શ્રી ગિરનાર તીર્થ

7

|| શ્રી ગિરનાર તીર્થ ||

(શ્રી નેમિનાથ ભગવાન)

યદુવંશ સમુદ્રેન્દુ: કર્મકક્ષ હુતાશન:
અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાદ્વોઙરીષ્ટનાશન:

વર્તમાન ચોવીશીના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના જ્યાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયા છે અને આવતી ચોવીશીના બધા જ તીર્થંકરો જ્યાં નિર્વાણ પામશે તેવું પવિત્ર અને શાશ્વત તીર્થ એટલે ગિરનારજી. ગઈ ચોવીશીના આઠ તીર્થંકરોના 24 કલ્યાનાકો પણ આ જ ક્ષેત્રમાં થયા હતા.

પ્રાચીન સમયમાં આ તીર્થ ઉજ્જયંતગિરિ, રૈવતાચલ, સુવર્ણગીરી, નંદભદ્ર વગેરે નામથી ઓળખાતું હતું. આ તીર્થનાં અત્યારસુધીમાં 16 વખત ઉદ્ધાર થયા છે. ભરત ચક્રવર્તીએ આ ગીરિરાજનો પ્રથમ ઉદ્ધાર કરાવી સ્ફટિક રત્નમય જિનાલય બનાવ્યું હતું. જે 111 મંડપો, જાળીઓ, ઝરૂખાઓથી સુશોભન પામેલું હતું. તેનું નામાભિધાન “સુરસુંદર પ્રાસાદ” કરવામાં આવ્યું હતું.

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ પ્રભુ નેમિનાથ પરમાત્મા એ પોતાના હાથે કરેલી છે. ગીરનાર મહાતીર્થમાં વિશ્વની સોથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યૂન (ઓછા ) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીશી ના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બર્હામેન્દ્ર દ્વારા બનાવામાં આવેલ હતી, આ પ્રતિમાને પ્રતિષ્ઠીત કર્યા ને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આજ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયીકા દ્વારા પાતાળલોકમાં લઇ જઈને પૂજાશે.

આ ગિરિરાજ ઉપર તીર્થંકરો, ગણધરો, જુદા જુદા અધીષ્ઠાયકોના મંદિરો તથા પ્રતિમાઓ જુહારવા લાયક છે. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ વગેરેના જિનમંદિરો આવેલા છે, જેમાં ચોરીવાળું જિનાલય વિખ્યાત છે.
પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં,
રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં;
સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પામતાં,
એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂરે જતાં.

સૌરાષ્ટ્રના જૂનાગઢની પાસે આવેલા ગિરનાર પર્વત વિશે શાસ્ત્રાેમાં ઉજ્જયંતગિરિ અને રૈવતગિરિ આદિ નામે ઉલ્લેખ મળે છે. આને નેમિનાથ પર્વત અથવા તો શત્રુંજયગિરિની પાંચમી ટુંક પણ ગણવામાં આવે છે. પ્રથમ તીર્થંકરના સમયથી ચરમ તીર્થંકર સુધીના સમયમાં અનેક ચક્રવર્તીઓ , રાજાઓ અને શ્રેષ્ઠીઓએ રૈવતાચલની યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. એમ કહેવાય છે કે ભાવિ ચોવીસીમાં વીસ તીર્થંકરો અહીં મોક્ષ મેળવશે. આ ગિરનાર તીર્થંમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની 140 સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. નેમિનાથ ભગવાનના દીક્ષાકલ્યાણક, કેવળ જ્ઞાનકલ્યાણક અને નિર્વાણકલ્યાણકથી પાવન આ ગિરિરાજનાં ગગનચુંબી શિખરો ભાવિકોના હૃદયને ભાવનાઓથી છલોછલ ભરી દે છે. નેમિનાથ ભગવાનની આ પ્રતિમા ગઈ ચોવીસીના તીર્થંકર શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈદ્રએ ઘડાવી હતી એમ કહેવાય છે. આ પ્રતિમા ભગવાન નેમિનાથના સમય સુધી ઈદ્રલોકમાં રહી અને પછી શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં હતી. દ્વારકાનગરી ભસ્મ થઈ ત્યારે શ્રી અંબિકાદેવીએ આ પ્રતિમાને સુરક્ષિત રાખી. રત્નાશાહની તપý ાર્યાથી પ્રસન્ન થયેલાં અંબિકાદેવીએ રત્નાશાહને આપી જેની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. વિ.સં. 609 માં કાશ્મીરના શ્રેષ્ઠી રત્નાશાહ અને અજિતશાહે અને તે પછી બારમી સદીમાં વસ્તુપાળ-તેજપાળ તથા સિદ્ધરાજના મંત્રી સજ્જન શાહે આનો જિર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અનેક રાજાઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અહીં બીજાં બે શ્વેતાંબર મંદિરો પણ મળે છે. આ દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો પર કરેલી શિલ્પકળા આહલાદક છે.

મહિમા ગિરનાર નો………..

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ પ્રભુ નેમિનાથ પરમાત્મા એ એમના હાથે કરેલી છે.

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે વિશ્વ માં કે જે એક દેવે બનાવેલી છે.
આ એક માત્ર તીર્થ છે કે જેમાં વિશ્વ ની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે.
આ એક માત્ર તીર્થ છે કે જેમાં આખુ દેરાસર ગ્રેનાઈટ ના પથ્થર થી બનેલું છે.
ગિરનાર મહાતીર્થ ઉપર અનંતા અરીહંત પ્રભુ ના કલ્યાણક થયા છે અને પછી પણ અનંતા અરીહંત પ્રભુ ના કલ્યાણક થશે એ એક સત્ય છે.
ગીરનાર એવું તીર્થ છે કે જેમાં દરેક ચોવીશી માં કોઈ એક કે વધુ ભગવાન ના કલ્યાણક તો થયા છે , છે અને થશે.
ગિરનાર ઉપર કાંકરે કાંકરે અરીહંત પ્રભુ વિચર્યા છે અને તેમના કલ્યાણક ની એક માત્ર પાવન ભૂમિ છે.

Leave a comment