મધ અને દૂધ

6

|| મધ અને દૂધ ||

મધ અને દૂધ બંને મહત્વપૂર્ણ આહાર માનવામાં આવે છે. આમ તો દૂધ પીવાથી અને મધ ખાવાના બંને અનેક લાભ થાય છે, પરંતુ દૂધ અને મધ બંનેને સાથે લેવામાં આવે તો તેના ગુણ બમણા થઈ જાય છે. મધ પોતાના એન્ટીબેક્ટિરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ફંગલ ગુણોને લીધે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવતું રહ્યું છે.

મધમાં પ્રોટીન, એલબ્યુમિન, વસા, એન્જાઈમ એમીનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ, પરાગ, કેસર, આયોડિન અને લોહ, તાંબુ, મેગંઝિન, પોટેશિયમ, સોડીયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, ક્લોરિન જોવા મળે છે. સાથે જ તેમાં બહુમૂલ્ય વિટામીન-રાઈબોક્લેવિન, વિટામીન એ, બી-2, બી-3, બી-5, બી-6 બી-12 તથા વિટામિન સી, વિટામીન એચ અને વિટામીન-કે પણ જોવા મળે છે.

તે શ્વાસ સંબંધી પરેશાનીઓમાં પણ ફાયદાકારક રહે છે. આમ તો દૂધમાં એ, બી, સી, ડી, કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંનેને સાથે લેવાથી અનેક અનોખા સ્વાસ્થ લાભ થાય છે.

|| દૂધ અને મધને સાથે લેવાથી નીચે મુજબ ફાયદા થાય છે ||

* ડાયજેશન

રોજ એક ગ્લાસ દૂધમાં બે ચમચી મધ મેળવીને લેવાથી ડાયજેસ્ટીવ સિસ્ટમમાં સુધારો થાય છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. તેને રોજ લેવાથી પેટ અને આંતરડાં સાથે જોડાયેલ સમસ્યાઓ નથી થતી.

* એન્ટીએજિંગ

દૂધ અને મધ સાથે લેવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે સાથે જ શરીરને પણ આરામ મળે છે. પ્રાચીન સમયથી જ ગ્રીક, રોમન, ઈજિપ્ત, ભારત વગેરે દેશોમાં યુવાન રહેવા માટે એક એન્ટીએજિંગ પ્રોપર્ટના રૂપમાં દૂધ અને મધનું સેવન કરવામાં આવતું રહ્યું છે.

* સ્કીન કેયર

મધ અને દૂધ બંને સૂક્ષ્મજીવોને ખતમ કરે છે. દૂધ અને મધને સાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે. દૂધ અને મધને બરાબર માત્રામાં મેળવી લો અને એટલી માત્રામાં પાણી મેળવીને નહાતા પહેલા શરીર ઉપર લગાવો, સ્કિન નિખરી જશે.

* એન્ટીબેક્ટેરિયલ

મધ, દૂધની સાથે લેવાથી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીની જેમ કામ કરે છે. તેનાથી નુકસાનકારક બેક્ટેરિયા શરીર ઉપર આક્રમણ નથી કરી શકતા અને શરદી, ખાંસી વગેરેની સમસ્યાઓ દૂર રહે છે.

* અનિદ્રા

દૂધ અને મધને સાથે લેવાથી અનિદ્રા રોગ દૂર કરવા માટે એક પ્રાચીન નુસખો છે, કારણ કે દૂધ અને મધ સાથે લેવાથી દૂધ અને મધ ઈન્સુલિનના સ્ત્રાવણને નિયત્રિંત કરે છે જેનાથી ટ્રિપ્ટોફેનની યોગ્ય માત્રામાં મસ્તિષ્કમાં સ્ત્રાવણ થાય છે. ટ્રિપ્ટોફેન સિરોટોનિનમાં ફેરવાઈ જાય છે સિરટોનિન મેલેટોનિનમાં પરિવર્તન થઈ મગજને રિલેક્સ કરે છે અને અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે.

* સ્ટેમિના

રોજ એક ગ્લાસ દૂધમાં મધ લેવાથી શરીરને આંતરિક રીતે બળ મળે છે. જ્યાં દૂધમાં પ્રોટીન હોય ચે તો મધમાં પર્યાપ્ત માત્રામાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. દૂધ અને મધ સાથે લેવાથી શરીરને ઊર્જા મળે છે અને મેટાબોલિઝમ ક્રિયામાં વધારો થાય છે.

* હાડકાંનું સ્વાસ્થ

દૂધ અને મધનું કોમ્બિનેશન શરીરને હેલ્દી બનાવી રાખવાની સાથે જ હાંડકાંની બીમારીઓ જેવા ઓસ્ટિયોપોરોસિસ કે ઉંમરની સાથે થતા સાંધાના દર્દ વગેરેથી સુરક્ષિત રાખે છે, કારણ કે દૂધ ને મધ બંનેમા કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોય છે.

 

 

Leave a comment