ધનતેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ

1

આદરણીય સર્વે વડીલો અને પરમ સ્નેહી શુભેચ્છક મિત્રો,

|| ધન તેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ ||

ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે.સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે.ઉમંગના આ સમયે નાના-મોટા સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.

|| ધન તેરસ ||

આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

|| કાળી ચૌદશ ||

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

|| દિવાળી ||

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે.અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારત બીજી તિથિ) તે પૂરી થાય છે.

|| જૈન ધર્મમાં દિવાળી ||

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો.

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો.ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે…

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: “જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું” (“गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो”).

દિવાળી દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવે છે.

દિવાળી એ આધ્યાત્મિક, સામાજીક અને વૈચારિક ઉત્સવ છે. આધ્યાત્મિક એટલા માટે કારણ તે દિવસે આપણે પુરુષોત્તમ ને આવકારિએ છિએ. સામાજીક એટલા માટે કે તે દિવસે આપણે હળી મળી જઇએ છિયે. બધો મન મેલ કાઢી નાખિયે છિએ. વૈચારિક એટલા માટે કારણ તે દિવસે આપણે નવા વરસ ની શુરૂઆત પણ કરિએ છિયે.

|| શુભ દીપાવલી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ||

આજથી શરૂ થતું આ નવલું સાલ વિક્રમ સંવત 2071 તમારા માટે ખુબ આનંદ,મસ્તી અને સાકાર સ્વપ્નોનાં ભંડાર લઈને આવે અને આપ સર્વેનું સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સભર નીવડો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના…

|| ભાઈ બીજ ||

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.

સૌ મિત્રોને દિવાળી ની શુભકામના અને નવા વરસના સાલ મુબારક સાથે .. અસ્તુ…. સર્વે ભવંતુ સુખી.સર્વે સંતુ નિરામયા…દિલની અનેક શુભેચ્છાઓ…

Leave a comment