જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ

1

|| જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ ||

નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,

એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.

|| ભાવાર્થ ||

અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોયોને નમસ્કાર, બધા જ સાધુઓને નમસ્કાર.
આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે. અને બધાં જ મંગલોમાં પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે

દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થંકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે તે બ્રાહ્મણ પરંપરાના ન હોઈને શ્રમણ પરંપરાના હતાં. મનુસ્મતિમાં લિચ્છવિ, નાથ, મલ્લ વહેરે ક્ષત્રિયોનો વ્રાત્યોમાં ગણવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે પ્રાચીનકાળથી જ શ્રમણો ની પરંપરા વેદોને માનનારાઓની સાથે ચાલી આવી રહી છે. ભગવાન પાર્શ્વનાથ સુધી આ પરંપરા કયારેય પણ સંગઠિત રૂપમાં અસ્તિત્વમાં નહોતી આવી. પ્રાર્શ્વનાથથી પ્રાર્શ્વનાથ સંપ્રદાયની શરૂઆત થઈ હતી. અને આ પરંપરાને એક ગઠિત રૂપ મળ્યું હતું. ભગવાન મહાવીર પ્રાર્શ્વનાથ સંપ્રદાયના જ હતાં. જૈન શબ્દ જીન શબ્દ પરથી બનેલો છે. જીન બન્યો છે. ‘ જી’ ધાતુથી જેનો અર્થ થાય છે જીતવું. જીન એટલે જીતનારો, જેણે સ્વયંને જીતી લીધા તેને જીતેંદ્રીય કહે છે. ત્રેસઠ શલાકા પુરુષ ઃ કુલકરોની પરંપરા પછી જૈન ધર્મમાં લગભગ ચોવીસ તીર્થંકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ બધા મળીને ૬૩ મહાન પુરુષ થયા છે. આ ૬૩ શલાકા પુરુષોનો જૈન ધર્મ અને દર્શનને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે. ચોવીસ તીર્થંકર ઃ જેવી રીતે હિંદુઓમાં ૧૦ અવતાર થયા છે તેવી જ રીતે જૈનમાં ૨૪ તીર્થંકર થયા છે જેના નામ નિમ્નલિખિત છે – ઋષભ, અજિત, સંભવ, અબિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુન્થુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

|| મહાવીરનો માર્ગ ||

છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર તીર્થંકરોનો ધર્મ અને પરંપરાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. કૈવલ્યનો રાજપથ નિર્મિત કર્યો. સંઘ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું. મુનિ, આર્યિકા, શ્રાવણ અને શ્રાવિકા, આ જ તેમનો ચતુર્વિધ સંઘ કહેવાયો. એટલા માટે તેમણે ધર્મનો મૂળ આધાર અહિંસાને બનાવી અને તેના વિસ્તાર રૂપ પંચ મહાવ્રતો ( અહીંસા, અમૃષા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ) તેમજ યમોનું પાલન કરવા માટે મુનિઓને ઉપદેશ કર્યો.ગૃહસ્થોના પણ તેમણે સ્થળરૂપ – અણુવ્રત – નિર્મિત કર્યા. તેમણે શ્રદ્ધાન માત્રથ લઈને, કોપીનમાત્ર ધારી હોવા સુધી આ અગિયાર દર્જ નકકી કર્યા. દોષો અને અપરાધોના નિર્વારણાર્થે તેમણે નિયમિત પ્રતિક્રમણ પર જોર આપ્યું.જૈન ત્રિરત્ન ઃ સમ્યકદર્શન જ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગ ઃ૧, સમ્યક ૨. સમ્યક જ્ઞાન અને ૩. સમ્યક ચરિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખોલે છે. આ જ કૈવલ્ય માર્ગ છે.જૈન ધર્મગ્રંથ ઃ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા હતાં તેને તેમના પછીના ગણધરોએ, પ્રમુખ શિષ્યોએ સંગ્રહ કરી લીધા. આ સંગ્રહનું મૂળ સાહિત્ય પ્રાકૃત અને વિશેષ રૂપમાં મગધીમાં છે.ભગવાન મહાવીરરનાં પૂર્વના જૈન સાહિત્યને મહાવીરના શિષ્ય ગૌતમે સંકલિત કરી લીધું હતું. તેને પુર્વ માનવામાં આવે છે. આ રીતે ચૌદ પુર્વોને ઉલ્લેખ મળે છે.અહિંસા પરમો ધર્મ ઃ આમ તો વેદોમાં પણ અહિંસાના સૂત્રો છે. ભગવાન બુદ્ધે પણ અહિંસાને મહત્વ આપ્યું છે પરંતુ અહિંસાને વ્યાપક રૂપથી પ્રચાર કરવાનો શ્રેય જૈન ધર્મને જ જાય છે.જૈન ધર્મના આચારનો મૂળ મંત્ર છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાનું સૌથી ઊંચું સ્થાન છે. જૈન ધર્મગ્રંથોમાં અહિંસાની ખુબ જ સુક્ષ્મ વિવેચના કરવામાં આવી છે. સ્થુળ હિંસા તો પાપ છે જ પરંતુ ભાવ હિંસાને પણ સૌથી મોટું પાપ ગણવામાં આવે છે.દિગંમ્બર અન શ્વેતાંબર ઃ ભગવાન મહાવીરે જૈન ધર્મની જૈન ધર્મની ધારાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય કર્યું , પરંતુ તેમના પછી જૈન ધર્મ મુખ્ય બે સંપ્રદાયમાં વિભકત થઈ ગયો – દિગંમ્બર અને શ્વેતાંબર.

|| જૈન ધર્મની પ્રાચીનતા! ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે

૧. રૂગવેદ અધ.૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે વૃષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

૨. યજુર્વેદ અધ.૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

૩. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે :-પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

૪. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે :- નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

૫. વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમાઆદિ ધર્મોનો પ્રચાર કર્યો .

૬. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

૭. નાગપુરણમાં કહ્યું છે કે – જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

૮. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરતરાજાનો જન્મ થયો. તે ભરતરાજા નું આ ખંડ માં શાસન હોવાથી એનું નામભારત વર્ષ પડ્યું છે.

૯. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા ,પ્રથમ તીર્થંકરભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા.ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથીજોય લેવું.

૧૦. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષઠ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી,અભીચંદ્ર,પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાઉત્પન થયા .ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુ મહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહીષા પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વ ધર્મ મત,પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ)વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નીવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનારપર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથો ના જણાવેલ પ્રમનો થી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમય માં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસન નું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી(નેમનાથ)વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨.સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા.શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩.સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્ન્તીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથીપ્રાચીન સાબિત થઇ છે .

વળી,અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસવેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યો છે કે:-જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે,જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે.મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં.સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ.તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે-જૈન મત ત્યારથી પ્રચલિતથયો છે;જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈનધર્મ સયાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદીપ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી,એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩.ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજીતિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીરસ્વામી એ જૈનધર્મ પુન:પ્રકાશમાં લાવ્યો એ વાતને આજે ૨૪૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધધર્મની સ્થાપનાથી પહેલા જૈનધર્મ ફેલાયેલો હતો.આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીરસ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈનધર્મની પ્રાચીનતા જાણી શકાય છે.વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એમાં માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

Leave a comment