રામદૂત હનુમાનજી

1

|| રામદૂત હનુમાનજી ||

આજની આ વિષમ પરિસ્થિતિમાં મનુષ્ય માત્ર માટે વિશેષ કરીને યુવાનો અને બાળકો માટે ભગવાન હનુમાનજીની ઉપાસનાં અંત્યન્ત આવશ્યક છે. હનુમાનજી બદ્ધિ- બલ- વીર્ય પ્રદાન કરીને ભક્તોની રક્ષા કરે છે. ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ વગેરે માત્ર એના નામ સ્મરણથી જ ભાગી જાય છે અને એનાં સ્મરણ માત્રથી અનેક રોગોનું દમન થાય છે. માનસિક દુર્બલતાના સંઘર્ષમાં શ્રી હનુમાનજી સહાયક બને છે. ગોસ્વામી તુલસીદાસજીને અનેક વખત અને ખાસ કરીને શ્રી રામનાં દર્શનમાં સહાયતા મળી હતી. તે (હનુમાનજી) આજે પણ આપણી રામ કથા જ્યાં પણ હોય છે. ત્યાં બિરાજમાન હોય છે. આજ પ્રકારે તે ભગવદ્ભક્તોમાં અભક્ત રૃપથી પ્રકટ રહીને તેની ભક્તિ- ભાવનાઓનું પોષણ કરે છે.

* હનુમાનજી અસમ્ભવ ઘટનાને સમ્ભવ અને સમ્ભવને અસમ્ભવ કરનારા છે. શ્રી હનુમાનજીની આનંદમય મૂર્તિનું સ્મરણ કરવાથી સંસારના તમામ સંકટ અને દુ:ખ દૂર થઇ જાય છે. શ્રીરામનાં અનન્ય પ્રિયપાત્ર શ્રી લક્ષ્મણજી, શ્રી ભરતજી, દેવર્ષિ નારદજી અને વીર હનુમાનજી છે. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, ચારે યુગમાં અમર છે. જેમાં કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.

* રાવણે નવ ગ્રહોને બંદી બનાવ્યા હતા ત્યારે મહાવીર હનુમાનજી એ તે નવગ્રહોમાંથી શનિદેવને મુક્ત કર્યા હતા અને એટલે જ હનુમાનજીના ભક્તોને શનિદેવની કોઇ જ પિડા પરેશાન કરતી નથી. હનુમાનજીના મિત્રોમાં શનિ, બુધ અને રાહુનો સમાવેશ થાય છે. જો નિત્ય પ્રેમપૂર્વક શ્રી હનુમાનજીનું ધ્યાન અને સ્મરણ કરવામાં આવે તો ક્યારેય કોઇ જ પ્રકારની પિડા હેરાન કરતી નથી.

પવનપુત્ર હોવાથી તેનો વાયુની સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. અગિયાર રુદ્રોના સંબંધમાં શાસ્ત્રોનો એક મત આ પણ છે, કે આત્મા સહિતનાં દસો વાયુ (૧) પ્રાણ (૨) અપાન, (૩) વ્યાન, (૪) સમાન (૫) ઉદાન, (૬) દેવદત (૭) ફર્મ (૮) કૃકલ (૯) ધનંજય અને (૧૦) નાગ પણ રુદ્ર છે.

Leave a comment