આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે

3

|| આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે ||

ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે.
સામાન્ય બુધ્ધી કહે છે શરીરમાં જે જીવ હોય ત્યાં સુધીજ તેની નિત્ય ક્રિયા જેવી કે શ્વાસ લેવો હ્રદયનું ધબક્વુ કે હલન ચલન થાય્..તે ન હોય તો શરીર મૃત્યુ પામ્યુ કહેવાય.

જે શ્રધ્ધેય છે તે સમજે છે કે આ ચૈતન્ય સ્વરુપ અજર અને અમર છે. તે દેહ બદલે છે અને જ્યારે તે દેહ બદલે છે ત્યારે નાશવંત દેહ મૃત્ય પામ્યો તેમ કહેવાય છે. અને તેથી સદગત કે સ્વર્ગવાસી શબ્દ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે વપરાય છે. સામાન્ય બુધ્ધી કહે છે આ શબ્દ પ્રયોગ આડાકતરી રીતે આત્મા શરીરથી જુદો છે તેમ સુચવે છે.

ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે.

સામાન્ય બુધ્ધી આ જગ્યાએ ગોથુ ખાઈ જાય છે..અને મત-મતાંતરો આધારીત વિવાદોમાં ગુંચવાય છે.પહેલી ગુંચવણ એ છે કે આત્મા નિરાકાર છે તેથી કોઈ જૉઇ નથી શકતા તેથી બુધ્ધી વિજ્ઞાન નો આધાર લઈને ગુંચવય છે તેની હયાતી કે અસ્તીત્વ વિશે. જે લોકો ધર્મ અને પ્રભુવાણી સત્ય છે અને આચાર્ય ભગવંતો તે સત્ય ટકાવવા માટે મથે છે તેવા દરેક શ્રધ્ધેય માણસો એ સ્વિકારી લીધુ કે જેમ પવન દેખાતો નથી છતા અનુભવાય છે તેમ જ આત્મા છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે અનુભવાય કે આત્મા છે.

ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો માલીક છે.

સામાન્ય બુધ્ધી આ વાતને સમજી નથી શકતી કે માની નથી શકતી કારણ કે જો આત્મા સર્વ ગુણ સંપન્ન હોય તો તે ભવાટવીમાં કેમ ભટકે છે? તેને જ્ઞાન હોય તો તે પાપના માર્ગે મુરખની જેમ કેમ ચાલ્યા કરે છે?

આ બધા પ્રશ્નોનો જવાબ કર્મ વિજ્ઞાને આપેલો છે તે પ્રમાણે આત્મા પ્રમાદમાં પડે છે તેથી તેના ઉપર વિવિધ કર્મના પુદગલો ખેંચે છે જે આત્માની શક્તિ કુંઠીત કરે છે જેમ ૧૦૦ વોલ્ટના બલ્બ ઉપર જાડા અપારદર્શક આવરણો લાગ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર ન નીકળે તો વિજ્ઞાન અને સામાન્ય બુધ્ધી એમ જ કહેશે બલ્બ પ્રકાશીત નથી. પણ વાસ્તવમાં તો તે પ્રકાશીત છે તે પરિણામ આપણે આવરણો દુર કરીએ ને તરત દેખાય છે.

Leave a comment