જૈન શ્રાવક

3   4

|| જૈન શ્રાવક ||

ભાવ શ્રાવક ના છ લક્ષણો…..

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી – : ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય…………

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક ના બાર વ્રત……………..

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત (2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત (3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (6) દિગ પરિમાણ વિરમણ વ્રત.(7) ભોગોપભોગ વિરમણ વ્રત (8) અનર્થ દંડ વિરમણ વ્રત (9) સામાયિક વ્રત (10) દેશાવગાસિક વ્રત.(11) પૌષધોપવાસ વ્રત અને (12) અતિથી સંવિભાગ.
શ્રાવક ના એકવીશ ગુણ………

(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય(9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત(15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી(21) લબ્ધલક્ષ્ય.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય……..

(1) એક વાર સંઘ પૂજન કરવું.

(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.

(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.

(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.

(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.

(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.

(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.

(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.

(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.

(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.

(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.

(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.

(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.

(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.

(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.

(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.

(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.

(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય…………….

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.

(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.

(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.

(4–9) સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ, પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.

(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.

(11) સુપાત્ર માં દાન આપવું.

(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.

(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.

(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.

(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.

(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.

(17) પરોપકાર કરવો.

(18) જયણાધર્મ નું પાલન કરવું.

(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.

(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.

(21) ગુરૂની સ્તુતિ કરવી.

(22) સાધર્મિક ભક્તિ કરવી.

(23) વ્યવહાર શુદ્ધ રાખવો.

(24) રથ યાત્રા કાઢવી.

(25) તીર્થ યાત્રા કરવી.

(26) ક્ષમા – ઉપશમ ભાવ રાખવો.

(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.

(28) સંવર ની કમાણી કરવી.

(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.

(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.

(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.

(32) ઇન્દ્રિયો નું દમન કરવું.

(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.

(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.

(35) ધાર્મિક પુસ્તક લખાવવું.

(36) તીર્થની પ્રભાવના કરવી.

One thought on “જૈન શ્રાવક

Leave a comment