લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં?

1

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

સ્પેચીઅલ થાળી

3

|| સ્પેચીઅલ થાળી ||

(૧) || પેઈલા ||

સામગ્રી ઃ બાસમતી ચોખા ર કપ, બે મોટા ટામેટાં, રિફાઈન્ડ તેલ ર ટે.સ્પૂન, મધ્યમ ચોરસા ટુકડામાં સમારેલું પનીર ૧/ર કપ, મધ્યમ ટુકડા સમારેલા ફ્રેન્ચ બીન્સ ૧ કપ, તાજા મટરના દાણા, ૧/ર કપ, ઓરેગાનો ૧ ટી સ્પૂન, મીઠું, કાળા મરીનો ભૂક્કો, સ્વાદ અનુસાર, બારીક સમારેલા લાલ, પીળા, સિમલા મરચાં ૧/૪ કપ, કેસરની

** રીત
૧. ચોખા ધોઈ એનું પાણી નિતારી લો.

ર. લાલ મરચાંને પાણીમાં નાખી ર-૩ મિનિટ સુધી ઉકાળી પાણી નિતારી લો. પછી મીકસીમાં ઝીણું પીસી લો.

૩. અડધા સમારેલાં ટામેટાને ઉકળતા પાણીમાં એક મિનિટ સુધી રાખો. પછી બહાર કાઢીને એની છાલ ઉતારી બારીક સમારી લો.

૪. તેલ ગરમ કરી એમાં પનીર, હલકું લાલ થાય ત્યાં સુધી તળીને કાઢી લો. વધેલા તેલમાં લાલ મરચાંની પેસ્ટ સાંતળો. પછી ફ્રેંચ બીન્સ, મટર અને ટામેટાં નાંખી થોડું વધુ સાંતળી લો.

પ. ચોખા, ૪ કપ ગરમ પાણી, ઓરેગનો, મીઠું, કાળાં મરી અને ખાંડ ભેગું કરી ચોખા રાંધો.

૬. ચોખા જ્યારે લગભગ થવા આવે ત્યારે એમાં સિમલા મરચાં, પનીર, કેસર, ક્રીમ અને પનીર મિકસ કરી થોડું સાંતળો.

૭. ગરમ ભાત ઉપર ખમણેલું પનીર, કોથમીર, અને બદામની પાતળી કાતરી સર્વ કરો.

4

(૨) || સ્પેનિસ રાઈસ ||

સામગ્રી ઃ ચોખા ૧-૧/ર કપ, વટાણાના દાણાં ૧૦૦ ગ્રામ, સિમલા મરચાં ૧ સમારેલું, તેલ ૩ ટે.સ્પૂન, ઝીણી સમારેલી ફણસી ૧૦૦ ગ્રામ, ૧ મોટું સમારેલું ટામેટું, દહી ર ટે.સ્પૂન, મીઠું સ્વાદનુસાર, ૩ ટામેટાની સ્લાઈઝ, છીણેલું પનીર ૪ ટે.સ્પૂન સજાવટ માટે.

** રીત
૧. ચોખાને થોડા કડક સીજવીને થાળીમાં ઠંડા કરવા.

ર. તજ, લવિંગ, કાળાં મરીને વાટી લેવા.

૩. તેલ ગરમ કરી કાશ્મીરી મરચાં તળીને લઈ લેવા.

૪. તળેલાં મરચાં વાટી લેવા.

પ. વટાણા અને ફણસી બાફી લેવા.

૬. ગરમ તેલમાં વાટેલા મરચાં સાંતળવા તેમાં સીમલા મરચાં, ટામેટાનાં ટુકડા નાખી બે મિનિટ સુધી સીજવો.

૭. સીજવેલા ચોખા, મીઠું, બાફેલા શાક, વાટેલા તજ, લવિંગ, મરી નાંખી બરાબર જમાવવા. ૯. તેની ઉપર ટામેટાંની સ્લાઈઝ ગોઠવવી. તેની ઉપર ખમણેલું પનીર ભભરાવવું. ૧૦. ઓવનમાં ૧૦ મિનિટ શેકવું. પછી ગરમા ગરમ સર્વ કરવું.

 

સિઝલર્સ

1

(૧) || મેક્સિકન ઈડીયન સિઝલર્સ ||

સામગ્રી ઃ ૧. ર વાટકી ચોખા, કોથમીર થોડી, આખું જીરું, મીઠું પ્રમાણસર, ઘી પ્રમાણસર, ઘી પ્રમાણસર. ર. ર વાટકી રાજમા, પ્રમાણસર, મીઠું, ઝીણા સમારેલા સીમલા મરચાં ૧/ર વાટકી, ઝીણા સમારેલા ટામેટા ૧/ર વાટકી લાલ મરચું ૧ ચમચી, ટામેટાનો સોસ ર ચમચા, ઓરેગનો ૧ ચમચી, ૧ ચમચી તેલ.

** રીત –

૧. ચોખા કડક થોડા રાંધવા. વાસણમાં ઘી ગરમ કરીને તેમાં જીરું સાંતળવું, જીરું ગુલાબી થાય એટલે તેમાં રાંધેલા ભાત કોથમીર અને મીઠું નાંખીને હલાવીને નીચે ઉતારી લેવું.

ર. રાજમા ર ર થી ૩ કલાક પલાળીને બાફવા. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સીમલા મરચા નાખી સાંતળવા. પછી તેમાં ટામેટાં, મીઠું, લાલ મરચું નાંખી બે મિનિટ સિજવા દેવું. સીજી જાય એટલે તેમાં ટામેટાનો સોસ અને ઓરેગાનો નાંખી હલાવીને નીચે ઉતારવું.

૩. કાચાં કેળાંને બાફી છોલી છુંદી લેવા. તેમાં મીઠું, હળદર, લીંબુ, લીલાં મરચાં, કોથમીર નાંખી મિકસ કરવું. પુરણના એક સરખા ભાગ કરીને પેટીસનો શેપ આપવો (આ પેટીસ થોડી મોટી થશે) પેટીસને નોનસ્ટીકમાં જરા તેલ નાંખીને બંને બાજુથી લાલ કરવી બધી કરીને લઈ લેવી.

૪. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલ તેમાં જીરું અને લાલ મરચાં નાખીને સાંતળવું. તેમાં મીઠું સીમલા મરચું. ફણસી નાખીને બે મિનિટ સુધી હલાવીને રાખવું. પછી તેમાં પત્તાગોબી નાંખી બે મિનિટ હલાવીને નીચે ઉતારી દેવું.

પ સિઝલિંગ ટ્રેમાં પહેલાં સલાડ પત્તા પાથરવા. તે ગેસ પર મૂકવી. તેમાં એક બાજુ ભાત, એક બાજુ પેટીસ, એક બાજુ શાક, એક બાજુ રાજમા મૂકવા.

૬. તેની .પર મેક્સિકન સોસ નાંખવો. તેની ઉપર પનીર ખમણીને ગેસ ઉપર જ રાખવું.

૭. એકદમ ધૂમાડો નીકળે ત્યારે તે ટ્રેને વુડમાં મૂકીને સર્વ કરવું.

(૨) || થાઈ સિઝલર્સ ||

સામગ્રી ઃ છીણેલું કાચું પપૈયું ૧ કપ, થાઈ નુડલ્સ૧ કપ, ગોલ્ડન ફાઈડ કોર્ન ૧/ર વાટકી, વેજીટેબલ સાતે ર સ્ટિકસ,પીનટ સોસ ર-૩ ટે.સ્પૂન, રેડ કરી વેજીટેબલ ૧ કપ, તેલ ૧ ટે.સ્પૂન.

** રીત –

૧. સિઝલર પ્લેટ ગેસ ઉપર પાંચ મિનિટ સુધી બરાબર ગરમ કરી ત્યાર બાદ ગેસને ધીમો કરો.

ર. આ પ્લેટમાં છીણેલા પપૈયાને પાથરો. એની ઉપર પ્લેટનાં એક ખૂણામાં ગરમ થાઈ નુડલ્સને રાખો. સાથે સાતેની સ્ટિકસ અને ગોલ્ડન ફ્રાઈડ કોર્ન રાખો. એના ઉપર ગરમ પીનટ સોસ નાંખો. તેની બાજુમાં ગરમ રેડ કરી વેજીટેબલ રાખો.

૩. તેલમાં થોડું પાણી મિલાવી ગરમ સિઝલર ઉપર છાંટીને જેથી સિઝલર પ્લેટથી સિજલીંગનાં અવાજની સાથે ધૂમાડો નીકળવા લાગશે. આ પ્લેટને લાકડાની કેટમાં રાખીને તરત જ સર્વ કરો.

(૩) || રબડી માલપુઆ સિઝલર્સ ||

સામગ્રી રબડી માટે ઃ તાજુ મલાઈદાર દૂધ ૪ કપ, ખાંડ પા કપ, કેસર ૪-પ દાંડી, ઈલાયચી પાવડર પા ટી.સ્પૂન માલપુઆ માટે સામગ્રી ઃ મેંદ પા કપ, ખાંડ ર ટે.સ્પૂન, ઘી માલપુઆ શેકવા માટે. ભરવાને માટે સામગ્રી ઃ (પૂરણ) ઃ તાજું પનીર પા કપ (થોડું મસળીને લો), નાના

** રીત –

૧. નોનસ્ટીક પેનમાં ફાસ્ટ ગેસ પર દૂધ ઉકાળવાને માટે રાખો. તેને ચમચાથી હલાવતા પકાવીને અંદાજથી ર
કપ રહે ત્યાં સુધી ઘાટું કરો. તેમાથી અડધો કપ દૂધ માલપુઆ માટે અલગ નીકાળી રાખો. બચેલા દૂધમાં ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર મિલાવીને તેની રબડી બનાવવી.

ર. માલપુઆ માટે બાજુમાં અલગ કાઢીને રાખેલું અડધા કપ દૂધમાં મેંદો અને ખાંડ મિલાવીને કમ સે કમ અડધો કલાક રાખો.

૩. નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ર ટે.સ્પૂન માલપુઆનું મિશ્રણ નાંખીને તેને પાતળું ગોળ ફેલાવવું. તેને બાજુમાં થોડું ઘી નાંખીને તેને બંને બાજુથી લાલ થાય ત્યાં સુધી શેકો.

૪. ભરવાની બધી સામગ્રી મિલાવો.

પ. માલપુઆની વચમાં લાંબા આકારમાં પૂરણ રાખીને તેનોરોલ બનાવવો.

૬. નાની સીઝલર પ્લેટને ગેસ ઉપર રાખીને ગરમ કરો (તેને વધારે ગરમ ન થવા દો), ફરી સીઝલર પ્લેટને
લાકડાની કેટમાં રાખો. તેની ઉપર કેળાનું પાંદડું પાથરીને તેની ઉપર માલપુઆનો રોલ રાખો. તેની ઉપર ગરમ ગરમ રબડી નાંખો. તેની ઉપર બદામ પીસ્તાની કાત્રી અને ગુલાબની પાંદડીઓથી સજાવીને પેશ કરો.

* આના ભરાવનમાં કેરીને બદલે સ્ટ્રોબેરી અથવા પાઈનેપલ પણ લઈ શકાય છે.

|| મિઠાઈ સિઝલર ||

ઃ ઉપરના તરીકાથી સિઝલર પ્લેટ ગરમ કરીને લાકડી કેટમાં રાખો અને તેની ઉપર કેળાના પાંદડા પાથરો. તેની ઉપર કાજુકતલી, બુંદી, ઘેબર, સુતરફેણી, ગુલાબજાંબુ, રસગુલ્લા, બર્ફી આદિમાંથી પોતાની પસંદગીની મિઠાઈ રાખવી. ઉપરથી ગરમ ગરમ રબડી નાંખવી. બદામ-પિસ્તાની કાત્રી સજાવીને તુરત પેશ કરો.

(૪) || ઈન્ડીયન સિઝલર્સ ||

૧. રેડ ગ્રેવી બનાવવા માટે – સૂંઠ પાવડર ૧ ચમચી, બદામ ૭ થી ૮ (પાણીમાં પલાળીને છોતરા કાઢેલા),૧ મોટું ટામેટું, ૧ ચમચો તેલ, ર ચમચી લાલ મરચાં, ર ચમચી ધાણા, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ધાણા, ૧/૪ ગરમ મસાલો, ૧ ચમચી કસુરી મેથી, મીઠું અને સાકર સ્વાદ પ્રમાણે, મથેલું ઘી ર ચમચા.

** રીત –

૧. રેડ ગ્રેવી માટે ઃ

સૂંઠ અને બદામ મિકસ કરી એકદમ પીસી લેવી, ટામેટા અલગથી પીસવા. તેલ ગરમ કરી
પીસેલા બદામ અને સૂંઠ નાંખીને શેકો. તેલ છૂટું પડે એટલે પીસેલાં ટામેટાં નાંખો, તેમાં મરચાં, ધાણા, ગરમ મસાલો, કસુરી મેથી, મીઠું અને સાકર મિકસ કરી થોડી વાર ઉકાળી લો.

ર. દાળફ્રાયની માટે ઃ બંને દાળો ધોઈને તેમાં હળદર, હીંગ, સૂંઠ અને ૩ કપ પાણી નાંખો, તેમાં મરચાં નાંખીને કુકરમાં દાળ ગળે ત્યાં સુધી સીજવવી. સીજવેલી દાળમાં ગરમ મસાલો અને મીઠું નાંખીીને થોડી ઘૂંટી લેવી, તેલ ગરમ કરીને રાઈ, જીરું અને હીંગ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને થોડીવાર ઉકળવા દેવી.
૩. ભાત માટે સામગ્રી ઃ ચોખા ધોઈને પાણી નીતારી પ-૧૦ મિનિટ રાખો, તેમાં બે કપ પાણી અને મીઠું નાંખીને ચોખા સીજવો. તેને થાળીમાં પાથરીને ઠંડા કરો જેથી છૂટા રહે. ઘી ગરમ કરીને તેમાં તજ, લવિંગ, એલચી, જીરું, તેજપત્તાનો વઘાર કરી તેમાં મીઠું અને ભાત નાંખીને બરાબર હલાવીને નીચે લેવું.

૪. સ્ટફ ટામેટા માટે ઃ ટામેટાની ઉપલી બાજુથી પાતળી સ્લાઈઝ કાઢવી. સ્પૂનની મદદથી અંદરનો ગર કાઢવો (તે ગર રેડ ગ્રેવી માટે વાપરી શકાય છે.) બાકીની બધી સામગ્રી કરી ટામેટામાં ભરો. ૬. સ્ટફ
સીમલા મરચા માટે ઃ મરચાંની ઉપરની બાજુ એક આડી સ્લાઈઝ કાઢવી અને અંદરથી બધાં બીજ કાઢી લો. બે મિનિટ પાણીમાં બાફી લો તેને બહાર કાઢી તેમાં ભરવાનો બધો મસાલો મિકસ કરીને ગેસ ધીમો કરો. પ્લેટમાં પત્તા ગોબી પાથરો, તેની ઉપર સ્ટફ ટામેટાં, કેળાં અને સિમલા મરચાં મૂકો. તેની ઉપર ગ્રેવી અને થોડીક્રીમ નાંખો તેમની બાજુમાં ગરમ ભાત મૂકો. તેની ઉપર દાળ નાંખો. સિઝલીંગનો અવાજ અને ધૂમાડો આવે ત્યારે પ્લેટને લાકડાની ટ્રેમાં મૂકીને સર્વ કરો. એક બાજુ રોટલી, નાન અથવા પરોઠા અને પાપડ પીરસો.

રક્ષા બંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા – આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન

3

|| રક્ષા બંધન ||
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે ?
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને

4  5  6

7

|| રક્ષાબંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા ||

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલો છે.

ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.

નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥

જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.

8

|| આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ||

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ?

દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે.

આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે

સંસારનો સાર

|| સંસારનો સાર ||
એકવાર એક સંત મહાત્માએ એમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે એટલી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇએ. ત્યારે એમને એક શ્રોતાએ પુછ્યુ ‘ જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી ?’ સંત મહાત્માએ તર્ત ક્હ્યુ’ ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.’  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે ?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે ‘બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.’
જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ‘ દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે ‘બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીએ એ વિષે આપણ ને પણ ખબર નથી. એ બાબતમા કબીરે સચોટ શબ્દોમા કહ્યુ છે ‘ માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, એક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. ‘આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
એટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે ‘  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.’ વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

6

|| ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ ||

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.
– આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.
– માર્ક ટ્વેન

જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે
– ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ

૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.
– હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)

** નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. ‘નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ ‘નેવિગેશન’ પોતે પણ સંસ્કૃત શબ્દ ‘નવગતિ’ પરથી બનાવવામાં આવ્યો છે.

ભારતનો રાષ્ટ્રધ્વજ

2  3

|| ભારતનો રાષ્ટ્રધ્વજ ||

૧. (કલકત્તા)કોલકાટા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાટામાં લહેરાવેલ.
૨. ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ. (વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)
૩. હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭.
૪.૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ. (વચ્ચે ચરખો)
૫. ૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.
** ૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.
૬. ભારતની આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં લહેરાવેલ.
૧. ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita’s Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ (“বন্দে মাতরম”)લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
૨. પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાટા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
૩. ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
૪. બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુ નિયન જેક”(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
૫.૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
૬.મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
૭. ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
૮. આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
૯. છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
૧૦. આજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો.જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો.આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણીપુર માં ફરકાવાયેલ.

|| ઉત્પાદન પ્રક્રિયા ||

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

|| રાષ્ટ્રધ્વજ આચારસંહિતા ||

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

|| રાષ્ટ્રધ્વજનું સન્માન ||

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

|| રાષ્ટ્રધ્વજની જાળવણી ||

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે.

|| અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

|| રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે ||

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો,જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોયતો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

|| આંતરીક પ્રદર્શન માટે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે, તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથી જ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે, વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો, કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

4

|| શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ||

પ્રિય દેશવાસીઓ,

ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ.

આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ.

વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે?

આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર વિશ્વમાં કદરૂપા અને નીચા દેખાડી શકે છે. અને આપણી સ્વતંત્રતાના કારણને હાની પહોંચાડી શકે છે. આ બધી તકલીફો મોટી નાણાંકીય તકલીફો અને એ લોકોના રૂપે આપણી તરફ આવે ચે જે તાત્કાલીક આપણું ધ્યાન માંગે છે.

આપણું વિશ્વયુધ્ધમાં હોવું અને તે પછીનાં અનેક પ્રસંગોએ આપણને અનેક તકલીફોનો સમૂહ ભેટમાં આપ્યો છે. અને આજે આપણા લોકો ખોરાકના અને કપડાંના અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુ ના અભાવે જીવે છે અને આપણે મોંઘવારી અને વધતા જતાં ભાવના વિષચક્રમાં ફસાતા જઈએ છીએ. આપણે આ બધી તકલીફો તરતજ ઉકેલી શકવાનાં નથી. પણ આપણે તેમના ઉકેલમાં મોડું પણ કરી શકીએ એમ નથી. તેથી આપણે ચતુરાઈપૂર્વક આયોજન કરવું પડશે કે જેથી લોકો પર તેનો બોજો ઓછો પડે અને તેમનુ જીવનધોરણ ઉંચુ આવે. આપણે કોઈનું ખરાબ ઈચ્છતાં નથી પણ એ બધાંયને એકદમ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ કે આપણા લાંબા સમયથી તકલીફમાં જીવતા લોકોની તકલીફો પહેલા આવે છે, અને તેમની તકલીફોનું સમાધાન થવું જ જોઈએ. આપણે જૂની જમીન પધ્ધતિઓ બદલવી પડશે, અને આપણે ઔદ્યોગિકરણ મોટા પરંતુ સંતુલિત ધોરણે શરૂ કરવું પડશે, જેથી દેશની સંપત્તિમાં વધારો થાય અને આ રીતે આપણી રાષ્ટ્રીય સંપત્તિ સમાન ધોરણે વહેંચી શકાય.

ઉત્પાદન આજે આપણી સૌથી વધુ અગ્ર જરૂરત છે, અને દરેક કાર્ય જે તેને અટકાવવા કે ઓછું કરવા થશે તે દેશ વિરુધ્ધનું કાર્ય હશે, અને ખાસ કરીને મજૂરી કરતા આપણા લોકોના માટે તે ખૂબ નુકસાનકારક હશે. પણ ઉત્પાદન એકલું પૂરતું નથી, કારણકે એનાથી સંપત્તિનું કેન્દ્રિકરણ ફક્ત થોડાક હાથોમાં જ થશે, જે પ્રગતિના રસ્તે અવરોધ રૂપે આવશે અને દેશમાં અસમાનતા, અસંતુલિતતા અને ઝઘડા લાવશે. તેથી સમાન અને પૂરતું વિકેન્દ્રિકરણ દરેક તકલીફના ઉકેલ માટે જરૂરી છે.

ભારત સરકાર અત્યારે નદીઓના આસપાસના ફળદ્રુપ પ્રદેશોના વિકાસ માટે નદીઓના પ્રવાહને કાબૂમાં કરીને અનેક યોજનાઓ હાથ ધરશે, બંધો બનાવવા, તળાવો બનાવવા અને પાણી પૂરવઠા વડે તથા જળ વિદ્યુત યોજનાઓ વડે લોકવિકાસના કાર્યો થશે. આ સાર્વત્રિક વિકાસ હશે. આ યોજનાઓ બધાંય આયોજનનાં મૂળમાં છે અને અમે તેને બને તેટલી ઝડપથી પૂરી કરવા પ્રયત્ન કરીશું જેથી લોકસમૂહો તેનો ફાયદો મેળવી શકે.

આ બધું માંગે છે શાંતિપૂર્વકના સંજોગો અને લાગતા વળગતાં બધાંયનો સાથ અને સહકાર, અને સખત અને સતત મહેનત. ચાલો આપણે આપણી જાતને આ મહાન અને ફાયદાકારક કાર્યમાં જોડીએ અને આપણા આંતરિક ભેદભાવો અને ઝઘડા ભૂલી જઈએ. દરેક વસ્તુ માટે સમય હોય છે, સમય હોય છે ઝઘડવાનો, સમય હોય છે હાથમાં હાથ મેળવી કામ કરવાનો, સમય હોય છે કામ કરવાનો અને સમય હોય છે આનંદ કરવાનો. આજે લડવાનો સમય નથી કે મોજમજાનો સમય નથી. જ્યાં સુધી આપણે સફળ ન થઈ જઈએ. આજે, આપણે એક બીજા સાથે સહયોગ કરવો રહ્યો અને સાથે કાર્ય કરવું રહ્યું, અને સાચી ભાવનાથી કામ કરવું પડશે.

હું આપણી સેનાને પણ આજે થોડાક શબ્દો કહેવા માંગું છું, સિવિલ અને મિલિટ્રી, જૂના ભેદભાવો અને વાડાઓ જતા રહ્યા છે, અને આજે આપણે સ્વતંત્ર છીએ અને ભારતના સંતાનો છીએ, આપણા દેશની સ્વતંત્રતા માટે ગર્વ અનુભવીએ છીએ અને તેની સેવા માટે સાથે હાથ મેળવવા જઈ રહ્યા છીએ. આપણું બધાનું સામાન્ય પરીબળ છે “ભારત” આગળ આવનારા મુશ્કેલ દિવસોમાં, આપણી સેના અને આપણા વિશેષજ્ઞોએ મહત્વની ભૂમીકા ભજવવાની છે, અને આપણે તેમને ભારતની સેવાના સિપાહીઓ તરીકે આવકારીએ છીએ.

જવાહરલાલ નહેરૂ

ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ

5

|| ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ ||

“દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વકીલ એમ. કે. ગાંધીની પ્રતિમા”

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો વિષય છે જેના વિશે અભ્યાસનો અંત નથી. ૧૯૪૮માં અવસાન પામેલા ગાંધીને ર૦૦૪માં હજી આપણે છોડી શકતા નથી. એક પણ એવો દિવસ જતો નથી કે દેશનાં પ્રમુખ સમાચારપત્રોમાં ગાંધીજીનું નામ ન હોય! ગાંધીજીએ સ્વયં એક વાર સૂચક રીતે કહ્યું હતું કે મૃત્યુ પછી પણ ભારતવર્ષ સાથેનો મારો સંબંધ નહીં છૂટે. ગાંધી શબ્દ હિન્દુસ્તાન માટે એક બેરોમીટર છે, એલ્ટોમીટર છે, પ્રગતિનાં બધાં જ પરિમાણો માપવાનું પ્રેરણામીટર છે અને ગાંધીજીના સોલ સેલિંગ એજન્ટ્સ જેવા ગાંધીવાદીઓ પણ છે, ખાસ કરીને ગુજરાતમાં, જેમની બંડીમાં ધબ્બો મારો તો હજી ૧૯૩૮ની ધૂળ ઊડે છે. નિરક્ષર, અલ્પાક્ષર, અર્ધશિક્ષિત, એકેન્દ્રીય, બંધદિમાગી, સડિયલ કથિત અનુયાયીઓ હજી છે અને વિકાસમાર્ગમાં સ્પીડબ્રેકર કે ગતિરોધની જેમ પડ્યા રહ્યા છે. ઉમાશંકર જોષી કહેતા હતા: ગાંધીજી ગાંધીવાદી ન હતા…!

અને ગાંધીજી વિશે વિશ્ર્વભરમાંથી સમાચારો આવતા રહે છે અને આપણા ગુજરાતી પત્રો અને પ્રસાર-માધ્યમો એ વિશે માત્ર બેખબર નહીં, પણ પૂર્ણ બેહોશીની સુખદ અવસ્થામાં છે. આ આપણી ટ્રેજેડી છે કે કોમેડી છે એ સમજાતું નથી, પણ અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે જે આ સ્થિતિ માટે ઉપયુક્ત છે: ટ્રેજીકોમેડી! એટલે કે કરુણ-રમૂજી! ગાંધીજીના વિચારો એ યુગમાં પણ આધુનિક હતા, અને હું ચોક્કસ માનું છું કે ર૦૦૪માં જો ગાંધીજી જીવિત હોત તો આજની યુવાપેઢીનો આદર્શ રોલ-મોડલ હોત! ગાંધીજીમાં એ મૌલિકતા હતી. ગુજરાતના કેટલાક વર્ગોમાં ગાંધીજીને સતત ગાળો બોલતા રહેવાનો વાઈરસ ફેલાયો છે. પોતાનો આત્મવિશ્ર્વાસ વધતો હોય તો એમને માટે આ ‘થેરપી’ પણ ખોટી નથી. ગાળો બોલનારની ભીરુતા પર વીરત્વનું આ પ્રકારનુંં વાર્નિશ ચડાવવું ઘણીવાર જરૂરી પણ હોય છે. પણ આવી નકારાત્મક ઉપદ્રવી પ્રવૃત્તિ હિમાલયને કાંકરીઓ મારવાથી વિશેષ નથી. વીસમી સદીના ભારતવર્ષના ઈતિહાસના સર્વોચ્ચ ઈતિહાસપુરુષ તરીકે સમગ્ર વિશ્ર્વે એક જ વ્યક્તિને સ્વીકાર્યા છે: મહાત્મા ગાંધી!

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગના ગાંધી સ્કેવરમાં ગાંધીજીની અઢી મીટર એટલે કે લગભગ ૮ ફિટ ઊંચી પ્રતિમા મુકાઈ છે જેમાં જવાન વકીલ એમ.કે. ગાંધી છે, હાથમાં કાનૂનની કિતાબ, સૂટ અને વકીલનો ગાઉન છે! ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા આવેલા બેરિસ્ટર ગાંધીએ ર૧ વર્ષ સુધી જુલ્મી કાનૂનો સામે લડત આપી હતી. સાયપ્રસના નીકોસીઆમાં ગાંધીજીની પ્રતિમાને ગાંધીજયંતી સમયે પ્રધાનમંત્રી વાજપેયીએ પુષ્પાંજલિ આપી હતી. સાનફ્રાન્સિકોના પાયર ૩૮ વિસ્તારમાં, જે પર્યટકોની પ્રિય જગ્યા છે, ગાંધીજીની પ્રતિમા છે. બર્લિનની પૂર્વ દીવાલના ચેકપોઈન્ટ-ચાર્લીના મ્યુઝિયમના દ્વાર પર દાંત વગરનું શાંતિપૂર્ણ સ્મિત ગાંધીજી આપી રહ્યા છે. અમેરિકાના ડેનવર સિટી પાર્કના પ્લાઝામાં માર્ટિન લ્યુથર કિંગની પ્રતિમાની બાજુમાં ગાંધીજીની પ્રતીમા છે.

લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિશ્ર્વભરમાંથી અંજલિઓ આવી, પણ શ્રેષ્ઠ કવિતાલીટી બ્રાઝિલની એક પોર્ટુગીઝભાષી કવયિત્રીની હતી: બૂઢા ઈશ્ર્વરે ચશ્માં ઉતાર્યાં, અને એક આંખમાંથી એક આંસું ખરી પડ્યું! જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે. ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની અંદર જે વાક્યો લખેલાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. ઈઝરાયલના રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવના રેગિસ્તાનના કિબુત્ઝમાં આજે પણ એમ જ રાખ્યું છે અને એમાં ગાંધીજીનો લટકાવેલો ફોટો એમ જ છે. હવાઈના વાઈકીકી બીચ પર પ્રશાંત મહાસાગર તરફ જોઈ રહેલી ગાંધીજીની પ્રતિમા ઊભી છે. યુરોપના દેશ લક્ષમબર્ગમાં ગાંધીજીની અર્ધપ્રતિમા (બસ્ટ) પર શીતમાનમાં હિમ વરસતું રહે છે. જર્મનીના બર્લિનની એક સ્કૂલને મહાત્મા ગાંધી ઓબ્સર સ્કૂલ નામ અપાયું છે. ગાંધીજી કોણ હતા? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી લંડન ગયા ત્યારે નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ મળવા આવ્યા હતા. બીજા એક મુલાકાતી હતા: અભિનેતા ચાર્લી ચેપ્લિન. દક્ષિણ આફ્રિકાના વિશ્ર્વનેતા જાન ક્રિસ્ટીઅન સ્મટ્સ માટે ગાંધીજીએ ત્યાંની જેલમાં સ્વહસ્તે બનાવેલાં ચપ્પલ મોકલ્યાં હતાં, જે આજે પણ સાચવી રખાયાં છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથનાં લગ્ન સમયે ગાંંધીજીએ એક મહિના સુધી હાથે કાંતેલી ખાદીનું ટેબલકવર મોકલ્યું હતું, જે સમ્રાજ્ઞીને મળેલી અબજો પાઉન્ડની ભેટ-સોગાદોમાં સૌથી સસ્તી ભેટ હતી, અને સૌથી મહામૂલ્યવાન ભેટ હતી અને આજે પણ એ ભેટ સાદર સાચવવામાં આવી છે. અમેરિકાના મીશીગનના ડિયરબોર્નમાં ફોર્ડ મોટર કંપનીના મુખ્યાલયમાં ગાંધીજીએ મોટરકારોના જન્મદાતા હેનરી ફોર્ડને મોકલેલો એક રેંટિયો રાખવામાં આવ્યો છે. વીસમી સદીના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિવસે કહ્યું હતું એ વાક્ય આજે વિશ્ર્વપ્રસિદ્ધ થઈ ગયું છે: આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે! દુનિયાભરના ડઝનો દેશોએ ગાંધીજીની ટિકિટો બહાર પાડી છે. હોંગકોંગના ‘એશિયા-વીક’ સાપ્તાહિકે તંત્રીલેખમાં લખ્યું હતું કે પ૦ વર્ષ પછી મહાત્મા ગાંધીને મરણોપરાંત શાંતિ માટે નૉબેલ પુરસ્કાર આપીને નૉબેલ કમિટીએ પોતાની વિરાટ ભૂલનો પશ્ર્ચાત્તાપ કરી લેવો જોઈએ. ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેઝના મતાનુસાર વિશ્ર્વે છેલ્લી બે સદીઓમાં બે મહાન પુરુષો જોયાં છે: એક નેપોલિયન અને બીજા ગાંધી. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીમાં એ પ્રાચીનતા દેખાઈ હતી, જે બુદ્ધના સમયમાં હતી, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. ૧૯૮૧ના મારા પાકિસ્તાન પ્રવાસ સમયે પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનની વિધવા રાના લિયાકત અલીએ મને ગાંધીજી વિશે વાત કરતાં અંતિમ વાક્ય કહ્યું હતું: હિંદુસ્તાનમાં ઈતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!…

લૅટિન અમેરિકામાં દંતકથા બની ગયેલા વિપ્લાવક અર્નેસ્ટો ‘ચે’ ગુવેરાની પુત્રી એલેઈડા ન્યૂ દિલ્હી આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારા પિતા ‘ચે’ પર ગાંધીજીની જબરજસ્ત અસર હતી. દક્ષિણ અમેરિકામાં આંદોલનમાં શહીદ થઈ ગયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચીકો મેન્ડેઝ પર ગાંધીવાદી અસર હતી. આરબ કુર્દ નેતા જમાલ ગુમ્બલેટે ગાંધીજીની પ્રેરણાનો સ્વીકાર કર્યો છે. મેક્સિકોના ખેતમજૂર નેતા સિઝારેએ ગાંધીપ્રેરણાથી ખેતઆંદોલન ચલાવ્યું હતું.

પોલંડના ગોદીકામદારોના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી લેચ વાલેચાએ કમ્યુનિસ્ટ તુમારશાહી સામે ગાંધીમાર્ગથી સંઘર્ષ કર્યો હતો. ફિલિપિન્સના વિરોધનેતા નીનોય એકવીનો ‘ગાંધી’ ફિલ્મ જોઈને વતન પાછા ફરવાનો નિર્ણય કરે છે, ઍરપોર્ટ પર તાનાશાહ માર્કોસ ખૂન કરાવે છે, ફિલિપિન્સમાં ક્રાંતિ થાય છે, અને એક્વીનોની વિધવા કોરેઝોન એક્વીનો રાષ્ટ્રપતિ બને છે. એક પૂરા દેશનો ઈતિહાસ ગાંધી શબ્દથી કરવટ બદલી નાંખે છે.

નેલ્સન મંડેલાએ એમની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’માં ગાંધીજી વિશે વારંવાર આદરપૂર્ણ ઉલ્લેખ કર્યો છે. ગાંધી મંડેલા માટે પ્રેરણામૂર્તિ હતા. એમના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. આ પુસ્તકની સમીક્ષા કરતાં કેનેડાના મોન્ટ્રિઓલ ગેઝેટે લખ્યું હતું કે આ માણસ એના દેશનો લિંકન, વૉશિંગ્ટન અને ગાંધી છે. માર્ટિન લ્યુથર કિંગનું પૂરું આંદોલન ગાંધીવિચારધારા પર આધારિત હતું. સ્વિટ્ઝરલેન્ડમાં ગાંધીજી મહાન લેખક રોમાં રોલાંને મળ્યા હતા જેમણે એમનું જીવનચરિત્ર લખ્યું હતું અને આલ્બર્ટ શ્વાઈટ્ઝરથી મધર ટેરેસા સુધી કેટલાય શાંતિદૂતોને માટે ગાંધી આદર્શ હતા!

ગાંધીજી પાસે જબરજસ્ત રમૂજવૃત્તિ હતી. એમણે પોતાના ચહેરાને આકર્ષક બનાવવા ક્યારેય પ્રયાસ કર્યો ન હતો. એમણે એક કલાકારને એક વાર નિર્દોષ રમૂજભાવે પૂછ્યું હતું: હું ખૂબસૂરત નથી? સરોજિની નાયડુનું કહેવું હતું કે ગાંધીજીમાં સમ્રાટ અને મીકીમાઉસ બંનેનું મિશ્રણ હતું! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમના સચિવ શારદા પ્રસાદને પૂછ્યું હતું: તમે ગાંધીજીની આંખોમાં ક્યારેય જોયું છે?… સંતોને શાંત આંખો હોય છે એવું કહેવાય છે પણ આ બિલકુલ સાચું નથી: ગાંધીજીની આંખોમાં અગ્નિ હતો. તમે આખી દુનિયાનું દર્દ એ આંખોમાં જોઈ શકો છો અને ક્રોધ પણ જોઈ શકો છો, પણ સંપૂર્ણ અંકુશ, સંપૂર્ણ અનુકંપા. બસ, એ જ એમનામાં અદ્વિતીય, અપ્રતિમ હતું…

ક્લોઝ અપ

તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા અને અમે એમને મહાત્મા બનાવીને તમને પાછા મોકલ્યા. -નેલ્સન મંડેલા

૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ

1i

|| ૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ ||

આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.

અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી  આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.

અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ?  ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કીમત હોતી નથી.

અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો  તો તેનું મહત્વ સમજી શકાય …!!   આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .

મને કહેતા દુઃખ થાય છે કે આજના સમયમાં માયકાંગલા જેવા મુઠ્ઠીભર નેતાઓએ ગંદા રાજકારણથી આપની આઝાદીના સાચા અર્થને અને સાચા ગૌરવને સાવ ભુલાવી દીધા છે અને અંગત સ્વાર્થ ખાતર અંદરોઅંદર ઝગડતાં કરી મુક્યા છે .

દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ ચીન આપણા દેશનો મોટાભાગનો વિસ્તાર પડાવી લીધો છે અને હમણાં એક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાને આપણા ૫ સૈનિકોને મારી નાખ્યા છે …તો હવે આપણે જ સમજવાની જરૂર છે કે જો આવી રીતે જ રાજકારણ રમાશે તો વહેલા મોડા આપણે સૌ ફરીથી ગુલામ બની જવાના છીએ. માટે જાગો !!! અને દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.

|| ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસમાં તફાવત ||

૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને અંગ્રેજોથી આઝાદી મળી હતી અને ભારત દેશનું નિર્માણ થયું હતું તેથી તે દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણો દેશ ખરા અર્થમાં ગણતંત્ર દેશ બન્યો હતો એટલે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૈંૈં

ભારત માતાકી જય,  ….વન્દે માતરમ