કિચન ટીપ્સ – ૫

1

|| કિચન ટીપ્સ – ૫ ||

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

* વાસણમાં કે છરીમાં ડુંગળીની દુર્ગંધ આવતી હોય તો તેને મીઠાના પાણીથી ધોઈ લેવા

* દૂધ ઉભરાયને ઢળે નહી એ માટે તપેલીમાં એક વાડકી મુકી દેવી દૂધ ઉભરાશે નહી.

* દહીં ઝડપથી જમાવવું હોય તો હૂંફાળા દૂધમાં મેળવણ ઉમેરો અને તેને કેસરોલમાં મુકીને બંધ કરો, દહી જલ્દી જામી જશે. * દહીં જમાવતી વખતે તેમાં ૫-૬ કાજુનો ભૂકો ભેળવી દો.

* પાલક-પનીરના શાકમાં પનીર નાખતા પહેલા પનીરને મીઠાનાં પાણીમાં થોડીવાર રાખીને ઉપયોગમાં લેશો તો પનીરનો સ્વાદ સારો આવશે.

* બટાકાની ચિપ્સને બજાર જેવી ક્રિસ્પી બનાવવી હોય તો કાચી ચિપ્સને અધકચરી બાફી લો પછી તેને ફિજમાં મુકીને એકદમ ઠંડી કરી લો. ઠંડી થયા પછી તળી લો. એકદમ બજાર જેવી ચિપ્સ બનશે.

* લીલા મરચાના ડંઠલ કાપીને તેને ફ્રીજમાં મુકશો તો લાંબો સમય સુધી મરચાં તાજા રહેશે.

* ચણા પલાળવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણીમા નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

• ભજિયાને વધુ ક્રીસ્પી બનાવવા તેનાં ખીરામાં એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો ગરમ તેલ નાખો.

* ભજિયાંના ખીરામાં એક ચમચો તેલ અને સફેદ તલ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

• ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસિડ [લીંબુનાં ફૂલ] અને ખાવાનાં સોડા પાણીમાં ભેળવીને નાખવાથી ખમણ વધુ પોચા બનશે.

• મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

* મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

* કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

* તાજા શાકભાજીને થોડી વાર મીઠું નાખેલા પાણીમાં રાખી મુકવાથી તેના રહેલા જીવ-જંતુ મરી જશે.

* ભીંડાનું શાક બનાવતી વખતે શાકને ઢાંકીને બનાવો .આવું કરવાથી ભીંડાનો લીલો કલર જળવાઈ રહેશે .

* કોબીજના શાકમાં થોડું દૂધ નાખવાથી એનો રંગ સારો દેખાવાની સાથે સ્વાદિષ્ટ લાગશે .

* કોઈ પણ શાકમાં મગફળીનો ભૂકો નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે .

* ગ્રેવીનો રંગ ઘેરો લાગે એ માટે તેમાં ચપટી કોફી નાખો.

* રાયતાંમાં બે-ત્રણ શેકેલા લવિંગ નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

Leave a comment