ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ

AA   A

|| ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ||

જૈન ધર્મમા ૐ શબ્દમા પાંચ અક્ષર છે. અ, અ, અ, ઉ અને મ.

૧. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી ભગવાન અરિહંત થાય છે.
૨. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી અશરીરી ભગવાન સિદ્ધ થાય છે.
૩. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી આચાર્ય ભગવંત થાય છે.
૪. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉપાધ્યાય ભગવંત થાય છે.
૫. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મુનિ (સાધુ) ભગવંત થાય છે.

ૐ એ મહામંત્ર નવકારનું ટૂકુ ફોર્મ છે. એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય. આ ૐ શબ્દ (મંત્ર) માં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યા છે. જેવા કે ભગવાન મહાવીર, સીમંધર સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને ભગવાન શિવ વિગેરે. આ ૐ શબ્દ (મંત્ર) ને કોઈ પંથ, સંપ્રદાય કે ધર્મની સાથે લેવા દેવા નથી.
ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?
આ શક્તિશાળી ૐ શબ્દ (મંત્ર) ના ઉચ્ચારણ (આરાધના) થી સંસાર વ્યવહારની એકથી અનેક મુશકેલીઓ અને અડચણો અચૂકપણે દૂર થશે. આ ૐ શબ્દ (મંત્ર) ખરેખર ચમત્કારીક (અદ્દભુત) છે.

ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.

|| ૐ – ત્રણ અક્ષરો નું મહત્વ ||

ૐ શબ્દ માં ત્રણ અક્ષર છે – ઓ, ઉ અને મ.

1. “ઓ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .

2. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .

3. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . ‘મ’ નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . “ૐ” શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે.
|| ૐ નો મહિમા અપરંપાર છે ||

“ૐ વૈદિક અનામત ધર્મનો આધાર છે… ૐ ના આધાર વગર ધર્મ અધૂરો છે…”

મહાપુરુષો બોલે છે તેના બે આધાર હોય છે એક અનુભવ અને બીજું શાસ્ત્ર. ઘણીવાર અનુભવ આભાસી હોય છે. દોરડું સાપ લાગે છે એટલે ઘણીવાર ખોટો હોય છે. અનુભવની સાથે શાસ્ત્ર તો હોવું જોઈએ. ઉપદેશ આપનાર પાસે પોતાની અનુભૂતિને શાસ્ત્રનું પ્રમાણ જરૃરી છે. ૐ વૈદિક સનાતન ધર્મનો આધાર છે. એવો કોઈ ધર્મ નથી કે ૐ નો આધાર ન લીધો હોય.

ભાગવત તથા ગીતામાં ૐ ને મહત્વ આપવામાં આવેલું છે. સૃષ્ટિની શરૃઆતમાં પરમાત્માના વિશ્વાસમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો છે તે ૐ છે ઓમ પછી અર્થ પ્રગટ થયેલો ધ્વનિ છે.

ૐ અનાદી અને અનંત ધ્વનિ છે. ઓમ વિષયની ચર્ચા આનુક્ય ઉપનિષદમાં થઈ છે. માનુક્ય ૧ર મંત્રનું સૌથી નાનું ઉપનીષદ છે. ૐ ની વિસ્તાર ચર્ચા પ્રશ્ન ઉપનીષદમાં કરેલ છે. ૧૦૮ ઉપનીષદ છે જેમાં ૧૧ પ્રસિદ્ધ છે.શુભ કર્મમાં પણ અશુભ વાસના હોય છે. ઉત્તર દક્ષિણ આપનાર અંધાર તરફ લઈ જાય છે. ૐ ક્ષતિ તમ્ ઓમમાં એકએક અનુસંધાન કરવા વેદો યજ્ઞ કરે છે એને પામવા માટે સાધુ અને બ્રહ્મચારીઓ તત્ત્વજ્ઞાનીઓ કઠોર સાધના કરે છે.

ૐ એક અક્ષરનો બ્રહ્મ છે. ૐ નો ઉચ્ચારણ કરતા પણ જો શરીરને ત્યાગે તો તેને મોક્ષ મળે છે. ૐ એક અક્ષર ને અનેક અક્ષર વાળો છે. સદ્ગુણ અને નિર્ગુણ બંને ૐમાં સમાયેલા છે. પરીબ્રહ્મ અને અઢટીબ્રહ્મ ૐકાર ચાર અવયવોનો બન્યો છે. અ.ઉ.મ.અ. માત્ર ૐ ઈશ્વરનું પ્રિય નામ છે. શરીરમાં પ૦ % ભાગ પૃથ્વીનો છે બાકી બધા તત્વો ૧ર.પ% છે. માનવના ત્રણ ચક્ષુ છે. ચર્મચક્ષુ, ધર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ છે. ૧૪ ભુવનનો એક બ્રહ્માંડ છે. ૐકારથી બનેલું વિશ્વ, બધી જગ્યા એ ૐકાર છે.

|| ૐ ભારતીય ધર્મોનું પવિત્ર પ્રતિક ||

ૐ એ ભારતીય ધર્મો એટલે કે હિન્દુ, જૈન, અને બૌધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. હિન્દુ ધર્મનાં મોટાભાગના મંત્રોની શરૂઆત ૐ થી થાય છે.

સૃષ્ટિના આરંભમાં એક ધ્વનિનું ગૂંજન થયુ ૐ અને આખા બ્રહ્માંડમાં આની ગૂંજ ફેલાય ગઈ. આ શબ્દથી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પ્રકટ થયા. આથી ૐ ને બધા મંત્રોના બીજ મંત્ર રૂપે અને ધ્વનિયો અને શબ્દોની જનની કહેવાય છે. ૐ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથી દેહમાં સ્થાપિત આત્મા જાગૃત થઈ જાય છે.

સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે. ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”

ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે.

ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.

માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે.

પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે.

ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.

ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.

જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે.

ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.

ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે. ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.

આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,

“ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ”

ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.

સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.

 

 

 

 

Leave a comment