જૈન પ્રતિક ચિહ્ન

1

|| જૈન પ્રતિક ચિહ્ન ||

જૈન ધર્મમા વિવિધ પ્રતીકો છે, દરેક પ્રતીક એક ઊંડા અર્થ ધરાવે છે. ભગવાન મહાવીરના નિર્વાણનો ના ૨૫૦૦ વર્ષગાંઠ નિમિત્તે જ્યારે આ પ્રતીક જૈન ધર્મ તમામ સંપ્રદાયો દ્વારા અપનાવવામાં આવ્યું હતું.

પ્રતીક ની રૂપરેખા બ્રહ્માંડની (લોક) વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રતીક ની નીચે ભાગ સાત નરકનુ (નરકી) પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્માંડ ની મધ્ય ભાગમા પૃથ્વી અને ગ્રહોનો ઉલેખ છે. પ્રતીક ના ઉપલા ભાગ દેવલોક છે. જૈન માને છેકે બ્રહ્માંડ ના તો કોઇઍ સર્જન કરી શકે છે ના તો તેનો નાશ કરી શકે છે, પણ તે તેના સ્વરૂપ બદલી શકે છે, તેના સિવાય, તે હંમેશા હતુ અને હંમેશા રહેશે.

પ્રતીકમા ઉંચો હાથ (હિંસા) બંદ કરવાનો સંકેત આપે છે, ચક્રની મધ્યમાં શબ્દ “અહિંસા” છે. અહિંસા આટલે જેમા હિંસા નથી. આ બે નિશાની વચ્ચે, આપણે ઍક મિનિટ રોકાઈને કાઇ પણ કાર્ય કરતા પેહલા બે વખત વિચારવાનુ કહે છે. આ પ્રતીક આપણી પ્રવૃત્તિ ની ચકાસણી કરવાનો સંકેત આપે છે અને ભૂલથી પણ શબ્દો, વિચારો, અથવા ક્રિયાઓ દ્વારા કોઈને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે કહે છે. હાથમાં આ ચક્ર દર્શાવે છે કે આપણે અગર કાળજી નથી લેતા અને આ ચેતવણીની અવગણ કરીને હિંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખિયે, તો પછી જેમ વ્હીલ ગોળ ગોળ જાય છે, ઍમ આપણે પણ જન્મ અને મરણ ના ચક્રમા ગોળ ગોળ જવુ પડે છે.

સ્વસ્તિક ની ચાર હાથ જન્મ અને મરણ ના ચક્ર દરમ્યાન, આપણે કોઈ પણ ચાર ભાવીમા જન્મ થઈ શકે છે, જેમ કે, દેવ, મનુષ્ય, પ્રાણી (પક્ષીઓ અને છોડ સહિત) અને રાક્ષક. આપણો હેતુ જન્મ અને મરણના ચક્રમા થી મુક્તી મેડવી મોક્ષ પામવાનો હોવો જોઈયે.

સ્વસ્તિક ઉપર ત્રણ બિંદુઓ જૈન ધર્મ ના ત્રણ ઝવેરાત રજૂ કરે છે, સામાયૅક દર્શન, સામાયૅક જ્ઞાન, સામાયૅક ચારીત્ર. આપણી પાસે આ ત્રણેઉ હોવા જોઈઍ, જેમ કે સાચુ જ્ઞાન, સાચો વિશ્વાસ, અને સાચુ વર્તન, તોજ અપડે મોક્ષ (મુક્તી) મેડવી શકીઍ છે.

સાચુ જ્ઞાન = શરીર અને આત્મા બેઉ અલગ છે, અને શરીર નહી, પણ આત્મા મોક્ષ મેડવી શકે છે.
સાચો વિશ્વાસ = સર્વ ગ્યાની જિનેશ્વર ની વાણી મા સાચો વિશ્વાર્સ હોવો .જોઈઍ
સાચુ વર્તન = આપણાં કાર્યો દુનિયાઈ જોડાણ અને તિરસ્કાર થી દૂર હોવા જોઈઍ

ટોચ ભાગ પર જૈન બ્રહ્માંડના પ્રતીક ની ઉપર અર્ધ ગોળ આકાર છે, આ અર્ધ ગોળ આકાર સિદ્દધા (મુક્ત આત્મા) નુ રહેઠાણ રજૂ કરે છે. તે સીદ્ધાશીલા તરીકે પણ ઓળખાય છે. તે મુક્ત આત્માઓ ના અંતિમ વિશ્રામી સ્થળ છે. અર્ધ ગોળ આકાર ઉપર બિંદુ સિદ્ધ રજૂ કરે છે. . આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એક આત્માઍ બધા જોડાયેલ કર્મોનું નાશ કરવુ પડે છે. દરેક જીવઍ મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભારે પ્રયત્ન કરવા જોઈએ.

જૈન ધર્મના ચિહ્નો અને અષ્ટમંગળ

2       1     3

1

1. Jain Emblem

2

1. The Jain Emblem is a congregation of various symbols, each having a deeper meaning. In 1975 this symbol was adopted by all sects of Jainism while commemorating the 2500th anniversary of the nirvana of Lord Mahaveera.

The inner part of the Emblem contains Swastika (explained below) and Jain Hand (explained below).
The meaning of the mantra at the bottom (PARSPAROGRAHO JIVANAM) is “Live and Let Live”. All creatures should help one another.

The outline of the symbol is defined as the universe. It consists of three realms (Loks). The upper portion indicates URDHAVA LOK (heaven). It contains the heavenly abodes (Devloka) of all the celestial beings and abode of the Siddhas (Siddhashila). The middle portion indicates MADHYALOK (material world). It contains the Earth and other planets (Manushyalok). And the lower portion indicates ADHOLOK (hell). It contains the seven hells (Naraka). Jainism says that this universe was neither created by anyone, nor can it be destroyed by anyone. It may change its form, but otherwise, it has always been and will always be here.

The overall symbol depicts the belief that living beings of all the three worlds (heaven, hell, and earth) suffer from the miseries of transmigratory existence. They can follow the path of true religion, which is Right Faith, Right Knowledge, and Right Conduct as expounded by the Tirthankars. This will bring auspiciousness to themselves, minimize suffering to others, and help them to obtain perfection, after which they will live forever as perfected beings. In short, the Jain emblem represents many important concepts to show the path to enlightenment by following the basic principles of AHIMSA (non-violence), TRIRATNA (right belief, right knowledge, and right conduct) and helping others. The JAINA symbol replaces swastika with OM because Swastika is not viewed as a pious religious symbol by the western world.

1

2. Swastik

3

It is a symbol of the seventh Jina (Saint), the Tirthankara Suparsva. It consist of two parts. One part includes the Red and Blue part of the image. All other religions believe in this part only. But swastik in jainism includes 3 dots and a crescent moon with a dot also.

Four arms of SWASTIKA symbolizes the four GATI (destiny) of worldly souls (non-liberated): NARAKVASI (hellish beings), TRIYANCH (animals, birds, plants), MANUSHYA (humans) and DEV (heavenly beings). It represents the perpetual nature of the universe in the MADHYALOK (material world), where a creature is destined to one of those states based on their Karmas (deeds). It reminds us that worldly souls undergo a continuous cycle of birth, suffering, and death in these four forms. Hence one should follow the true religion and be liberated from suffering. It also represents the four columns of the Jain Sangh (community): Sadhus, Sadhvis, Shravaks and Shravikas – monks, nuns, female and male laymen. It also represents the four characteristics of the soul: infinite knowledge (Anant Gyan), infinite perception (Anant Darshan), infinite happiness (Anant Sukh), and infinite energy (Anant Virya).

The green dots represent the Triratna (Jain Trinity: three jewels of jainism): Samyak Darshan (Right Faith), Samyak Gyan (Right Knowledge) and Samyak Charitra (Right Conduct) which together lead to liberation. This gives the message that it is necessary to have TRIRATNA in order to attain MOKSHA. The Crescent moon and the dot i.e. the yellow part of the image represents the abode of the liberated souls (Siddha – Loka or Siddhashila or Moksha) which is a zone beyond the three realms (loks). All of the Siddhas (liberated bodyless souls) reside on this forever, liberated from the cycle of life and death.

In the Svetambar Jain tradition, it is also one of the symbols of the ashta-mangalas. It is considered to be one of the 24 auspicious marks and the emblem of the seventh arhat of the present age. All Jain temples and holy books must contain the swastika and ceremonies typically begin and end with creating a swastika mark several times with rice around the altar.

1

3. Jain Hand
4

The palm of the hand signifies the assurance; ‘do not be afraid’, indicating that human beings suffering due to karmic bondage do not need to be disheartened. Another meaining is “stop and think before you act to assure that all possible violence is avoided.” This gives us a chance to scrutinize our activities to be sure that they will not hurt anyone by our words, thoughts, or actions. We are also not supposed to ask or encourage others to take part in any harmful activity.

The wheel in the hand symbolizes SAMASARA (reincarnation cycle). It shows that if we are not careful and ignore these warnings and carry on violent activities, then just as the wheel goes round and round, we will go round and round through the cycles of birth and death.

The word in the center of the wheel is “Ahimsa” (non-violence). Ahimsa means avoidance of Himsa (violence). It has been treated as the first of the five Mahavratas (great vows), prescribed by Jain religion and this Ahimsa Mahavrata has been defined in `Ratnakaranda-sravakachara’ as “abstaining from the commission of five sins, himsa and the rest in their three forms, krita, karita and anumodana, with the mind, speech and the body constitutes the Maha-vrata of great ascetics”.

The 24 spokes represents the preaching from the 24 Tirthankars (enlightened souls), which can be used to liberate a

1

4. Aum
5

In Jainism, Aum is regarded to be a condensed form of reference to the five parameshthis, by their initials A+A+A+U+M (o3m). The Dravyasamgrah quotes a Prakrit line:

“oma ekākṣara pañca-parameṣṭhi-nāmā-dipam tatkabhamiti ceta “arihatā asarīrā āyariyā taha uvajjhāyā muṇiyā”
“Aum” is one syllable made from the initials of the five parameshthis. It has been said: “Arihanta, Ashiri, Acharya, Upadhyaya, Muni”.
In Short, ‘a’ + ‘a’ + ‘ā’ + ‘u’ + ‘m’ = aum
a = Arihanta
a = Asrira (Siddha)
ā = Acharya
u = Upadhyaya
m = Muni (Sadhu)

Thus, ओं नमः (om namah) is a short form of the Navkar Mantra.

1

5. JAIN FLAG

The Jains flag have five different colors.

Red color represents Siddha
Yellow color represents Acharya
White color represents Arihanta
Green color represents Upadhyaya
Dark Blue (or Black) color represents Muni (Sadhu)
There is a symbol of swastik in the central strip.

===================================

1 l

|| અષ્ટમંગળ ચિહ્ન ||

8 મહત્વપૂર્ણ જૈન ચિહ્ન

1. સ્વસ્તિક
શાંતિ અને સુખાકારી ચિહ્ન

2. શ્રિવતસા
‘વાત્સા’ નો અર્થ થાય છે છાતી અને ‘શ્રી’ અર્થ થાય છે સુંદરતા. છાતી ના મધ્યમાં નરમ વાળ ના સમૂહ નો વધારો થાય છે. આ શ્રિવતસા કહેવામાં આવે છે. શ્રિવતસા જીના ના હૃદય પર એક સુંદર ચિહ્ન છે.

3. નાંધ્યવાર્તા
નવ ખૂણાઓ સાથે મોટા સ્વસ્તિક. પૌરાણિક મા નાંધ્યવાર્તા ના નવ બિંદુ પદાર્થ, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સંપત્તિ અને ખજાનો નવ પ્રકારો સૂચવે છે.

4. વર્ધામણાકા
વર્ધામણાકા ને શરાવ તરીકે પણ જાણીતૂ છે. દીવા માટે ઉપયોગ છીછરા માટીનું તાટ (રાકાબી), જ્યારે ઍક માટીની રાકાબી બીજી રાકાબી ઉપેર ઉલ્ટી મૂકવા મા આવે છે ત્યારે, તે એક બોક્સ જેવુ દેખાય છે. આ ચિહ્ન ભગવાન ની કૃપા થી સંપત્તિ, નામના અને ગુણવત્તામા વધારો સૂચવે છે.

5. ભદ્રસના
સિંહાસન જેનો અર્થ થાય છે. ભદ્રસના ઍ ઍક પવિત્ર બેઠક મુક્ત જીવો તરીકે ગણવામાં આવે છે.

6. કલશ
કલશ ઍક કલ્યાણ નુ પ્રતીક છે, તે એક પવિત્ર લૉટો છે જે તાંબુ, ચાંદી અથવા પોલાદ (સ્ટીલનો) બનેલો હોય છે. કલશ ધાર્મિક અને સામાજિક સમારોહમાં ઉપયોગ થાય છે અને મંદિરોમા પૂજા કરવામાં પણ ઉપયોગ થાય છે. જ્યારે નવા ઘરમા ગ્રહપ્રવેશ કરે છે ત્યારે કલશ મા શુદ્ધ પાણી ભરી, માથા પર મૂકી મંત્રો પાઠ કરવાનો પણ રીવાજ છે. આ વિધિ નવા ઘરમાં સુખ, શાંતિ અન સમૃદ્ધિ ફેલાવા માટે કરવામાં આવે છે.

7. મીનયુગલ
મીનયુગલ માછલીની એક જોડ છે. આ પ્રકાર ની જોડી દિવ્ય ગણવામાં આવે છે. કારણકે તે બ્રહ્માંડના દરિયામાં દિવ્ય જીવન નો પ્રવાહ બતાવે છે.

8. દર્પણ
દર્પણ નો અર્થ અરીસો પણ થાય છે. દર્પણા આત્માનો પ્રતીક છે.

 

સ્વસ્તિક – સાથીયા

2

|| સ્વસ્તિક -સાથીયા ||

ઘરને આંગણે સાથિયો છે. પગ મુકતાં ખબર પડે છે, એટલે પગ કાળજીથી મુકાય. સહેજ બાજુ પર મુકાય, જેથી આકૃતિ ન બગડે, એની રેખાઓ ન ભૂંસાય. એના ઉપર નજર રાખીને અંદર જવાય. એની મંગલમયતા દિલમાં ઉતારવા દઈને એ ઘરમાં પ્રવેશ કરાય.

સ્વસ્તિક … માંગલ્યનું પ્રતિક છે.

સ્વસ્તિક … આશિર્વાદનો સંકેત છે.

જે ઘર ઉપર એ સંજ્ઞા છે એમાં વિશેષ અર્થમાં ને વિશેષ શક્તિથી ભગવાનનો વાસ હોય છે. અને તેથી વિશેષ ભાવ અને માન સાથે એમાં પ્રવેશ કરવો ઘટે. ઈશ્વરના સાનિધ્યનું ચિહ્ન છે.

આકૃતિ તો સરળ છે. એક લીટી ઉભી ને એક લીટી આડી, કાટખૂણે ચાર દિશાએ ચાર ભૂજ. સરળ ને સંમિત. સમાન ને સમતોલ. અને એનું આખું ધ્યાન ને વેગ ને વજન ને ગતિ એની મધ્યના છેદબિંદુ ઉપર કેન્દ્રિત થાય છે. એ નાભિકમળમાંથી ચારે દિશાએ સર્જક શક્તિ ફેલાય છે અને આખી સૃષ્ટિને મંગલમય બનાવે છે.

સ્વસ્તિક નાનો છે પણ વિશાળ છે. આંગણાના લીંપણ ઉપર દોરાય છે. પણ, આખા વિશ્વને આવરી લે છે. વામનનો અવતાર છે પણ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. સ્વસ્તિકમાં રક્ષણ છે, પાલનશક્તિ છે, અભયમુદ્રા છે. કારણકે, એની એ ચાર સૂક્ષ્મ રેખાઓમાં ભગવાનનો સાંકેતિક સાક્ષાત્કાર છે. સ્વસ્તિકમાં દિશાઓનું પૂજન છે, અવકાશની આરતી છે, ઈશ્વરના સામીપ્યનો સંકેત છે.

સ્વસ્તિક નાનો, પણ પ્રભાવ મોટો. રેખા ટૂંકી પણ દિશા અનંત. સ્વસ્તિકમાં એ જ રહસ્ય છે. એમાં દિશા છે, અનંતતા છે, સર્વવ્યાપકતા છે. સ્વસ્તિકમાં ગતિ છે, વેગ છે. એ કાગળના ખૂણામાં બેસી રહેતો નથી, પણ આખો કાગળ બાથમાં લે છે. તે કોઈ જડ આકૃતિ નથી, નિશ્ચેતન છાપ નથી, વહેતું ઝરણું છે. બાંધેલી હવા નથી, વા’તો પવન છે.

સ્વસ્તિકમાં વ્યાપકતાનો ગુણ છે, એની સાથે સાથે એકતાનો ગુણ પણ એમાં છે. ચારે દિશાઓ દોડવાની વૃતિ છે અને એક બિંદુએ એકત્રિત તાવનો આગ્રહ છે. ઈશ્વર બધે છે એનો સંદેશ એમાં છે અને બધું ઈશ્વરમાં છે એ બોધ પણ એમાં છે. રેખાઓ સાથે મિલનબિંદુ. દિશાઓની વચ્ચે ઉગમસ્થાન. ચાર ભુજના કેન્દ્રમાં એક હૃદય. વિશાળ ને એકાગ્ર. વિશ્વ ને બિંદુ. ડાળીઓ ને બીજ.

સ્વસ્તિક વ્યાપકતાનું પ્રતિક છે અને સાથે સાથે જોડાણનું પ્રતિક પણ છે. ઊર્ધ્વ અને સમક્ષિતિજ. શાશ્વત અને ક્ષણિક. દિવ્ય ને માનવી. બધું એક કેન્દ્રમાં, એક બિંદુમાં. સ્વસ્તિકમાં બહાર તરફની ગતિ હતી, તેમાં અંદર તરફની પણ છે. દિશાઓ સુધી લઇ જનાર શક્તિ હતી ને કેન્દ્રમાં સમાવી લેનાર વૃતિ પણ છે. કેન્દ્રગામી વેગ છે. ગુરુત્વાકર્ષણ છે. અદ્વૈત છે.

માટે સ્વસ્તિક બધે કરાય, બધે પૂજાય. કાગળ ઉપર સ્વસ્તિક ને ચોપડા ઉપર સ્વસ્તિક. ઘરને આંગણે સ્વસ્તિક ને ઘરને ઉંબરે સ્વસ્તિક. નવજાત શિશુના વસ્ત્ર ઉપર સ્વસ્તિક અને વરકન્યાના અંતરપટ ઉપર સ્વસ્તિક. પૂજામાં સ્વસ્તિક ને શોભામાં સ્વસ્તિક.

હા, અને વિશેષ તો મન ઉપર સ્વસ્તિક ને હૃદય ઉપર સ્વસ્તિક. એના વિચારો ને કલ્પનાઓ ને ઉર્મિઓ ને યોજનાઓ ઉપર સ્વસ્તિકની છાપ ને પ્રેરણા ને ભાવના.

ચોપડાના પૃષ્ઠ ઉપર સ્વસ્તિક કર્યો એટલે અંદર ગમે તે ખોટો હિસાબ લખવા અભયદાન મળ્યું એમ નથી. ઊલટું, પહેલે પાને સ્વસ્તિક છે માટે હવે એની સાક્ષીએ ને એના પ્રતાપે એક-એક પાને સાચું લખાશે, પૂરું ને ચોક્કસ લખાશે. ઘરને આંગણે સાથિયો પૂર્યો એટલે ઘરને ઓરડે ગમે તે અવળું વર્તન કરવા છૂટ મળી એમ નથી. ઊલટું, બહાર સાથીયો છે માટે હવે એને શોભે ને એને છાજે એવું વર્તન અંદર રાખવાનો આગ્રહ રહેશે.

સાથીયા પૂરવાથી જવાબદારી ઓછી થતી નથી_વધે છે. ચોપડાનું પૂજન કરવાથી સાચો હિસાબ ફરજ છોડાતી નથી_બંધાય છે. અને ખૂબી એ છે કે એ આદર્શ પાળવા માટે સ્વસ્તિકમાં જ ટેકો મળશે ને શક્તિ મળશે. ભગવાનનું સાંનિધ્ય, મંગળની વ્યાપકતા, દિશાઓનો ધર્મ ને સૃષ્ટિની એકતા એ સરળ આકૃતિમાં છે અને જીવન પવિત્ર, પ્રમાણિક, શુદ્ધ ને પુણ્યમય રાખવા એ બોધમાં પ્રેરણા છે, આશીર્વચન છે.

ભગવાન બધે છે, પોતાના ચાર હાથ ( સ્વસ્તિકના ચાર ભૂજ ) લંબાવીને, વિસ્તારીને તે આખી દુનિયાને આવરી લે છે, આપણું જીવન આંબી લે છે, બાંધી લે છે, પોતાની તરફ ખેંચી લે છે_અને એ ધન્ય આલિંગનમાં આપણું શાશ્વત કલ્યાણ સર્જી આપે છે.

સ્વસ્તિકના નાભિબિંદુમાં દિશાઓની અંતિમ સાર્થકતા સિદ્ધ થાય છે.

ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ

AA   A

|| ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ||

જૈન ધર્મમા ૐ શબ્દમા પાંચ અક્ષર છે. અ, અ, અ, ઉ અને મ.

૧. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી ભગવાન અરિહંત થાય છે.
૨. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી અશરીરી ભગવાન સિદ્ધ થાય છે.
૩. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી આચાર્ય ભગવંત થાય છે.
૪. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉપાધ્યાય ભગવંત થાય છે.
૫. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મુનિ (સાધુ) ભગવંત થાય છે.

ૐ એ મહામંત્ર નવકારનું ટૂકુ ફોર્મ છે. એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય. આ ૐ શબ્દ (મંત્ર) માં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યા છે. જેવા કે ભગવાન મહાવીર, સીમંધર સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને ભગવાન શિવ વિગેરે. આ ૐ શબ્દ (મંત્ર) ને કોઈ પંથ, સંપ્રદાય કે ધર્મની સાથે લેવા દેવા નથી.
ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?
આ શક્તિશાળી ૐ શબ્દ (મંત્ર) ના ઉચ્ચારણ (આરાધના) થી સંસાર વ્યવહારની એકથી અનેક મુશકેલીઓ અને અડચણો અચૂકપણે દૂર થશે. આ ૐ શબ્દ (મંત્ર) ખરેખર ચમત્કારીક (અદ્દભુત) છે.

ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.

|| ૐ – ત્રણ અક્ષરો નું મહત્વ ||

ૐ શબ્દ માં ત્રણ અક્ષર છે – ઓ, ઉ અને મ.

1. “ઓ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .

2. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .

3. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . ‘મ’ નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . “ૐ” શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે.
|| ૐ નો મહિમા અપરંપાર છે ||

“ૐ વૈદિક અનામત ધર્મનો આધાર છે… ૐ ના આધાર વગર ધર્મ અધૂરો છે…”

મહાપુરુષો બોલે છે તેના બે આધાર હોય છે એક અનુભવ અને બીજું શાસ્ત્ર. ઘણીવાર અનુભવ આભાસી હોય છે. દોરડું સાપ લાગે છે એટલે ઘણીવાર ખોટો હોય છે. અનુભવની સાથે શાસ્ત્ર તો હોવું જોઈએ. ઉપદેશ આપનાર પાસે પોતાની અનુભૂતિને શાસ્ત્રનું પ્રમાણ જરૃરી છે. ૐ વૈદિક સનાતન ધર્મનો આધાર છે. એવો કોઈ ધર્મ નથી કે ૐ નો આધાર ન લીધો હોય.

ભાગવત તથા ગીતામાં ૐ ને મહત્વ આપવામાં આવેલું છે. સૃષ્ટિની શરૃઆતમાં પરમાત્માના વિશ્વાસમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો છે તે ૐ છે ઓમ પછી અર્થ પ્રગટ થયેલો ધ્વનિ છે.

ૐ અનાદી અને અનંત ધ્વનિ છે. ઓમ વિષયની ચર્ચા આનુક્ય ઉપનિષદમાં થઈ છે. માનુક્ય ૧ર મંત્રનું સૌથી નાનું ઉપનીષદ છે. ૐ ની વિસ્તાર ચર્ચા પ્રશ્ન ઉપનીષદમાં કરેલ છે. ૧૦૮ ઉપનીષદ છે જેમાં ૧૧ પ્રસિદ્ધ છે.શુભ કર્મમાં પણ અશુભ વાસના હોય છે. ઉત્તર દક્ષિણ આપનાર અંધાર તરફ લઈ જાય છે. ૐ ક્ષતિ તમ્ ઓમમાં એકએક અનુસંધાન કરવા વેદો યજ્ઞ કરે છે એને પામવા માટે સાધુ અને બ્રહ્મચારીઓ તત્ત્વજ્ઞાનીઓ કઠોર સાધના કરે છે.

ૐ એક અક્ષરનો બ્રહ્મ છે. ૐ નો ઉચ્ચારણ કરતા પણ જો શરીરને ત્યાગે તો તેને મોક્ષ મળે છે. ૐ એક અક્ષર ને અનેક અક્ષર વાળો છે. સદ્ગુણ અને નિર્ગુણ બંને ૐમાં સમાયેલા છે. પરીબ્રહ્મ અને અઢટીબ્રહ્મ ૐકાર ચાર અવયવોનો બન્યો છે. અ.ઉ.મ.અ. માત્ર ૐ ઈશ્વરનું પ્રિય નામ છે. શરીરમાં પ૦ % ભાગ પૃથ્વીનો છે બાકી બધા તત્વો ૧ર.પ% છે. માનવના ત્રણ ચક્ષુ છે. ચર્મચક્ષુ, ધર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ છે. ૧૪ ભુવનનો એક બ્રહ્માંડ છે. ૐકારથી બનેલું વિશ્વ, બધી જગ્યા એ ૐકાર છે.

|| ૐ ભારતીય ધર્મોનું પવિત્ર પ્રતિક ||

ૐ એ ભારતીય ધર્મો એટલે કે હિન્દુ, જૈન, અને બૌધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. હિન્દુ ધર્મનાં મોટાભાગના મંત્રોની શરૂઆત ૐ થી થાય છે.

સૃષ્ટિના આરંભમાં એક ધ્વનિનું ગૂંજન થયુ ૐ અને આખા બ્રહ્માંડમાં આની ગૂંજ ફેલાય ગઈ. આ શબ્દથી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પ્રકટ થયા. આથી ૐ ને બધા મંત્રોના બીજ મંત્ર રૂપે અને ધ્વનિયો અને શબ્દોની જનની કહેવાય છે. ૐ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથી દેહમાં સ્થાપિત આત્મા જાગૃત થઈ જાય છે.

સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે. ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”

ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે.

ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.

માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે.

પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે.

ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.

ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.

જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે.

ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.

ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે. ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.

આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,

“ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ”

ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.

સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.