|| હોળી – એકસૂત્રમાં બાંધતું ૫ર્વ ||
પ્રત્યેક દેશના પોતાના સામાજીક..ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ.. એકતા.. ભાઇચારો.. ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે. સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે. આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટો કરે છે.. સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ.. એકતા.. વગેરે સ્થાપિત કરે છે.
પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે. આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ.. ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે.
હોળીએ યૌવન.. મસ્તી.. ઉમંગ અને અંદરોઅંદરના ભેદભાવ(દુશ્મની) ભુલીને એકસૂત્રમાં બાંધવાનું ૫ર્વ છે. પ્રાચીનકાળથી હોળીને એક લોક૫ર્વના રૂ૫માં મનાવવામાં આવે છે. હોળીનું ૫ર્વ ભારતીથ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંન્ને સાથે જોડાયેલું છે.
હોળીના ૫ર્વ સબંધિત પૌરાણિક કથા ૫ણ ખુબ જ પ્રસિદ્ધ છે. રાજા હિરણ્યકશ્યપ અને તેમની ૫ત્ની કયાધૂથી ભગવદ રત્ન પ્રહલાદનો જન્મ થયો હતો. હિરણ્યકશ્ય૫ને ચાર પૂત્ર હતા તેમાં પ્રહ્લાદ સૌથી નાના હતા એટલે તેમના પ્રત્યે પિતાને વિશેષ સ્નેહ હતો. પિતા કટ્ટર નાસ્તિક તો પૂત્ર પ્રહલાદ કટ્ટર આસ્તિક અને ઇશ્વર ભક્ત હતા. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તેને તમામ જગ્યાએ હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું. તેને ત્રણ જ વસ્તુ દેખાતી હતીઃ પૈસો. સ્ત્રી અને દારુ. તે જીવનમાં ભોગને જ સર્વસ્વ સમજતો હતો. તેનામાં ખાવો.. પીવો અને મોજ કરો એવી મનોવૃત્તિ હતી. તે પોતાને જ ઈશ્વર સમજતો હતો અને પોતાના રાજ્યમાં તમામ લોકો તેની જ ઈશ્વર સમજીને પૂજા કરે તેવો તેનો આદેશ હતો. કાદવમાં કમળ ખીલે તેમ આ રાક્ષસને ત્યાં રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરે તેવો પૂત્ર જન્મ્યો હતો. વિચારોમાં જમીન આસમાનના ફરકના કારણે પિતા પૂત્ર વચ્ચે એકતા સ્થાપિત થઇ શકી નહીં.
હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘેર પ્રહલાદ જેવા ૫રમ ભક્તનો જન્મ કેમ થયો ?
એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા. તેઓ ભગવાન વિષ્ણું પાસે જવા ઇચ્છતા હતા, પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ, તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય. ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો્ કેઃ તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો. દ્રારપાળો દુઃખી થઇ ગયા. ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા. મહાત્માઓને સમજાવ્યું કેઃ દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્યોય એ બરાબર નથી કર્યું કેમ કે તેઓ તેમની ફરજ બજાવતા હતા ! ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે, કંઇક ફેરફાર કરો.
સંતોએ કહ્યું કેઃ તેમને અસુર તો થવું જ ૫ડશે, પરંતુ અમે એક ફેરફાર કરીએ છીએ કે તે અસુર બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્થામનની પ્રાપ્તિે થશે. આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા. આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે, તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.
ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્૫ન્નર થયા. હિરણાક્ષને ભગવાન વિષ્ણુણએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો. ભાઇના વધથી સંતપ્ત્ હિરણ્યકશ્યપુએ દૈત્યો્ અને દાનવોને દેવો ઉ૫ર અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર તપ કરવા માટે ચાલ્યો ગયો. તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુર સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્યા માં જોડાઇ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્યાામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી. દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા. ઇન્દ્રીએ રાજમહેલમાં પ્રવેશ કરીને રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં. ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. નારદજીએ ઇન્દ્રને કહ્યું કેઃ ઇન્દ્ર ! આ કયાધૂને ક્યાં લઇ જાય છે ? ઇન્દ્રએ કહ્યું કેઃ દેવર્ષિ ! તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ. આ સાંભળીને નારદજીએ કહ્યું કેઃ દેવરાજ ! કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે, એટલે તૂં તેમને છોડી દે. નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા. નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કેઃ બેટી ! જ્યાંસુધી તમારા પતિ ત૫સ્યાજ કરીને ૫રત ના આવે ત્યાંયસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો. અવારનવાર નારદજી ગર્ભસ્થક બાળકને લક્ષ્ય્ બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા. આ જ બાળક જન્મ બાદ પરમ ભાગવત્ પ્રહલાદ થયા. ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉ૫ર પડી હતી. નારદજીના મુખેથી દૈવી વિચારો સાંભળી પ્રહલાદ જડવાદી રાક્ષસનો પૂત્ર હોવા છતાં ૫ણ ગર્ભવાસમાં દૈવી વિચારો સાંભળ્યા હોવાથી તે દૈવી વિચારનો મહાન.. તેજસ્વી પ્રભુ ભક્ત થયો.
હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર ષણુ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા. પ્રહલાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા. કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા. સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી. પ્રહલાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા. આ બધી વાતોની જાણ જ્યારે હિરણ્યકશ્યપને થઇ તો એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કેઃ બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.
હિરણ્યકશ્ય૫એ પ્રહલાદને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પ્રભુનામમાં મસ્ત પ્રહ્લાદના વિચારો બદલવામાં તે નિષ્ફીળ રહ્યા. ત્યાયરબાદ તેણે પ્રહલાદને મારી નાખવા આજ્ઞા આપી. અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે વિભિન્ન અસ્ત્રો નો પ્રયોગ કર્યો, પરંતુ તે તમામ નિષ્ફ ળ ગયા, ત્યારરબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પઓન્નચ કરાવડાવી ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફિલી જગ્યાએ, દહકતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા, પરંતુ તમામ ઉપાયો કરવા છતાંપ્રહલાદનો વાળ વાંકો ના થયો. પ્રત્યેક વખતે તે બચી ગયા, ત્યારે હિરણ્યકશ્યપેપ્રહલાદને અગ્નિમાં જીવતો બાળી મુકવાની નવી યોજના બનાવી.
હિરણ્યકશ્ય૫ની હોલીકા નામની એક બહેન હતી. હોલીકાને અગ્નિદેવનું વરદાન હતું કેઃ જો તે સદવૃત્તિના મનુષ્યોોને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. આ માટે અગ્નિદેવે વરદાનના રૂ૫માં દિવ્ય ચુંદડી આપી હતી કે જે ઓઢવાથી અગ્નિથી રક્ષણ થાય.
હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી મારી નાખવા લાકડાનો ઢગલો કરી તેમાં હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાનો આદેશ કર્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ૫વનદેવની કૃપાથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ. ઇશ્વરની લીલાથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદનો વાળ ૫ણ વાંકો ના થયો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
કોઇને જન્મ આપી કોઇ વ્યક્તિને મોટો કરવાની હિંમત મા-બા૫માં હોતી નથી. પ્રભુની શક્તિ વિના કોઇનામાં જન્મ આપવાની શક્તિ હોતી નથી અને જન્મેલાને બચાવવાની શક્તિ ૫ણ હોતી નથી. પ્રભુ શક્તિ જ આપત્તિમાંથી બચાવે છે.
આ કથા અનુસાર આજે ૫ણ હોલિકાદહન મનાવવામાં આવે છે. હવે આ૫ણને શંકા થાય કેઃ જે હોલિકાએ પ્રહલાદ જેવા હરિભક્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો.. તે હોલિકાનું હજારો વર્ષોથી લોકો પૂજન શા માટે કરે છે ? હોલિકાપૂજનની પાછળનું કારણ જુદું છે. જે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા જ લોકોએ ઘેર ઘેર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. અગ્નિદેવે લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ બચી ગયો. કાળક્રમે પ્રહલાદને બચાવવા માટેની પ્રાર્થનારૂપે ઘરઘરની અગ્નિપૂજાએ સામુહિક અગ્નિપૂજાનું રૂ૫ લીધું છે.
આમ…હોળીની પૂજા એટલે અગ્નિદેવનું પૂજન.. ખરાબ વૃત્તિના નાશ માટે તથા સારી વૃત્તિના રક્ષણ માટે લોકોના હ્રદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતિક છે. પ્રહલાદના અગ્નિમાંથી બચી જવાથી તથા કપટી હોલિકા બળી જવાથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.. એકબીજા ઉ૫ર રંગ અને ગુલાલ ઉડાડ્યો. આ જોઇ બીજા દિવસે આસુરીવૃત્તિના લોકોએ ધૂળ.. કાદવ.. ઉડાડ્યો તેથી હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાઇ.હોળીમાં ફક્ત કચરો કે કામ વિનાની ચીજોનો જ હોમ નથી કરવાનો પરંતુ આ૫ણા જીવનમાં આ૫ણને હેરાન કરતા ખરાબ વિચારો.. મનના મેલનું ૫ણ હવન કરવાનું છે.
આ જ દિવસે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જીએ પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો હતો.. ખેડૂતો આ ૫ર્વને ખેતી સાથે જોડે છે. હોળીનો અર્થ છેઃ હોલા (હોરા) એટલે કેઃ કાચું અનાજ. પ્રાચીનકાળમાં એક સામુહીક યજ્ઞ કરવામાં આવતો. આ યજ્ઞમાં પ્રસાદના રૂ૫માં હોલે (કાચું અનાજ) વહેંચવામાં આવતું નથી. આ યજ્ઞનું આધુનિકરૂ૫ હોળી ૫ર્વ મનાવવામાં આવે છે. વિદેશોમાં ૫ણ હોળીનું ૫ર્વ ઉજવવામાં આવે છે. બર્મામાં હોળીના પર્વને ટિગુલા નામથી મનાવવામાં આવે છે. થાઇલેન્ડ આ પર્વ ર્સાગ્કાના કહેવામાં આવે છે. આ ૫ર્વે સુગંધિત જળનો ઉ૫યોગ કરવામાં આવે છે તથા એકબીજા ઉ૫ર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે. ચીનમાં આ ૫ર્વને રવેગે નામથી ઉજવાય છે. તિબેટમાં આ ૫ર્વના દિવસે અગ્નિ પ્રગટાવીને તેની ૫રીક્રમા કરવામાં આવે છે. ફ્રાન્સમાં આ તહેવારને ડિંબો-ડિંબો નામથી ઉજવવામાં આવે છે. પ્રાચિન યૂનાનમાં હોળીના ૫ર્વને મળતો મેયો નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ૫ર્વના દિવસે ડાયનાસિંયલ નામના દેવતાની પૂજા થાય છે તથા અગ્નિ પ્રગટાવી તેની આસપાસ નાચે છે.
હોળીના દિવસે ઘેર ઘેર ફરી લાકડાં ભેગાં કરી અગ્નિ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ઢોલ.. નગારા તથા નાચ ગાન કરવામાં આવે છે. હોળીના બીજા દિવસને ધૂળેટીના નામથી ઉજવવામાં આવે છે. સવારથી જ બાળકો.. યુવાનો.. વૃદ્ધો.. યુવક.. યુવતીઓ ટોળકીઓ બનાવી એકબીજાના ઘેર જઇ અબિલ-ગુલાલ.. રંગ રંગીન પાણીથી રંગે છે.
હોળીના ૫ર્વમાં ઉંમર.. અમીરી.. ગરીબીને કોઇ સ્થાન નથી. તમામ વર્ગોના તથા તમામ ઉંમરના નર-નારી એકબીજા ઉ૫ર રંગ છાંટે છે અને ભેદભાવ મિટાવવાનો સંકલ્પ કરે છે. ગામડાઓમાં પુરૂષો મહીલાઓ ઉ૫ર રંગ છાંટે છે ત્યારે મહિલાઓ હાથમાં લાકડી લઇ પુરૂષોની પિટાઇ કરે છે. કેટલાક લોકો આ પાવન અને મસ્તીભર્યા તહેવારના દિવસે શરાબ પીવે છે તથા જબરજસ્તીથી એકબીજાને રંગવાનો પ્રયાસ કરે છે તથા કાદવ ઉછાળે છે અને આમ અશ્લીલતા કે અમાનવીય વ્યવહારનું પ્રદર્શન કરવું જોઇએ નહીં પરંતુ હળીમળીને આ પર્વને પર્વની ભાવનાથી મનાવવું જોઇએ.
વાસ્તવમાં હોળી મસ્તી.. ઉમંગ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટવાનો પાવન તહેવાર છે. અલગ અલગ વિચારો.. ઘૃણા.. શત્રુતા અને આપસમાંનો ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ ત્યારે જ હોળી એકસૂત્ર બાંધવાનું ૫ર્વ કહેવાશે….!!
|| હોળી – ધર્મ, આરોગ્ય, મનોરંજન અને સામાજીક વહેવારોનો તહેવાર ||
આપણા પૂર્વજો અને ધર્માચાર્યોએ વિવિધતાભર્યા ધાર્મિક તહેવારો આપી આપણા જીવનને અનેક ઉપાધીઓ વચ્ચે હરિયાળુ બનાવ્યું છે અને જુઓ તો ખરા કે દરેક તહેવારની ઉજવણીમાં વિવિધતા છે દિવાળી દીપક અને રંગોળીનો તહેવાર છે તો મકરસંક્રાતિ દાન પૂન્ય અને પતંગોનો તહેવાર છે. તો જન્માષ્ટમી મટકી ફોડવાનો (ગોવિન્દા) તહેવાર છે તે પ્રમાણે હોળી પણ ધર્મ સાથે મનોરંજન આપી જીવનને આનંદ આપે છે.
* ધાર્માક હોળી
ભક્ત પ્રહલાદના અત્યાચારી બાપ હીરણાકંસને મારવા ભગવાને અવતાર લેવા પડયો. ”નવ અવતાર”માં અવતાર છ જુઓ. મત્સ્ય, કશ્યપ, વરાહ, વામન, પરશુ ”નૃસિંહ” રામ, કૃષ્ણ, બુધ્ધ ધાર્મિક પરંપરા મુજબ પ્રહલાદને મારવા હોલીકાનો ઉપયોગ થયો હોલીકા બળી ગઇ ભક્ત પ્રહલાદ બચી ગયો કથા જાણીતી પ્રચલીત છે. તેનો ઉત્સવ હોળી… પણ દરેક ધાર્મિક કથા પાછળ એ સારાંશ, ઉપદેશ રહેલા છે. તેમ હોળી એટલે આસુરી તત્વો ઉપર દૈવી તત્વોનો વિજય.
ભગવાન શ્રી કૃષ્ણે પણ હોળીનો તહેવાર ઉજવ્યો હતો અને વ્રજમાં હોળી રમ્યા હતા અને રંગોની છોળો ઉડાડી હતી તેથી હોળીનો મહિમા વધ્યો.
* હોળી મનોરંજન
ધર્મ સાથે આ તહેવાર ખૂબ જ રંગીન અને મનોરંજન આપે છે એક બીજા ઉપર રંગ છાંટવાનો અને ઢોલ નગારા વગાડી નાચ ગાન પણ થાય છે. એટલે હોળી રંગોનો તહેવાર મનાય છે.
* આરોગ્યપ્રદ હોળી
ધાણી, ચણા, ખજૂર જેવા પદાર્થો ખાવા પાછળ શિયાળામાં ઠંડા પવનોથી થયેલું શારીરિક દર્દ પણ ઉપરોક્ત પદાર્થો ખાવાથી આરોગ્ય જળવાય છે.
સામાજીક રીવાજોમાં હોળી ઃ-
હોળી પ્રગટે ત્યારે નવવધુ દંપતિ હોળીની આસપાસ પ્રદક્ષિણા કરી ધાર્મિક આશીર્વાદ મેળવે છે. એક વર્ષની નીચે જન્મેલા નાના બાળકોને પણ હોળીની પ્રદક્ષિણા કરાવાય છે. નવા લગ્ન કે બાળક જન્મ્યુ હોય તેવા ઘરોમાં અમલ કસુંબા કરી મનોરંજન થાય છે. નવી વહુ વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છે. ક્યાંક ઘેરમેળાઓ ભરાય છે અને હોળીના ઘેરૈયા ”ગોઠ” માગી ઢોલ નગારા વગાડી આનંદ આપી બક્ષિસ મેળવે છે.
* ફિલ્મોમાં હોળી ગીતો
હિન્દુધર્મના તહેવારો એટલા બધા મનોરંજક છે કે તેનો ઉપયોગ ફિલ્મોમાં પણ થાય છે તેમાં પણ હોળી ઉત્સવ તો ખાસ ઘણી ફિલ્મોમાં થાય છે. નવરંગ, મધર ઇન્ડિયા, કટીપતંગ અને શોલે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં હોળી ગીતો આવરી લઇ ફિલ્મને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
* પર્યાવરણ
વૈજ્ઞાનિકો કહે છે હોળીની જ્વાળાઓ પ્રદૂષીત હવાને નિર્મળ કરે છે. ઝેરી જંતુઓનો નાશ કરે છે. ગામડે ગામડે શહેર શહેરે સર્વત્ર ઉજવાતી હોળીની જ્વાળાઓથી હવા શુધ્ધ થાય તેવું બની શકે છે આવો આપણે પણ હિન્દુ ધર્મના બે મોટા તહેવારો હોળી અને દિવાળી પૈકી વર્તમાન હોળીના તહેવારને ધર્મ, આસ્થા મનોરંજનથી ભરી દઇ જેને માટે ભગવાનને નૃસિંહરૃપે અવતરવું પડયું તેવા ભક્ત પ્રહલાદને યાદ કરી ધન્ય બનીએ.
* હોળીની વિધિ
આ તહેવારમાં મુખ્ય ભાર હોલિકા દહન અથવા હોળીને પ્રગટાવવા પર મુકવામાં આવે છે. હોળી પ્રગટાવવાની પરંપરાને માટે કેટલાકો નાના બાળકોની સતામણી કરતી રાક્ષસીઓ હોલિકા અને પૂતનાના દહનની સાથે જોડે છે.
* આરોગ્યનું જોખમ
પહેલા તો હોળીની ઉજવણીમાં ઉપયોગમાં લેવાતા રંગો વસંતમાં ખીલતાં કેસૂડો અને પારિજાત કે પલાશ જેવા ફૂલોના વૃક્ષોમાંથી બનાવવામાં આવતા. આ ફૂલો ભડક લાલ રંગના હોય છે. આ અને આવા અન્ય ફૂલોમાંથી હોળી માટેના તેજસ્વી રંગો બનાવવાની કાચી સામગ્રી મળી રહે છે. આમાંના મોટાભાગના વૃક્ષો તબીબી તત્ત્વો હોવાની લાક્ષણિકતા ધરાવે છે તેથી તેના રંગ ત્વચા માટે પણ લાભકારી બને છે. વર્ષો વીતવાની સાથે શહેરી વિસ્તારોમાંથી વૃક્ષો નાશ પામતા ગયા તેમ કુદરતી રંગોનું સ્થાન રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ડાઈમાંથી ઉત્પાદિત કરાતા રંગોએ લીધું છે. આ રંગો ઝેરી રસાયણ ધરાવતા હોઈ તેની આરોગ્ય પર ગંભીર અસર પડે છે, જે નીચે મુજબ છે:
કાળા રંગમાં સીસાનો ઑક્સાઈડ (લીડ ઑક્સાઈડ) ધરાવે છે, જે કારણે મૂત્રપિંડની નિષ્ફળતાનું કારણ બને છે.
લીલા રંગમાં મોરથૂથું રહેલું હોય છે, જેને કારણે આંખની એલર્જી, સોજો આવવો અને હંગામી અંધાપો આવવો વગેરે થઈ શકે.
સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડ રહેલું હોઈ તેમાં કૅન્સર થવાની સંભાવના ઊભી થઈ શકે.
ભૂરાં રંગમાં રહેલા પર્સિયન બ્લ્યુને કારણે ત્વચાનો સોજો આવવો કે બળતરા થવાનો રોગ થાય છે.
લાલ રંગમાં પારાનો ક્ષાર, મર્ક્યુરી સલ્ફેટ (ગંધક) હોય છે જે અતિશય ઝેરી હોય છે અને તેનાથી ચામડીનું કૅન્સર થવાની સંભાવના છે.
સૂકા રંગ સામાન્યપણે ગુલાલ તરીકે જાણીતા છે, જેમાં બે ઘટક હોય છે. તેમાં રંગદ્રવ્ય ઝેરી હોય છે અને મિશ્રણના મુખ્ય દ્રવ્યમાં એસ્બેસ્ટોસ અથવા રેતી જેવું દ્રવ્ય હોય છે. બેઉ દ્રવ્યો આરોગ્યની સમસ્યા ઊભી કરી શકે છે. રંગદ્રવ્યોમાં ભારે પ્રમાણમાં ધાતુ વડે અસ્થમા (દમ), ત્વચાના રોગો અને હંગામી અંધાપો લાવી શકે છે.
ભીનાં કે પ્રવાહી પ્રકારના રંગમાં મોટાભાગે જેન્શન વાયોલેટ નામનું જંતુનાશક દ્રવ્ય હોય છે જેનાથી ચામડીનો મૂળ રંગ નાશ પામે છે અને ચામડીના રોગો થાય છે.
હવે રસ્તા પર ફેરિયાઓ છૂટા રંગ વેચે છે જે ક્યાંથી આવે છે તેની વેચનારને ખબર હોતી નથી. ક્યારેક રંગના ખોખા પર ‘માત્ર ઔદ્યોગિક વપરાશ માટે’ એવું લખેલું હોય છે.
* હોળીનું પ્રગટાવવું
હોલિકા દહન માટે પ્રગટાવાતી હોળીમાં વપરાતા લાકડાં વળી બીજી પર્યાવરણીય સમસ્યા ઊભી કરે છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કરાયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ હોળી દીઠ ૧૦૦ કિલોગ્રામ લાકડું વપરાય છે અને ગુજરાતમાં લગભગ ૩૦,૦૦૦ હોળી પ્રગટાવવામાં આવે છે. આને પગલે મૂંઝવણ ઊભી કરે એટલા પ્રમાણમાં લાકડું વપરાય છે.
આથી અનેક સામાજિક જૂથો લાકડાનો વપરાશ અંકુશમાં રાખવાના આશયથી જુદી જુદી હોળી પ્રગટાવવાને બદલે પ્રતીકાત્મક સમાજ-હોળીની હિમાયત કરે છે. અન્ય કેટલાક જૂથો લાકડાને બદલે વેસ્ટમાંથી-કચરામાંથી હોળીને પ્રગટાવવાનું સૂચન કરે છે.