ગણેશજીનું કપાયેલું અસલી માથું, ક્યાં રાખવામાં આવ્યું છે

1

|| ગણેશજીનું કપાયેલું અસલી માથું, ક્યાં રાખવામાં આવ્યું છે ||

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીની સ્થાપના અચૂક કરવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે ભગવાન ગણેશને ન ઓળખતી હોય. ગણેશજીનું મનમોહક બાળ સ્વરૂપ કે માતા-પિતાને સમર્પિત યુવા સ્વરૂપ કે જ્ઞાનના ભંડાર સમું તેમનું ઔલોકિક રૂપ હિંદુ ધર્મીઓના હૃદયે વસેલું જોવા મળે છે.

હિંદુ  માન્યતાઓ અનુસાર ગણેશ એટલે કે ગણ +ઈશ એટલે કે જે ગણોના ભગવાન છે તે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્રને સુગંધિત દ્રવ્યો સાથે નિર્મિત કરવામાં આવ્યો હતો. આપણે બધાંજ એ જાણીએ છીએ કે ગણેશજીનુ મસ્તક તેમના પિતા શિવ દ્વારા જ કાપી નાંખવામાં આવ્યું હતું પછી તેના સ્થાને હાથીનું મસ્તક સ્થાપિત કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં ગણેશજીનો જન્મ અને સ્વરૂપ માનવ જાતિને પ્રતીકાત્મક રૂપથી જ્ઞાન આપવા માટે બનાવવામાં આવ્યો છે. જેવી રીતે તેમનું માથું કપાવું અહંકાર અને અહમના નાશનું પ્રતીક છે. તથા હાથીનું માથું વિચારોની હકારાત્મકતા અને પ્રૌઢતા તેમજ સહનશીલતા અને સંવેદનશીલતાના ભાવો પ્રગટ કરે છે.

ગણેશજીનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ જુઓ તો તેમાં ગણેશજીના માથે હાથીનું માથું જ જોવા મળે છે. ગણેશજીના કપાયેલા માથાનું શું થયું તે વિશે ભાગ્યે જ કોઈને ખબર છે.  ગણેશજીનું અસલી માથું શિવજીના અસલી ઘરમાં કે જ્યાં તે પાર્વતીજી સાથે રહેતા હતા તે પાતાલ ભુવનેશ્વર ગુફામાં છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં જે રીતે ગણેશજીના માથાનું વર્ણન છે હુબહુ તેને મળતું આવતું  માથું જ આ ગુફા છે. આ ગુફા ઉત્તરાખંડમાં આવેલું છે. અહિંથી પ્રાકૃતિક રૂપે કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના દર્શન પણ કરી શકાય છે. આ ગુફાના દર્શન તીર્થ સમાન હોય છે.

Leave a comment