ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ

1

|| ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ ||

ભગવાન મહાવીરના પૂર્વેના છવ્વીસ ભવના સગા-સ્નેહીઓને ઓળખીયે

ભગવાન મહાવીરના અસંખ્ય ભવો થયા. એ ભવોમાં પ્રથમ ભવ તરીકે તેઓ સમ્યકત્વ પામ્યા તે નયસારનો ભવ ગણાય છે. એ પછી બીજા કેટલાક ભવો મળે છે. જ્યારે કેટલાક ભવોને ક્ષુલ્લક ભવ તરીકે ગણનામાં લેવાતા નથી. ભગવાન મહાવીરના પાંચમાં, તેરમા, પંદરમા અને એકવીસમા ભવ પછી ક્ષુલ્લક ભવો મળે છે.

એ રીતે ભગવાન મહાવીરનો ભવ સત્તાવીસમો- અંતિમ ભવ છે. આ સત્તાવીસ ભવોમાં તેર ભવ માનવ તરીકે, દસ ભવ દેવ તરીકે, બે ભવ નારક તરીકે અને એક ભવ તિર્યચ તરીકે મળે છે. સત્તાવીસમો ભવ તે ભગવાનનો અંતિમ ભવ છે. આમાં પહેલો, ત્રીજો,પાંચમો, છઠ્ઠો, આઠમો, દસમો, બારમો, અઢારમો, ચૌદમો, સોળમો, અઢારમો (ત્રિપૃષ્ઠ વાસુદેવ), બાવીસમો, ત્રેવીસમો( પ્રિય મિત્ર ચક્રવર્તી) અને પચ્ચીસમો ( નંદનમુનિ) ભવ મનુષ્ય તરીકે મળે છે.

જ્યારે બીજો, ચોથો,સાતમો, નવમો, અગિયારમો, તેરમો,પંદરમો, સત્તરમો, ચોવીસમો અને છવ્વીસમો એ દેવ તરીકેનો છે. અને તેના દેવલોક સૌધર્મ, બ્રહ્મ(દેવ)લોક, સૌધર્મ, ઇશાન, સનતકુમાર,માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત છે.ઓગણીસમો ભવ સાતમી નારકીના જીવ તરીકેનો અને એકવીસમો ભવ ચોથી નારકીના જીવ તરીકે છે. વીસમો ભવ સિંહનો હોઈ તિર્યચ તરીકેનો છે.

મનુષ્યગતિ પૂરતો વિચાર કરતાં ભગવાન મહાવીરના અંતિમભવ પૂર્વના બાર ભવો આ પ્રમાણે છે. નયસાર, મરીચિ, કૌશિક બ્રાહ્મણ, પુષ્પમિત્ર દ્ધિજ, અગ્ન્યુદ્દ્યોત દ્ધિજ, ભારદ્ધાજ દ્ધિજ, સ્થાવરક દ્ધિજ, યુવરાજ વિશ્વભૂતિ, ત્રિપુષ્ઠ વાસુદેવ, પ્રિયમિત્ર ચક્રવર્તી અને નંદન રાજકુમાર. આ ભવો દર્શાવે છે કે તેઓના તેરમાંથી છ ભવો તો બ્રાહ્મણ તરીકેના છે. એક એ પણ હકીકત છે કે આ બધા ભવો પૈકી એકેયમાં તેઓ સ્ત્રી તરીકે અવતર્યા નથી.

ભગવાન મહાવીરના વિવિધ ભવોના સ્વજનોનાં વિચાર કરીએ તો નયસારના પ્રથમ ભવમાં એમના કોઈ સગાંનાં નામ ગ્રંથોમાં મળતાં નથી. મરીચિના ત્રીજા ભવમાં એમના પિતાનું નામ ભરત હતું. આ ભરત ચક્રવર્તી તે તીર્થકર ઋષભદેવ ભગવાનના પુત્ર થાય. આ રીતે જોઈએ તો ભગવાન ઋષભદેવ મરીચિના પિતામહ થાય. સુનંદા અને સુમંગલા એમની પિતામહી થાય. બાહુબલિ અને ભરત સિવાયના અઠ્ઠાણું ભાઈઓ તે મરીચિના કાકા થાય. બ્રાહ્મી અને સુંદર એમનાં ફૈબા થાય. મરુદેવી એમના દાદા ( પિતામહ)ની માતા થાય અને કુલકર નાભિ એમના પ્રપિતામહ થાય. આ મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ ‘ત્રિદંડી’ નો -પારવ્રાજકનો ધર્મ સ્વીકાર્યો હતો. આનો  અર્થ એ કે એ ભવમાં જૈન સાધુતા સ્વીકાર્ય બાદ અતિ મુશ્કેલ લાગતાં તેઓ ત્રિંદડી બન્યા હતા.

ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ  પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.

છઠ્ઠા ભવમાં અગાઉના ભવની પેઠે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. આઠમાં ભવમાં પણ એ જ રીતે અગ્ન્યુદ્દ્યોત તરીકે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. દસમા ભવમાં બ્રાહ્મણકુળમાં અગ્નિભૂતિ તરીકે જન્મ થયો. એમના પિતાનું નામ સોમિલ અને માતાનું નામ શિવભદ્રા હતું. આ અગ્નિભૂતિએ સમય જ્તાં પિરવ્રાજક સૂરસેન પાસે દીક્ષા લીધી. બારમા ભારદ્ધાજ તરીકેના બ્રાહ્મણ તરીકેના ભવમાં પણ એમણે ત્રિદંડી ધર્મ સ્વીકાર્યો હતો. તેરમા ભવ પછીના વિવિધ સામાન્ય ભવોની માહિતી સાંપડતી નથી. ચૌદમા ભવમાં કપિલ બ્રાહ્મણની કાંતિમની નામની પત્નીના પુત્ર સ્થાવર તરીકે એમનો જન્મ થયો અને ત્રિદંડી ધર્મ અંગીકાર કર્યો. દેવ તરીકેના પંદરમાં ભવ પછીના ક્ષુલ્લક ભવોની ગણના કરાતી નથી. એમનો સોળમો ભવ તે વિશ્વભૂતિનો . આ વિશ્વભૂતિના પિતાનું નામ વિશાખભૂતિ અને કાકાનું નામ વિશ્વનન્દિ હતું . આ વિશાખભૂતિની પત્ની ધારીણી તે વિશ્વભૂતિનની માતા હતી. વિશ્વભૂતિનાં લગ્ન બત્રીસ કન્યાઓ સાથે થયાં હતાં. વિશ્વભૂતિની કાકી થાય અને વિશાખનન્દિ તે એમનો દીકરો થાય.

ઓગણીસમો ભવ તે ત્રિપૃષ્ઠ તરીકેનો હતો. આ ત્રિપૃષ્ઠના પિતાનું નામ પ્રજાપતિ અને માતાનું નામ મૃગાવતી હતું. એકવીસમા ભવ પછીના ક્ષુલ્લક ભવો વિશે કોઈ માહિતી નથી. જ્યારે બાવીસમા વિમલના ભવમા એમના પિતાનું નામ પ્રિયમિત્ર અને માતાનું નામ વિમલા છે. ત્રેવીસમા પ્રિયમિત્ર તરીકેના ભવમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મૂકા નગરીના રાજા ધનંજય અને રાણી ધારિણીના પુત્ર હતા. આ પ્રિયમિત્ર ચક્રવર્તીને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી . અન્ય ચક્રવર્તીઓની પેઠે એને ૬૪૦૦૦ પત્નીઓ હતી, આ પ્રિયમિત્રએ અંતે પોટિલ્લાચાર્ય પાસે દીક્ષા લીધી.

પચીસમા ભવમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીના પુત્ર નંદન તરીકે જન્મ થયો. આ નંદને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એ ભવમાં એણે વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર-નામકર્મ-નિકાચિત કર્યું હતું. ભગવાન મહાવીરનો સત્તાવીસમો ભવ એ એમનો અંતિમ ભવ છે.

* સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.

 

 

Leave a comment