જૈન ધર્મની પ્રાચીનતા

2

|| જૈન ધર્મની પ્રાચીનતા ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે.

1. રૂગવેદ અધ્યાય ૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે ઋષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

2. યજુર્વેદ અધ્યાય ૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

3. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

4. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમા આદિ ધર્મોનો પ્રચાર કર્યો .

5. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

6. નાગપુરાણમાં કહ્યું છે કે જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

7. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરત રાજાનો જન્મ થયો. તે ભરત રાજા નું આ ખંડમાં શાસન હોવાથી એનું નામ ભારત વર્ષ પડ્યું છે.

8. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા. ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથી જોઇ લેવું.

9. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષ્ટ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી, અભીચંદ્ર, પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમા ઉત્પન થયા. ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુમહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહિંસા  પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વ ધર્મ મત, પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નિવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનાર પર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથોના જણાવેલ પ્રમાણોથી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમયમાં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસનનું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨. સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા. શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩. સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્નતીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથી પ્રાચીન સાબિત થઇ છે

વળી, અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસ વેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યું  છે કે :- જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે, જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં. સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ. તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે – જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે; જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈન ધર્મ સ્યાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદી પ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી, એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩. ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજી તિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીર સ્વામી એ જૈન ધર્મ પુન:પ્રકાશમાં લાવ્યા એ વાતને આજે ૨૬૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધ ધર્મની સ્થાપનાથી પહેલા જૈન ધર્મ ફેલાયેલો હતો. આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જાણી શકાય છે. વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એ માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

Leave a comment