે.
સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.
અનાદિકાલીન મંત્ર : નવકાર-વિશ્વમંત્ર :
જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂફ્રમંત્ર શ્રીનવકારમંત્ર છે. નવકારમંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વમાન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આત્મિક અહોભાવથી સ્વીકારે છે. કરોડો શ્લોકોવાફ્રા દ્રષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે તે આ નવપદના નાના નવકારમંત્રમાં રહેલા વિશાફ્ર ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. આ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.
શ્રી નવકારમંત્રના મનન ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારમંત્રના કોઈ એક પદમા અવશ્ય સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. શુભભાવોની સાધના અને મુક્તિનું કારણ કોવાથી નવકારમંત્ર સર્વોચ્ચમંત્ર મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ વિશ્વના પ્રત્યેક જીવને માટે કલ્યાણક એવો આ પરમમંત્ર છે. સમૂફ્ર પાપોચ્છેદક છે, વિશ્વમંત્ર છે.
નવકારમંત્રનું રહસ્ય :
આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચપરમેષ્ટિઓને સામૂહિક રીતે નમસ્કાર કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન કરતાં એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના ઉત્તમોત્તમ ગુણોને નમસ્કાર કરાયેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરનાર આત્મા જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચપરમેષ્ટિના નમસ્કાર સિવાય કોઈ ઈચ્છા, આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી નથી. નિષ્કામ નમસ્કાર એ જ એની મહાનતા છે. એટલું જ નહી વિશ્વની સમગ્ર માનવજાત માટે એ ઉત્તમમંત્ર બનેલ છે.
નવકારમંત્રની મહત્તા :
આત્માના ભવ પલટવા માટે એટલે કે અનાદિકાલના મિથ્યાભાવોને ટાને સમ્યક્ભાવો લાવવામાટે સર્વમંત્રોમાં નવકારમંત્ર વધારે ઉપકારક છે. કારણ
(૧) નવકારની રચના સંક્ષિપ્ત હોવાથી આબાલ વૃદ્ધ સર્વજન ગ્રાહ્ય છે.
(૨) તે સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે તેથી સર્વમંત્ર સંગ્રાહક સ્વરૂપ છે.
આ મંત્રની આગવી અને અનન્ય વિશેષતા એ છે કે તે ત્રણેકાલના સર્વોત્કૃષ્ટ પુરૂષો પ્રત્યે અનન્ય સમર્પણભાવ ધરાવે છે. પરમમંગલમય તત્ત્વોથી છલોછલ ભરેલો છે, તેથી શ્રી નવકારમહામંત્રનો શરણાગત સર્વ, અપૂર્ણતાઓને દૂર કરી સંપૂર્ણ એવા મોક્ષપદને પામી શકે છે.
આ મંત્રની બીજી વિશિષ્ટતા એ છે કે તેને પહેલેથી ગણો છેલ્લેથી ગણો વચ્ચેથી ગણો કે અવલી રીતે ગણો તો પણ તે શ્રેયસ્કર જ નીવડે છે, બીજા સામાન્યમંત્રોની માફક આ પરમમંત્રની કોઈ અવલી અસર નથી થતી નથી. વિશિષ્ટ પ્રકારની રચનાના પ્રભાવે તેનો પ્રત્યેક અક્ષર અખૂર શક્તિનો ભંડાર છે. દુષ્ટ આશયપૂર્વકનો તેનો જાપ પણ તરત જ તે આશયમાંથી દુષ્ટતાને દૂર કરે છે.
નમસ્કાર મહામંત્રનું એક એક પદ એક-એક અક્ષર, તેની સાધના કરનાર સાધકને અનોખી સમતા અને સમાધિ આપે છે, સાધક આ મહામંત્રને સમર્પિત થઈ જાય, તેને આત્મસાત્ બનાવી અજપાજપથી તેના ૬૮ અક્ષરોને ઘટ-ઘટ વ્યાપ્ત બનાવી દે તો સાધનામાં પરમોચ્ચ શિખરને આંબી જાય છે. સંક્ષેપમાં નમસ્કાર મહામંત્રનો મહિમા, અર્થ વિસ્તાર અનંત અને અપાર છે. પંચપરમેષ્ઠિ ભગવંતોની અનન્ય શરણાગતિ સ્વીકારીને, તેના કીર્તન, સ્મરણ અને ધ્યાનમાં ઓપપ્રોત બનવાથી જ તેના મહિમાનો રહસ્યાર્થ યત્કિંચિત યથાર્થ અનુભવ, લાભ મેલવી શકાય છે.
નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘફ્રા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય. આ મહામંત્રમાં રહેલી સમક્ષ્ટિના નમસ્કારની ગંભીર વિશાફ્ર, ઉદાત્ત ભાવના એ સૂચવે છે. કે વ્યક્તિપૂજા કરતાં ગુણપૂજાનું ફલ અનંતગણું મફ્રે છે. તેનું કારણ પણ સરલ છે. કેમ કે માત્ર એક જ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત ભગવંતોને સહજપણે નમસ્કાર થઈ જાય છે. તીર્થંકરોની અનાદિકાલથી જે અનંતી ચોવીસી થઈ ગઈ, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે અને ભવિષ્યમાં જે અનંતી ચોવીસી થવાની છે તેમને સહુને નમો અરિહંતાણં પદ માત્ર બોલવાથી જ વંદન નમસ્કાર થઈ જાય છે. તે રીતે એક જ નમસ્કારથી એક જ વ્યક્તિને નમસ્કાર થવાને બદલે અનંતા ગુણીજનોને નમસ્કાર થવાથી ફલ પણ અનંતગણું મફ્રે છે.
અન્ય મંત્રો વિશેષ પ્રકારે સાધવાથી ઘણા પ્રયત્ને ફલદાયી થાય છે ત્યારે શ્રી નવકાર મહામંત્ર નિષ્કામ ભાવે જપવાથી અલ્પ પ્રયાસે ફલદાયી બને છે. કહેવાય છે કે પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિને કરેલ એક જ નમસ્કાર પવન જેમ જલને સૂકવી નાખે તેમજ સકલ કલેશજાલને છેદી નાખે છે. આ પ્રમાણે જીવાત્માના સઘલ પ્રકારના સાંસારિક કલેશો તથા ચિંતાઓ અલ્પ પ્રયાસે દૂર કરી તેનાં સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખી, પરમાત્માપદ સુધી પહોંચાડવાની તેમાં શક્તિ છે.
અન્યમંત્રોમાં તે મંત્રના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે અને તે દેવ કાં તો મંત્ર વડે વશ થાય અગર પ્રસન્ન થાય તો જ મંત્ર ફલ આપે છે પણ તે દેવને પ્રસન્ન કરવાનું સહેલું નથી હોતું. વફ્રી, તે મંત્ર સાધવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલાં હોય છે. તેથી તેની સાધનામાં કંઈ ફેર પડતો તો સાધકના પ્રાણ પણ જોખમાઈ જાય એવું સંકટ ઊભું થાય છે. પરંતુ શ્રી નવકારમંત્રના કોઈપણ એક અધિષ્ઠાતા દેવ નથી. કારણ આગલ જોયું તેમ તેમાં કોઈ વ્યક્તિગત દેવની આરાધના નથી પણ ગુણધારીની છે – તેથી ઉપરના કોઈ પણ પ્રકારના ભયસ્થાનો આ મહામંત્રની આરાધના કરવા જતાં ઉપસ્થિત થતાં નથી.
અન્યમંત્રો ઉચ્ચારણ કઠિન હોય છે તેમજ તેમના અર્થ પણ ગૂઢ હોય છે, જ્યારે આ મહામંત્ર બોલવામાં અતિ સરલ છે. તેના અર્થ સ્પષ્ટ છે અને તેના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી ફલ અત્યંત મધુર છે.
સંક્ષેપમાં નવકારમંત્ર મિથ્યાત્વ અને અજ્ઞાતનો નાશ કરનારો છે સમ્યક્ત્વની સ્પર્શના કરાવનાર છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયા અત્યંત મહત્ત્વની છે જેથી આ મહામંત્રને અનન્ય કલ્યાણકારી કહેલ છે. તેથી જ ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’માં કહેલ છે;
હે નાથ! તમારૂ સમ્યક્ત્વ ચિંતામણિરત્ન કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો નિર્વિધ્ને અજર, અમર સ્થાને પ્રાપ્ત કરે છે.
અદ્ભૂત અક્ષરો : અક્ષર – અ – ક્ષરના દ્યોતક :
‘ન’ અને ‘મો’ એ બે અક્ષરના સંયોજનથી બનેલો નમો શબ્દ અંતરમાં આત્મભાવ, નિર્મલતા, મૃદુત્તા, શાંતિ અને સંતોષની ધારા વહાવે છે કારણ કે તેના પ્રત્યેક અક્ષરમાં પોતાનો આગવો વિશિષ્ટ પ્રભાવ છે, પ્રત્યેક અક્ષર મંત્ર છે.
શ્રી નમસ્કારમંત્રના એકેક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિ છે. એ એક એક અક્ષરમાં ચૌદ રાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એક એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રી નમસ્કારની મંત્રશક્તિએ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ’પણ ત્રણે કાલના તીર્થંકરદેવો, સિદ્ધ ભગવંતો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોની સમગ્ર એકત્રિત થયેલી આત્મશક્તિ તે જ નમસ્કારમંત્રની શક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબલ સતત શ્રી નમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે તેથી જ શ્રી નમસ્કારમંત્રનો અતિ ઉત્તમ મહિમા વર્ણવેલો છે.
શ્રી નમસ્કારમંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો એ મૂલમંત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરૂ (૩) મફ્રી કુલ ૩૫ અક્ષરો છે. છેલ્લાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂલમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે. વ્યંજનસહિત લઘુ (૨૯) અને ગુરૂ (૮) મફ્રી કુલ ૩૩ અક્ષરો છે. એ બન્ને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કાર મંત્રના કુલ ૬૮ અક્ષરો હોય છે.
નવકારના અક્ષરનો મહિમા બતાવતા કહેલ છે “કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા પંચપરમેષ્ટિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને આઠ વિદ્યાઓ રહેલી છે.”
નવકારના એકેક અક્ષરની મહત્તા બતાવતાં મહાનિશીથસૂત્રમાં કહેલ છે. કે શ્રી નવકારના એક અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલ ચિંતન ૭ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે.
એક પદનું ચિંતન ૫૦ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર નવકારના નવપદોનું ચિંતન ૫૦૦ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે.
“ઉપદેશતરંગિણી”માં અડસઠ અક્ષરનું મહત્ત્વ બતાવતાં કહેલ છે કે આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફલને આપનાર શ્રી નવકારમંત્ર જયવંત વર્તો.
નવકારના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ તરીકે વખાણ્યાં છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.
દ્રવ્યથી નવકાર મંત્રના આ અક્ષરો પરમ મંગલરૂપ છે.
ક્ષેત્રથી-જ્યાં પણ શ્રી નવકારમંત્રનો જાપ થાય તે સ્થાન મંગલરૂપ છે.
કાલથી- જ્યારે જેટલો સમય શ્રી નવકારનો જાપ થાય તેટલો કાલ મંગલમય જાણવો.
ભાવથી -નમસ્કારમંત્રનો ભાવ સ્વયં મંગલરૂપ છે.
આ રીતે નવકાર મંત્રના એકેક અક્ષરનું અદ્ભૂત મહત્ત્વ છે. તેનો વિધિ પૂર્વક મન-વચન-કાયાથી જાપ કરવામાં આવે તો અશુભ કર્મોનો ક્ષય થાય છે. નવ લાખ નવકાર મંત્રનો જાપ કરતાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપનો ક્ષય થાય છે.
નવકારની જાણવાજેવી વાતો :
અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંઆખી મંત્રમય છે. પરંતુ તેની શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો પરમાર્થો પણ સદાકાલ એકસરખા જ રહે છે.
શ્રી નવકારના પ્રભાવે શત્રુ મિત્ર બને છે, વિષ અમૃત બને છે, આપત્તિ સંપત્તિ બને છે, કારાવાસ મુક્તિ બને છે, દુઃખ સુખ બને છે, ઉપદ્રવી ભૂતપ્રેત-પિશાચ સૌ અનુકૂલ બને છે અને જ્યોતિષ ભાષિત અશુભ ભવિષ્ય શુભ બને છે!
શ્રી નવકારની પ્રભાવ કથાઓ ખુબ જાણીતી છે જેમાં નાગ મરીને નાગરાજ ધરણેન્દ્ર બને છે, સમડી મરીને રાજ કુમારી બને છે, અમરકુમારનો અગ્નિકુંડ સરોવર બની જાય છે અને શ્રીમતી સતીને મારી નાખવા મૂકાયેલા સર્પ પુષ્પમાલા બની જાય છે, વગેરે તો ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે.
આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ જેટલી ઓછી બને ત્યારે શ્રી નવકારનો ‘ન’ સાંભળવા મથે છે. શ્રી નવકારને પામેલો આત્મા દુર્ગતિઓનું સર્જન કરતો કરતો હસતાંરમતાં મુક્તિનું શિખર સર કરી શકે છે.
પુણ્ય પ્રાપ્તિનાં અનેક કારણો છે. પરંતુ જેવી રીતે નક્ષત્ર માલામાં ચન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વપુણ્ય-સમુહની પ્રાપ્તિમાં નવકાર એક શ્રેષ્ઠ કારણ છે.
મકાનને આગ લાગે ત્યારે માણસ જેમ, મૂલ્યવાન ઝવેરાતને ઉપાડીને ભાગે છે, તેમ ચૌદપૂર્વધરો પણ મૃત્યુસમયે શ્રી નવકારને ચિત્તમાં લઈને પરલોકે પ્રયાણ કરે છે.
“મને શ્રીનવકાર મળ્યો એટલે સઘળું મળી ગયું. જે કંઈ પણ મને મળ્યું છે,તે શ્રી નવકાર પાસે તો તરણા જેવું છે. અને એટલે જ શ્રી નવકાર મળ્યા પછી હવે મેળવવા જેવું કંઈ જ બાકી રહ્યુ નથી બધું જ મળી ગયું છે! ખરેખર જન્માન્તરોમાં મેં જે કંઈ સુકૃતો કર્યાં છે, તે સર્વ આજે એક સાથે ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવેલા મારા પુણ્યોએ મને શ્રી નવકારની પ્રાપ્તિ કરાવી છે, તેથી હવે હું પૂર્ણ પુણ્યવાન છું. મારાં પાપો દૂર ચાલ્યા ગયા છે. હવે મારું મુક્તિમાર્ગે ગમન નિર્વિધ્ન રહેશે.” આવી આવી ભાવનાઓથી ભાવિત બનીને, શ્રી નવકારનો પારમાર્થિક પરિચય પામીને, શ્રીનવકારનું સ્મરણ કરવું જોઈએ.
સગર્ભાવસ્થામાં અને જન્મસમયે જો માતા શ્રીનવકારના સ્મરણમાં લીન હોય તો સંતાન પુણ્યશાળી અને પવિત્ર બને છે.
શ્રી નવકારનો આ છે અદ્ભૂત અને અપ્રતિમ પ્રભાવ :
(૧) તેના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.
(૨) તેના એક પદના સ્મરણથી પચાસ સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે. અને
(૩) તેના પૂર્ણ સ્મરણથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.
નવકાર એ જીવન વિજ્ઞાન છે. જીવન સંસ્કૃતિ છે.
નવકાર એ જીવન યોગ છે. જીવન મંગલ છે.
નવકાર એ જીવન મુક્તિ છે. આજનો યુગધર્મ છે.