ગુરુવંદન વિધિ

2

|| ગુરુવંદન વિધિ ||

શ્રી મુનિ મહારાજ પાસે જાવ ત્યારે તેમને વિધિપૂર્વક વંદન કરવા જોઈએ. પ્રથમ બે “ખમાસમણ” દેવાં, ત્યાર બાદ ઊભા થઈ મુનિરાજને “ઈચ્છકાર” ના પાઠથી સુખશાતા પૂછવી, તે નીચે મુજબ છે….

શ્રી ખમાસમણ સૂત્ર

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છાકાર! સુહ-રાઈ? (સુહ-દેવસિ?) સુખતપ? શરીર નિરાબાધ? સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે જી? મત્થએણ વંદામિ.

(પદવીધર હોય તો ફરી ખમાસમણું દેવું)

સામાન્ય રીતે સવારે દેવવંદન કર્યા પછી ગુરૂવંદને જવુંજોઈએ. તે વખતે તેમની સુખશાતા આ સૂત્રથી પૂછવામાં આવે છે. સવાર હોય તો “સુહરાઇ” કહેવું અને બપોર પછી ” સુહદેવસિ” કહેવું. તે પ્રમાણે સુખશાતા પૂછી, એક ખમાસમણ દઈ, ઊભા થઈ “અબ્ભુઠ્ઠિઓ” કહેવું. પ્રથમ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓ ખામેઉં ?” થી આદેશ માગવો. પછી ગુરુ મહારાજ “ખામેહ” એ પ્રમાણે ખામવાની આજ્ઞા કરે, ત્યારે “ઈચ્છ” કહીને વાંદણાં દેવાની પેઠે નીચે નમીને જમણો હાથ ભોંય પર ઉપર અવળો આગળ ધરવો અને ડાબો હાથ મોં આગળ સાડી/પછેડીનો છેડો/રૂમાલ મુહપત્તિ ધરી રાખી “જંકિંચિં અપત્તિઅં” થી બોલવું.

અબ્ભુઠ્ઠિઓ-ગુરુખામણા સૂત્ર

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓમિ અબ્ભિંતર રાઈઅં/દેવસિઅં ખામેઉં … (ખામેહ) ઈચ્છં, ખામેમિ રાઈઅં/દેવસિઅં. જંકિંચિં અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેઆવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ ભાસાએ, જંકિંચિં મજ્ઝ વિણય પરિહીણં,
સુહુમં વા બાયરં વા, તુબ્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કદમ્.

આ સૂત્રથી ગુરુ મહારાજ પ્રત્યે આપણાથી જાણતા-અજાણતા આશાતના-અપરાધ થયો હોય તેની ક્ષમા માંગવામાં આવી છે. પછી ઊભા થઈ એક ખમાસમણ દઈ ઊભા રહી સુખશાતા પૂછવી. પછી પચ્ચક્ખાણ લઈ ખમાસમણું દઈ :સાહેબ! ભાત પાણીનો લાભ દેશોજી” એમ વિનંતી કરવી. – જો વ્યાખ્યાન વખતે ગુરુવંદન હોય તો અબ્ભુઠ્ઠિઓ પછી ખમાસમણ દઈ-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા સંદિસાહું?

ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા લેશું? ઈચ્છં. ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પસાઓ કરી વાયણા પ્રસાર કરશોજી

પછી હાથ જોડી ઊભા રહેવું. સાહેબજી માંગલિક ફરમાવે પછી સર્વસભાને વંદન કરીને ઊભા રહીને કે ઉભડક બેસીને કે સુખાસને વ્યાખ્યાન સાંભળવા.

Leave a comment